Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૬

દોહા – વળી એક કહું ઊપાયને, તમે સાંભળજો સહુ જન । કર્યો કલ્યાણને કારણે, અતિ અમે થઈ પ્રસન્ન ।।૧।। જેહ ઊપાયે આ જીવને, સર્વે પ્રકારે શ્રેય થાય । મોટા સુખને ભોગવે, આ લોક પરલોક માંય ।।૨।। લાજ ન જાયે આ લોકમાં, પરલોકે પરમ આનંદ । કર્યો ઊપાય એવો અમે, સહુ જાણજો જનવૃંદ ।।૩।। સત્ય શાસ્ત્ર સારાં કર્યાં, ભર્યાં અર્થે અતિ અનુપ । તેમાં બાંધી રૂડી રીતને, ત્યાગી ગૃહીને સુખરૂપ ।।૪।। ચોપાઈ –ત્યાગી ગૃહીને તારવા અર્થરે, બાંધ્યા ઘણા સુખદાયિ ગ્રંથરે । તેમાં બહુ પ્રકારની વાતરે, સૂચવિ છે અમે સાક્ષાતરે ।।૫।। કહ્યા ત્યાગી ગૃહિના વળી ધર્મરે, સહુને પાળવા સારૂં પર્મરે । રીત જુજવી કહી જણાવીરે, વર્ણાશ્રમ ધર્મની કહી સંભળાવીરે ।।૬।। સહુ સહુના ધર્મમાં રે’વારે, અમે ગ્રંથ કર્યા કહું એવારે । દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રરે, તેને તરવા સંસાર સમુદ્રરે ।।૭।। વળી બટુ ગૃહી વાનપ્રસ્થરે, સંન્યાસિ આશ્રમ સુજશરે । દ્વિજ વર્ણના ધર્મ વિચારીરે, સર્વે અમે કહ્યા સુખકારીરે ।।૮।। શમ દમ ક્ષમા ને સંતોષરે, અધર્મ સર્ગથી રે’વું અદોષરે । એહ આદિ ધર્મ અપારરે, કહ્યા વાડવના નિરધારરે ।।૯।। ક્ષત્રી વર્ણના ધર્મ વર્ણવીરે, કહ્યા સર્વે રીતના સૂચવીરે । કરવી સહુ જનની રખવાળરે, અતિ દિલમાં થઈ દયાળરે ।।૧૦।। ધારી વિચારી ધરવી ધીરરે, કામ પડે થાવું શૂરવીરરે । એહ આદિ જે ક્ષત્રીના ધર્મરે, રાખે જરૂર રાખવા શ્રમરે ।।૧૧।। […] read more
0 Views : 127

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૭

દોહા – વળી અમારે જે આશરે, બાયું આવિયું બહુ બહુ । તેને કહ્યા ધર્મ તેહના, તેણે પામી પરા ગતિ સહુ ।।૧।। સતીગીતામાં જે સૂચવ્યા, સધવા વિધવાના ધર્મ । તેમજ રહી ત્રિયા સહુ, પામિછે ધામ જે પર્મ ।।૨।। જે ધર્મ નો’તા ધરા ઊપરે, નરનારીના નિરધાર । તે અમે પ્રગટ કરી, બહુ તારિયાં નર નાર ।।૩।। એમ અનેક રીતશું, અતિ કર્યો છે ઊપકાર । જીવ આખા જકતના જેહ, તેહ કરવા ભવપાર ।।૪।। ચોપાઈ – અતિ અતિ કર્યા મ ઊપાયરે, તેતો કે’તાં કે’તાં ન કે’વાયરે । જેજે કર્યું અમે આ જગમાંરે, તેતો ચલાવા મોક્ષ મગમાંરે ।।૫।। જેજે અમે કરાવિયા ગ્રંથરે, નર નારીને તારવા અર્થરે । વળી પદ છંદ કીરતનરે, અષ્ટકને સ્તુતિ જે પાવનરે ।।૬।। તેને શીખે સુણે ભણે ગાયરે, તેતો અક્ષરધામમાં જાયરે । કાંજે અંકિત અમારે નામેરે, માટે પો’ચાડે એ પરમ ધામેરે ।।૭।। જેમાં સ્વામિનારાયણ નામરે, એવી કથા સુણે નર વામરે । એવી ર્કીિત સાંભળતાં જનરે, થાય અતિ પરમ પાવનરે ।।૮।। વળી પદ જે નામે અંકિતરે, તેને ગાયે સુણે કરી પ્રીતરે । જેમાં સહજાનંદ સ્વામી નામરે, આવે જે કાવ્યમાં ઠામો ઠામરે ।।૯।। એવી કાવ્ય કે’તાં ને સાંભળતાંરે, વાર ન લાગે મહાસુખ મળતાંરે । મહામંત્રરૂપ એહ કા’વેરે, તેને તુલ્ય બીજું કેમ આવેરે ।।૧૦।। નામ પ્રભુનાં અનંત અપારરે, સહુ ભાવે ભજે નર નારરે । પણ […] read more
0 Views : 147

