Last Updated:
May 5, 2025

Click here to submit your article
૨૧ વૃત્તિવિવાહ
Per Page :

વૃત્તિવિવાહ પદ:- ૯

(રાગ :- ધોળ) ‘પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી રે’- એ ઢાળ. સુંદર વર તોરણે પધાર્યા રે, જનમન નવલા નેહ વધાર્યા રે; વાજિંત્ર વાજે છે બહુવિધ રે, પિયુ મારો પધારિયા પ્રસિદ્ધ રે. ।। ૧ ।। પોંખણું લઈને આવે પનોતી રે, વર પોંખી વળી વધાવે છે મોતી રે; સાપટિયાં સુખ દુઃખના ભાંગ્યાં રે, પિંડલિયા તે પાપ પુન્યના ત્યાગ્યા રે. ।। ૨ ।। અંતરપટ પરુ લઈ લીધું રે, દયા કરી દયાળે દર્શન દીધું રે; પછી પિયુ પ્રેમે પધાર્યા છે પાટે રે, મહાસુખ મુજને આપવા માટે રે. ।। ૩ ।। ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ રે, મે’ર ઘણી કરી પધાર્યા મહારાજ રે; અમ ઉપર આજ અઢળ હરિ ઢળિયા રે, નિષ્કુળાનંદનો સ્વામીજી મળિયા રે. ।। ૪ ।। read more
0 Views : 1450

વૃત્તિવિવાહ પદ:- ૧૦

માયરે બેઠા છે દેવ મોરાર રે, સુંદરીએ સજયો છે શણગાર રે; પહેર્યા છે આનંદના અણવટ રે, અજિત અડગ ને અમટ રે. ।। ૧ ।। ઝાંઝર પ્રેમનાં નેમનાં કા’વે રે, ઉતરી ઉર હરિ એક ભાવે રે; માળા માદળિયા સાંકળી હાર રે, શમ દમ આદિ વિવેક વિચાર રે. ।। ૨ ।। પે’ર્યો છે અખંડ વરનો ચૂડો રે, સુંદરી સુંદર વર પામી રૂડો રે; નાકે તે પે’ર્યા નિર્મળા મોતી રે, સજજ થઈ પિયુને મળવા પનોતી રે. ।। ૩ ।। ચાંદલિયો અવિચળ વરનો ચોડ્યો રે, સંશય તે સર્વે અવર બીજો તોડ્યો રે; મેલ્યો છે નિઃશંકનો શિરમોડ રે, દેખી વાલો રાજી થયા રણછોડ રે. ।। ૪ ।। ઘાટડી વૈરાગ્યની ઘણી સારી રે, સખી એવે શણગારે શણગારી રે; પધરાવ્યા પછી પિયુને પાસ રે, ટાળી છે લોકલાજ તનત્રાસ રે. ।। ૫ ।। બની છે સુંદર સરખી જોડી રે, બાંધી છે ગાંઠ્ય ન છૂટે છોડી રે; વર કંઠે આરોપી વરમાળ રે, પ્રભુ અમે દીન તમે પ્રતિપાળ રે. ।। ૬ ।। તન મન સોંપ્યું છે હરિ તમને રે, તમ સંગે શોભા આવી છે અમને રે; ત્યારે હરિએ હેતે કરી સાયો હાથ રે, સખી તારે થશે જો સનાથ રે. ।। ૭ ।। નિઃશંક નિર્ભય થઈ સર્વે અંગે રે, સુંદર શ્યામળિયા વર સંગે રે; સુંદરી સર્વે અંગે સુખ પામી રે, મળિયા […] read more
0 Views : 1444

