Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

પ્રસંગ ૯: સહજાનંદી સિંહ

આશરે આઠેક દાયકા પહેલાંની આ વાત છે. રાજકોટ જુબેલી બાગના કોનોટ હોલમાં નૂતન વર્ષ નિમિત્તે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ્રનાં નાનાં–મોટાં રજવાડાંઓના ગિરાસદારો તેમજ અન્ય આમંત્રિત ક્ષત્રિયો પણ ભેળા થયા હતા. મોભા પ્રમાણે સહુ પોતપોતાની બેઠકે ગોઠવાયા હતા ને સભાની કાર્યવાહી ચાલી રહી હતી. સભાનું સંચાલન કરનારની સૂચના મુજબ ક્ષત્રિય વક્તાઓ પોતપોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા. એવામાં કોઈક વક્તાએ નશાના કેફમાં આવી જઈને ટકોર કરતાં જણાવ્યું કે માંસાહાર અને મદ્યપાન તો આપણા ક્ષત્રિયોનો જુસ્સો જાળવી રાખનારું ટોનિક છે. એના પ્રતિબંધની વાતો યોગ્ય નથી. જોકે કેટલાક ધર્મમાં એનો નિષેધ કરેલો છે. એમાંય સ્વામિનારાયણ ધર્મના ઉપદેશકો પોતાના અનુયાયીઓને દારુ માંસને અખાદ્ય અને વિકૃતિજનક વ્યસન ગણાવીને એનો ત્યાગ કરાવે છે. વળી અધૂરામાં પૂરું પાપનો ડર દેખાડીને આપણા ક્ષત્રિધર્મને દીનહીન દશામાં મૂકી દીધો છે અને ક્ષત્રિયોને નમાલા, બાયલા ને ભીરુ બનાવી રહ્યા છે. ‘એય, ખબડદાર ! બોલ્યા ઈ બોલ્યા હવે આગળ બોલશો નહીં.’ પાછળથી આવી સિંહગર્જના સંભળાણી કે તુર્તજ એ શૂરો કોણ છે? એ જોવા સહુ કોઈની ગરદન પાછળ ઘૂમી ગઈ. ત્યાં તો અપટુડેઈટ અફસરના ડ્રેસમાં એક ક્ષત્રિય યુવાન રૂઆબ ભેર આગળ આવતો દેખાયો. આ શૂરવીર નરકેસરીને જોતા જ સહુએ એને ઓળખી લીધા. એના વિશાળ ભાલમાં સ્વામિનારાયણ ધર્મનું ચાંદલે સહિત તિલક શોભતું હતું. આ શૂરવીરની સચ્ચાઈ ને ટેકથી સહુ કોઈ સુપરિચિત હતા […] read more
0 Views : 688

પ્રસંગ ૧૦: અનુકંપા અને આશિષ

સોહામણા ચરોતર પ્રાંતમાં વિચરણ કરતી વેળાએ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુ ગાના ગામને ગોંદરે તળાવની પાળ ટાઢે છાંયે થોડી વિશ્રાંતિ લેવા રોકાયા. સાથેના કાઠી સ્વારોઅ પોતાના ઘોડાને તળાવનાં પાણી પાયાં. ગામને પાદર પ્રભુ પધાર્યાના સમાચાર જાણી ભાવિક ભક્તો દર્શને દોડી આવ્યા. પ્રભુને દંડવત પ્રણામ કરી ગામમાં પધારવા અને જમ્યાં પછી જ જવાનો આગ્રહ કર્યો. આ ભાવિક ભક્તોના અતંરનો શુદ્ધ પ્રેમભાવ જોઈને પ્રભુએ એમને કહ્યું, ‘અમારે આગળ જવાની ઉતાવળ છે એટલે આ વખતે ગામમાં તો નહિ આવીએ પણ તમારો બહુ આગ્રહ છે તો જે કાંઈ તૈયાર હોય એ લઈ આવો, તો આ કાઠી દરબારોને ટીમણ કરાવીએ.’ મહાપ્રભુનો આવો આદેશ મળતાં ગામના મુખી રૂગનાથભાઈ હર્ષભેર પોતાને ઘેર જઈ એક થાળીમાં થોડા તૈયાર રોટલા લઈ આવ્યા ને પ્રભુ પાસે મૂકયા. મહારાજે થાળીમાંથી એક રોટલો લઈને કહ્યું, ‘દરબારો, આ મઝાના રોટલા આવ્યા છે તો જેને ટીમણ કરવું હોય એ એકુકો રોટલો હાથમાં લઈને મંડો ટીમણ કરવા જેથી આપણે પછી આગળ જવામાં મોડું ન થાય.’ મહારાજના હાથમાં થેપલા જેવો સુંદર રોટલો ભાળી અલૈયા ખાચરે તુરત કહ્યું, ‘મહારાજ, તો પછી એકાદો આમનો આવવા દીઓ.’ રૂપાળો રોટલો હાથમાં આવતાં અલૈયા ખાચરની ક્ષુધા સતેજ થઈ ગઈ ને મોંમાં પાણીય આવી ગયું પણ બટકું ભાંગીને જ્યાં મોંમાં મૂકયું ત્યાં તો એ ચવાણું જ નહિ ! એમને મનમાં થયું આ રોટલો આટલો […] read more
0 Views : 618

