Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૨ સ્નેહગીતા
Per Page :

સ્નેહગીતા કડવું:- ૧૪

આ વૃદ્ધ સઘળાની મત વામી ગઈજી, નંદ યશોદાની અકલ કાંઈ ન રહીજી । શું એને આપણે સમઝાવિએ કહીજી, એણે કોઈ વિચાર અંતર કર્યો નહીજી ।।૧।। ઢાળ – વિચાર ન કર્યો વ્રજવાસીએ, તેમ વિઘ્ન પણ કોઈ નવ પડ્યું । કેમ કરી રહે કૃષ્ણ બાઈ, અપરાધ આપણું આવી નડ્યું ।।૨।। આ સમે કોઈ મરે અચાનક, તો કૃષ્ણ રહે તેહ કારણે । મોડાં વે’લા મરશે ખરા પણ, આજ મરે તો જાઉં વારણે ।।૩।। અન્ય ઊપાયે અલબેલડો, વળી નથી રે’વા કોઈ રીતડી । અહો બાઈ અભાગ્ય આપણાં, પિયુ ત્રોડી ચાલ્યા પ્રીતડી ।।૪।। આ જો રથે બેઠા રસિયો, વળી ખેડાવિયો પણ તે ખરો ।  ધ્રોડો બાઇ જાઈએ ધાઇ, વનિતા વિલંબ જો મા કરો ।।૫।। બાઈ રોકી રાખીએ રથને, વળી વા’લાને પાછા વાળીયે । સાન કરીને કહીયે હરિને, પિયૂ પ્રિત તો નવ ટાળિયે ।।૬।। એમ ટોળે મળો વટી વળો, મેલી માનિની મરજાદને ।  જીવન જાતાં નથી ખમાતું, મર લોક કરે અપવાદને ।।૭।। મર જણાયે આ જગતમાંહે, હવે શીદને શાન્તિ રાખશું ।  છાનું છે તે મર થાય છતું, આજ નેક ઊઘાડું નાખશું ।।૮।। નદક જન મર નદા કરે, વળી દુરિજન મરદાઝતાં ।  કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કે’શું મુખે ઘણું ગાજતાં ।।૯।। લોક મળી વળી ચળી કે’શે, તેતો સાંભળી રે’શું શ્રવણે ।  પણ નિષ્કુલાનંદના નાથની, બાઈ […] read more
0 Views : 160

સ્નેહગીતા કડવું:- ૧પ

અબળાનો આશય અલબેલે ઓળખીજી, વિયોગે વનિતાદીઠી અતિશયદુઃખીજી । પ્રમદાના પ્રાણ નહિ રહે મુજ પખીજી, કહું એને કાંઈક ધીરજ ધારે સખીજી ।।૧।। ઢાળ – ધીરજ ધારો કૃષ્ણ કહે, સહુ દેખતાં મ કરો શોર । હેત રાખો હૈયામાંહે, બા’રે મ કરો બકોર ।।૨।। મારે તમારે પ્રીત છે તે, છાનિ છપાડિને રાખિયે । લાજ જાય ને હાંસી થાયે, એવું ભેદ વિના કેમ ભાખીએ ।।૩।। લોક મુજને એમ લેખે, છે બ્રહ્મચારી ભગવાન । આજ લાજ તે ખોઇ ખરી, મારૂં માડિયું તમે માન ।।૪।। તમ સાથે મ સ્નેહ કીધો, તેતો હળવું થાવા હેસખી ।  પણ સ્ત્રી હોય આપ સ્વારથી, એમ સર્વે શાસ્ત્રમાં લખી ।।૫।। પ્રીતનું આજ ફળ પ્રગટ્યું, મને છાના ને છતો કર્યો । સ્નેહ કરતાં તમ સાથે, અંતે અર્થ એ નિસર્યો ।।૬।। હજી કહુંછું જે કેણ માનો, અને જાઓ વળી ઘેર જુવતી ।  એકવાર આપણ મળશું, હૃદે રાખજો સ્નેહ સતી ।।૭।। એમ ધીરજ દિધી વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી ।  તમ વિના ત્રિલોકમાંહિ, વા’લું તે મને કોઈ નથી ।।૮।। હુંતો વશ છઉં હેતને, સાચું કહુંછું સુંદરી ।  હું છઉં જેને તે છે મારે, એતો વાત અંતે છે ખરી ।।૯।। પ્રેમનીદોરિયે પ્રમદા, હુંતો બંધાણો બેઊ હાથજી ।  એમ કહિને ચાલિયા, નિષ્કુલાનંદનો નાથજી ।।૧૦।। કડવું ।।૧૫।। read more
0 Views : 164

