Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૧ પુરુષોત્તમ પ્રકાશ
Per Page :

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૧

દોહા – એમ આચારજનું અધિકપણું, શ્રી મુખે કહ્યું ઘનશ્યામ । એહ દ્વારથી અનેકને, કરવા છે પૂરણકામ ।।૧।। ઘણા જીવ એહ ગૃહસ્થથી, ઊદ્ધારવા છે આ વાર । નરનારી જે જકતમાં, તે સહુના એ તારનાર ।।૨।। એહ વિના વળી ત્યાગીથી, આજ ઊદ્ધારવા છે અનેક । એમાં પણ અમે રહી, ભવપાર કરવા છે છેક ।।૩।। ત્યાગી તે સમઝો સંતને, એમાં અમે કરી પરવેશ । બહુ જીવને તારશું, આપી ઊજ્જવળ ઊપદેશ ।।૪।। ચોપાઈ – ધર્મકુળમાં કરી રહ્યા ધામરે, તેમ સંતમાં છઊં કહે શ્યામરે । સર્વે રીતે સંતમાં રહુછુંરે, એમાં રહી ઊપદેશ દઊ ંછુંરે ।।૫।। સંત બોલે તે ભેળો હું બોલુંરે, સંત ન ભુલે હુંયે ન ભુલુંરે । સંત વાત ભેળી કરૂં વાતરે, એમ સંતમાં છઉં સાક્ષાતરે ।।૬।। સંત જુવે તે ભેળો હું જોઉંરે, સંત સુતા પછી હું સોઉંરે । સંત જાગે તે ભેળો હું જાગુંરે, સંત જોઈ અતિ અનુરાગુંરે ।।૭।। સંત જમે તે ભેળો હું જમુંરે, સંત ભમે તે કેડ્યે હું ભમુંરે । સંત દુઃખાણે હું દુઃખાણોરે, એહ વાત સત્ય જન જાણોરે ।।૮।। સંત હું ને હું તે વળી સંતરે, એમ શ્રીમુખે કહે ભગવંતરે । સંત માનજો મારી મૂરતિરે, એમાં ફેર નથી એક રતિરે ।।૯।। અંતરજામીપણે રહું એમાંરે, માટે નથી બંધાતા એ કેમાંરે । સંકલ્પ સ્વપન ઊપવાસરે, તેતો કરેછે જાણી મને પાસરે ।।૧૦।। માટે […] read more
0 Views : 192

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪ર

દોહા – વળી કહું કોય સંતને, સેવશે શ્રદ્ધાવાન । તેના અંતરથી ઊંચલિ, વળી જાશે જાણો અજ્ઞાન ।।૧।। સંત સેવ્યાથી સુખ મળે, વળી ટળે તન મન તાપ । પરમ ધામને પામિયે, તેપણ સંત પ્રતાપ ।।૨।। તે સંત શ્રીહરિ તણા, પ્રભુ પ્રગટના મળેલ । શૂરા સત્ય ધર્મ પાળવા, પંચ વિષયથી પાછા વળેલ ।।૩।। પરમાર્થ અર્થે આવિયા, નિજ સ્વાર્થ નહિ લવલેશ । એવા થકા ભમે ભૂમિમાં, આપે સહુને સારો ઊપદેશ ।।૪।। ચોપાઈ – આપે જ્ઞાન દાન જનનેરે, કહી વા’લપનાં વચનનેરે । હિતકારી છે સહુના સનેહિરે, જાણો પર ઊપકારી એહિરે ।।૫।। સાચા સંત સગા સૌ જનનારે, ઊદાર છે અપાર મનનારે । જેને શત્રુ મિત્ર સમતોલરે, સુખે દુઃખે દિલમાં ન ડોલેરે ।।૬।। હાનિ વૃદ્ધિ ને સમ વિસમરે, નથી આપ અર્થે ઊદ્યમરે । હર્ષ શોક ને નૈ હાર્ય જીતરે, માન અપમાને સમ ચિત્તરે ।।૭।। અહં મમત ને મારૂં તારૂંરે, એહ નથી લાગતું જેને સારૂંરે । જકતદોષ નથી જેમાં જરારે, એવા સંત તે સંત મારા ખરારે ।।૮।। એમાં રહુંછું હું રાત્ય દિનરે, સત્ય માનજો મારૂં વચનરે । અતિ પવિત્ર અંતર પેખિરે, સદા રહ્યો છું શુદ્ધ લેખિરે ।।૯।। એવા સંતને હૃદિયે રઈરે, કરૂં જીવનાં કલ્યાણ કઈરે । એહ સંત મળે જે જનનેરે, કરે પળમાંહિ પાવન તેનેરે ।।૧૦।। એવા સંત છે સગા સહુનારે, સુખદાયક જન બહુનારે । જેવી એ […] read more
0 Views : 155

