Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૧ પુરુષોત્તમ પ્રકાશ
Per Page :

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૩૩

દોહા – એવી વાત વાલમે કરી, ધરી હૈયે ઘણું હેત । સુણિ મગન મુનિ થયા, વળી સતસંગી સમેત ।।૧।। આશ્ચર્ય પામ્યા સહુ અંતરે, એવાં સુણી વાલાનાં વેણ । જાણું જીવ ઊદ્ધારવા, આવ્યા આપે શ્યામ સુખદેણ ।।૨।। પ્રાણધારી જે પ્રથવીએ, તે સહુને લેવા સ્વધામ । એહ આગ્રહ ઊરમાં, ઘણો ઘણો કરે ઘનશ્યામ ।।૩।। જોઈ મહારાજની મરજી, હાથ જોડી કહે મુનિરાજ । જેમ કહો તેમ કરિયે, કે’જો કૃપા કરી હરિ આજ ।।૪।। ચોપાઈ – તારે નાથ કહે સુણો સંતરે, આજ તારવા જીવ અનંતરે । માટે જેમ જેમ જીવ તરેરે, એમ કરવુંછે સહુને સરેરે ।।૫।। માટે દેશો દેશમાં દેવળેરે, માંડો સારી મૂર્તિયો સઘળેરે । એહ મૂર્તિનાં દર્શન કરશેરે, તેતો અપાર પ્રાણી ઊદ્ધરશેરે ।।૬।। જાણો એહ ઊપાય છે ભારીરે, સહુ જુવો મનમાં વિચારીરે । માટે કચ્છમાં મંદિર કરવુંરે, થાય પ્રાણીને પાર ઊતરવુંરે ।।૭।। એવું સુણી સંત સજજ થઈરે, કર્યું ભુજમાં મંદિર જઈરે । માંહી બેસાર્યા નરનારાયણરે, કચ્છ દેશ તારવા કારણરે ।।૮।। વળી ધોળકે મંદિર કરાવીરે, તેમાં મૂર્તિ સારી પધરાવીરે । એવો કરિયો એહ ઊપાયરે, જેણે કરી જન સુખી થાયરે ।।૯।। (મોરલીમનોહર હરિકૃષ્ણરે, પોતે શ્રીજી થઇ અતિ પ્રશ્નરે । જીવ અનંત ઊદ્ધારવા કાજરે, આવ્યા ત્યાં ઘણીવાર લઇ સમાજરે ।।૧।।) કરાવિયું એ કાજ સંતરાજેરે, બહુ જીવને તારવા કાજેરે । વળી નાથ કે’ કહુંછું અમેરે, કરજો થાય […] read more
0 Views : 135