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૮

દોહા – પછી જોયું વિચારી જીવને, કરી રહ્યા સર્વે કામ । સહુ જનને સુગમ થયું, સે’જે પામશે સ્વધામ ।।૧।। જે અરથે અમે આવિયા, તે અરથ સરિયો આજ । ધારી આવ્યા’તા જે ધામથી, તે કરી લીધું છે કાજ ।।૨।। બાંધી બળવંત પીઠિકા, કેડે તારવા કોટાન કોટ । કર્યું હિત અતિ આ સમે, અમે રાખી નથી કાંઈ ખોટ ।।૩।। ફેરો અમારો સુફળ થયો, ગયા સહુ જનના સંતાપ । અનેક જીવ ઊદ્ધર્યા, આજ અમારે પરતાપ ।।૪।। ચોપાઈ – કરી લીધું છે સર્વે જો કામરે, એમ વિચારિયું ઘનશ્યામરે । કે’વા રાખ્યું નથી કેડે કાંઈરે, જાવા મોક્ષના મારગ માંઈરે ।।૫।। બહુવિધ ઊઘાડિયાં બારરે, કરવા કલ્યાણને આ વારરે । હવે પધારૂં હું મારે ધામરે, જે સારૂં આવ્યા’તા તે થયું કામરે ।।૬।। પછી જે જે પાસે હતા જનરે, તેને કે’છે એમ ભગવનરે । સહુ ધારજો અંતરે ધીરરે, હવે નહિ રહે આ શરીરરે ।।૭।। થોડે ઘણે દિને ધામે જાશુંરે, અમ કેડ્યે ભરસોમાં આંસુંરે । જો રાજી કરવા હોય અમનેરે, રે’જો એમ જેમ કહ્યું તમનેરે ।।૮।। ત્યાગી ગૃહી વળી નર નારીરે, રે’જો સહુ સહુના ધર્મ ધારીરે । ધર્મવાળાં જન મને વા’લાંરે, બિજાં જાણું છું નરસાં નમાલાંરે ।।૯।। છેલી વાત એ છે માની લેજોરે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે’જયોરે । શિક્ષાપત્રી માંહિ અમે રે’શુંરે, રહી એમાં સહુને સુખ દેશુંરે ।।૧૦।। રે’શું […] read more
0 Views : 1296

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૯

દોહા – એહ રીતે અલબેલડે, કર્યાં કંઈ કંઈક કામ । આપી આનંદ આશ્રિતને, વળી પુરી હૈયાની હામ ।।૧।। અમાયિક સુખ આપિયાં, માયિક દેહની માંય । તે પ્રસિદ્ધ જાણે છે પૃથવી, નથી છાનિ છપાડી કાંય ।।૨।। દેશદેશમાં ડંકો દઈ, વળી બેહદ ચલાવી વાત । જે નાવે બુદ્ધિની બાથમાં, તે સાઘી કરી સાક્ષાત ।।૩।। અભર તે સભર ભર્યા, અતર તાર્યા કાંઈ જન । અગમ તે સુગમ કર્યાં, પ્રભુ થઈ પોતે પરસન ।।૪।। ચોપાઈ – આવી કર્યાં અલૌકિક કામરે, પછી પધારિયા નિજ ધામરે । કર્યાં કારજ આશ્ચર્યકારીરે, જેવા આવ્યા’તા ધામેથી ધારીરે ।।૫।। એવો માંડયો’તો આવી અખાડોરે, જીવ તારવાને રાત્ય દા’ડોરે । બહુ આખેપ આગ્રહ કરીરે, ભવે જીવ તાર્યા ભાવ ભરીરે ।।૬।। કરી ગયા મોટાં મોટાં કાજરે, આવી આ ફેરે આપે મહારાજરે । ખુબ ખેલિ ગયા એક ખ્યાલરે, જોઇ અનંત જન થયા ન્યા’લરે ।।૭।। ખરાખરો મચાવીને ખેલરે, રૂડી રમત રમ્યા અલબેલરે । એવા ખોળે ન મળે ખેલારૂરે, જેને જુવે હજારે હજારૂંરે ।।૮।। બીજા બહુ વેષ બનાવ્યારે, તેતો સહુને અર્થ ન આવ્યારે । કોઈ રિઝયા ને કોઈ ન રિઝયારે, એહ વેષે અરથ ન સિઝયારે ।।૯।। આતો સર્વે વેષના વેશીરે, જાણે નરા કૃતિની દેશીરે । ખોટ્ય ન રાખી ખેલની માંયરે, ભલો ભજાવ્યો આપ ઈચ્છાયરે ।।૧૦।। રૂડી રમત્ય રમી રૂપાળીરે, લીધાં જનને નિજધામ વાળીરે । એવા રમ્યા […] read more
0 Views : 1250