સ્નેહગીતા કડવું:- ૧૬

હરિવર હાલિયા મથુરાં મારગેજી, જુવે રુવે જુવતી ઊભી રહી એક પગેજી । નયણે ન મળે પળેપળે જળ વહેદોય દ્રગેજી, રથ જાતાં રસિયાનો દીઠોછે દૂર લગેજી ।।૧।। ઢાળ – દૂર લગી તો રથ દીઠો, પછી ખેહ તેહ રહી જોઈ । જયારે નયણે ગરદ નદીઠી, ત્યારે પડી પૃથવીએ રોઈ ।।૨।। જેમ પ્રાણ જાતાં પંડને, અતિશય પીડા ઊપજે । એવી ગત્યને પામી ગોપીકા, જાણે તન તજયું કે તજે ।।૩।। શુદ્ધ ન રહી શરીરની, મૂર્છા ખાઈ પડી માનિની । ઊઠી ન શકે અવનિ થકી, વળી ભૂલીદશાદેહભાનની ।।૪।। હંસ ગયો હરિની સાથે, રહ્યુંદેહ તેહ પડી પૃથવી ।  જેમદોરી તુટીદારુકની, ચાલ્ય રહિત પુતળી હવી ।।૫।। એવી અવસ્થા પામી અબળા, વળી શ્યામળીયો સધાવતાં । વણ દરદેદરદ વ્યાપ્યું, લાલશું લેહ લગાવતાં ।।૬।। એટલા પછિ અંગ સંભાળી, અને ઊઠી સર્વે અબળા ।  માંહોમાંહિ મળી વળી કહે જે, નાથજી પાછા નવ વળ્યા ।।૭।। અહો આ શું થયું બાઈ, હવે ભૂધરને કૈયે ભાળશું ।  સદનમાંહી સખી આપણે, શું જોઈને મન વાળશું ।।૮।। ઘેર જાતાં ચરણ ન ચાલે, આઘી ચાલીને પાછી વળે ।  પછી પગલાં જોઈને પિયુજીનાં, વારંવાર તિયાં ટળવળે ।।૯।। રજ લઈ લઈ મસ્તક મુકે, વળી વળી કરે બહુ વંદના ।  વે’લા વળજો વા’લા મારા, નાથ નિષ્કુલાનંદના ।।૧૦।। કડવું ।।૧૬।। read more
0 Views : 153

સ્નેહગીતા પદ:- ૦૪

રાગ: મલાર – બાઈ પ્રીત કરતાં પ્રીતમશું, જયારે પીડાયે પંડ ।  ઓષડ એનું એકોઈ ન મળેરે, જો ભમિયે બ્રહ્માંડ; પ્રીત૦ ।।૧।। બાઈ મીન જળે જયારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે । ચકોરદુઃખી થયો ચંદ્રથીરે, ત્યારે કયાં સુખ પામે; પ્રીત૦ ।।૨।। બાઈ ચકવોદુઃખ પામ્યો દિનેશથી, પિયૂષથી માનવી ।  કોણ ઊપાય હવે કીજિયેરે, ગજ જળિયો જાહ્નવી; પ્રીત૦ ।।૩।। એમ નિષ્કુલાનંદના નાથથી, પીડા આપણે પામી ।  શું કરીયે હવે સજનીરે, આશા ઊગર્યાની વામી; પ્રીત૦ ।।૪।। પદ ।।૪।। read more
0 Views : 162