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૩૪

દોહા – વળી શ્રીહરિ કે સંત સાંભળો, મોટાં કરાવિયાં મંદિર । તેમાં બેસારિ મૂરતિયો, અતિ સારી સુંદિર ।।૧।। જેજે દેશે મંદિર કર્યાં, તેતે દેશને આવ્યાં કામ । હવે સરવે દેશને અરથે, એક બંધાવિયે સારૂં ધામ ।।૨।। દેશી પ્રદેશી દર્શન કરે, તેનાં પ્રજાળવા વળી પાપ । એવું મંદિર એક કરવું, એમ બોલ્યા શ્રીહરિ આપ ।।૩।। ભાગ્ય જગાડવા ભાલનાં, ધોલેરે બાંધિએ ધામ । તેમાં બેસારિયે મૂરતિ, અતિ શોભિત સુંદર શ્યામ ।।૪।। ચોપાઈ – એહ બંદર સુંદર સારૂંરે, જિયાં આવેછે લોક હજારૂંરે । તિયાં મંદિર કરવું એકરે, સારૂં સહુથી વળી વિશેકરે ।।૫।। એમ નાથે કરી નિરધારરે, પુછ્યું પુંજા ભાઈને તે વારરે । સુણો પુણ્યવાન પુંજાભાઈરે, કરિયે મંદિર ધોલેરા માંઈરે ।।૬।। વળી સતસંગિને કહે શ્યામરે, કો’તો ધોલેરે બાંધિયે ધામરે । સહુ બોલો શુદ્ધભાવે કરીરે, એમ હરિજનને કહે હરિરે ।।૭।। ત્યારે હરિજને જોડયા હાથરે, ધન્ય ધન્ય કહે સહુ સાથરે । જાગે ભાગ્ય મોટું જો અમારૂંરે, કરો મંદિર તો બહુ સારૂંરે ।।૮।। મંદિરને જોગે મહારાજરે, રહે સંતનો સહુ સમાજરે । હરતાં ફરતાં દર્શન થાયરે, અતિ મોટો એ લાભ કે’વાયરે ।।૯।। નથી એથી બીજું કાંઈ સારૂંરે, એમાં અતિ રૂડું છે અમારૂંરે । એમ બોલ્યા સતસંગી સહુરે, સુણી નાથ રાજી થયા બહુરે ।।૧૦।। પછી આપ્યાં છાતિમાં ચરણરે, જેહ ચરણ ભવભય હરણરે । કર્યા નિરભય છાપી છાતીરે, કહ્યે વાત […] read more
0 Views : 148

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૩પ

દોહા – પછી અલબેલે આગન્યા કરી, મંદિર કરવા માટ । ઈયાં મંદિર કરવું, જિયાં અમે ઢાળી છે પાટ ।।૧।। અતિ ઊત્તમ છે આ ભૂમિકા, મોટાં ભાગ્યવાળી ભરપુર । ઓછું માહાત્મ્ય આનું નથી, જન મને જાણજો જરૂર ।।૨।। જિયાં બેસી અમે જમિયા, વળી ઢાળ્યો ઢોલિયો અમૂલ્ય । જુવો વિચારી જીવમાં, કોણ આવે આ ભૂમિને તુલ્ય ।।૩।। માટે મંદિર આંહિ આરંભો, અતિ ઊરે આણી આનંદ । થાશે સરસ સહુથી, એમ બોલિયા સહજાનંદ ।।૪।। ચોપાઈ – પછી આદરિયું છે મંદિરરે, અતિ ઊતાવળું તે અચિરરે । ખાત મુહૂર્ત ખાંત્યેશું કીધુંરે, પછી મંદિરનું કામ લીધુંરે ।।૫।। થાય અહોનિશ કામ એહરે, કરે જન કરીને સનેહરે । થયું તૈયાર વાર ન લાગીરે, ત્યાંતો પધાર્યા શ્યામ સુહાગીરે ।।૬।। જોઈ મંદિર મગન થયારે, સારૂં સારૂં કર્યું કે’છે રહ્યારે । હવે બેસારિયે જો મૂરતિરે, રાધાકૃષ્ણની સારી શોભતિરે ।।૭।। પછી સમે સહાસન માથેરે, મદનમોહન પધરાવ્યા હાથેરે । કરી પૂજા આરતી ઊતારીરે, થયો જયજય શબ્દ ભારીરે ।।૮।। મદનમોહનની જે મૂરતિરે, તેતો સુંદર શોભેછે અતિરે । જેજે નિરખે નયણાં ભરીરે, તેનું મન ચિત્ત લિયે હરિરે ।।૯।। એવી મૂરતિયો છે અતિ સારીરે, પ્રતિપક્ષીને પણ લાગે પ્યારીરે । મદનનું પણ મોહે મનરે, ત્યારે બીજા ન મોહે કેમ જનરે ।।૧૦।। શોભાસાગર સુખની ખાણીરે, છબી જાતિ નથી જો વખાણીરે । જોઈ જોઈ જન મન લોભેરે, એવા મદનમોહન […] read more
0 Views : 159