પ્રસંગ ૧૧: સુખદ સ્મૃતિ

પોતાની ધર્મપત્નીની મરણોત્તર વિધિ પૂરી કરી ઠાકરશીભાઈ દેવાણીએ દશબાર વર્ષના દીકરા દેવજીને સાથે લઈ હળવા હૈયે પોતાનું મૂળ વતન અમૃતવેલ છોડી જુનાગઢની વાટ પકડી. ગુણિયલ ગૃહીણીનું અકાળ અવસાન થવા છતાં ઠાકરશીભાઈને અંતરમાં એનો બહુ ઊંડો આંચકો નહોતો લાગ્યો કારણ કે સમર્થ સદ્ગુરુ સ્વામી બાલમુકુંદદાસજીનો સમાગમ કરી એમણે પોતાની સમજણને દૃઢ કરી હતી કે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું ગોવિંદ ગોપાળ’ સંસારમાં રહેવા છતાંય ઠાકરશીભાઈ આમ તો જળકમળવત્ હતા. જૂનેગઢ આવી ઠાકોરજીના દર્શન કરી ગુરુવર્યના દર્શને ગયા. દંડવત્ પ્રણામ કરીને પગે લાગીને પાસે બેઠા, એટલે અંતર્યામીને સંભારીને સ્વામીએ કહ્યું, ‘ઠાકરશી, સાવ પરવારીને આવ્યો છોને ?’ ‘હા, સ્વામી, હવે ઘરની કોઈ પળોજણ રહી નથી એટલે જ બાપ દીકરો પરવારી પાકું પરિયાણ કરીને જ આપની પાસે ભગવાન ભજવા આવ્યા છીએ.’ ઠાકરશીભાઈએ હૈયાનું હોઠે લાવીને કહ્યું. આ સાંભળી દીર્ઘદૃષ્ટા પૂ. સ્વામીજીએ કહ્યું, ‘જો ભગવાન ભજવાનો નિર્ણય કરીને જ આવ્યા હો અને અમે કહીએ એમ કરવાની તૈયારી હોય તો આ છોકરો સ્વામી ધર્મસ્વરૂપદાસજીને સોંપો અને તમે મોટી કુંકાવાવ જઈ ત્યાં મંદિરમાં ઠાકોરજીની સેવાપૂજા કરો.’ વિશ્વાસુ ઠાકરશીભાઈએ ગુરુવર્યની આજ્ઞાને વિના વિલંબે માથે ચડાવી કહ્યું, ‘ભલે સ્વામી, આપની આજ્ઞા મને મંજુર છે.’ પોતાના પુત્રને સમજાવી ત્યાં મંદિરમાં રાખી, પોતે બીજે દિવસે કુંકાવાવની વાટ પકડી. આ સ્થિતપ્રજ્ઞને આમ કરવામાં પુત્રનુંય કોઈ વળગણ અંતરાત્મામાં વળગ્યું નહોતું. એણે સ્વામીશ્રીના […] read more
0 Views : 1356