સ્નેહગીતા કડવું:- ૧૭

એમ વળી વનિતા વિલખી પાછી વળીજી, ચરણ ન ચાલે ધરણિયે પડે ઢળીજી । અંબર આભૂષણ સંભાળવા શુદ્ધ ટળીજી, વાયદો વાલાનો કોઈ ન શકી કળીજી ।।૧।। ઢાળ – કળી ન શકી જે કૃષ્ણે કહ્યું, તેને વિચારવા વનિતા મળી । શું કહ્યું બાઈ શ્યામળે, કયારે આવશે વ્રજમાં વળી ।।૨।। અચેત હતી સહુ આપણે, પ્રિછ પડી નહિ તેહ પળમાં ।કાંઈક કુડું સાચું સજની, કહ્યું છબિલે છળમાં ।।૩।। એણે કહ્યું એકવાર મળશું, એમાં કપટ કાંઈક છે સહિ । એકવાર તે કોણ જાણે કૈયે, એનો કાંઈ નિરધાર નહિ ।।૪।। બાઈ જાતાં જાતાં જુઠું બોલ્યા, અને કોલ બોલ કુડા કર્યા ।  નખશિખ લગી નાથ બાઈ, ઘણું છબિલોજી છળમાં ભર્યા ।।૫।। હાથ ન આવે હવે હરિ, ખોઈ બેઠાં ખરી મીરાંથજી । મણિ ચોરાણી મળે નહિ બાઈ, પિયુ ગયા પરને હાથજી ।।૬।। શુકન જુવો સહુ મળીને, અલબેલોજી કૈયે આવશે ।  પોતે પધારશે પ્રેમશું કે, આપણને ત્યાં તેડાવશે ।।૭।। એમ માંહોમાંહિ મળી વળી, મનસુબો કરે મનમાં ।  એમ વિલખી વિલખી વનિતા, પછી ભામિની ગઈ ભવનમાં ।।૮।। તિયાં મહી માખણદુધદેખી, ઘણો શોક કરી રૂવે સુંદરી ।  હવે ગિરિધર વિના ઘરમાં, આ પિશે કોણ પ્રેમે કરી ।।૯।। અંતર પ્રીતને ઊપર કે’તાં, લાજ લોકની વળી લાવતાં ।  નિષ્કુલાનંદના નાથને બાઈ, કાંઈ મષ લઈને બોલાવતાં ।।૧૦।। કડવું ।।૧૭।। read more
0 Views : 159

સ્નેહગીતા કડવું:- ૧૮

વનિતાને વેદના વ્યાપી વિયોગનીજી, પણ વીતે પંડ્યને વણ રોગે રોગનીજી । કરે અતિ જંખના શ્યામ સંયોગનીજી, ભૂલી ગઈ ભામિની ભવવૃત્તિ વૈભોગનીજી ।।૧।। ઢાળ – ભવ વૈભવની ભૂલી વૃત્તિ, જેની સુરતિ લાગી લાલશું । રહે ઊદાસી થઈ નિરાશી, મન મોહે નહિ ધન માલશું ।।૨।। જેહનું પ્રીતે ચિત્ત ચોરાણું, અને ઈશક લાગી જેના અંગમાં ।તેનું માશુક વિના મન બીજે, રાચ્યું નહિ કોઈ રંગમાં ।।૩।। બોલ્યું ન ગમે બીજું તેહને, પ્રિતમના ગુણગાન પખી । અન્ય કથા કાને સુણતાં, દાઝેદલ ને થાયદુઃખી ।।૪।। જેમ મીનને નેક નીર વિના, વળી ક્ષીરે ક્ષણું સુખ નવ વળે ।  તેમ પ્રેમી જનને પિયુ વિના, અન્ય ઊપાયે અંતર જળે ।।૫।। જેનું પ્રેમબાણે પ્રાણ પ્રોયું, ભાવભલકે ભતર ભેદિયું ।તેહને તે જંપ કયાંથી હોય તનમાં, જેનું રંગ ને રૂપ છેદિયું ।।૬।। ફરે ઊદાસ મૂકે નિશ્વાસ, પાસે નથી પિયુ જેહને ।  ઊન્મત્તવત ગતિ હોયે અંગની, અન્ય જન ન જાણે તેહને ।।૭।। એવા ભાવને પામી અબળા, હરિ વિયોગે વળી વિરહિણી ।  પિયુપિયુ પોકાર કરતાં, વણદીઠે પ્રિતમ વિલખે ઘણી ।।૮।। લોહી માંસ ને લાલી મુખની, હરિ જાતાં એટલું હરિ ગયા ।  અસ્થિ ત્વચા ને પ્રાણ પ્રેમીનાં, વળતાં તનમાં તે રહ્યાં ।।૯।। પ્રાણને પિયુ વિયોગે, પ્રેમી ન રહે રાખીને ।  નિષ્કુલાનંદના નાથને, જાણું જોશું કયારે કરી ઝાંખીને ।।૧૦।। કડવું ।।૧૮।। read more
0 Views : 146