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૩૬

દોહા – વળી શ્રીહરિ કે’ સહુ સાંભળો, બહુ બહુ બનાવ્યાં મંદિર । અનેક જીવ ઊદ્ધારવા, કર્યું કામ અનામ અચિર ।।૧।। સુંદર મંદિર સારાં થયાં, સ્થાપી મૂરતિયો મનોહર । પણ મદનમોહન મારા મનમાં, અતિ સારા લાગેછે સુંદર ।।૨।। નાનો દેશ નિરસ અતિ, દેહાભિમાનિને દુઃખરૂપ । તિયાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટરૂપ ।।૩।। માટે મારે એ મંદિરપર, ઘણું ઘણું રહેછે હેત । ધન્ય ધન્ય એહ સંતને, જે ઈયાં રહે કરી પ્રીત ।।૪।। ચોપાઈ – મારે વચને જે ઈયાં રહેછેરે, સુખ દુઃખ શરીરે સહેછેરે । એક મને કરવાને રાજીરે, નથી રાખી શરીરશું સાજીરે ।।૫।। એહ સંત બીજા સંત જેહરે, બરોબર માનું કેમ તેહરે । હોય બરોબર બેહુ જયારેરે, ત્યારે તમ ઘણું ઘેર મારેરે ।।૬।। પણ એમ જાણશો માં કોયરે, જેહ ત્યાગ વા’લો મને નોયરે । માટે સે’જે સે’જે તપ થાયરે, એવું છે જો એ મંદિર માંયરે ।।૭।। એહ સંતને જમાડશે જેહરે, મોટા સુખને પામશે તેહરે । બીજા જકતના જમાડે ક્રોડ્યરે, તોયે આવે નહિ એની જોડ્યરે ।।૮।। એને પૂજી ઓઢાડે અંબરરે, વળી પાયે લાગે જોડી કરરે । તેતો જન જાયે બ્રહ્મમો’લરે, સત્ય માનજો છે મારો કોલરે ।।૯।। જેહ જન મારા રાજીપામાંરે, રહે હાથ જોડી ઊભા સામારે । એથી સંત બીજા કોણ સારારે, એવા સંત લાગે મને પ્યારારે ।।૧૦।। દેહાભિમાની તો દિઠા ન ગમેરે, […] read more
0 Views : 140

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૩૭

દોહા – એમ અનેક પ્રકારનાં, બહુ બહુ ઊઘાડ્યાં બાર । કલ્યાણ કરવા કારણે, અલબેલે જાણો આ વાર ।।૧।। આપ સંબન્ધે સંત સંબન્ધે, વર્ણી સંન્યાસી સંબન્ધે સોય । સાંખ્યજોગી સત્સંગી સંબન્ધે, શ્રેય પામ્યાં સહુ કોય ।।૨।। મંદિર મૂર્તિ સંબન્ધે, કર્યા કલ્યાણના ઊપાય । એ માંહેલો પ્રસંગ પ્રાણીને, થાય તો ભવદુઃખ જાય ।।૩।। જેમ અન્ન ધન આપી આપણું, કરે કંગાલને કોટિધ્વજ । એમ સમાજ દૈ તારે જીવને, એની સઈ આશ્ચરજ ।।૪।। ચોપાઈ – એમ બહુ બહુ પરકારેરે, વાલે જીવ તાર્યા આ વારેરે । બહુ હરિ કરી પરમાર્થરે, તાર્યા જીવ વાવરી સામર્થ્યરે ।।૫।। વળતો વિચાર કર્યો છે વાલેરે, આવું આવું ઘણું કેમ ચાલેરે । મોટાં મોટાં કરાવ્યાં મંદિરરે, તેમાં રાખિયા સંત સુધીરરે ।।૬।। પણ તેતો સંત છે જો ત્યાગીરે, વસી કેમ સકશે વીતરાગીરે । મમત વિના મંદિર કેમ રે’શેરે, વાત બંધ એ કેમ બેસશેરે ।।૭।। જેહ ત્યાગી છે ત્રિયા ધન તણારે, દેહ સુખથી નિરાશી ઘણારે । તેણે નહિ જળવાય જાગ્યરે, નથી વાત એ બનવા લાગ્યરે ।।૮।। માટે એના કરૂં એક ધણીરે, તો રાખે ખબર એની ઘણીરે । પછી સરવાર દેશથી સંબંધીરે, તેને તેડાવી જાયગા દિધિરે ।।૯।। સ્થાપ્યા દત્તપુત્ર પોતે સ્થિરરે, અવધપ્રસાદ ને રઘુવીરરે । તેને આપે કર્યા આચારજરે, કરવા બહુ જીવનાં કારજરે ।।૧૦।। આપ્યાં વે’ચી મંદિર ને દેશરે, જેમાં કોઈને ન થાય કલેશરે […] read more
0 Views : 163

