Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૨ સ્નેહગીતા
Per Page :

સ્નેહગીતા કડવું:- ૪૦

ઊદ્ધવ કહે હું શું કહું શ્રીહરિજી, તમારા સ્નેહવશ વ્રજસુંદરીજી । હે કૃષ્ણ કૃષ્ણજી કરેછે ભાવે ભરીજી, નાથ નથી રહી એને ખાન પાનની ખબર ખરીજી ।।૧।। ઢાળ – ખાન પાનની ખબર નથી, ઊન્મત ગત છે અંગની । લોકલાજ કાજ ત્યાગ કરી, ૧રાતી છે તમારા રંગની ।।૨।। જેમ નર કોઈ માદક પીયે, તેને તન તણી શુદ્ધ વિસરે । તેમ તમારા સ્નેહની કેફે કરી, એનેદેહદશા નવ દિસે સરે ।।૩।। જોગ યજ્ઞ જપ તપ તીરથ, વળી વેદ વિધિ કરી કેમ શકે । સ્નેહ માંહિ રહે સમાઈ, બોલે નહિ બોલાવી બોલ્યે થકે ।।૪।। પ્રેમ જોઈને પ્રમદાનો, મારો ગર્વ સર્વે ગળીયો ।  હુંતો ગયો તો શીખદેવા, પણ સામું શીખ લઈને વળિયો ।।૫।। એવા નિર્મળ અંતર વિના, સ્નેહ રસ શેમાં રહે । ચારણી ચિત્તે લટક પ્રીતે, પ્રેમ સુધારસ શું ગ્રહે ।।૬।। એવા સ્નેહ વિના શીદને, મૂરખ કોયે મલકાય છે ।  હજી પશુ જેવી પણ પ્રીત નથી, તો હરિજન હોડ કાંયે થાયછે ।।૭।। પ્રિતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે, અને રહે તો પ્રીત ન હોય ।  જેમ જળ વિયોગે ઝષ ન જીવે, પણ જીવે દાદુર કૂર્મદોય ।।૮।। તેમ તમ વિના ગોપીના પ્રાણ ન રહે, પણ રહેવા છે એક રીત ।  જાણે હમણાં હરિ આવશે, એવું ચતવેછે ચિત્ત ।।૯।। પછી ભેટદીધી પૂજા કીધી, કહ્યું વા’લા આપી છે વ્રજસાથને ।  […] read more
0 Views : 1260

સ્નેહગીતા પદ:- ૧૦

રાગ ધોળ – અલબેલા આગળે ઊદ્ધવજીરે કહેછે,  પ્રમદાના પ્રાણ કોણ જાણે કેમ રહેછેરે; ઊદ્ધવ૦ ।।૧।। નીર વિના નયણાં મ કેદિયે નદીઠાં, આંખડિયેથી આંસુ ઝરીઝરી પડેછે હેઠાંરે; ઊદ્ધવ૦ ।।૨।। રોઈ રોઈ ખોયાછેરેદેહના રે હાલ, તમ વિના કૃપાનિધિ થઈછે કંગાલરે; ઊદ્ધવ૦ ।।૩।। તમારા વિયોગ રોગે મણા નથી રાખી, ઝુરીઝુરી જુવતીરે પડીછે ઝાંખીરે; ઊદ્ધવ૦ ।।૪।। પ્રાણ ગયાની પેર એનીરે મદીઠી, વા’લા વધામણી મેલોરે તમે મીઠીરે; ઊદ્ધવ૦ ।।૫।। નિષ્કુલાનંદના નાથજીરે તમને, કહ્યું કર જોડી જેવું જણાણુંરે અમનેરે; ઊદ્ધવ૦ ।।૬।। પદ ।।૧૦।। read more
0 Views : 1260

