દોહા – વળતા મુનિ બોલિયા, શું શું ધરાવિએ વ્રતમાન । કયી પેર્યે ભજન કરાવિએ, કયી પેર્યે ધરાવિએ ધ્યાન ।।૧।। કેવિ રીતે અમે વરતિએ, કેવો રાખીએ વળિ વેષ । કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઊપદેશ ।।૨।। જગમાં જે જિજ્ઞાસુ જન, નર નારી હશે અપાર । કે’શું નરને કલ્યાણનું, નહિ કહિએ નારીને નિરધાર ।।૩।। મુકતને માનિની મળિ, વળિ કરે પરસ્પર વાત । દર્શ સ્પર્શ દારા હાસ્યથી, થાય નરને જ્ઞાનની ઘાત ।।૪।। ચોપાઈ – માટે નર આગે નિરધારરે, કે’શું વાત કરી અતિ પ્યારરે । પુરૂષ પ્રમોદશું બહુ પેરરે, ફરી દેશોદેશ ગ્રામ શહેરરે ।।૫।। રુડો રહસ્ય પુરૂષને કે’શું રે, દારા સંગ થકી દૂર રે’શુંરે । આજ મોર્યની અમે સાંભળિરે, ખાધી મોટે મોટે ખોટ વળિરે ।।૬।। બ્રહ્મા ભુલ્યા તનયા તન જોઈરે, તેણે ખરી લાજ વળી ખોઈરે । શિવ મોહિની જોઈ મન મોહ્યુંરે, તેણે જોગકળા બળ ખોયુંરે ।।૭।। ઈંદ્ર અહલ્યા રૂપ નિહાળીરે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળીરે । જોઈ મોહિની રૂપને અસુરરે, નેણે વેણે થયા ચકચુરરે ।।૮।। પરાશર ઋષિ તપોધનરે, મોહ્યા મત્સ્યગંધા જોઈ મનરે । એકલશ્રુંગી વસે વનમાંઈરે, જેને ભામિની ભાન ન કાંઈરે ।।૯।। દેખી સુંદરીને દિલે ડૂલ્યારે, જેણે જ્ઞાન ધ્યાન નિ’મ ભૂલ્યારે । ઋષિ સૌભરિ શફરી સંગરે, જોઈ તર્ત વ્રત કર્યું ભંગરે ।।૧૦।। નારદ પર્વતે નિરખી સુંદરીરે, ઈચ્છા બેઊએ વરવા કરીરે । દેવગુરુ ભૂલ્યા દિશ […]
read more