Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

વચનામૃત ૫ : ઈંદ્રિયો-અંત:કરણ જીત્યાનું

સંવત્ ૧૮૭૭ ના કાર્તિક વદિ અમાસને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને મસ્‍તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, ”કેટલા સંકલ્‍પ કહેવાય ત્‍યારે નિષ્કપટ કહેવાય, ને કેટલા સંકલ્‍પ ન કહેવાય ત્‍યારે કપટી કહેવાય ?” પછી પરમહંસ વતે તેનો ઉત્તર ન થયો. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”પંચવર્તમાન સંબંધી પોતામાં કાચ્‍યપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચ્‍યપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું અને કોઇક સંતનો અવગુણ પોતાને આવ્‍યો હોય તો તે કહેવો તથા ભગવાનના નિશ્વયમાં અનિશ્વયનો ઘાટ થયો હોય તે પણ કહેવો, ત્‍યારે તે નિષ્કપટ કહેવાય. અને એ માંહીલો સંકલ્‍પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”એવો કપટી હોય ને તે ડાહ્યો હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખવો ?” ત્‍યારે એનો ઉત્તર પણ પરમહંસને ન આવડયો. ત્‍યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ”એ તો એમ ઓળખાય જે એનો સહવાસ હોય ને ખાધે-પીધે, બેઠતે-ઉઠતે, ચાલતે-હાલતે, પોતા ભેળો રહેતો હોય ત્‍યારે પોતે તેની ખબર રાખે ને પોતાથી નોખો […] read more
0 Views : 487

લોયા ૬ : સંગ શુદ્ધિનું

સંવત્ ૧૮૭૭ના માગસર સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો ફેંટો માથે બાંઘ્‍યો હતો તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી ને તે ધોળા ફેંટાનું છોગલું માથે લટકતું હતું ને ચોફાળ ઓઢયો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પરમહંસ પ્રત્‍યે પ્રશ્ર્ન પુછયો જે, ”સત્‍સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્‍યું છે ?” પછી એ પ્રશ્ર્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો. ત્‍યારે શ્રીજીમહારાજે કર્યો જે, ”એકાંતિક પણું એમાં આવે એ અતિશે દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું ? તો ધર્મ જ્ઞાન અને વૈરાગ્‍ય એ ત્રણે યુક્ત જે ભગવાનની ભકિત કરવી તેને એકાંતિકપણું કહીએ. પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે, જે એક રાખ્‍યે કરીને સર્વે ધર્મ રહે ? અને ભગવાન સંબંધી જે ભજન, સ્‍મરણ, કીર્તન, વાર્તા, એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કયું છે, જે આપત્‍કાળ હોય ને સર્વે જાય, ને જો એક રહે તો સર્વે રહે ?” પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો જે, ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ […] read more
0 Views : 381

લોયા ૭ : ઈંદ્રિયો, અંત:કરણ અને અનુભવ પહોંચ્યાનું

સંવત્ ૧૮૭૭ના માગશર સુદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાઘનું છોગલું વિરાજમાન હતું તથા ધોળી છીંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને તે સમયમાં વચનામૃતનું પુસ્‍તક નિત્‍યાનંદ સ્વામીએ લાવીને શ્રીજીમહારાજને આપયું. પછી તે પુસ્‍તકને જોઇને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્‍યે બોલ્‍યા જે, ”આજ તો ભારેભારે પ્રશ્ર્ન પુછો તો વાત કરીએ.” ત્‍યારે મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”શ્રુતિમાં એમ કહ્યું છે જે, “ઋતે જ્ઞાનાન્ન મુકિત:” “તમેવ વિદિત્‍વાતિમૃત્‍યુમેતિ નાન્‍ય: પન્‍થા વિદ્યતેડયનાય ||” એ શ્રુતિમાં એમ કહ્યું છે જે ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્‍યારે જીવનું કલ્‍યાણ થાય છે,’ ત્‍યારે શાસ્ત્રમાં જે બીજાં સાધન કલ્‍યાણને અર્થે બતાવ્‍યાં છે તેનું શું પ્રયોજન છે ? કેમ જે કલ્‍યાણ તો જ્ઞાને કરીને  થાય છે” એવા પ્રશ્ર્નને સાંભળીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જ્ઞાન તે જાણવાનું નામ છે” ત્‍યારે નિત્‍યાનંદ સ્વામીએ આશંકા કરી જે, ”જાણવું એજ જ્ઞાન હોય તો શાસ્‍ત્રે કરીને ભગવાનને સર્વે જગત જાણે છે, તેણે કરીને સર્વેનું કલ્‍યાણ થતું નથી.” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”શાસ્‍ત્રે કરીને પરોક્ષપણે ભગવાનને જાણ્‍યા તેણે કરીને જેમ કલ્‍યાણ નથી, તેમ રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર હતા ત્‍યારે   તેમને સર્વે મનુષ્યે પ્રત્‍યક્ષ […] read more
1 Views : 377

