એમ વિયોગ રોગ તે વનિતાને વાધિયોજી, જેનો પ્રાણ પ્રિતમશું બાંધિયોજી । જેણે શ્યામ સાથે સ્નેહડો સાંધિયોજી, પ્રમદાના પ્રેમનો પાર નવ લાધિયોજી ।।૧।। ઢાળ – પાર ન લાધ્યો પ્રેમ કેરો, વળી સુંદરીના સ્નેહનો । પ્રેમવશ પરવશ થઈ, ન કર્યો સંભાળ જેણેદેહનો ।।૨।। જળ ભરવા જાયે જુવતી, સ્થળ સ્થળ પ્રત્યે થોભે ઘણું । ઈયાં રહી મારી આળ કરતા, ઈયાં તાણ્યુંતું અંબર અંગતણું ।।૩।। ઈયાં મુજને આડા ફરતા, ઈયાં રોકી મુજને રાખતા । હેતદેખાડી લોભ લગાડી, ઈયાં ફંદમાં મને નાખતા ।।૪।। ઘડો ચઢાવી ઘણા હેતે, વળી સાનમાં સમઝાવતા । કોયે ન જાણે જન બીજો, એમ મંદિર મારે આવતા ।।૫।। એવાં સુખ સંભારતાં, વળી હૃદયે ભરાય છે રોદને,એકાંત જાઈ રુવે અબળા, કરી વિલાપ ઊચ્ચે વદને ।।૬।। રોઈ રોઈને રાતાં કરે, લોચન લાલ ગુલાલરે । સ્નેહ સાલે શરીરમાંયે, જેને વા’લા સાથેછે વા’લરે ।।૭।। ઘણીવાર જાણી ભરે પાણી, વળી વનિતા પાછી વળે । રહે આતુરતા અંતરમાંયે, જાણે મોહનજી કયારે મળે ।।૮।। ઘટ ગાગર સોતી ઘેર પો’તી, વિસરતો નથી વિયોગ વળી । ભાર ન ગણે ઊભી આંગણે, જાણિયે પ્રાણ વિનાની પુતળી ।।૯।। સ્નેહ એનો હું શું કહું, જેને પિયુશું પૂરણ પ્રીત છે, નિષ્કુલાનંદ નથી કે’વાતું, જથારથ જેવી એની રીત છે ।।૧૦।। કડવું ।।૧૯।।
read more