Last Updated:
May 5, 2025

Click here to submit your article
૨૧ વૃત્તિવિવાહ
Per Page :

વૃત્તિવિવાહ પદ:- ૧૭

(રાગ :- ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’- એ ઢાળ. જીરે સજજ થાઓને સુંદરી, મૂકી પરી આવ્યાની રે આશ કે, સુંદર સુંદરી. ।। જીરે પ્રીત તજો રે પ્યારની, ચાલો ચાલો પિયુજીને પાસ કે; સુંદર ।। ૧ ।। જીરે પંનર નવને પરહરી, તજો પંચ વિષયની રે પ્રીત કે; સુંદર ।। જીરે અલ્પ સુખ આ સંસારનાં, તેની પશુ કરે પ્રતીત કે; સુંદર ।। ૨ ।। જીરે ભર્યો ભવ ભંડાર કલેશનો, અંધઅંધ કે’વાય જે કૂપ કે; સુંદર ।। જીરે જડ દુઃખ મિથ્યાને મેલી કરી, રહો સત ચિત આનંદ રૂપ કે; સુંદર ।। ૩ ।। જીરે મોટાં ભાગ્ય કરી માનજયે, પામી અખંડ વર અવિનાશ કે; સુંદર ।। જીરે નિષ્કુળાનંદના નાથનાં, રહ્યે ચરણ કમળનાં જો દાસ કે; સુંદર ।। ૪ ।। read more
0 Views : 1396

વૃત્તિવિવાહ પદ:- ૧૮

(રાગ :- ધોળ) ‘ગોપીનાથ આવો મારે આંગણે’- એ ઢાળ. સખી આજ આનંદ વધામણા, મારે હૈડે રે સખી હરખ ન માય કે…..ટેક દીન દયાળે દયાકરી, બળવંતે રે મારી ગ્રહી છે રે બાંયે કે.. આજ ।। ૧ ।। સખી નેહ જણાવ્યો નયણમાં, જાણી વાલપ્ય રે સુણી મુખનાં વેણ કે.. આજ ।। ૨ ।। સખી કરુણા રસમય મૂરતિ, નાથ નીરખી રે કાંઈ ઠરિયા છે નેણ કે.. આજ ।। ૩ ।। સખી છબી છબીલાની જોઈને, મન મોહ્યું રે જોઈ વાલાનું મુખ કે.. આજ ।। ૪ ।। ચિત્ત ચોરી લીધું લાલ લટકે, વણ દીઠે રે નવ થાય જો સુખ કે.. આજ ।। ૫ ।। સખી નટવર કુંવર નીરખી, ઘણું હરખી રે મારા હૈડા માંય કે.. આજ ।। ૬ ।। સખી પૂરણ પુણ્યે તે પામીએ, ભાગ્ય મોટા રે મુખ કહ્યાં ન જાય કે.. આજ ।। ૭ ।। સખી ધન્ય ધન્ય અવસર આજનો, આજ પ્રગટ્યો રે અતિ નવો આનંદ કે.. આજ ।। ૮ ।। મારું જીવિત સફળ કરી જાણિયું, રાજી થયા રે સ્વામી સહજાનંદ કે.. આજ ।। ૯ ।। મુને વિસારી નહિ મારે વાલમે, સહજાનંદે રે મારી કરી છે સાર કે.. આજ ।।૧૦।। સખી નિષ્કુળાનંદના નાથને, જાઉં વારણે રે હું તો વારમવાર કે.. આજ ।।૧૧।। read more
0 Views : 1381

વૃત્તિવિવાહ પદ:- ૧૯

(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ. જેનાં પુણ્ય હશે તે એ વર પામશે રે, તે તો વામશે તનડાના તાપ રે; અખંડ વર એક છે રે. મનવાંછિત મહાસુખ માણશે રે, વળી જાણશે જે પિયુના પ્રતાપ રે.. અખંડ ।। ૧ ।। સખી વરીએ તો અમર એ વરને રે, જેનું એવાતણ અખંડ અભંગ રે.. અખંડ ।। ૨ ।। સખી સુખ અલ્પ આ સંસારનાં રે, તેનો સમજુ ન કરે કે દી સંગ રે.. અખંડ ।। ૩ ।। સખી મૂર્ખ મનુષ્યની મંડળી રે, તે તો સંસારનાં સુખ સરાય રે.. અખંડ ।। ૪ ।। સખી વિવેકી રહે છે તેથી વેગળા રે, તેનો સ્વપનામાં સંગ ન ચા’ય રે.. અખંડ ।। ૫ ।। સખી સનકાદિકે શુકે શું કર્યું રે, દત્ત ભરત રહ્યા છે જેથી દૂર રે.. અખંડ ।। ૬ ।। સખી નિષ્કુળાનંદના સ્વામી વિના રે, બીજું અન્ય ભજે જાણો ભૂર રે.. અખંડ ।। ૭ ।। read more
0 Views : 1366

વૃત્તિવિવાહ પદ:- ૨૦

(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ. અહો ધન્ય ધન્ય ભાગ્ય આ ભૂમિના રે, અહો ધન્ય ધન્ય વૃક્ષ વેલી વન રે; અલોકી રીત આજની રે. અહો ધન્ય ધન્ય સર સરિતા સિંધુ રે, સ્પરશી હરિપદ થયાં છે પાવન રે.. અલોકી ।। ૧ ।। અહો ધન્ય ધન્ય ખગ મૃગ જાતને રે, જેનો આરે સમામાં અવતાર રે.. અલોકી ।। ૨ ।। અહો ધન્ય ધન્ય અશ્વ તે એહને રે, જેને ઉપર છે હરિ અસવાર રે.. અલોકી ।। ૩ ।। અહો ધન્ય ધન્ય સતસંગી સંતને રે, જે કોઈ સદાય રહે છે હરિ સાથ રે.. અલોકી ।। ૪ ।। જેને અરસ પરસ રહે એકતા રે, હરિ હેતે જમે છે જેને હાથ રે.. અલોકી ।। ૫ ।। અહો ધન્ય ધન્ય સુર નર નાગને રે, જે કોઈ વસિયા આ બ્રહ્માંડે વાસ રે.. અલોકી ।। ૬ ।। તે તો અંતરે ઇચ્છે છે તન ધારવા રે, થાવા ચરણકમળના દાસ રે.. અલોકી ।। ૭ ।। તે તો કોણ જાણે જે કેમે હશે રે, તેનો મર્મ જાણે છે મહારાજ રે.. અલોકી ।। ૮ ।। શમ દમ આદિ જે આગે કહ્યા રે, તે તો તન ધરી રહ્યા આજ રે.. અલોકી ।। ૯ ।। સર્વે સમાજ સહિત પધારિયા રે, સંતજનને તે આપવા સુખ રે.. અલોકી ।।૧૦।। અહો ધન્ય […] read more
0 Views : 1367
Powered By Indic IME