પૂર્વછાયો :- જૂજવી રીતે જીવને, કહ્યાં જમપુરીનાં દુઃખ ।। હરિજન મગન રહેજયો, એ તો ભોગવશે વિમુખ ।। ૧ ।। પ્રભુ વિમુખ પ્રાણિયો, જો કરે કોટિ ઉપાય ।। દુઃખ માથેથી મટે નહિ, જરૂર જમપુર જાય ।। ૨ ।। ભૂલી દિશ ભગવાનની, અને લીધી બીજી વાટ્ય ।। તેમાં જેટલું ચોંપે ચાલશે, તેટલી ખોટ્ય નહિ ખાટ્ય ।। ૩ ।। સમર્થના શરણ વિના, કુશળ કયાં થકી હોય ।। આપબળે નવ ઊગરે, જેમ સિંધુ તરવો સોય ।। ૪ ।। જે જન્મ મરણ જીવને, દુઃખનો ભર્યો દરિયાવ ।। લે’રી પેઠે લય ઉત્પત્તિ, ઊપજે સહજ સ્વભાવ ।। ૫ ।। જનમ મરણ જયાં લગી, ત્યાં લગી જમનું જોર ।। જમ આવે તિયાં જાણજયો, કહ્યાં દુઃખ જે કેડામો’ર ।। ૬ ।। જેને માથે છે મરવું, તોય ન ડરવું નિરધાર ।। તેહ જ મૂરખ મંદમતિ, અતિ ગાફલ કહિયે ગમાર ।। ૭ ।। શું થયું શિયાણો થયે, શું થયું થયો ચતુર ।। ડાહ્યા સમજુએ શું થયું, જો હરિ ન રાખ્યા ઉર ।। ૮ ।। પ્રભુ વિમુખ નર પરાક્રમે, જો હોય જગ જાણિત ।। અનેક ગુણને આશરે, પણ જમપુરે જાવા રીત ।। ૯ ।। જમ આવે જેને તેડવા, કહુ તેના તનની રીત ।। અચેત મરે અસાધ્યમાં, જેને પ્રભુ સાથે નહિ પ્રીત ।।૧૦।। ચોપાઈ :- જેને આવે લેવા જમરાણ રે, તેનાં ઓળખાવું હું […]
read more