સ્નેહગીતા કડવું:- ૧૯

એમ વિયોગ રોગ તે વનિતાને વાધિયોજી, જેનો પ્રાણ પ્રિતમશું બાંધિયોજી । જેણે શ્યામ સાથે સ્નેહડો સાંધિયોજી, પ્રમદાના પ્રેમનો પાર નવ લાધિયોજી ।।૧।। ઢાળ – પાર ન લાધ્યો પ્રેમ કેરો, વળી સુંદરીના સ્નેહનો । પ્રેમવશ પરવશ થઈ, ન કર્યો સંભાળ જેણેદેહનો ।।૨।। જળ ભરવા જાયે જુવતી, સ્થળ સ્થળ પ્રત્યે થોભે ઘણું । ઈયાં રહી મારી આળ કરતા, ઈયાં તાણ્યુંતું અંબર અંગતણું ।।૩।। ઈયાં મુજને આડા ફરતા, ઈયાં રોકી મુજને રાખતા । હેતદેખાડી લોભ લગાડી, ઈયાં ફંદમાં મને નાખતા ।।૪।। ઘડો ચઢાવી ઘણા હેતે, વળી સાનમાં સમઝાવતા ।  કોયે ન જાણે જન બીજો, એમ મંદિર મારે આવતા ।।૫।। એવાં સુખ સંભારતાં, વળી હૃદયે ભરાય છે રોદને,એકાંત જાઈ રુવે અબળા, કરી વિલાપ ઊચ્ચે વદને ।।૬।। રોઈ રોઈને રાતાં કરે, લોચન લાલ ગુલાલરે ।  સ્નેહ સાલે શરીરમાંયે, જેને વા’લા સાથેછે વા’લરે ।।૭।। ઘણીવાર જાણી ભરે પાણી, વળી વનિતા પાછી વળે ।  રહે આતુરતા અંતરમાંયે, જાણે મોહનજી કયારે મળે ।।૮।। ઘટ ગાગર સોતી ઘેર પો’તી, વિસરતો નથી વિયોગ વળી ।  ભાર ન ગણે ઊભી આંગણે, જાણિયે પ્રાણ વિનાની પુતળી ।।૯।। સ્નેહ એનો હું શું કહું, જેને પિયુશું પૂરણ પ્રીત છે,  નિષ્કુલાનંદ નથી કે’વાતું, જથારથ જેવી એની રીત છે ।।૧૦।। કડવું ।।૧૯।। read more
0 Views : 127

સ્નેહગીતા કડવું:- ર૦

એ દિન જાયે બહુ દિલદાઝતાંજી, ભૂલી શુદ્ધ ભામિની હરિ સંગે હેત બાંધતાંજી । વિયોગે વિલખે રુવે ધુમ મષે રાંધતાંજી, એમ અહોનિશ વીતે પિયુને આરાધતાંજી ।।૧।। ઢાળ – અલબેલાને આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા । જાણે જાઉં વનમાં જીવન હશે, એમ અંતરે થઈ આતુરતા ।।૨।। ગોરસ રસ ભરી ગોળીયે, મહી વેચવાનો મષ લઈ । પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઈ ।।૩।। કયાં હશે બાઈ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પુછે મળી ।જયારે ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી ।।૪।। કહેઆજ વનમાં ક્રિડા કરતા, કહે આજ વનમાં રાસ રમિયા ।  તેહજ વનમાં જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થયાં ।।૫।। જેમજેમ વન જુવે જુવતી, તેમતેમ કૃષ્ણ સાંભરે । વિરહ વાધે અંગ બાધે, પછી આંખડિયે આંસુ ઝરે ।।૬।। સજજન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એધાંણ । સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ ।।૭।। એમ વૃક્ષ વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે ।  પણ કૃષ્ણ વસે મથુરાં માંહિ, તે વનમાં જોતાં કેમ જડે ।।૮।। એમ વન જોઈને જુવતી, વળી ભવનઆવી ભામિની । રાજ વિના કાંઈ કાજ ન સુઝે, જેને લાગી લગન શ્યામની ।।૯।। પ્રાણ પ્યારાની પ્રિત લાગી, તેણે ત્યાગી તનની આશ જો ।  નિષ્કુલાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો ।।૧૦।। કડવું ।।૨૦।। read more
0 Views : 143
Powered By Indic IME