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૩

દોહા – વળતું વાલમે વિચારિયું, થઇ રહ્યું સર્વે કામ । કેડ્યે કાંયે રહ્યું નહિ, થયું સારૂં કહે ઘનશ્યામ ।।૧।। જે અર્થે અહિ આવિયા, તે સારિયો સરવે અર્થ । અગણિત જીવ ઊદ્ધારિયા, વાવરી પોતાની સામર્થ ।।૨।। કેડ્યે વળી કલ્યાણના, બહુ બહુ કર્યા ઊપાય । કસર ન રાખી કોઈ વાતની, એમ નાથે માન્યું મનમાંય ।।૩।। જણ જણ પ્રત્યે જુજવું, કર્યું ચાલતું મોક્ષનું કામ । પરિશ્રમ વિના પામવા, અખંડ અક્ષર ધામ ।।૪।। ચોપાઈ – કર્યા કોટિ કોટિ ઊપાયરે, અમે આવી અવનિ માંયરે । અમારી મૂરતિને પ્રસંગેરે, કર્યું કલ્યાણ જીવનું જગેરે ।।૫।। સંત સંબંધે કલ્યાણ કીધુંરે, તેને પણ અખંડ ધામ દીધુંરે । વળી બાંધ્યાં સદાવ્રત ઘણાંરે, તેપણ બારણાં કલ્યાણ તણાંરે ।।૬।। વળી ધ્યાન ધારણા સમાધિરે, કરાવી વિસરાવી ઊપાધિરે । વળી પ્રગટ કરી પંચ વ્રતરે, આપ્યું પળાવી પદ અમૃતરે ।।૭।। બહુ દેશ તીર્થ ગામ શે’રરે, તાર્યા ફરી હરિ કરી મે’રરે । કરી ઊત્સવ બહુ સમૈયારે, તાર્યા જીવ જાયે નહિ કહ્યારે ।।૮।। કર્યા જગન ને બહુ જાગરે, તેપણ જીવ ઊદ્ધારવા કાજરે । વરષોવરષ કર્યા વળી મેળારે, કરવા જીવ બ્રહ્મમો’લે ભેળારે ।।૯।। બાંધ્યાં કલ્યાણ સારૂં બહુ ધામરે, શ્રીઠાકુરજીના ઠામોઠામરે । તેમાં બેસારી સારી મૂરતિરે, તે પણ જીવના કલ્યાણ વતીરે ।।૧૦।। કર્યા આચારજ મહારાજેરે, તે પણ જીવને તારવા કાજેરે । બહુ બાંધી કલ્યાણની સડકરે, જાય ધામે જીવ થૈ […] read more
0 Views : 159