પ્રસંગ ૧ર: સંતની સિંહગર્જના

રોંઢો ઢળતો આવે છે. વાદળાંની વણથંભી વણઝાર ચાલુ છે. વાદળ આડે સંતાઈને ડોકિયાં કરતા સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. ખેતરોમાં ખલવલિયા કરતી મોલાત પવનનાં આવતાં લેરખામાં ઝૂમી રહી છે. સીમ–વગડામાં છવાએલી હરિયાળી આંખને ઠારે છે. દૂર દૂર સુધી ઢોર ચરતાં દેખાય છે. કોઈ કોઈ ખેતરોમાં નીંદામણ ચાલે છે. આવા સાનુકૂળ સમયે પાંચેક સંતોનું એક મંડળ ફાચરિયાથી ડેડાણ તરફ આવી રહ્યું છે. એમનાં ભગવાં વસ્ત્રો હવામાં ફરફરે છે. મોટા સંત આગળ છે ને બીજા સંતો એમની પાછળ શિસ્તબદ્ધ લાઈનમાં ચાલ્યા આવે છે. ખભે ઝોળિયું અને હાથમાં માળા છે. ભજનસ્મરણ કરતા થકા વાટે ચાલ્યા જાય છે. રસ્તા કાંઠે ખેતરના દૂરના છેડે નીંદી રહેલા મજુરોમાંથી કોઈકની દૃષ્ટિ એ તરફ જતાં એણે કહ્યું, ‘જુઓ, પણે સ્વામીના સાધુઓ ચાલ્યા જાય.’ આથી બધાય મજુરોએ એ તરફ દૃષ્ટિ કરીને જોયું ત્યારે કોઈકે ટહુકો કરતાં કહ્યું, ‘આ સામીના મુંડિયા બાયું સાથે બોલેય નહિ અને એનાથી તો છેટા છેટા ચાલતા હોય છે.’ ‘એમ ! બાયુંથી છેટા છેટા ચાલે છે ! તો પછી એ રોયા જન્મા કયાંથી હશે ?’ એક બાઈએ છણકો કરતાં કહ્યું. ‘એણેય જલમતો માને પેટે જ લીધો હશેને ? એ કાંઈ કોઈ આવળિયે બાવળિયેથી નહિ ઉતર્યા હોય !’ એમ મચકો કરી બીજી બાઈ મરડમાં બોલી ઉઠી. ‘અહીં બબડાટ કરો છો તો પછી ત્યાં જઈને એને જ […] read more
0 Views : 504

પ્રસંગ ૧૩: નક્કર નિશ્ચય

સલુણી સંધ્યાનો ઉજાસ ઓસરતાં જ આભમાંથી ઊતરી રહેલા અંધારાના ઓઘ ઘૂંટાઈને ઘાટા થવા લાગ્યા. ઠાકર મંદિરની ઝાલરું ઝણઝણી ઊઠી દેવદર્શન કરી રજપૂત ગલૂજી ઘેર આવી વાળુ કરવા બેઠા ને માતુશ્રીએ થાળી પીરસીને આગળ મૂકી. પ્રભુની સ્મૃતિ સાથે જમવાનું જ્યાં શરૂ કર્યું, ત્યાં ફળીમાં ઘોડાની હણહણાટી સંભળાણી. વડથલના ધર્મસિંહજી પ્રભુનો પત્ર લઈને આવ્યા હતા. જય સ્વામિનારાયણ કહી પત્ર આપી એતો ચાલી નીકળ્યા. આગ્રહ કર્યો છતાં વાળુ કરવા કે પાણી પીવાય એ ઉભા ન રહ્યા. ગલુજીએ જમવાનું રહેવા દઈને દીવાને અજવાળે પત્ર વાંચ્યો. એમાં પ્રભુએ સંદેશો મોકલેલો કે ‘આ પત્ર વાંચી વિના વિલંબે જે કાંઈ કિંમતી ઘરવખરી હોય તે ગાડાઓમાં ભરી, માતુશ્રીને ઘેર રાખી તમો બને એટલા વહેલા વડથલ આવી પહોંચો.’ તુરત પીરસેલું ઠામ આઘું ઠેલી ગલુજી ઊભા થઈ ગયા એટલે માતુશ્રી બોલ્યા, ‘બેટા, પૂરું જમી તો લે પછી બીજું કરજે.’ ‘હવે જમવાનું કાંઈ નહિ. પ્રભુનો પત્ર છે એટલે હું માલ મિલકત ગાડામાં ભરી ઝટ વડથલ જાવછું ને તમે ઘર સાચવજો.’ આમ કહી એતો ગાડાંઓ તૈયાર કરી લેવા જેવી સંપત્તિ ભરીને તુરત વડથલની વાટે વહેતા થયા. માતાજી તો વિચાર કરતાં રહ્યાં, ‘મહારાજે ગલુજીને આમ અચાનક કેમ બોલાવ્યો હશે ? આ મૂલ્યવાન માલસામાન વેચાવીને એને સાધુ તો નહિ કરવો હોયને !’ માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળા ગલુજીને તો પ્રભુના આદેશમાં કોઈ વિચાર કરવાનો હતો જ […] read more
0 Views : 1065

