Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૨ સ્નેહગીતા
Per Page :

સ્નેહગીતા કડવું:- ૦૧

રાગ: ધન્યાસરી – મંગળ મૂર્તિ છે શ્રીમહારાજજી, વ્રજજન વલ્લભ શ્રીવ્રજરાજજી । મે’ર મુજ ઊપર કરો એવી આજજી, અંતર ઈચ્છેછે ગાવા ગુણ કાજજી ।।૧।। ઢાળ – ગુણ ગાવા ગોવિંદ તમારા, ઈચ્છા તે મુજને અતિ ઘણી ।  ચવું ચરિત્ર સ્નેહગીતા, જેવી મતિ ગતિ છે મુજતણી ।।૨।। સ્નેહે કથા હવે સુણો સહુ, બહુ પ્રકારે મ પેખિયું । જપ તપ તીરથ જોગ યજ્ઞ, સ્નેહ સમાન નવ દેખિયું ।।૩।। દાન પુણ્ય ને વ્રત વિધિ, કરે ભકિત નવધા કોય ।  સ્નેહ વિના સરવે સૂનું, જેમ ભોજન ઘૃત વીણ હોય ।।૪।। નીર વિના જેમ સૂકું સરોવર, સુગંધ વિના શિયાં ફુલ ।  તેમ સ્નેહ વિના સૂનું હૃદય, શું થયું ચવેછે ચંડૂલ ।।૫।। પ્રેમ પખિ છે લૂખી જો ભગતિ, કોઈ અનેક ગુણ ભાખે ભણે । ચૌદ વિદ્યાવાન ચતુર જન, વળી કવિ કોવિદને કોણ ગણે ।।૬।। સ્નેહ વિના લૂખું લાગે, કથતાં તે કોરૂં જો જ્ઞાન । હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની જાન ।।૭।। સ્નેહ વિના શોભે નહિ, હૃદય તે હરિદાસનું । પંકજનયનની પ્રીત વિના, અમથું શું રહેવું ઊદાસનું ।।૮।। નેહનાં નયણે નીર વરસે, ગાતાં ગદગદ ગિરા  નિસરે ।  કૃષ્ણ કૃષ્ણ કહેતાં મુખે, વળી વપુ વિકારને વિસરે ।।૯।। પ્રીતે ચિત્ત ચરણે સાપી, અને સ્નેહ સાચો જે કરે, નિષ્કુલાનંદના નાથ સાથે, સ્નેહીને સદા સંગે ફરે ।।૧૦।। કડવું ।।૧।। read more
0 Views : 1624

સ્નેહગીતા કડવું:- ૦ર

સ્નેહની મૂર્તિ સુંદર શ્યામજી, પ્રેમે કરી પ્રગટ્યા ગોકુળ ગામજી। સ્નેહી જનનાં સારવા કામજી, નટવર નાગર સદા સુખધામજી ।।૧।। ઢાળ – સુખના સાગર શ્રીહરિ, જેનેદેખતાં દિલડું ઠરે । મૂર્તિ જોતાં માવજીની, હેલામાં મન મુનિનું હરે ।।૨।। જેને જોઈ મોહી જનજુવતી, અતિ પ્રીત કરી હૈયે હેતશું । સ્નેહ બાંધ્યો શ્યામ સંગે, સાપી તન મન ધન સમેતશું ।।૩।। વળી પશુ પંખી ને વૃક્ષ વેલી, હરિપ્રીતમાં પરવશ થયાં । સરિતા સર ને નાગ નગ જે, સ્નેહમાં સંકુલાઈ રહ્યાં ।।૪।। ગાયો ગોપી ને ગોવાળીએ, હરિ આત્માથી અધિક કર્યા । સ્નેહ બાંધ્યો પ્રેમ વાધ્યો, પ્રીત રીત અતિ આચર્યા ।।૫।। મીનનું જીવન જળ જોને, જેમ ચકોર સ્નેહી ચંદ છે । તેમ વ્રજ જુવતીનું જીવન જાણો, શ્રીનંદજીનો નંદ છે ।।૬।। જેમ મોરનું મન મળ્યું મેઘશું, જેમ બપૈયો સ્નેહી સ્વાંતનો । તેહ થકી અધિક અંગે, સ્નેહ જુવતી જાતનો ।।૭।। જેમ અગ્નિને સંગે ઓગળે, મીણ માખણ ને ઘણું ઘૃત । તેમ કૃષ્ણ મળે મન ગળે, અને ટળે તે તન શુદ્ધ તરત ।।૮।। જેહ નયણે નિરખે નાથને, તેનું હાથ હૈયું કેમ રહે । તે લાજ તજે કૃષ્ણ ભજે, એવી સ્નેહમૂર્તિ છે સુખ મહે ।।૯।। નટવર નાગર સુખસાગર, મનોહર મૂર્તિ મદનજી, નિષ્કુલાનંદ ગોવિંદ છબી, સુખતણું જો સદનજી ।।૧૦।। કડવું ।।૨।। read more
1 Views : 1428