સ્નેહગીતા કડવું:- ૪૧

શ્રીહરિ કહે ઊદ્ધવ એહ સત્ય છેજી, મુજ સાથે સુંદરીને અતિશે આરત છેજી । દેહ ગેહ સુખથી એહ વનિતા વિરકત છેજી, અચળ અડગ એની મુજ વિષે મત છેજી ।।૧।। ઢાળ – મત એની મુજમાંહિછે, તેણે કરી તનસુખ ત્યાગ છે । વન જઈ શું કરે વનિતા, એને વણ લીધો વૈરાગ્ય છે ।।૨।। કામ ક્રોધ ને લોભ મોહ, તેતો વિરહ વહ્નિએ બળિયા । આતુરતાના અનિલે કરીને, તન વિકાર તેહના ટળિયા ।।૩।। એકાદશ ઈંદ્રિય એની, ઊદ્ધવ આવી એહને મનમાં । સંસાર સંકલ્પ ના’વે સ્વપને, રહે સદાયે બુડી પ્રેમમાં ।।૪।। પ્રીત વશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી ।  સ્નેહ મુજ સાથે કરતાં, તેણે બીજી વાસના ગઈ બળી ।।૫।। ઈચ્છા નથી કોઈ એને અંતરે, મુજ ચરણ વિના ચૌદલોકની ।ચતુરધાની એણે ચાહના મૂકી, રાખી ભકિત એણે રોકની ।।૬।। મુજ વિયોગે વિલખી વિલખી, તજયાં સુખ સર્વે તનથી ।  ઊદ્ધવજી એવા જન જેવું, વા’લું તે મુજને કોઈ નથી ।।૭।। હુંજ છઉં પ્રાણ પ્રેમીના, અને પ્રેમીજ મારૂં તન ।  ઊદ્ધવજી એમાં અસત્ય નથી, સત્ય માનજે તું મન ।।૮।। મને પ્યાર છે પ્રેમીનો, હુંતો પ્રેમીજનને પુંઠે ફરૂં ।  સ્નેહસાંકળે સાંકળ્યો હું, જેજે જન કહે તેતે કરૂં ।।૯।। પ્રેમીનું પણ પાળવાને, મારૂં પણ મેલ્યું પ્રેમી પાસળે ।  નિષ્કુલાનંદનો નાથ કહેછે, એમ ઊદ્ધવની આગળે ।।૧૦।। કડવું ।।૪૧।। read more
0 Views : 1261

સ્નેહગીતા કડવું:- ૪ર

ભકિત મારી છે બહુ ભાતનીજી, જન મળી કરેછે જુજવી જાતનીજી । પણ પ્રેમની ભકિત છે પ્રાણ ઘાતનીજી, તે કેમ કરી કરે કોયે નથી મુખ વાતનીજી ।।૧।। ઢાળ – મુખવાત તેની નથી થાતી, એતો પ્રાણ ગયાની પેર છે, એવી જે જન આદરે, તેહ ઊપર મારી મે’ર છે ।।૨।। સ્નેહ કરે જે મુજ સાથે, તન મન કરી કુરબાણ । ઊદ્ધવ મારે ધન એહછે, વળી જાણુંછું જીવનપ્રાણ ।।૩।। મને સંભારેછે સ્નેહી જન, તેમ સંભારૂં હું સ્નેહીને । અરસ પરસ રહે એકઠાં, જેમ પ્રીત છેદેહ દેહીને ।।૪।। અંતર પ્રીત સરળ ચિત્ત, વળી હૈયે હેત અતિ ઘણું ।  ઊદ્ધવ એવા જન જેહ છે, તેહ રે’વા ઘર છે મુજતણું ।।૫।। જેનું અંતર લુખું હૃદય સૂકું, વળી નેહ નહિ જેના નેણમાં । ઊદ્ધવજી હુંતો ત્યાં ન રહું, મર ધરે ધ્યાન દિન રેણમાં ।।૬।। જપ તપ તીરથ જોગ યજ્ઞ, જેહમાં તે ફળની આશ છે ।  એહને ધાયે ભકત કહેવાયે, પણ તેશું મારો કાંય દાસ છે ।।૭।। કોય નર નિરાશી ચરણ ઊપાસી, મમતા રહિત મુજને ભજે ।  એવા ભકત જકત વિરકત જેહ, તેહ ઊદ્ધવજી મુજને રજે ।।૮।। હુંતો વશ છઉં પ્રેમને, કહું ગોપ્ય મારો મતછે ।  સ્નેહ વિના હું શિયે ન રીઝું, એહ માનજે સત્ય સત્ય છે ।।૯।। વ્રજવનિતા પ્રેમરતા, પ્રીતે અજીત મને જીતિયો ।  નિષ્કુલાનંદનો નાથ કહેછે, ઊદ્ધવ […] read more
0 Views : 1262

