દોહા – વળતું વાલમે વિચારીયું, ઊત્સવ કરવા અનેક । સહુ જન મળે સાંમટા, સમઝાય સહુને વિવેક ।।૧।। વરસો વરસ વેગે કરી, આવે દરશને દોય વાર । એવી કરું હવે આગન્યા, મારા જનને નિરધાર ।।૨।। અખંડ રહેશે ઊત્સવ એહ, નથી એક બે વરસની વાત । માટે ઊપાય બીજો કરૂં, જેથી થાશે સહુ રળીયાત ।।૩।। મંદિર કરાવું મોટાં અતિ, મૂર્તિયો બેસારૂં માંય । સુગમ સહુ નરનારને, પૂજે સ્પરશે લાગે પાય ।।૪।। ચોપાઈ – જિયાંલગિ દર્શન અમે દૈયેરે, વળી સમૈયે અમે આવિયેરે । પણ અવાય નહિ સમૈયેરે, દરશન વિના દાઝે જન હૈયેરે ।।૫।। માટે મૂર્તિયો અતિ સારીરે, કરી મંદિર દિયો બેસારીરે । તેને પૂજે પ્રેમ વધારીરે, ત્યાગી ગૃહી વળી નરનારીરે ।।૬।। એમ વાલમે કર્યો વિચારરે, માંડયાં મંદિર કરવા તે વારરે । અમદાવાદમાં કરાવિ મંદિરરે, તિયાં બેસારિયા બેઊ વીરરે ।।૭।। નર નારાયણ સુખરાશીરે, પધરાવી કરાવી ચોરાશીરે । જેજે દર્શન કરશે એનાંરે, મોટાં ભાગ્ય માનવાં જો તેનાંરે ।।૮।। (દોહા – મંગલમૂર્તિ મહાપ્રભુ , શ્રીસહજાનંદ શ્યામ । સુખસાગર સંતાપ હરન, રટુ નિરંતર નામ ।।૧।। ગોવદને ગમતું સદા, ગામ વ્રતાલ વિશેષ । જળ છાયા ફળ ફુલ કરી, ગુણવંત ગુર્જર દેશ ।।૨।।) વરતાલ મંદિર આદર્યુંરે, તેતો સહુથી સરસ કર્યુંરે । નવ મંદિર સુંદર સારાંરે, કર્યાં નૌતમ તે ન્યારાં ન્યારાંરે ।।૯।। પૂરવ દિશાનાં મંદિર ત્રણરે, માંય મૂર્તિઓ મન હરણરે […]
read more