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૩૮

દોહા – એમ મોટપ્ય આચારજની, ઘણી ઘણી કહી ઘનશ્યામ । એહ દ્વારે અનેકને, આપવું છે આજ નિજ ધામ ।।૧।। ધામધણિયે એમ ધારિયું, જન ઊદ્ધારવા છે અપાર । પાર પમાડવા પ્રાણીને, એહ કર્યા આપે ઊપકાર ।।૨।। આચારજથી અનેક જનનો, અવશ્ય સરશે અર્થ । એમ આપે આ સમે, વાવરી અતિ સામર્થ ।।૩।। ધર્મકુળને જે અનુસરે, ત્યાગી ગૃહી નર કોઈ નાર । પરિશ્રમ વિના તે પામશે, અપાર ભવનો પાર ।।૪।। ચોપાઈ – આચારજ કર્યા છે જે અમેરે, તેની રીત સુણી લિયો તમેરે । નથી અન્ય આચારજ જેવારે, જાય શ્રદ્ધા કરતાં સેવારે ।।૫।। લાવો લાવો એમ વળી કરેરે, ધન લેવા ધરણિએ ફરેરે । લિયે ધન ને તાકે ત્રિયનેરે, તે કેમ કરે જીવનાં પ્રિયનેરે ।।૬।। માટે એવા આચારજ આ નહિરે, એપણ વાત સમઝવી સહિરે । આતો ત્રિયા ધનના તાકુ નથીરે, તેની વાત કહિયે છીએ કથીરે ।।૭।। અમે બાંધી દિધી છે જે રીતરે, તેમાં રે’છે કરી અતિ પ્રીતરે । શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવારે, ધન ધાન્યાદિ આવશે દેવારે ।।૮।। તેતોેે સંતોષ સહિત લેશેરે, પણ કોઈને દુઃખ ન દેશેરે । એમ વરતશે એહ આપરે, પણ નહિ કરે કોઈને સંતાપરે ।।૯।। નિજ સંબંધિ વિના બાઈયો સંગેરે, કેદિ ન બોલે ન અડે અંગેરે । કોઈ ઊપર રોષ ન રાખેરે, વળી કોઈને કલંક નહિ નાખેરે ।।૧૦।। કેની જમાની પણ નહિ કરેરે, […] read more
0 Views : 199

