પૂર્વછાયો :- હવે સુણો સહુ શુભમતિ, કહુ કથા સુંદર સાર ।। પ્રગટ પ્રભુ ભજયા વિના, પામે પ્રાણી દુઃખ અપાર ।। ૧ ।। સહે દુઃખ સોળે શહેરનાં, ભોગવે નરક અગણિત ।। પછી ચાલે ચોરાશિયે, સુણો સહુ કહું તેની રીત ।। ૨ ।। ચોરાશી રાશિ દુઃખની, છે અતિ અતોલ અમાપ ।। જેમાં જીવ જૂજવા, પામે છે પરિતાપ ।। ૩ ।। જેને માથે એહ દુઃખ છે, તે નથી સુખી લગાર ।। કોણ ડાહ્યાં ભોળાં કહિયે, કોણ ગુણવંત ને ગમાર ।। ૪ ।। કોણ રંક રાજા કહિયે, કોણ શ્રીમંત ને શાહુકાર ।। જેને માથે જન્મ મરણ છે, તે તો સર્વે એક જ હાર ।। ૫ ।। કોણ જોગી જતિ કહિયે, કોણ ત્યાગી તપસી તેહ ।। ચોરાસીનું નવ ચૂકિયું, તો અમથો કલેશ એહ ।। ૬ ।। હાર્યો જીત્યો કોણ જાણિયે, કોણ સતી ને શૂરવીર ।। દાતા દીન કેને કહિયે, જેને એહ દુઃખ છે શિર ।। ૭ ।। જેહ કષ્ટ કહેવાય નહિ, જિહ્વાએથી જરૂર ।। ચવું ચારે ખાણ્યનાં, ભારે દુઃખ ભરપૂર ।। ૮ ।। અંડજ ઉદ્ભિજ સ્વેદજ જરાયુજ, ખરી એ ચારે ખાણ ।। એકવીશ લાખ એક એકમાં, તેહ પિંડ ધરે પરિમાણ ।। ૯ ।। કિયાંક સુખી કિયાંક દુઃખી, તન સહે ત્રિવિધ તાપ ।। શરીરધારી સુખી નહિ, સદા રહે શિર સંતાપ ।।૧૦।। ચોપાઈ :- શુભાશુભ કર્મ અનુસાર, […]
read more