Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૨ સ્નેહગીતા
Per Page :

સ્નેહગીતા પદ:- ૦પ

રાગ: આશાવરી – પ્રાણ મરે જો પ્રિતમ વિના, વળી પિયુ વિયોગે પે’લા જાજોરે ।  મગન થઈને હું માગુછું મનમાં, એવું બાઈ મારે થાજોરે; પ્રાણ૦ ।।૧।। સખીરે મણિ નિગમતાં મણિધર જીવે, તેને તે સુખ સખી કયુંરે । ધનહારી નિર્ધન નર રે’તાંરે, તેને સુખ રતિ કયાં રહ્યુંરે; પ્રાણ૦ ।।૨।। સખીરે જત ગયા પછી જતી મરે જો, સત ગયા પછી સતીરે ।  પત ગયા પછી કોય મરે જો, નગર ગયા પછી નગરપતિરે; પ્રાણ૦ ।।૩।। સખીરે ફળ રહિત રંભા જે કોયે રહે, તેતો અર્થ શે આવેરે ।  નિષ્કુલાનંદના નાથ વિયોગે, માગ્યું મોત કયારે ન આવેરે; પ્રાણ૦ ।।૪।। પદ ।।૫।। read more
0 Views : 129

સ્નેહગીતા કડવું:- ર૧

એમ અબળા અકળાય અતિ ઘણુંજી, મન કરે મોહનમુખ જોવા તણુંજી । વણદીઠે વા’લમ અંતર સુખ નહિ અણુંજી, મેલી નિઃશ્વાસ ધિક્કારે આપ્યું ઘણુંજી ।।૧।। ઢાળ – આપણો અવગુણ પરઠી, અબળા મુખે એમ ઊચ્ચરે । અહો બાઈ કૃષ્ણ વિના, હેત આપણે એવું કોણ કરે ।।૨।। જેદિ અસન હતાં બાઈ આપણે, પિયુસુખને નવ પ્રિછતાં । અસત્ય સત્યને ઓળખ્યા વિના, વળી અનેક વસ્તુને ઈચ્છતાં ।।૩।। ખબર નહોતી ખોટ બુદ્ધિની, વળી ન્યાય અન્યાય નવ જાણતાં । સુખદુઃખને સમજયા વિના, વળી વિષ એ અમૃતવત માણતાં ।।૪।। એમ વિમત હતી આપણી, બાઈ એશું અવળાં ચાલતાં ।  હેત કરી હરિ મંદિર આવતા, તેને તસ્કર કરીને ઝાલતાં ।।૫।। એનો આપણે અભાવ લઈ, જઈ કહેતાં જશોદા આગળે । તોયે હૃદયે રોષ નવ ધારતા, કરતા પ્રીત હેતે પળેપળે ।।૬।। પરાણે એણે પ્રીત કીધી, અલબેલે આપણે સાથજી ।  જાત બાઈ ભવવારિમાંહી, તેતો હરિએ રાખ્યાં ગ્રહી હાથજી ।।૭।। સમે સમે એણે સુખ દિધાં, વળી લાડિલાએ લાડ લડાવિયાં ।  આપણું ગમતું કીધું એણે, માનદઈને મન મનાવિયાં ।।૮।। વળી આપણી અવળાઈ જુવો, એને બંધાવિયાતા આગળે ।  એના ગુણ અવગુણ આપણા, કેટલાક લખીએ કાગળે ।।૯।। જેજે હેત કર્યું હરિયે, તેતો કહ્યે કેમ આવશે ।  હવે નિષ્કુલાનંદના નાથ વિના, બાઈ લાડ કોણ લડાવશે ।।૧૦।। કડવું ।।૨૧।। read more
0 Views : 115