વૃત્તિવિવાહ પદ:- ૧૧

(રાગ :- ધોળ) ‘મારી સાર લેજયો અવિનાશી રે’- એ ઢાળ. ચોરી સ્તંભ રચ્યા તિયાં ચાર રે, રહે વ્રતમાને નર નાર રે ।। પિયુ સ્પરશી પ્રદક્ષિણા કરે રે, તે તો ભવમાં તે ફેરા ન ફરે રે ।। ૧ ।। ધન્ય સખી સુંદર વર પરણે રે, તન મન સોંપી હરિશરણે રે ।। કામ ક્રોધના જવ તલ બાળ્યા રે, સંશય શોક સર્વે તિયાં ટાળ્યા રે ।। ૨ ।। પિયુ પરણીને પાવન થયાં રે, સુખ મુખે ન જાય તે કહ્યાં રે ।। હરિહાથે જમ્યા જે કંસાર રે, તેને સ્વપને ન ગમે સંસાર રે ।। ૩ ।। ફેરા ફરીને આજ ઊતર્યા રે, સર્વે કાજ અમારાં તે સર્યા રે ।। પ્રેમ નેમ ને ભકત ભાવે રે, સખી ચાર મળીને વધાવે રે ।। ૪ ।। વર વધાવી વારણે જાય રે, નાથ નીરખતા તૃપ્ત ન થાય રે ।। નાથ નીરખીને લોભ્યા છે નેણ રે, મુખ જોઈ મન થયાં મેણ રે ।। ૫ ।। મુખ જોઈ મેલ્યું નવ જાય રે, રહેજયો અખંડ અંતર માંય રે ।। વા’લા વા’લપ્ય આવે છે હૈયે રે, જાણું અંગે આલિંગન લૈયે રે ।। ૬ ।। પૂરું મનોરથ મારા મનના રે, ખંગ વાળું હું ખોયલા દનના રે ।। સખી પૂરણ પુણ્યે હું પામી રે, વર નિષ્કુળાનંદનો સ્વામી રે ।। ૭ ।। read more
0 Views : 1414

વૃત્તિવિવાહ પદ:- ૧૨

(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ. છબીલા વાલા છોડો દેવાધિદેવ દોરડો રે,દીસે દોરડીયે દશ ગાંઠ રે.. છબીલા ।। ૧ ।। ગાંઠ અનેક જનમની આવરી રે, તેને લાગશે લગારેક વાર રે.. છબીલા ।। ૨ ।। કળે કળે કરીને છોડજયો રે, નહિ તો તૂટી જાશે નિરધાર રે.. છબીલા ।। ૩ ।। અહં દેહ અભિમાન દોરડો રે, મહાવિકટ છે વિપરીત રે.. છબીલા ।। ૪ ।। તમે તોડવાને તો તૈયાર છો રે, કાંઈ રાખજયો છોડવાની રીત રે.. છબીલા ।। ૫ ।। પડી ગાંઠ્ય ઘૂંચાઈ ઘણા દિનની રે, માંહી અનેક રહ્યા છે ઉત્થાન રે.. છબીલા ।। ૬ ।। નથી કાળીનાગ જે નાથશો રે, નથી દાવાનળ જે કરો પાન રે.. છબીલા ।। ૭ ।। વા’લા આકળે અરથ સરે નહિ રે, ધરી ધીરજ કરો વિચાર રે.. છબીલા ।। ૮ ।। વા’લા ગાંઠ્ય છોડ્યે તમે છૂટશો રે, આંટી કાઢી જોઈશે આણી વાર રે.. છબીલા ।। ૯ ।। તે તો તમારે હાથે હરિ છૂટશે રે, એમાં નથી અમારો કાંઈ દોષ રે.. છબીલા ।।૧૦।। દયા કરીને છોડજયો દોરડો રે, રખે રાંક જાણી કરો રોષ રે.. છબીલા ।।૧૧।। તમે અનેક જુગતિ આદરી રે, વિધ્યે વિધ્યે કરો છો વિચાર રે.. છબીલા ।।૧૨।। સ્વામી નિષ્કુળાનંદના સમર્થ છો રે, જો છોડો તો સઈ છે વાર રે.. છબીલા […] read more
0 Views : 1401

