Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧૯

પ્રથમ સાધનકાળમાં તો પૂરું જ્ઞાન થાય નહિ ત્‍યાં સુધી સત્‍સંગનું સુખ આવે નહિ, તે કેની પેઠે ? તો જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્‍યારે નદીમાં નવું જુનૂં પાણી ભેળું થાય, તે પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્‍યારે સર્વે નવું  પાણી થાય, તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્‍સંગનું સુખ આવે છે. ૩૧૯ read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૦

કોઇને ભગવાન પ્રધાન હોય ને કોઇને વ્‍યવહાર પ્રધાન હોય એ બે બરોબર કયાંથી મળશે ? માટે આ વાત પણ જાણી રાખવી. ૩૨૦ read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૧

અને આજ દિન સુધી તો કારખાનાં કરાવ્‍યાં ને હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહી, ને વળી કહ્યું : જે સર્વે નાં સુખ જોવાં ને સર્વેનાં રુપ જાણવાં, ને એક ભગવાન વિના બીજામાં માલ નહિ એવું જ્ઞાન શિખવું ને વળી કહે કે ગિરનાર જેવડો કામ, મેરુ જેવડું માન ને લોકાલોક જેવડી વાસના એ સર્વેના મૂળ ઉખાડી નાખવાં છે એવું જ્ઞાન આપવું છે. ૩૨૧ read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩રર

અને આપણ દેહમાં જીવ ભેળો કોટાન કોટિ સૂર્યનો પ્રકાશ છે પણ તે હમણાં જો દેખાય તો કોઇની ગણતી ન રહે. એમ મહિમા કહ્યો. ૩૨૨ read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૩

અને મુકતાનંદ સ્‍વામી જેવા સાધુ વાત કરે, તે બે હજાર માણસની સભા બેઠી હોય તે સહુના સંકલ્‍પના ઉત્તર થાતા જાય, એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે. ૩૨૩ read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૪

અને મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ઘ્યાન એ જ કરાવવું છે. ને માણસને તો સ્વવભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહિ, ત્યારે હવે આપણે શું કરીએ ? ને આવો યોગ છે તેમાં નહિ સમજાય ને સ્વાભાવ મૂકીને મોટા સાથે નહિ જોડાય તો તે મોડો ધામમાં જાશે, એમાં કાંઇ ભગવાનને ઉતાવળ નથી. ને આ કારખાનાં તો દહોડે દહોડે વધતાં જાશે. ૩૨૪ read more
0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩રપ

અને આ સાધુ જેવા છે એવા જણાય, તો તેને મૂકીને છેટે ખસાય નહિ, ને કાંઇક ચમત્‍કાર જણાવે, તો તો વ્‍યાપકાનંદ સ્‍વામીની પેઠે બંધીખાનાં થાય, માટે કાંઇ નથી દેખાડતાં તે પણ ઠીક છે. ૩૨૫ read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર૬

અને ‘વ્‍યવહારેણ સાધુ’ તે એક બીજાને વ્‍યવહાર પડયાથી સાધુતાની ખબર પડે છે, પણ તે વિના સાધુપણું જણાતું નથી. ૩૨૬ read more
0 Views : 104
Powered By Indic IME