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૩૯

દોહા – એમ કહી રીત કલ્યાણની, આ સમાની અગણિત । તે સૌએ શ્રવણે સાંભળી, અતિ ઊત્તમ પરમ પુનિત ।।૧।। એહ રીતમાં જે આવી ગયા, તે થયા પૂરણકામ । તેતો તન જયારે તજશે, ત્યારે પામશે પ્રભુનું ધામ ।।૨।। જેહ ધામને પામીને, પાછો ન પડે જન કોય । એવું અખંડ એ ધામ છે, ત્યાં સુખે વસે જન સોય ।।૩।। તે ધામને ધામીયે ધારિયું, દેવા સ્વધામનું જો સુખ । જીવ જગતના જોઈને, દયા આણી ટાળવા દુઃખ ।।૪।। ચોપાઈ – મારા ધામમાં આવવા સહુરે, એવા કર્યા ઊપાય મ બહુરે । સર્વે ઊપાય કિધા છે સારારે, તેમાં તરશે જીવ અપારારે ।।૫।। પણ છેલો છે આ જે ઊપાયરે, બહુ જીવ તરશે આ માંયરે । ધર્મવંશી આચારજ ધાર્યારે, ગુરુ કરી ગાદીએ બેસાર્યારે ।।૬।। કામ કર્યું છે એહ સારૂંરે, મન માન્યું છે બહુ અમારૂંરે । કાંજે એ છે ધર્મનું કુળરે, માટે એ વાતનું ઉંડું મૂળરે ।।૭।। જેવું અમારૂં કુળ મનાશેરે, તેને તુલ્ય બીજું કેમ થાશેરે । માટે વિચારીને વાત કીધીરે, ઘણું સમજીને ગાદી દીધીરે ।।૮।। ધર્મવંશી તે ધર્મમાં રે’શેરે, અધર્મ વાતમાં પગ ન દેશેરે । ધર્મ પાળશે ને પળાવશેરે, અધર્મની રીત ટળાવશેરે ।।૯।। આપ આપણે ધર્મ રાખશેરે, નર નારીનાં નિ’મ કૈ’ દાખશેરે । ત્યાગી ગૃહીના ધર્મ સૂચવીરે, કે’શે જુજવા જુજવા ચવીરે ।।૧૦।। કાંજે બેઠા છે ધર્મની ગાદીરે, કે’શે […] read more
0 Views : 199

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૦

દોહા – માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ । અન્ય જન જેવા એહ નહિ, એ છે જાણજો મોટા દેવ ।।૧।। એક બ્રાહ્મણને જાણો ભકત અતિ, વળી કા’વે અમારૂં કુળ । એને સેવતાં સૌ જન તમો, પામશો સુખ અતુળ ।।૨।। મનવાંછિત વાત મળશે, વળી સેવતાં એનાં ચરણ । એ છે અમારી આગન્યા, સર્વે કાળમાં સુખ કરણ ।।૩।। મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર । એહ દ્વારે મારે અનેકનો, આજ કરવો છે ઊદ્ધાર ।।૪।। ચોપાઈ – માટે સૌ રે’જો એને વચનેરે, ત્યાગી ગૃહી સહુ એક મનેરે । રે’જો ધર્મવંશીને ગમતેરે, વર્તશો માં કોયે મન મતેરે ।।૫।। એહ કહે તેમ સહુ કરજોરે, પુછયા વિના તો પગ ન ભરજોરે । હાથ જોડીને રે’જો હજુરરે, કરી ડા’પણ પોતાનું દૂરરે ।।૬।। વિદ્યા ગુણ બુદ્ધિને બળેરે, એને દબાવવા નહિ કોઈ પળેરે । ત્યાગી રાગી ને કવિ કોઈ હોયરે, તોય એને માનજો સહુ કોયરે ।।૭।। વાદ વિવાદ કરી વદનેરે, એશું બોલશો માં કોઈ દનેરે । એની વાત ઊપર વાત આણીરે, કેદિ વદશો માં મુખે વાણીરે ।।૮।। એને હોડયે હઠાવી હરવીરે, પોતાની સરસાઇ ન કરવીરે । પોતે સમઝી પોતાને પ્રવિણરે, એને સમઝશો માં ગુણે હીણરે ।।૯।। જેમ એ વાળે તેમ વળજોરે, એના કામ કાજમાં ભળજોરે । એની માને સહુ આગન્યારે, વર્તશો માં કોયે વચન વિનારે […] read more
0 Views : 180
Powered By Indic IME