સ્નેહગીતા કડવું:- ૦૩

સુખમય મૂર્તિ જોઈ જન ગોપીજી, રહી હરિ ચરણે તન મન સાપીજી। અંતરની વૃત્તિ હરિમાં આરોપીજી, લોક કુટુંબની લજજા જેણે લોપીજી ।।૧।। ઢાળ – લોપી લજજા જેણે લોકની, અને સ્નેહવશ થઈ સુંદરી । સોબત કીધી શિશ સાટે, એવી અચળ પ્રીત હરિશું કરી ।।૨।। હરતાં ફરતાં કામ કરતાં, કૃષ્ણ કૃષ્ણ કરે કામિની,  પ્રીત વશ થઇ પ્રમદા, જાતિ જાણે નહિ દિન જામની ।।૩।। ખાતાં પીતાં બોલતાં, વળી સ્નેહમાં શુદ્ધ વિસરી ।  સૂતાંસૂતાં જાગે ઝબકી, ઊઠે કૃષ્ણકૃષ્ણ મુખે કરી ।।૪।। વાટે ઘાટે વન જાતાં, મન તન મોહનશું મળ્યું । લોક લાજ વેદવિધિ વિસરી, વળી ભાન તનનું તે ટળ્યું ।।૫।। વળી શ્રવણમાં ભણકાર સુણે, જાણે નયણે નિરખું છું નાથજી । મુખવાંણે વળી એમ જાણે, વાત કરૂં છું વાલા સાથજી ।।૬।। અંગોઅંગે એમ ગોપી, પરિપૂર્ણ થઇ પ્રીતમાં । સાધન તે હવે શું કરે, જેને કૃષ્ણ વિના ના’વે બીજું ચિત્તમાં ।।૭।। મરજાદા મેલી થઇ ઘેલી, ઊન્મત્તદશા આવી અંગે ।  તેણે કરી તન ત્રાસ ટળ્યો, મળ્યો પ્રાણ કૃષ્ણને સંગે ।।૮।। આપ ગળ્યું મન મળ્યું, ટળ્યું કાયા કલેશનું કરવું ।  એક સ્નેહ માંહિ સર્વે આવ્યું, અન્ય ન રહ્યું આચરવું ।।૯।। પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, તેતો શિખવ્યું આવે નહિ। નિષ્કુલાનંદ નાવે કહિએ, સ્નેહી જનનો સ્નેહ સહિ ।।૧૦।। કડવું ।।૩।। read more
0 Views : 1415

સ્નેહગીતા કડવું:- ૦૪

પ્રીત કરી પ્રમદા તે પરસ્પર પડીજી, જગના જીવન સંગે મોબત જડીજી । ચિત્તે રંગ ચટકી તે ચોળની ચડીજી, નિત્યપ્રત્યે નવલો નેહ ઘડી ઘડીજી ।।૧।। ઢાળ – ઘડિયે ઘડિયે ઘણો ઘણો, સનેહ વાધ્યો શ્યામશું । વણ દિઠે વળી વિલપે વનિતા, રહે ઊદાસી ધન ધામશું ।।૨।। અર્ધ ક્ષણ રહી ન શકે, વણ દિઠે વદન વ્રજરાજનું । શેરિયે શેરિયે શોધે સુંદરી, લેશ ન લાવે વળી લાજનું ।।૩।। માંહોમાંહિ વળી પુછે, બાઈ કૃષ્ણજી તે કયાં હશે । કોઈ બતાવો કાન મુજને, જોઉં મુખ કાંઈક લઈ મસે ।।૪।। વન ભવન વાટ વીથિની, વળી જુવે જમુના તીર । અણ દિઠે અલબેલડો, કોઇ ધરી ન શકે ધીર ।।૫।। વણ દિઠે ઘડી વીતે વસમી, જુગતુલ્ય પળ એક જાય । પ્રાણ ગતવત થઈ પડે, એમ ગરક સ્નેહમાંય ।।૬।। એમ કરતાં આવિ અચાનક, જોદેખે દ્રગેદયાળને । પણ નાથ નયણે નિરખ્યા વિના, સ્નેહી ન કરે શરીર સંભાળને ।।૭।। માંસ વિના શ્વાસ રહે, જન સ્નેહીના શરીરમાં ।  પ્રાણ જેના પડયા પરવશ, તેનાં નયણાં ભર્યાં રહે નીરમાં ।।૮।। અતિ ઊદાસ નિઃશ્વાસ મુકે, અને સુકે નહિ નીર નયણે ।  હે સખા હે સુખકારી, એમ વદે વળી વળી વયણે ।।૯।। પ્રીતની તો રીત એહવી, જેનું મન મોહનશું મળ્યું ।  નિષ્કુલાનંદ સ્નેહી જનનું, કારણ નવ જાયે કળ્યું ।।૧૦।। કડવું ।૪। read more
0 Views : 275