સ્નેહગીતા કડવું:- ૪૩

ધન્ય ધન્ય ગોપિકા સ્નેહની મૂરતિજી, જેને અલબેલો સંભારેછે અતિ અતિજી । જેહનો અપાર સ્નેહ ને અપાર મતિજી, જેના જશ ગાયછે નિત્યે નિત્યે શ્રુતિજી ।।૧।। ઢાળ – શ્રુતિ ગાયછે જશ જેનો, વળી સરાયે છે જેને શ્રીહરિ । ધન્ય ધન્ય સ્નેહ એહનો । વળી સાચી ભકિત એણે કરી ।।૨।। ધન્ય ધન્ય એહનો પ્રેમ કહીએ, ધન્ય ધન્ય એહની પ્રીતને ।ધન્ય ધન્ય હેત એના હૈયાનું, ધન્ય ધન્ય એહની રીતને ।।૩।। ન્ય ધન્ય ભાવ ભલો એહનો, ધન્ય ધન્ય એહની મત્યને। ધન્ય ધન્ય સમજણ એહની, ધન્ય ધન્ય એહનાં કૃત્યને ।।૪।। ધન્ય ધન્ય અંતર એહનું, ધન્ય ધન્ય એહના મનને ।  ધન્ય ધન્ય બુદ્ધિ ચિત્ત સમેતને, જે કર્યું અર્પણ કૃષ્ણને ।।૫।। શ્રવણ નયન નાસિકા, ધન્ય ત્વચા રસના તેહને । પાદ પાણિ ધન્ય એહનાં, ધન્ય ધન્ય એહના દેહને ।।૬।। સર્વે અંગે અતિ રંગે, કરી કૃષ્ણની જેણે ભગતિ ।  ત્રિલોકશું તોડી હરિશું જોડી, કરી પ્રીત અચળ અડગ અતિ ।।૭।। ભવરોગ વામી કૃષ્ણ પામી, સ્વામી સદા સુખકંદને । દાઝ ટળી શાંતિ વળી, મળી પરમાનંદને ।।૮।। કરી પ્રીત પૂરણ રીતે, જીતી ગઈ જશ જુવતી ।  જશ જેના ઊત્તમ એના, ગુણ ગાયછે ગૃહસ્થ ને જતિ  ।૯।। ભૂત ભવિષ્ય વર્તમાનમાં, કોઈએ સ્નેહ તુલ્ય નથી આવતું ।  નિષ્કુલાનંદના નાથજીને, સ્નેહ વિના નથી ભાવતું ।।૧૦।। કડવું ।।૪૩।। read more
0 Views : 1243