લોયા ૮ : ઈન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું – પોતાના અંગના શબ્દો ગ્રહણ કર્યાનું

સંવત્ ૧૮૭૭ ના માગશર સુદિ ૫ પંચમીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં વિરાજમાન હતા. અને ધોળો ફેંટો મસ્‍તકે બાંઘ્‍યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમયને વિષે શ્રીજીમહારાજને મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”જે ભોળો હોય તેને તો કોઇ સ્‍વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ ડાહ્યો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે. ? ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”જે ડાહ્યો હોય તેને પોતામાં જે કોઇ અયોગ્‍ય સ્‍વભાવ દેખ્‍યામાં આવ્‍યો ને તેની ઉપર પોતે અતિ દોષબુદ્ધિ રાખીને દ્વેષે સહિત તે સ્‍વભાવને ટાળ્‍યાનો દાખડો કરતો હોય અને તે સ્‍વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્‍વભાવ કોઇ બીજા સંતમાં દેખાય ત્‍યારે તેનો અભાવ આવે છે. અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્‍વભાવને ટાળે નહિ ને બીજા સંતમાં કાંઇક તે સ્‍વભાવ દેખે તો તેનો અવગુણ લે છે તેને મૂર્ખ કહીએ. ત્‍યાર પછી શ્રીજીમહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે  પ્રશ્ર્ન શીખવવા લાગ્‍યા, ને પોતે ઉત્તર કરવા લાગ્‍યા. તેમાં પ્રથમ તો પોતે એમ  પ્રશ્ર્ન પુછયો જે, ”કામ, ક્રોધ ને લોભાદિક શત્રુનો જે વેગ તેનું જે તીવ્રપણું ને મંદપણું તે બાળ, યૌવન અને વૃદ્ધ તેણે કરીને છે. કેવી રીતે, તો […] read more
0 Views : 330

લોયા ૯ : ધર્માદિક ચારને ઊપજ્યાના હેતુનું

સંવત્ ૧૮૭૭ ના માગસર સુદિ ૬ છઠ્ઠને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્‍તકે બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”સર્વે પરમહંસ પરસ્‍પર પ્રશ્ર્ન ઉત્તર કરો” ત્‍યારે આત્‍માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, ”વૈરાગ્‍ય, જ્ઞાન, ભકિત અને ધર્મ એ ચાર ને ઉપજ્યાનો હેતુ શો છે.? પછી તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, વૈરાગ્‍ય તો એમ ઉપજે જે, જો કાળનું સ્‍વરૂપ જાણ્‍યામાં આવે, તે કાળનું સ્‍વરૂપ તે શું તો નિત્‍ય પ્રલયને જાણે, નૈમિત્તિક પ્રલયને જાણે, પ્રાકૃત પ્રલયને જાણે અને આત્‍યંતિક પ્રલયને જાણે, તથા બ્રહ્માદિક સ્‍તંબપર્યંત સર્વે જીવના આયુષ્યને જાણે અને એમ જાણીને પિંડબ્રહ્માંડ સર્વે પદાર્થને કાળનું ભક્ષ સમજે, ત્‍યારે વૈરાગ્‍ય ઉપજે. અને જ્ઞાન તો એમ થાય જે, જો બૃહદારણ્‍ય, છાંદોગ્‍ય, કઠવલ્લી, આદિક જે, ઉપનિષદ્ તથા ભગવદ્રીતા તથા વાસુદેવમાહાત્‍મ્‍ય તથા વ્‍યાસસૂત્ર ઇત્‍યાદિક ગ્રંથનું સદ્રુરુ થકી શ્રવણ કરે, તો જ્ઞાન ઉપજે, અને ધર્મ તો એમ ઉપજે, જો યાજ્ઞવલ્‍કયસ્‍મૃતિ, મનુસ્‍મૃતિ, પરાશરસ્‍મૃતિ, શંખ-લિખિતસ્‍મૃતિ, ઇત્‍યાદિક સ્‍મૃતિનું શ્રવણ કરે, તો ધર્મ ઉપજે. ને તેમાં નિષ્‍ઠા આવે. અને ભકિત એમ ઉપજે જે, જો ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે. તે કેમ જાણે તો ખંડ ખંડ પ્રત્‍યે ભગવાનની જે […] read more
0 Views : 301