સ્નેહગીતા પદ:- ૦૧

રાગ: ગોડ મલાર – પ્રીતની રીત છે જો ન્યારીરી; પ્રી૦ ।  જેહની બંધાણી તેણેરે જાણી, બિજા ન જાણે લગારીરી ; પ્રી૦ ।।૧।। ચકોર સ્નેહી ચંદ્ર વદનનો, વણ દિઠેદુઃખ ભારી । મીન સ્નેહી જાણોરે જળનો, પ્રાણ તજે વિન વારીરી; પ્રી૦ ।।૨।। પ્રીત પતંગ પ્રાણ પાવકમાં,દેખત દૃગ દેત જારી ।  ચાતક સ્નેહી સદાયે સ્વાંતનો, મરે પિયુપિયુ પોકારીરી; પ્રી૦ ।।૩।। પ્રીતિની રીત પ્રસિદ્ધ પ્રતીજે, કીજે તો કીજે વિચારી । નિષ્કુલાનંદ એવા સ્નેહીની સંગે, સદાય રહે છે મુરારીરી; પ્રી૦ ।।૪।। પદ ।।૧।। read more
0 Views : 293

સ્નેહગીતા કડવું:- ૦પ

સ્નેહને વશ સદાય છે શ્રીહરિજી, ભાવે આવે ભૂતળ ભૂધરદેહ ધરીજી । તેતો પ્રેમિ જનને પ્રેમે કરીજી, ધન્ય ધન્ય પ્રેમે વ્રજજુવતી ભરીજી ।।૧।। ઢાળ – ભરી પૂરણ પ્રેમમાં અંગે, અને રંગે રાતિ રાજને । સ્નેહમાંયે ન સુઝે કાંયે, તેણે ભૂલિ ભવનના કાજને ।।૨।। ખાન પાનની ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવાં વિસરી । આભૂષણ અંગે ધરે અવળાં, એમ શુદ્ધ ભૂલી નેહે કરી ।।૩।। પય જમાવે જળપાત્રમાં, અને નીર ભરે ક્ષીર ઠામમાં । એમ સર્વે અંગે શુદ્ધ વિસરી, વળી ચિત્ત ન રહે ધન ધામમાં ।।૪।। સુત વિત્ત ને સગાં સંબંધી, વળી એ ઊપરથી મન ઊતર્યું ।  જેહ જુવે તે એમ જાણે, કહે મન ચિત્ત આનું ફર્યું ।।૫।। વળી ગોરસ મથતાં ગોપિકા, અને જુવે વા’લાની વાટરે । હમણાં આવે મને બોલાવે, એમ તલપે મોહન માટરે ।।૬।। કસણ તૂટે કેશ છૂટે, તેને નેક ન રહે સંભાળવા ।  વત્સ છોડાવે ધેનુને ધાવે, તેને ન જાયે વાળવા ।।૭।। વળી અગ્નિથકી અતિ ઊછળે, અને આવે ઊફાણેદુધ । પણ હરિ હેતમાં ચિત્ત ચોરાણું, તેહની ન લહે કાંયે શુદ્ધ ।।૮।। લક્ષ લાગ્યો લાડિલાશું, અંતર મળ્યું અલબેલશું ।  રહી હેતે પ્રીતે હળી મળી, જેમ વૃક્ષ વિટ્યું વેલ્યશું ।।૯।। રાત્ય દિવસ રહે રાતિ, અને માતિ પ્રેમમાં પ્રમદા ।  નિષ્કુલાનંદ નાવે નવધા, સમતોલ સ્નેહ ને સદા ।।૧૦।। કડવું ।।૫।। કડવું -૫ read more
0 Views : 300