પ્રસંગ ૧૪: નીડર અને સમર્થ સંત

‘એ મહારાજ, આમના ઓરા આવો ઓરા !’ વાવેરા ગામના ચોરે બેઠેલ કાઠી ડાયરામાંથી દરબાર મૂળુભા બોરિચાએ ભિક્ષાર્થે ગામમાં ભ્રમણ કરી રહેલા સંતોને સાદ કરીને કહ્યું. હાંક સાંભળી સંતો ચોરા તરફ વળ્યા. હાથ ઊંચો કરી ડાયરાને જે નારાયણ કહી ચોરાનાં પગથિયાં ચડી ઉપર આવ્યા એટલે દેવી ભક્ત મૂળુભાએ રોષમાં કરડી નજર કરીને કહ્યું, ‘અમે સાંભળ્યું છે કે તમે સ્વામીના સાધુ ગામડે ગામડે ફરીને દેવ–દેવીની નિંદા કરો છો ને ભગત ભૂવાઓને ખોટા ઠેરાવો છો. અત્યારે માતાજીના નોરતાના દિવસો ચાલે છે ને તેમાં જો કોઈ માતાનો ભૂવો ભેટી ગયો ને તો તમને કયાંક ભારે પડી જશે.’ ‘જૂઓ ભાઈ, અમે તો કોઈ દેવ–દેવીની નિંદા કરતા નથી તેમ ભૂવા કે ભગતને ખોટાય કહેતા નથી. પણ હા, દેવ દેવીને નામે થતી નિર્દોષ પશુઓની હિંસાનો તો અમે જરૂર નિષેધ કરીએ છીએ.’ મોટા સંતે સ્પષ્ટતા કરતાં કહ્યું. ‘હિંસા ! એ તો માતાજીના નિવૈદ્ય કહેવાય. એને હિંસા કેમ કહેવાય ? વળી માતાજીની પ્રસન્નતાના આ સત્કર્મનો વિરોધય કોઈથી ન કરાય, નહિ તો વળી એની ઉપર માતાનો કોપ ઉતરે.’ ‘અરે ભલા માણસ ! હિંસામાં માતાનો કોપ ઉતરે ક અહિંસામાં ? જરા વિચારતો કરો. દેવી તો જીવપ્રાણી માત્રની માતા કહેવાય. જનેતા તો બહુ દયાળુ હોય. એ કદિ પોતાના સંતાનનો ભોગ માગે ખરી ? પોતાની સામે જ કાતાથી ક્રુર રીતે કપાઈને સંતાન રેંસાઈ […] read more
0 Views : 346