સ્નેહગીતા કડવું:- રર

વળી વા’લપ વા’લાની કહ્યે નથી આવતીજી, જેજે કાંઈ કરિયું એણે આપણી વતીજી । અલબેલે આપિયું સુખ સમેસમે અતિજી, આપણે ન જાણ્યું માનિની મહા મૂઢમતિજી ।।૧।। ઢાળ – મૂઢમતિ અતિ આપણી, એને કાળો કહીને બોલાવતી । કંઈક વાતની વાતમાંયે, એને હા કહીને હુલાવતી ।।૨।। વળી મહી મથાવ્યાં વત્સ ચરાવ્યાં, વળી કરાવ્યાં ઘરનાં કામને । કઠણ કહેતાં મ્હેણાંદેતાં, વળી લેતાં ટુંકારે નામને ।।૩।। છાશ ખાટી વાટિદેતાં, વળી માખણદઈને નચાવતાં। નટની પેરે નૃત્ય કરાવી, ઘેરઘેરથી જોવા આવતાં ।।૪।। વળી ડાહી થઈ બાઈ આપણે, એને કાળો જાણીને કલાવતી ।  અંતરે ભાર એનો આપણે, લેશ પણ નવ લાવતી ।।૫।। કપટી લંપટ કુડા બોલો, વળી તસ્કર કહેતી તેહને । અનાદર બાઈ કરતાં એનો, તોયે તે નવ તજતો સ્નેહને ।।૬।। વળી ભલાઈ બાઈ ભૂધરજીની, જોને કહીએ મુખથી કેટલી ।  નથી કહેવાતી હેત પ્રીતની રીત, જેહ એણે કરી છે એટલી ।।૭।। આપણારે અપરાધનો, બાઈ પાર ન આવે પેખતાં । તેમ મોટપ જોતાં મહારાજની, કાંઈ લેખું ન આવે લેખતાં ।।૮।। એમ મળી વળી અબળા, અવગુણ પરઠે આપણા ।  અહો બાઈ કહીએ કેટલા, ગિરાએ ગુણ ગોવિંદતણા ।।૯।। બાઈ સાંભળતા હશે શ્યામને, સર્વેગુણ ગોપીજન તણા ।  નિષ્કુલાનંદના નાથ સાથે, રાખી નથી કોઈ રીતે મણા ।।૧૦।। કડવું ।।૨૨।। read more
0 Views : 134

સ્નેહગીતા કડવું:- ર૩

બાઈ આપણશું એણે અતિશય હેત કર્યુંજી, ગોપી ને ગોવાળ હેતે સ્વધામ પરહર્યુંજી । મેલી માન મોટપને મનુષ્યનુંદેહ ધર્યુંજી, જોને બાઈ એનું આપણથકી શું સર્યુંજી ।।૧।। ઢાળ – સર્યું નહિ કાંઈ શ્યામનું, આપણ માંયથી એક રતિ । કેવળ હેત એક કર્યું એણે, આપણે ન જાણ્યું મૂઢમતિ ।।૨।। બાઈ ભવ બ્રહ્મા જેને ભજે, વળી નેતિનેતિ નિગમ કહે । તેહને જાણ્યા જાર જુવતી, બીજું અજ્ઞ આપણથી કોણ છહે ।।૩।। બાઈ ઈન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે । વળી શશિ સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે ।।૪।। સરસ્વતી કહે ઊત્તમ ર્કીિત જેની, વળી નારદ ગુણ જેના ગાયછે ।  સહસ્રફણીમાં જુગલ જીભે, શેષ સમરે જેને સદાય છે ।।૫।। સર્વે સુખનું એહ સદન સજની, અને પ્રીતનો વળી પુંજછે । પૂરણકામ ને ઠામ ઠર્યાનું, વળી ઓછપ એહમાં શું જ છે ।।૬।। જેમ નદી સર ને કૂપ વાપી, ભરપુર જો હોયે ભરી ।   પણ વારિધિ કોય વારિવડે, સુખ ન માને સુંદરી ।।૭।। તેમ સુખ સરવે સજની, રહ્યાં અલબેલાને આશરી ।  એવા જાણીને જુવતી, રતિ કૃષ્ણ સાથે નવ કરી ।।૮।। જેમ મૂરખને કોઈ મિરાંથ મળે, પારસ કે ચતામણી ।  શિલાસમ તેનું સુખ સમઝે, જેને બાળક બુદ્ધિ છે ઘણી ।।૯।। એમ થયું બાઈ આપણે, ઓળખી ન શકયાં એહને।  નિષ્કુલાનંદને નાથે સજની, તેહ સારૂંદીધોછે છેહને ।।૧૦।। કડવું ।।૨૩।। read more
0 Views : 138