વૃત્તિવિવાહ પદ:- ૧૩

(રાગ :- ધોળ) ‘એેવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો’- એ ઢાળ. અહો આજ અમારા હો ભાગ્ય, અમર વર વરિયા રે; વર સુંદર શ્યામ સુજાણ, નીરખીને નયણાં ઠરિયાં રે. ।। ૧ ।। વર નિરગુણ ને નિર્લેપ, સગુણ થયા સ્વામી રે; વર અખંડ ને અવિનાશ, અકળ અંતરજામી રે. ।। ૨ ।। વર અતોલ ને રે અમાપ, થાય ન થાપ રતિ રે; વર હરિ હર અજના આધાર, પ્રકૃતિ પુરુષના પતિ રે. ।। ૩ ।। વર પંડ્યે બ્રહ્માંડને પાર, અકળ ન જાય કળ્યા રે; નેતિ નેતિ કહે જેને વેદ, તે તો આજ અઢળ ઢળ્યા રે. ।। ૪ ।। વર ગુરુવા ગુણને પાર, તે તો કેમ જાય કહ્યા રે; વર અજર છે જો અજિત, પ્રીતે પ્રગટ થયા રે. ।। ૫ ।। વાલે ધર્યુ મનુષ્ય શરીર, જનહેત કારણે રે; જેને દરશે સ્પરશે પાપ જાય, વારી જાઉં વારણે રે. ।। ૬ ।। મારા પુણ્યતણો નહિ પાર, ભેટ્યા આજ ભાવે હરિ રે; મળ્યા નિષ્કુળાનંદનો નાથ, મને સનાથ કરી રે. ।। ૭ ।। read more
0 Views : 1426

વૃત્તિવિવાહ પદ:- ૧૪

(રાગ :- ધોળ) ‘આવ્યા આવ્યા દાદાને પરણાવા નાથ રે’- એ ઢાળ. ત્યારે બોલી સખીની સાહેલી રે, મુખની મરજાદ પરી મેલી રે; મારે કે’વું છે કાંઈ કેણ રે, બોલીશ વાંકા વસમાં વેણ રે. ।। ૧ ।। આ જો આશ્ચર્ય સરખી વાત રે, દીસે નાનડીઓ ઘણી ઘાત રે; એને જગમાં કોઈ ન જાણે રે, એ તો પોતે પોતાને વખાણે રે. ।। ૨ ।। એ તો આજ કાલ્યનો નહિ કાળો રે, જાણું છું જાત્ય નંદજીનો લાલો રે; શીખ્યો કામણ ટૂમણ કાંઈ રે, મંત્ર મોરલીમાં નિત્ય ગાઈ રે. ।। ૩ ।। એ તો ફોગટ ફૂલ્યો ફરે રે, એ તો અબળા તણા મન હરે રે; એ તો ધરનો છે ધુતારો રે, એને કોણ કહે છે સારો રે. ।। ૪ ।। સહુ કોઈ રહ્યું છે સામું જોઈ રે, મુખપર કહી નથી શકતું કોઈ રે; કામણ મોરલીમાં કાંઈ કર્યું રે, તેણે અબળાનું મન હર્યું રે. ।। ૫ ।। તેણે લાગ્યો હરિજીશું હેડો રે, વળી તેનો કા’ન ન મૂકે કેડો રે; ગોપી ભૂલી ઘરનાં કાજ રે, મેલી લોક કુટુંબની લાજ રે. ।। ૬ ।। આપ ઇચ્છાએ હરિવર વરી રે, હવે બેઠી ઠેકાણે ઠરી રે; એને મનમાન્યો વર મળ્યો રે, હશે હેત તે પ્રીતે પળ્યો રે. ।। ૭ ।। એમાં અમારું શિયું ગયું રે, ભલે સુખ જો સખીને થયું […] read more
0 Views : 1413

