સોરઠા :- મંગળરૂપ અનુપ, સમરતાં સદ્ય સુખ મળે ।। સો સહજાનંદ સુખરૂપ, જે ભજતાં ભવદુઃખ ટળે ।। ૧ ।। કરવા માંગલિક કાજ, જન મનમાં જે ઇચ્છા કરે ।। તે સમરે શ્રી મહારાજ, તો વિઘ્ન તેનાં તર્ત હરે ।। ૨ ।। એવા શ્રી ઘનશ્યામ, નામે જેને નિર્વિઘ્ન થઈયે ।। વળી સરે સઘળાં કામ, તેને તજી બીજું શીદ ચહિયે ।। ૩ ।। સર્વે સુખના સદન, દુઃખહરણ હરિ દીનબંધુ ।। તે પ્રભુ થઈ પ્રસન્ન, સા’ય કરજયો સદા સુખસિંધુ ।। ૪ ।। દોહા – પ્રથમ પ્રભુને પ્રણમી, કરું કથા ઉચ્ચાર ।। યમદંડની જે વારતા, કહું મતિ અનુસાર ।। ૫ ।। રાગ :- સામેરી મંગળમૂર્તિ મહાપ્રભુ, બહુનામી બદ્રિકાઈશ ।। ભકતધર્મ સુત ભાવશું, રહ્યા હૃદયમાં હમિશ ।। ૬ ।। સુખસાગર સૌના પતિ, અતિ દયાસિંધુ દયાળ ।। પૂરણકામ સુખધામ સદા, નિજ ભકતવત્સલ પ્રતિપાળ ।। ૭ ।। તેહ પ્રભુ પૂર્વે પ્રગટ્યા, દ્વિજકુળ ધર્મને ઘેર ।। નામ ઘનશ્યામ સુંદર હરિ, કરી જન પર મે’ર ।। ૮ ।। ત્યાંથી પ્રભુજી પધારિયા, પૂર્વથી પશ્ચિમ દેશ ।। અનેક જીવ ઉદ્ધારિયા, આપી અમળ ઉપદેશ ।। ૯ ।। તેહ પ્રભુ મળ્યા મુજને, સ્વામી તે સહજાનંદ ।। જન્મ મરણ યમયાતના, જેથી છૂટ્યો હું સર્વે ફંદ ।।૧૦।। જેહ દુઃખ ન કહેવાય જીભથી, અતિ વિકટ છે વિપરીત ।। જે જન સુણે શ્રવણે, તે થાય અતિ ભયભીત ।।૧૧।। […]
read more