સ્નેહગીતા કડવું:- ૪૪

સ્નેહગીતા જે જન ગાશેજી, સુણતાં સદ્ય આનંદ ઊપજાવશેજી । પ્રીતમની પ્રીતની રીત જો જણાવશેજી, સ્નેહી જનને સુધાસમ ભાવશેજી ।।૧।। ઢાળ – જણાવશે રીત પ્રીત કરી, હશે કાસલ તે કલાવશે । પછી સ્નેહીજન સજજ થઈને, ચિત્ત હરિ ચરણ લાવશે ।।૨।। વળીદેહ ઈંદ્રિય મન પ્રાણની, કોઈ રુંધવાની રીત કરે । તો સર્વે સાધન મેલી મનનાં, પ્રીતે ચિત્ત હરિચરણે ધરે ।।૩।। અંતઃકરણ ને ઈંદ્રિની વૃત્તિ, લોલુપ કિયાં નથી લોભતી । પ્રગટ મૂર્તિ વિના વળી, અન્ય સ્થળે પળ નથી થોભતી ।।૪।। સર્વે વાસના ત્યારે ગળે, જયારે મળે મનોહર મૂરતિ ।  સાધન સર્વે થાય પુરાં, એમ ગાય સત્ય નિત્ય સુરતિ ।।૫।। પ્રભુપદની પ્રીત વિના, વિકાર તે નવ વિસમે । વ્રેહ વિના વાસના ન બળે, અન્ય ઊપાયે શીદદેહદમે ।।૬।। સ્નેહ સાચો સ્નેહી જનનો, શ્રીકૃષ્ણ સાથે કરજો ।  પ્રીત રીતે જો પંડ પડે, તોયે દિલમાંહિ માં ડરજો ।।૭।। સ્નેહગીતા ગ્રંથ ગાવા, ઈચ્છા કરી અવિનાશ ।  નિષ્કુલાનંદને નિમિત્તદેઈ, કર્યો ગ્રંથ એહ પ્રકાશ ।।૮।। એકાદશ પદને ચુંવાળીસ કડવે, કહી સ્નેહની કથા કથી ।  પંચદોયે કમ જે પાંચસે, છે ચરણ પુરાં ઓછાં નથી ।।૯।। સર્વે ચરણે સ્નેહકથા, વરણવી વિવિધે કરી,  હરિને મને હેતે સાંભળી, કરજો પ્રીત હરિ સાથે ખરી ।।૧૦।। સંવત અઢાર બોતેરના, વૈશાખ શુદ ચતુરથી ।  હરિજનના હેત અર્થે, સ્નેહગીતા કહી કથી ।।૧૧।। કડવું ।।૪૪।। read more
0 Views : 1258

સ્નેહગીતા પદ:- ૧૧

રાગ: ધોળ– ધન્ય ધન્ય સ્નેહ શિરોમણી, ના’વે સાધન કોઈ સમતોલ । સાંભળજો સ્નેહ સમાન તે શું કહું, જપ તપ તીર્થ વ્રત જોગ જે । કોઈ કરે જો જજ્ઞ અતોલ; સાંભળજો૦ ।।૧।। અપવાસી ઊદાસી વાસી વન, કોઈ તનમાં ન ધરે પટત; સાંભળજો૦ । કોઈ ફળ ફુલ પયપાનશું, કરી આહાર આણે તન અંત; સાંભળજો૦ ।।૨।। પુણ્યદાન પાળે કોઈ ધર્મને, રહે નિ’મધારી નરનાર; સાંભળજો૦ । સર્વે સુનું એક સ્નેહ વિના, એતો પ્રપંચનો પરિવાર; સાંભળજો૦ ।।૩।। જોગી થાકયા જોગીપણું પાળતાં, તપી થાકયા સહી શિત તાપ; સાંભળજો૦ । ધ્યાની થાકયા ધરતા ધ્યાનને, જપી થાકયા જપતાં જાપ; સાંભળજો૦ ।।૪।। જતિ થાકયા જતને જાળવતાં, મુનિ થાકયા રે’તા વળી મુન્ય; સાંભળજો૦ । બીજાં અવર સાધન અનેક જે, એક સ્નેહ વિના સર્વે શૂન્ય; સાંભળજો૦ ।।૫।। કોટિ કાયા કલેશને કરતાં, હરિ કેને ન આવ્યા હાથ; સાંભળજો૦ । પ્રેમવશ થઈ પિયુ પાતળો, સદા રમિયા વ્રજજન સાથ; સાંભળજો૦ ।।૬।। હેત પ્રીતે સ્નેહીની સંગે, અલબેલો આપેછે આનંદ; સાંભળજો૦ । વા’લો નિષ્કુલાનંદનો નાથજી, સ્નેહવશ શ્રીસહજાનંદ; સાંભળજો૦ ।।૭।। પદ ।।૧૧।। ઈતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ મુનિ વિરચિતા સ્નેહગીતા સંપૂર્ણા read more
0 Views : 1364
Powered By Indic IME