વૃત્તિવિવાહ પદ:- ૧પ

(રાગ :- ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’- એ ઢાળ. એવું સુણીને બોલી છે સુંદરી, સખી સાંભળ તો કહું વાત, હો બેની એમ ન કહ્યે એહને વળી વિચાર વિના જે બોલવું, તે તો જીવ જણાવે જાત્ય. હો ।। ૧ ।। સખી બોલીને કેમ બગાડીએ, બોલ્યું અણબોલ્યું કેમ થાય.હો ।। જે કોઈ વચન નીસરે મુખથી, તે તો પાછું કેમ સમાય.હો ।। ૨ ।। તું ન જાણીશ નંદજીનો લાડીલો, એ છે અખિલ ભુવનનો આધાર.હો ।। સખી શેષ મહેશ ને શારદા, એનો કોઈ ન પામે પાર.હો ।। ૩ ।। એનો બ્રહ્મા તે ભેદ જાણે નહિ, વળી વેદ ન પામે પાર.હો ।। સખી અનેક જનને ઉદ્ધારવા આવી, લીધો છે આ અવતાર.હો ।। ૪ ।। તમે જાણો છો એમ તો એ નથી, એ છે પંચવિષયને પાર.હો ।। જેને વચને તે વિકાર વામીએ, તેને કેમ વળગે વિકાર.હો ।। ૫ ।। એ તો ચૈતન્ય ઘનમય મૂરતિ, એને સ્પરશે નહિ પંચભૂત.હો ।। એનું પૂરણકામ જો નામ છે, વળી કા’વે અખંડ અચ્યુત.હો ।। ૬ ।। દીન જાણી દયાળે દયા કરી, થયા નિર્ગુણ સગુણ સ્વરૂપ.હો ।। એ છે કોટી કલ્યાણની મૂરતિ, એ છે કોટી કૃપાનું રૂપ.હો ।। ૭ ।। હાથ જોડીને હરિ આગળે, રહિયે દીન આધીન એમ.હો ।। સખી નિષ્કુળાનંદના નાથને, કટું વચન જો કૈ’યે કેમ.હો ।। ૮ ।। read more
0 Views : 1405

વૃત્તિવિવાહ પદ:- ૧૬

(રાગ :- ધોળ) ‘કંકુ છાંટી કંકોતરી મોકલી,’- એ ઢાળ.. મારા બોલ્યા સામું જોઈ શ્યામ રે, રોષ રખે ધરતા તે રામ રે; કોઈ નવ સરે જો કામ કે, આવીને આ ભવમાં રે; ।। ૧ ।। મોટા મન ધરજયો ધીર રે, ગુણવંત ગુણના ગંભીર રે; ઊનું ટાઢું થાય થોડું નીર કે, તવાઈને તવ્યમાં રે. ।। ૨ ।। અમારા છે અવગુણિયા અનેક રે, હરિ હૈયે આણશો મા એક રે; અધમ ઉદ્ધારણ જે ટેક કે, પાળજયો તે પ્રીતશું રે; ।। ૩ ।। વડાને નવ લાગે વિકાર રે, જેની મતિ અપરમપાર રે; નવ થાય કેણે નિરધાર કે, આદેશ અજિતશું રે. ।। ૪ ।। વજ્રને જેમ વીંધ્યું નવ જાય રે, વેંધતલ સામું વીંધાય રે; અનેક જો કરીએ ઉપાય કે, નિશ્ચે નિષ્ફળ છે રે; ।। ૫ ।। શશી જેમ શીતળ આપ રે, તેને તન લાગે નહિ તાપ રે; સ્પરશે નહિ પુણ્ય ને પાપ કે, નાથ નિરમળ છે રે. ।। ૬ ।। દીસો છો કાંઈ દિલના દયાળ રે, દીનબંધુ દીનપ્રતિપાળ રે; નટવર નંદ ગોવાળ કે, નીરખી નયણાં ઠર્યા રે; ।। ૭ ।। નિષ્કુળાનંદના સ્વામી રે, અલબેલા અંતરજામી રે; તમને નીરખી સુખ પામી કે, સર્વે કારજ સર્યા રે. ।। ૮ ।। read more
0 Views : 1382
Powered By Indic IME