સ્નેહગીતા કડવું:- ર૪

છબીલોજીદઈ ગયા બાઈ છેહજી, જાણી જન અજ્ઞ આપણે અતિ સેહજી । મૂઢમતિ જોઈ અબળાનોદેહજી, શિયા ગુણ જોઈ રાખે આપણશું નેહજી ।।૧।। ઢાળ – શિયો ગુણ જાણી શ્યામળો, અલબેલો આપણશું આચરે । જોઈ જોઈને જોયું અંતે, સાર નવદીઠું સરે ।।૨।। બાઈ અસન અતિ જડમતિ, તેતો શું સમઝિયે સ્નેહને । જાડાબોલી પાલવખોલી, તેણે કરી ન ગમી તેહને ।।૩।। વાટે ઘાટે વનમાં વિચરૂં, વળી છુટે છેડે ફરીએ । એવા ગુણ જાણી આપણા, બાઈ હેત તોડ્યુંછે હરિએ ।।૪।। સરવે જાતમાં જડ જંગલી, વળી તેથી જડ તેની જુવતી । બાઈ એવા કુળમાં ઊપન્યાં, તેહ ન સમજું સ્નેહ રતિ ।।૫।। રૂપ રંગ અંગે નહિ આપણે, વળી પ્રિતમાંહિ પ્રીછું નહિ । એવાં કઠોર નઠોર નગણાં જાણી, નંદલાડીલે તજયાં લહિ ।।૬।। બાઈ વનચરિયો નિર્લજજ ફરિયો, વળી વ્યભિચાર ભાવે એને ભજી ।  એવા ગુણ જાણી આપણા, બાઈ તેહ સારૂં તેણે તજી ।।૭।। કયાં પારસ ને કયાં પથરો, કયાં કાચ ને કયાં કંચન ।  એહ આગળ બાઈ એમ આપણે, તેણે માન્યું નહિ એનું મન ।।૮।। દૈવ જોગેદોયજદહાડા, પ્રકટ્યો હતો થર સુખનો । પલટિ પળ ને પ્રિયે પરહર્યો ં,દઈ ગયા દિવસદુઃખનો ।।૯।। વળી અવગુણ જોયા આપણા, ના’વ્યો સંદેશો નવ લહી સારને । નિષ્કુલાનંદને નાથે સજની, વિસારી બાઈ વ્રજનારને ।।૧૦।। કડવું ।।૨૪।। read more
0 Views : 133

સ્નેહગીતા પદ:- ૦૬

રાગ આશાધોળ – ના’વ્યો સંદેશો નાથનોજીરે, જુવતી જોતાં જો વાટ (૨)  આશું થયું રે આપણે । આશું થયું રે આપણેજીરે, પ્રાણ રહેછે શામાટ (૨) ના’વ્યો૦ ।।૧।। બાઈ મીન મરે જળ મૂકતાંજીરે, ધન્ય એ પ્રીત પરમાણ (૨) પિયુ વિયોગે પ્રમદા । પિયુ વિયોગે પ્રમદાજીરે, પાપી રહ્યા કેમ પ્રાણ (૨) ના’વ્યો૦ ।।૨।। કુંજતણાં બાઈ બાળકાંજીરે, જુવે વાટ ષટ માસ (૨) અવધે ન આવે જો જનની । અવધે ન આવે જો જનનીજીરે, તજે તન થઈ નિરાશ (૨) ના’વ્યો૦ ।।૩।। જીવન વિના જે જીવવુંજીરે, એતો અણઘટતી વાત (૨) નિષ્કુલાનંદના નાથ વિના નિષ્કુલાનંદના નાથ વિનાજીરે, પંડડું નવ થયું પાત (૨) ના’વ્યો૦ ।।૪।। પદ ।।૬।। read more
0 Views : 150