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૪

દોહા – પવિત્ર છે સ્પર્શે કરી, આ પૃથવી સાક્ષાત ।।૧।। જિયાં જિયાં અમે વિચર્યા, વળી રહ્યા જે જે ગામ । તે જરૂર જન જાણજો, સરવે થયાં છે સ્વધામ ।।૨।। તિયાં પ્રાણી કોઈ તન તજે, જાણ્યા વિના એહ જાગ્ય । કહ્યાં ન જાય વળી કોઈથી, એવાં ઊઘડિયાં એનાં ભાગ્ય ।।૩।। ચરણે અંકિત જે અવની, વળી પદની સ્પર્શેલ રજ । તે જોતાં ન જડે જાણજો, જેને ઈચ્છેછે ઈશ્વર અજ ।।૪।। ચોપાઈ – પદરજના સ્પર્શ પ્રતાપેરે, જન અભય થાય છે આપેરે । ભવભય હરણી એ રજરે, થાય નિર્ભય એમાં શું આશ્ચરજરે ।।૫।। જન ભવનમાં જયાં જયાં ગયારે, તિયાં દિનરજની જે રહ્યારે । એહ ભૂમિકાનાં ભાગ્ય ભારીરે, થઈ ધામરૂપ સુખકારીરે ।।૬।। એહ પૃથ્વી પર તજે પ્રાણરે, તેતો પામે પદ નિરવાણરે । વળી નદી નદ ને તલાવરે, સધુ કુંડ કુવા વળી વાવરે ।।૭।। તિયાં જિયાં જિયાં અમે ના’યારે, સ્પરશ્યું પાણી જે અમારી કાયારે । તેહ સ્પર્શનું જેહ પાણીરે, જન ઊદ્ધારણ લિયો જાણીરે ।।૮।। તેહ તટે તજે કોઈ તનરે, પામે અમૃત ધામે સદનરે । એમ કલ્યાણના જે ઊપાયરે, બહુ કર્યા છે આ જગમાંયરે ।।૯।। બાગ બગીચા ને ફુલવાડીરે, વૃક્ષ વેલી વન વળી ઝાડીરે । એહ આદિ જાયગા અપારરે, જિયાં રહ્યા અમે કરી પ્યારરે ।।૧૦।। એતો સ્થાનક છે તીર્થરૂપરે, અતિ પવિત્ર જાણો અનૂપરે । એહ સ્થાને મૂકે […] read more
0 Views : 159

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪પ

દોહા – વળી વળી શું વર્ણવું, વળી આ સમાની વાત । જીવ જગતના ઊપરે, આજ અમે છીએ રળીઆત ।।૧।। જાણિયે આખી જકતને, લઈ જાયે અમારે ધામ । કેડે ન રાખિયે કોઈને, એમ હૈયે છે ઘણી હામ ।।૨।। તે સારૂ ભૂમિ ઊપરે, કંઈ રાખ્યા સુખના સમાજ । અમારા અંગસંગની વસ્તુ, રાખી જીવના કલ્યાણ કાજ ।।૩।। ફરી ફરી ફેરો પડે, એવું કરવું નથી આ વાર । સહુ જીવનો સામટો, આજ કરવો છે ઊદ્ધાર ।।૪।। ચોપાઈ – તેહ સારૂં છાપી દીધાં ચરણરે, જે છે મોટા સુખનાં કરણરે । ચરણ ચતવે ચિહ્ને સહિતરે, વળી પૂજે કોઈ કરી પ્રીતરે ।।૫।। પાન ફુલે પૂજશે જે જનરે, એકાગ્ર રાખી શુદ્ધ મનરે । તેને અંતરે થાશે પ્રકાશરે, લેશે સુખ અલૌકિક દાસરે ।।૬।। તેણે માનશે પૂરણકામરે, વળી પામશે અખંડ ધામરે । એવો ચરણ તણો છે પ્રતાપરે, શ્રીમુખે કહે શ્રીહરિ આપરે ।।૭।। સત્ય માનજો સહુ તમે જનરે, આ છે અતિ હિતનાં વચનરે । આથી આપશું સુખ અંતરરે, રાખો ભારે ભરુંસો ભતરરે ।।૮।। વળી પૂજવા પટ મૂરતિરે, આપી સહુને કરી હેતે અતિરે । પ્રેમે પૂજશે પ્રેમ વધારીરે, પૂજાવિધિ સુંદર લઈ સારીરે ।।૯।। કરી પૂજા ઊતારશે આરતિરે, કરશે ધૂન્ય ને વળી વિનતિરે । તેહ મૂરતિમાં આપે રહીરે, સર્વે પૂજાને માનશું સહીરે ।।૧૦।। લેશું પૂજા એની કરી પ્રીતરે, પછી દેશું સુખ રૂડી રીતરે […] read more
0 Views : 124

