Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પપ

આવી વાત તો કયાંય થાતી નથી, માટે વિષય તો ખોટા થઇ ગયા છે ને વાસના જેવું જણાય છે તે દેહધારીને એમ હોય, તેમાં સદાશિવની હવેલીનું દ્ષ્‍ટાંત દીધું તથા ભગવાનની ઇચ્‍છા સમજવી. ૨૫૫ read more
0 Views : 80

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૬

આપણે પોતાના સ્‍વરુપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્‍થૂળ દેહને પોતાનું માનવું નહિ, ને મહારાજનો મત તો ત્રણે દેહને ન માનવાં ને અક્ષર માનવું. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્‍મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્‍યા તે અક્ષર માનવું.  ૨૫૬ read more
0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૭

અને લાકડાની ને લોઢાની બેડી હોય તે કરતાં પણ સ્ત્રી ધનની બેડી મોટી છે. ને એ બેયથી ન દબાય એ તો માયાથી પર આવેલો હોય તે ન દબાય, બીજો તો દબાય, ને ઇંદ્રિયો અંત:કરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય. ૨૫૭ read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૮

શ્વાન, સૂકર, બિલાડ, ખર, તેના ટોળા માંહિલો જંત, તેને મૂકે સંત કરી જો મળે સદ્ગુરુ સંત’ એમ કહીને કહ્યું : જે ‘વસ્‍તુ નહિ કોઇ સંત સમાના’ તે આપણને મળ્‍યા છે. ૨૫૮ read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨પ૯

અને મહારાજ કહેતા: કે ‘નામ કેનું લઇએ પણ આગળ તો કલ્‍યાણ કેવાં કર્યા છે ! તો પોતાના સામથ્‍ર્ય પ્રમાણે કર્યા છે, ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે.’ ૨૫૯ read more
0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૦

અને ખટ્વાંગ રાજાનું બે ઘડીમાં કલ્‍યાણ કર્યું, તે સાધુ તો બહુ દયાળુ છે, તે એને તો ખબર ન પડે પણ સંબંધનું લખે છે એમ સમજવું. ૨૬૦ read more
0 Views : 79

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬૧

અને મઘ્‍યનું નવમું વચનામૃત વંચાવીને બોલ્‍યા : જે મહારાજને પુરુષોત્તમ જાણતો હોય, ને દેશકાળે સત્‍સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય તો બીજા ધામને પામે. ૨૬૧ read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૬ર

અને મહારાજ કહેતા : જે ‘અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે, કેમજે એ એમ જાણે છે જે ‘કોઇક એક ભગવાન છે ને આ બીજો કેમ ભગવાન થાય છે ?’ માટે એ અમારો દ્રોહ કરતા નથી.’ ૨૬૨ read more
0 Views : 76
Powered By Indic IME