Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૬

અને આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી પણ વિષય સુખ, એમાં તે શું અધિક છે ? સર્વેનું આવું ને આવું છે અને બ્રહ્મચર્ય તો કયાંય નથી; તે આ લોકમાં, દેવતામાં, ઋષિના લોકમાં કે બીજા લોકમાં પણ નથી. એ તો અક્ષર, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આંહીં સંતમાં, એ ચાર ઠેકાણે બ્રહ્મચર્ય છે. ।।૧૭૬।। read more
0 Views : 125

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૭

અને ભકિતમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે, એ બે ગુણમાં બે દોષ જાણવા ને તે ટાળવા. ।।૧૭૭।। read more
0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૮

મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ-દુઃખ આવે, તેનો તો નિર્ધાર નહિ, બાકી તેને દિન-દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય, ને દહાડે દહાડે વધતો જાય એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે. ને જેણે સ્વભાવ મૂકયા હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય, તે સર્વે ઉપર મોટાની દષ્ટિ રહ્યાં કરે. ને એક તો સો જન્મે એકાંતિક થાવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઊતરતાનો સંગ થાય તો સો જન્મ ધરવા પડે. તેમાં દષ્ટાંત જે, જેમ દસ મણ પાણા સાથે એક મણ લાકડું બાંધે તે લાકડાંને બુડાડે, ને દસ મણ લાકડાં સાથે એક મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે. ।।૧૭૮।। read more
0 Views : 139

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૭૯

આ તો નિયમે કેટલુંય વર્તાય છે, પણ સર્વ વાતની છૂટી મૂકે જે, ‘જેમ જેને ફાવે એમ વર્તવું’ એવી આજ્ઞા થાય, ત્યારે કેટલું વર્તાય ? એમ પોતાનો તપાસ કરવો. ।।૧૭૯।। read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૦

નાના ખાતરાનું પાણી મોટી નદીમાં ભળે ને તે નદી સમદ્રુ માં ભળે. તેનો સિદ્ધાતં જે, અલ્પ જેવો જીવ હોય તે પણ મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે એવો મોટાનો પ્રતાપ છે. ।।૧૮૦।। read more
0 Views : 87

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૧

અને ત્યાગીએ એક વખત ખાવું પછી બીજું જે મળે તે ત્યાગ કરવું તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે.।।૧૮૧।। read more
0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮ર

અને ટોપીવાળો  મૂંઝાય ત્યારે બંગલામાં જતો રહે ને ત્યાં જઇને વિચાર કરે, એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દષ્ટિ કરીને વિચાર કરવો. ।।૧૮૨।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૮૩

ઉત્તમ પુરુષને સેવ્યા હોય ને તેને કસર રહી હોય ને તેનો દેહ પડે તે પછી એવો જોગ ન રહે તોપણ તેની ગમે તે પ્રકારે સહાય કરે. કેમ જે, એ તો સમર્થ છે, તે રક્ષા કરે. જેમ વ્યાસજીએ  કીડાનું કર્યું  એમ કરે. ।।૧૮૩।। read more
0 Views : 100
Powered By Indic IME