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૬

દોહા – વળી એક કહું ઊપાયને, તમે સાંભળજો સહુ જન । કર્યો કલ્યાણને કારણે, અતિ અમે થઈ પ્રસન્ન ।।૧।। જેહ ઊપાયે આ જીવને, સર્વે પ્રકારે શ્રેય થાય । મોટા સુખને ભોગવે, આ લોક પરલોક માંય ।।૨।। લાજ ન જાયે આ લોકમાં, પરલોકે પરમ આનંદ । કર્યો ઊપાય એવો અમે, સહુ જાણજો જનવૃંદ ।।૩।। સત્ય શાસ્ત્ર સારાં કર્યાં, ભર્યાં અર્થે અતિ અનુપ । તેમાં બાંધી રૂડી રીતને, ત્યાગી ગૃહીને સુખરૂપ ।।૪।। ચોપાઈ –ત્યાગી ગૃહીને તારવા અર્થરે, બાંધ્યા ઘણા સુખદાયિ ગ્રંથરે । તેમાં બહુ પ્રકારની વાતરે, સૂચવિ છે અમે સાક્ષાતરે ।।૫।। કહ્યા ત્યાગી ગૃહિના વળી ધર્મરે, સહુને પાળવા સારૂં પર્મરે । રીત જુજવી કહી જણાવીરે, વર્ણાશ્રમ ધર્મની કહી સંભળાવીરે ।।૬।। સહુ સહુના ધર્મમાં રે’વારે, અમે ગ્રંથ કર્યા કહું એવારે । દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રરે, તેને તરવા સંસાર સમુદ્રરે ।।૭।। વળી બટુ ગૃહી વાનપ્રસ્થરે, સંન્યાસિ આશ્રમ સુજશરે । દ્વિજ વર્ણના ધર્મ વિચારીરે, સર્વે અમે કહ્યા સુખકારીરે ।।૮।। શમ દમ ક્ષમા ને સંતોષરે, અધર્મ સર્ગથી રે’વું અદોષરે । એહ આદિ ધર્મ અપારરે, કહ્યા વાડવના નિરધારરે ।।૯।। ક્ષત્રી વર્ણના ધર્મ વર્ણવીરે, કહ્યા સર્વે રીતના સૂચવીરે । કરવી સહુ જનની રખવાળરે, અતિ દિલમાં થઈ દયાળરે ।।૧૦।। ધારી વિચારી ધરવી ધીરરે, કામ પડે થાવું શૂરવીરરે । એહ આદિ જે ક્ષત્રીના ધર્મરે, રાખે જરૂર રાખવા શ્રમરે ।।૧૧।। […] read more
0 Views : 125