લોયા ૧૦ : નિર્વિકારી રહ્યાનું

સંવત્ ૧૮૭૭ ના માગસર સુદિ ૮ અષ્‍ટમીને દિવસ શ્રીજી મહારાજ  ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્‍તકે બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમયમાં નિત્‍યાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”આ જગતમાં કેટલાક મનુષ્યને સ્‍ત્રીયાદિક પદાર્થમાં એવું હેત થાય છે જે, ‘તેનો વિયોગ થયો હોય, તો પ્રાણનો ત્‍યાગ થઇ જાય.’ અને કેટલાકને સ્‍ત્રીયાદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે, માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્‍યાગ ન થાય ને એ બે પ્રકારના જીવ છે તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે, તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમજ જોડાય જે, ‘ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય.’ અને જેને સંસારમાં સાધારણ હેત છે, ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય. તે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિષે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એતો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે, તો જ્યારે જીવ કર્મ કરે છે ત્‍યારે જીવની વૃત્તિનો વેગ ત્રણ પ્રકારે થાય છે, એક મંદ વેગ, બીજો મઘ્‍યમ વેગ, […] read more
0 Views : 389

૧૧. સત્‍પુરૂષની ને અસત્પુરૂષની સમજણનું

સંવત્ ૧૮૭૭ ના માગસરવદિ ૮ આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરાખાચરના દરબારમાં પ્રાત:કાળને સમે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ર્ન પુછયો જે, ”શ્રીમદ્ભાગવત તથા ભગવદ્રીતા એ આદિક જે સત્‍શાસ્ત્ર તે થકી અસત્‍પુરૂષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે ? ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, એનો ઉત્તર કરીએ છીએ જે. અસત્‍પુરૂષની એમ સમજણ છે જે, આ વિશ્વને વિષે સ્‍થાવર જંગમરૂપ એવી જે સ્‍ત્રીપુરૂષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટરૂપ એવા જે આદિ પુરૂષનારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે, તે સારૂં જે મુમુક્ષુ કલ્‍યાણને ઇચ્‍છતો હોય તેણે પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્‍ત્રીઓ તથા પુરૂષરૂપ એવી ઉત્તમ, નીચ જે જે આકૃતિઓ તેને વિષે આસક્ત થાય ત્‍યારે તેને તેજ આકૃતિનું મનને વિષે ઘ્‍યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય અને તે આકૃતિને વિષે જો મન દોષને કલ્‍પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે, સમગ્ર જગત તે બ્રહ્મ છે. એમ વિચાર કરીને તે સંકલ્‍પને ખોટો કરવો. એવી રીતે જે સત્‍શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્‍પુરૂષની સમજણ છે અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્‍ટ ભાવ […] read more
0 Views : 150

લોયા ૧૨: છ પ્રકારના નિશ્વયનું – સવિકલ્પ -નિર્વિકલ્પ નિશ્વયનું

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરા ભક્તના દરબારમાં રાત્રિને સમે વિરાજમાન હતા ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને બીજાં સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન કર્યો જે ”ભગવાનનો નિશ્વય બે પ્રકારનો છે, એક સવિકલ્‍પ અને બીજો નિર્વિકલ્‍પ, અને તે બેમાં પણ ઉત્તમ, મઘ્‍યમ અને કનિષ્‍ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે. તે બે મળીને છ ભેદ થયા, તેનાં લક્ષણ પૃથક્ પૃથક્ કરીને કહો” પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહિ. ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે  ”સવિકલ્‍પ નિશ્વયમાં કનિષ્‍ઠ ભેદ તો એ છે જે ભગવાન જે તે અન્‍ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિષે પ્રવર્તે ત્‍યાં સુધી તો ભગવાનનો નિશ્વય રહે પણ જો વધારો કરે તો ન રહે, અને મઘ્‍યમ ભેદ તો એ જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિષે અધિક પ્રવર્તે ત્‍યાં સુધી પણ નિશ્વય રહે અને ઉત્તમ ભેદ તો એ જે, ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મદ્ય, માંસ, પરસ્‍ત્રી, ક્રોધ, હિંસા ઇત્‍યાદિક ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહિ, કેમ  જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે, ભગવાન તો સર્વના કર્તા છે, ને […] read more
0 Views : 211
Powered By Indic IME