પોતાની ધર્મપત્નીની મરણોત્તર વિધિ પૂરી કરી ઠાકરશીભાઈ દેવાણીએ દશબાર વર્ષના દીકરા દેવજીને સાથે લઈ હળવા હૈયે પોતાનું મૂળ વતન અમૃતવેલ છોડી જુનાગઢની વાટ પકડી. ગુણિયલ ગૃહીણીનું અકાળ અવસાન થવા છતાં ઠાકરશીભાઈને અંતરમાં એનો બહુ ઊંડો આંચકો નહોતો લાગ્યો કારણ કે સમર્થ સદ્ગુરુ સ્વામી બાલમુકુંદદાસજીનો સમાગમ કરી એમણે પોતાની સમજણને દૃઢ કરી હતી કે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું ગોવિંદ ગોપાળ’ સંસારમાં રહેવા છતાંય ઠાકરશીભાઈ આમ તો જળકમળવત્ હતા. જૂનેગઢ આવી ઠાકોરજીના દર્શન કરી ગુરુવર્યના દર્શને ગયા. દંડવત્ પ્રણામ કરીને પગે લાગીને પાસે બેઠા, એટલે અંતર્યામીને સંભારીને સ્વામીએ કહ્યું, ‘ઠાકરશી, સાવ પરવારીને આવ્યો છોને ?’ ‘હા, સ્વામી, હવે ઘરની કોઈ પળોજણ રહી નથી એટલે જ બાપ દીકરો પરવારી પાકું પરિયાણ કરીને જ આપની પાસે ભગવાન ભજવા આવ્યા છીએ.’ ઠાકરશીભાઈએ હૈયાનું હોઠે લાવીને કહ્યું. આ સાંભળી દીર્ઘદૃષ્ટા પૂ. સ્વામીજીએ કહ્યું, ‘જો ભગવાન ભજવાનો નિર્ણય કરીને જ આવ્યા હો અને અમે કહીએ એમ કરવાની તૈયારી હોય તો આ છોકરો સ્વામી ધર્મસ્વરૂપદાસજીને સોંપો અને તમે મોટી કુંકાવાવ જઈ ત્યાં મંદિરમાં ઠાકોરજીની સેવાપૂજા કરો.’ વિશ્વાસુ ઠાકરશીભાઈએ ગુરુવર્યની આજ્ઞાને વિના વિલંબે માથે ચડાવી કહ્યું, ‘ભલે સ્વામી, આપની આજ્ઞા મને મંજુર છે.’ પોતાના પુત્રને સમજાવી ત્યાં મંદિરમાં રાખી, પોતે બીજે દિવસે કુંકાવાવની વાટ પકડી. આ સ્થિતપ્રજ્ઞને આમ કરવામાં પુત્રનુંય કોઈ વળગણ અંતરાત્મામાં વળગ્યું નહોતું. એણે સ્વામીશ્રીના […]
read more