પ્રસંગ ૧પ: પ્રભુનિષ્ઠ પરમહંસ

જૂનાગઢ શ્રીસ્વામિનારાયણ મંદિરમાં શ્રીરાધારમણ દેવનો શતવાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. સંતો, પાર્ષદો અને હરિભક્તોનાં અંતરમાં અદકેરો આનંદ ઉભરાઈ રહ્યો છે. આ મહોત્સવના ઉપક્રમે યોજાએલ મહા વિષ્ણુયાગનો મંગલ પ્રારંભ થતાં જ મહોત્સવના પ્રણેતા સંતવર્ય યજ્ઞશાળામાં પધાર્યા. સાથે બેચાર સંતો ને મહિમાવાળા હરિભક્તો પણ આવ્યા. ભૂદેવો ઉત્સાહથી યજ્ઞનારાયણને આહુતિઓ આપી રહ્યા છે. પૂ. સ્વામીશ્રીએ યજ્ઞનારાયણના દર્શન કર્યા. વેદિકાઓ પર સ્થાપન કરેલ દેવોના દર્શન કરતા એમની નજર ઈષ્ટદેવ શ્રીહરિની પ્રતિમા પાસે મૂકવામાં આવેલ એક નાનકડા ફોટા પર પડી. આથી એમની મુખમુદ્રા કાંઈક ગંભીર બની. એમણે તુર્ત જ સાથેના નાના સાધુને કહ્યું, ‘સાધુરામ, મહારાજની મૂર્તિ પાસે એલો બીજો ફોટો વળી કોનો છે અને અહીં લાવો તો ?’ નાના સંતે એ ફોટો હાથમાં ઊંચકીને સ્વામીશ્રીના હસ્તમાં આપતાં કહ્યું, ‘સ્વામી, આતો આપનો જ ફોટો છે.’ ફોટાને હાથમાં લઈ લીધો ને એના પર ઉપલક નજર ફેરવીને ત્યાં ઊભેલા ઉપર જરા નારાજગી ભરી નજર નાખી ગંભીર બનીને પૂછયું, ‘આ ફોટો અહીં કોણે મૂકયો હતો ?’ આ સાંભળી ત્યાં ઊભેલા સહુ એકબીજાના મોં સામું તાકી રહ્યા પણ કોઈ એનો ખુલાસો કરી શકયા નહિ. એટલે વાતને વાળી લઈ આ સંત યજ્ઞશાળા બહાર આવ્યા ને પોતાના હાથમાં રહેલ ફોટાનો સામેથી ભીંત તરફ ઘા કર્યો જેથી ફોટો ભીંતમાં ભટકાઈને ફૂટી ગયો. આ જોઈને સાથેના સંત હરિભક્તો તો દંગ થઈ ગયા પણ […] read more
0 Views : 342

પ્રસંગ ૧૬: સ્વામિનારાયણનો સંદેશો

ફાગણ સુદ ચૌદશનો ચંદ્ર આકાશમાં પ્રકાશી રહ્યો છે. ચોતરફ ઢોળાઈ રહેલ શીતળ ચાંદનીમાં ગરવા ગિરનારની રળિયામણી ટૂંકો શોભી રહી છે. મધરાતનો સૂનકાર સર્વત્ર છવાયો છે. એવા ધન્ય અવસરે જૂનાગઢ પ્રણામી મંદિરની ઓસરીમાં ઝબકારા સાથે શ્વેત પ્રકાશ પથરાયો. મંદિરના પૂજારી ઝબકીને જાગી ગયા. અંજાતી આંખો સામે એને મનોહર મૂર્તિના દર્શન થયાં એટલે આનંદમાં આભા બની પૂજારીથી પૂછાઈ ગયું, ‘અરે આપ કોણ ! અત્યારે અહીં કયાંથી ?’ મંદમંદ હાસ્ય વેરતા એ મનોહર મૂર્તિ મહાપ્રભુએ કહ્યું, ‘જો પૂજારી, હું સ્વામિનારાયણ પોતે છું. તું અમારા સ્વામિનારાયણ મંદિરમાં જઈને કોઠારીને મારો આ સંદેશો આપી આવજે કે મહોત્સવના કામકાજમાં હિંમત અને ધીરજ રાખે. મંદિરનો આ ભવ્ય મહોત્સવ સારી રીતે પાર પડશે એની કાંઈ ચિંતા કરે નહિ પરંતુ સેવાના કામમાં જે માણસોને રોકે એને વિચારીને રોકે અને જેને સેવાની જવાબદારી સોંપે તેની મદદમાં બીજા બબ્બે અડીખમ ધ્રોગા રાખે તો કશીય અડચણ નહિ આવે ને બધુંય સાનુકૂળ થઈ રહેશે. એમ સ્વામિનારાયણ કહી ગયા છે.’ આટલો સંદેશો આપી એ મનોહર મૂર્તિ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા ને પૂજારી તો આભા બની જોતા જ રહ્યા ને મનમાં સ્વામિનારાયણે કહેલ સંદેશાનું મનન કરતા રહ્યા. આ પૂજારી આમ તો અયોધ્યા તરફના સરવરિયા બ્રાહ્મણ હતા. વળી પોતે કેન્સરના દર્દી ને લાંબા સમયથી પથારીવશ હોવાથી બહાર કયાંય જઈ શકતા નહોતા. આમ છતાં બીજે દિવસે લાકડીને […] read more
0 Views : 334
Powered By Indic IME