સ્નેહગીતા કડવું:- રપ

અંતરજામીએ અંતરની જાણીજી, ઊદ્ધવ પ્રત્યે ઊચ્ચરિયા વાણીજી । સુણો શુભમતિ વાત ચિત્ત આણીજી, પ્રેમવશ પ્રમદા અમે ચાલ્યે અકળાણીજી ।।૧।। ઢાળ – અકળાણી અતિ અમ કાજે, વળી પ્રાણ ગતવત થઈ પડી । તે મુજ વિના એ માનિનીને, કેમ નિગમતી હશે ઘડી ।।૨।। એટલા માટે ઊદ્ધવજી, તમે વ્રજ જઈ કરો વાતડી । સમઝાવજો તમે સહુ જનને, વળી રે’જો તિયાં પંચ રાતડી ।।૩।। અધ્યાત્મ એને જ્ઞાન આપી, સમઝાવજો બહુ પેરજી । એટલો પરમારથ કરો ઊદ્ધવ, તમે મનમાં આણી મે’રજી ।।૪।। સર્વે પેરે સુજાણ છો, વળી ઘણું કહેવાનું કામ નથી ।  સમાસ કરજો સારીપેરે, કે’જો તત્ત્વને તમે કથી ।।૫।। જેણી રીતે વળી જુવતી, અતિ સુખ પામે સુંદરી ।ઊદ્ધવજી જઈ એટલું, વળી આવજો કારજ કરી ।।૬।। સગુણ જાણી એણે સ્નેહ કીધો, નિર્ગુણ ન જાણ્યો નારીએ ।  તેણે એનું તન તપીયું, એને એમ સમઝાણું સખી સારીએ ।।૭।। આવ્યા ગયા જાણ્યા અમને, એક પ્રેમના વશમાંય ।  તમો ગયે ગુણ થાશે ઘણો, વળી કસર નહિ રહે કાંય ।।૮।। અમે ગયાનો અર્થ સરશે, પ્રતીત પડેછે તમતણી । ઊદ્ધવ એમાં વિલંબ ન કીજે, જાઓ તમે વળી વ્રજભણી ।।૯।। એવી રીતે ઊદ્ધવજીને, હેતેશું તે કહ્યું હરિ ।  નિષ્કુલાનંદના નાથની, પછી આજ્ઞા એહ શિર ધરી ।।૧૦।। કડવું ।।૨૫।। read more
0 Views : 135

સ્નેહગીતા કડવું:- ર૬

એહ જો આજ્ઞા ઊદ્ધવે શિર ધરીજી, જેવી શ્રીમુખે કહિ છે જો શ્રીહરિજી । પછી વ્રજ જાવાને અર્થે રથ આણ્યો જોતરીજી, તૈયે ઊઠિયા ઊદ્ધવજી વંદના કરીજી ।।૧।। ઢાળ – કરી વંદના ઊઠ્યા ઊદ્ધવ, કર જોડી ઊભા વળી આગળે । કૃષ્ણે કહ્યું તે કરવું ખરૂં, પણ અળગે ગયે અંતર જળે ।।૨।। શિશ નમાવીને શીખ માગી, જુતો રથ ઊપર બેઠા જઈ । ત્યારે કૃષ્ણ કહે સુણો ઊદ્ધવ, એક સંદેશો કહું તે સઈ ।।૩।। નંદ જશોદાને ઝાઝા ઝાઝા, પ્રણામ કે’જો પાયે પડી । એહના ગુણ ઓશગળ અમે, થઈ ન શકિયા એક ઘડી ।।૪।। બહુપેરે એણે બેઊ જણે, ઘણું ઘણું કરી જો જતનને ।  અર્ધ ઘડી અળગો ન મુકતાં, જેમ રંક જાળવે રતનને ।।૫।। અસનપણે અમે હતા અટારા, નિત્ય રાવ નવલી લાવતા।તોએ અમને કાંઈ ન કહ્યું એણે, સામું સ્નેહ કરીને બોલાવતા ।।૬।। વળી ગોળી ઢોળી મહી પીતા, ખાતા મનમાન્યું માખણજી ।  અચપળાઈ અમે એવી કરતા, તોએ ન આણ્યો એણે અવગુણજી ।।૭।। એહ માત  પિતાની મોટપ, મુખે ઊદ્ધવ કહ્યે નથી આવતી ।  અમે ન થઈ સેવા એહની, એતો અમને ખટકે છે અતિ ।।૮।। તેને લળી લળી તમે પાય લાગી, વળી ચરણમાં શિશ ધરજો ।  પછી ગોપી જનને અમારા, ઘણા ઘણા પ્રણામ કરજો ।।૯।। શિશ નમાવિ વળી સર્વેને, કે’જો પ્રણામ વ્રજ સાથને ।  કુશળ છે ને કુશળ […] read more
0 Views : 123
Powered By Indic IME