સ્નેહગીતા કડવું:- ૦૬

વળી વ્રજવનિતા પ્રેમે પરવશ થઇજી, રસિયાજી વિના રંચ નવ શકે રહીજી । કૃષ્ણ કયાં કૃષ્ણ કયાં જેને તેને પુછે જઈજી, એમ સ્નેહની સાંકળી શુદ્ધ ભૂલી ગઇજી ।।૧।। ઢાળ – શુદ્ધ ભૂલી ગઇ શરીરની, વળી ગોવિંદને ગોતે ઘણું । આવો રસિયા આવો રૂડા, નિરખું હું મુખ તુજતણું ।।૨।। વાટે ઘાટે પુછે વનિતા, વળી કોઈ બતાવો કૃષ્ણને । નાથ વિના નથી રે’વાતું, ઘણું દિલદાઝેછે દૃષ્ણને ।।૩।। ખોળતાં તે ખરી ખબર પામી, જાણ્યું વાલો સધાવ્યા વનમાં । કાંઈક મષ લઈ જાયે કેડે, એમ વિચાર્યું વળી મનમાં ।।૪।। ગોરસ રસની ભરી ગોળી, વળી જાય મથુરાં મારગે,  એહ મષે ચાલિ વાંસે,દયાળુનેદેખવા દૃગે ।।૫।। નાથજીને નિરખ્યા વિના, ઘણું દિવસ જાયેદોયલો । ભૂધરજીને ભેટે જયારે, ત્યારેજ સુખ દિન સોયલો ।।૬।। હરિમુખ જોયે સુખ ઊપજે,વળી શાન્તિ વળે શરીરને ।  અસ્થિર મન તે સ્થિર થાયે, જયારે જુવે હલધર વીરને ।।૭।। એમ પ્રીત પાવકે પંડ્ય પ્રજળ્યું, વળી વિરહમાં વિલખ્યા કરે ।  પ્રેમદોરિયે બાંધી પ્રમદા, વાલમને વાંસે ફરે ।।૮।। શ્યામ વિના કાંઈ કામ ન સુઝે, વળી કળ ન પડે કોઈ ।  પિયુ વિના પળ પ્રેમીને, વળી વીતે તે વસમી સોઇ ।।૯।। સ્નેહી જનને સુખ કયાંથી, જેના પ્રાણ પરને સાથ છે ।  નિષ્કુલાનંદ પ્રેમી જનનું, જીવિતવ્ય હરિને હાથ છે ।।૧૦।। કડવું ।।૬।। read more
0 Views : 297

સ્નેહગીતા કડવું:- ૦૭

વ્રજ વનિતાના પ્રેમને જોવા વળીજી, વાલ્યમે વગાડિ વનમાંયે વાંસળીજી । સુણી સર્વ સુંદરી મોહનને જઈ મળીજી, એક રહી આવરી નવ શકી નિકળીજી ।।૧।। ઢાળ – નિકળી નવ શકી સુંદરી, ગોપી ઘેરીને ઘાલી ઘરમાં ।દેહ ગેહમાં ગ્રહિ ઘાલ્યું, પણ પ્રાણ કાંઈ છે તેના કરમાં ।।૨।। તેહને વિરહ ઊપન્યો અંગમાં, વળી વિયોગ રોગ વાધ્યો ઘણું । આ સમે હું તો રહી અમથી, અહો અભાગ્ય એવું મુજતણું ।।૩।। એમ સ્નેહમાં શોચે ઘણું, વનિતા કહે રહી વાંસળ્યે, પછી મેલ્યું દેહ મંદિરમાંયે, પ્રાણ પો’તા પિયુને પાસળ્યે ।।૪।। એહ રીતે પો’તી અબળા, મોહનજી સંગે જૈ મળી ।  ભૌતિકદેહનું ભાન ભૂલી, અતિવાકયદેહ પામી વળી ।।૫।। પ્રેમી જનનું એહ પારખું, પ્રિતમવિના પળમાં મરે । પિયુ વિયોગે પ્રાણ રહે, તે સ્નેહ શઠ સાને કરે।।૬।। પ્રીતની તો રીત એહવી, જેના પ્રીતમ સાથે પ્રાણ છે ।  જીવન વિના જરૂર જેને, પંડ્ય પાડવું પ્રમાણ છે ।।૭।। ધન્ય એ નારી પ્રેમપ્યારી, જેણે વા’લા વિયોગે તન ત્યાગિયું ।  અલ્પ સુખની આશા મેલી, મન મોહનજીશું લાગિયું ।।૮।। એવા જનથી અર્ધ ઘડી, વાલમ ન રહેવેગળા ।  હેતે હળ્યા રહે મળ્યા, જો અંગે હોય કોયે અબળા ।।૯।। શું થાયે કૈયે હેત જો હૈયે, અને પ્રેમ વિના તો સુકું સરે ।  નિષ્કુલાનંદ સર્વે સાધન, સ્નેહી સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૭।। read more
0 Views : 267
Powered By Indic IME