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૭

દોહા – વળી અમારે જે આશરે, બાયું આવિયું બહુ બહુ । તેને કહ્યા ધર્મ તેહના, તેણે પામી પરા ગતિ સહુ ।।૧।। સતીગીતામાં જે સૂચવ્યા, સધવા વિધવાના ધર્મ । તેમજ રહી ત્રિયા સહુ, પામિછે ધામ જે પર્મ ।।૨।। જે ધર્મ નો’તા ધરા ઊપરે, નરનારીના નિરધાર । તે અમે પ્રગટ કરી, બહુ તારિયાં નર નાર ।।૩।। એમ અનેક રીતશું, અતિ કર્યો છે ઊપકાર । જીવ આખા જકતના જેહ, તેહ કરવા ભવપાર ।।૪।। ચોપાઈ – અતિ અતિ કર્યા મ ઊપાયરે, તેતો કે’તાં કે’તાં ન કે’વાયરે । જેજે કર્યું અમે આ જગમાંરે, તેતો ચલાવા મોક્ષ મગમાંરે ।।૫।। જેજે અમે કરાવિયા ગ્રંથરે, નર નારીને તારવા અર્થરે । વળી પદ છંદ કીરતનરે, અષ્ટકને સ્તુતિ જે પાવનરે ।।૬।। તેને શીખે સુણે ભણે ગાયરે, તેતો અક્ષરધામમાં જાયરે । કાંજે અંકિત અમારે નામેરે, માટે પો’ચાડે એ પરમ ધામેરે ।।૭।। જેમાં સ્વામિનારાયણ નામરે, એવી કથા સુણે નર વામરે । એવી ર્કીિત સાંભળતાં જનરે, થાય અતિ પરમ પાવનરે ।।૮।। વળી પદ જે નામે અંકિતરે, તેને ગાયે સુણે કરી પ્રીતરે । જેમાં સહજાનંદ સ્વામી નામરે, આવે જે કાવ્યમાં ઠામો ઠામરે ।।૯।। એવી કાવ્ય કે’તાં ને સાંભળતાંરે, વાર ન લાગે મહાસુખ મળતાંરે । મહામંત્રરૂપ એહ કા’વેરે, તેને તુલ્ય બીજું કેમ આવેરે ।।૧૦।। નામ પ્રભુનાં અનંત અપારરે, સહુ ભાવે ભજે નર નારરે । પણ […] read more
0 Views : 145

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૮

દોહા – પછી જોયું વિચારી જીવને, કરી રહ્યા સર્વે કામ । સહુ જનને સુગમ થયું, સે’જે પામશે સ્વધામ ।।૧।। જે અરથે અમે આવિયા, તે અરથ સરિયો આજ । ધારી આવ્યા’તા જે ધામથી, તે કરી લીધું છે કાજ ।।૨।। બાંધી બળવંત પીઠિકા, કેડે તારવા કોટાન કોટ । કર્યું હિત અતિ આ સમે, અમે રાખી નથી કાંઈ ખોટ ।।૩।। ફેરો અમારો સુફળ થયો, ગયા સહુ જનના સંતાપ । અનેક જીવ ઊદ્ધર્યા, આજ અમારે પરતાપ ।।૪।। ચોપાઈ – કરી લીધું છે સર્વે જો કામરે, એમ વિચારિયું ઘનશ્યામરે । કે’વા રાખ્યું નથી કેડે કાંઈરે, જાવા મોક્ષના મારગ માંઈરે ।।૫।। બહુવિધ ઊઘાડિયાં બારરે, કરવા કલ્યાણને આ વારરે । હવે પધારૂં હું મારે ધામરે, જે સારૂં આવ્યા’તા તે થયું કામરે ।।૬।। પછી જે જે પાસે હતા જનરે, તેને કે’છે એમ ભગવનરે । સહુ ધારજો અંતરે ધીરરે, હવે નહિ રહે આ શરીરરે ।।૭।। થોડે ઘણે દિને ધામે જાશુંરે, અમ કેડ્યે ભરસોમાં આંસુંરે । જો રાજી કરવા હોય અમનેરે, રે’જો એમ જેમ કહ્યું તમનેરે ।।૮।। ત્યાગી ગૃહી વળી નર નારીરે, રે’જો સહુ સહુના ધર્મ ધારીરે । ધર્મવાળાં જન મને વા’લાંરે, બિજાં જાણું છું નરસાં નમાલાંરે ।।૯।। છેલી વાત એ છે માની લેજોરે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે’જયોરે । શિક્ષાપત્રી માંહિ અમે રે’શુંરે, રહી એમાં સહુને સુખ દેશુંરે ।।૧૦।। રે’શું […] read more
0 Views : 1294
Powered By Indic IME