અને જૂનાગઢના જમાન મહારાજ બે વાર થયા છે. એક વાર વરતાલમાં ને બીજીવાર ગઢડામાં એમ કહ્યું. તે ઉપર એક સંતે પૂછયું : જે જમાન થયા તે શું સમજવું ? ત્યારે સ્વામી બેલ્યા : જે માયાનું બંધન થાવા દે નહિ. પછી ફરીને સંતે પૂછયું : જે તે જમાનગરું કયાં સુધી રહેશે ? પછી સ્વામી બોલ્યા : જે આપણે છીએ ત્યાં સુધી તો ખરું, પણ હજી તો મહારાજનું જ્ઞાન છે. ને વળી મહારાજ કહે: કે ‘જૂનાગઢ જાય તેની કરોડ જન્મની કસર ટાળી નાખશું’ અને અમે ગઢડેથી આવ્યા ત્યારે એ ભાતું બંધાવ્યું હતું. ૨૭૧ read more
ઝીણાભાઇએ મહારાજ પાસે જૂનાગઢમાં મંદિર કરવાનું માગ્યું તે પણ પોતે ઉપજાવ્યું હશે, તે આંહી મંદિર કર્યું ને તેમાં સાધુ પણ એવા જ રાખ્યા છે. તે આ મંદિરમાં ખરડો તો હજી સુધી કર્યો નથી. ૨૭૩ read more
અને મહારાજ કહેતા : જે ‘અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ : જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ તેનું અમને માન ન આવે, એ અમારામાં ગુણ છે. ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ, પણ મુકતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહિ એ અમારામાં અવગુણ છે.’ ૨૭૫ read more
અને કથાવાર્તા બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ, અક્ષરધામ ને આ લોકમાં મોટા એકાંતિક પાસે એ ચાર ઠેકાણે થાય છે ને બીજે કયાંય થાતી નથી, ને જ્યાં વિષય છે ત્યાં કથા-વાર્તા નથી. ૨૭૭ read more
અને આપણે કાંઇક કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આવતું હોય, તે સારુ મોટા કહે જે આ કામ બગાડયું, તો પણ રાજી રહેવું, કેમ જે આપણને તો પૂર્વાપર સૂઝે નહિ ને મોટા તો દીર્ધદર્શી છે તે આગળ થાવાનું દેખે છે. ૨૭૮ read more