(રાગ:-ધોળ) ‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ. ભાગ્ય જાગ્યાં આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ; ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ.. ભાગ્ય ।। ।। અનાથપણાનું મે’ણું ઊતર્યું, સદા થયા સનાથ; ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિયે હાથ.. ભાગ્ય ।। ર ।। કંગાલપણું કે’વા ન રહ્યું, સદા મનાણું સુખ; મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ.. ભાગ્ય ।। ૩ ।। અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત; પાંપળાં સર્વે પરાં પળ્યાં, મળ્યા શ્રીહરિ સાક્ષાત.. ભાગ્ય ।। ૪ ।। કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ; ખોટ્ય મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ.. ભાગ્ય ।। પ ।। ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર; સુખતણી સીમા શી કહું, મને મોદ અપાર.. ભાગ્ય ।। ૬ ।। આજ આનંદ વધામણાં, હૈયે હરખ ન માય; અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય.. ભાગ્ય ।। ૭ ।। આજ અમૃતની એલી થઈ, રહી નહિ કાંઈ ખોટ; એક કલ્યાણનું કયાં રહ્યું, થયાં કલ્યાણ કોટ.. ભાગ્ય ।। ૮ ।। રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મ કે’શો કંગાલ; નિરધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ… ભાગ્ય ।। ૯ ।। કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ; ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ.. ભાગ્ય ।। ૧૦ ।। ધન્ય ધન્ય […]
read more