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૦

દોહા – પુરૂષોત્તમ પધારિયા, કરી કામ અલૌકિક આપ । અનેક જીવ ઊદ્ધારિયા, પ્રગટાવી પ્રબળ પ્રતાપ ।।૧।। થોડાક દનમાં સ્થાવર જંગમ, તારિયા જીવ તતકાળ । કળ ન પડી કોઈને, એવું કરિયું દીન દયાળ ।।૨।। અનેક જીવને ઊપરે, અઢળ ઢળ્યા અવિનાશ । જગ જાળ કાપી આપી પદવી, બ્રહ્મમો’લે કરાવ્યો નિવાસ ।।૩।। અણ ચતવે આવી ગયા, અતિ અચાનક અલબેલ । ખબર ન પડી ખટ મતને, એવો ખેલી ગયા એક ખેલ ।।૪।। ચોપાઈ – સૌ શાણા રહ્યાછે વિચારીરે, આતો વાત થઈ વણ ધારીરે । એણે ઠીક કર્યુંતું ઠરાવીરે, એતો સમઝણ અર્થ ન આવીરે ।।૫।। જોઈ રહ્યા’તા જુજવી વાટરે, તેતો વાત ન બેઠી કોઈ ઘાટરે । કોઈ કે’તા હરિ થઈ ગયારે, થાશે હવે કે’છે બિજા રહ્યારે ।।૬।। કોઈ કે’તા છે કળિનું રાજરે, પ્રભુ ન હોય પ્રગટ આજરે । જોગી કે’તા જોગકળા પખિરે, નથી કલ્યાણ રાખ્યું છે લખિરે ।।૭।। જૈન કે’તા પાંચમો છે આરોરે, આજ નોય કલ્યાણનો વારોરે । કે’તા તપી તપ્યા વિના તનરે, કયાંથી કલ્યાણ જાણજો જનરે ।।૮।। કે’તા સંન્યાસી સર્વે નાશ થાયરે, તારે જનમ મરણ તાપ જાયરે । કે’તા પંડિત એમ પુરાણીરે, પ્રભુ પ્રગટ હશે તો લેશું જાણીરે ।।૯।। જંગમ કે’તા છે અગમ વાતરે, આજ નોયે પ્રભુ સાક્ષાતરે । શેખ કે’તા છે તેરમી સિદ્ધિરે, આજ પામે મુકામ કોણ વિદ્ધિરે ।।૧૦।। ભકત કે’તા ભકિત કર્યા […] read more
0 Views : 1267

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૧

દોહા – અવતારી અકળ અમાપને, વંદુ હું વારમવાર । અજર અમર અવિનાશીનેરે, જાઉં વારણે વાર હજાર ।।૧।। અગોચર અતોલ અમાયિક, અખંડ અક્ષરાતીત । અગમ અપાર અખિલાધાર, અછેદ્ય અભેદ્ય અજીત ।।૨।। પુરૂષોત્તમ પરબ્રહ્મ પૂરણ, પરાત્પર પરમ આનંદ । પરમેશ્વર પરમાત્મા, પૂરણ પૂરણાનંદ ।।૩।। સુખદ સરવેશ્વર સ્વામી, સરવાધાર સદા સુખકંદ । સત ચિત આનંદમય, શ્રીહરિ સહજાનંદ ।।૪।। ચોપાઈ – એવા અનેક નામના નામીરે, વળી અનંત ધામના ધામીરે । એવા સ્વામી જે સહજાનંદરે, જગજીવન જે જગવંદરે ।।૫।। તેતો આવ્યા હતા આપે આંહિરે, અતિ મે’ર આણી મન માંહિરે । આવી કરિયાં અલૌકિક કાજરે, ધન્ય ધન્ય હો શ્રીમહારાજરે ।।૬।। ધન્ય ધન્ય પરમ કૃપાળુરે, ધન્ય દીનના બંધુ દયાળુરે । ધન્ય પ્રભુ પતિતપાવનરે, ધન્ય ભવતારણ ભગવનરે ।।૭।। ધન્ય દાસના દોષ નિવારણરે, ધન્ય ભૂધર ભવ તારણરે । ધન્ય આશ્રિતના અભય કરતારે, ધન્ય સર્વેના સંતાપ હરતારે ।।૮।। ધન્ય અખિલ બ્રહ્માંડના ઈશરે, ધન્ય કર્યા ગુના બકશિશરે । ધન્ય નોધારાંના આધારરે, આવી ઊદ્ધાર્યા જન અપારરે ।।૯।। ધન્ય ભકતવત્સલ ભગવાનરે, આવ્યા હતા દેવા અભય દાનરે । ધન્ય દુર્બળના દુઃખ હારીરે, ધન્ય સંતતણા સુખકારીરે ।।૧૦।। શરણાગત જે સર્વે જનનારે, મોટા મે’રવાન જો મનનારે । સર્વે જીવની લેવા સંભાળરે, આવ્યા હતા જો આપે દયાળરે ।।૧૧।। કરી બહુ જીવનાં જો કાજરે, પછી પધારિયા મહારાજરે । એવા પૂરણ પરમારથીરે, ધર્મ એકાંતિક સ્થાપ્યો અતિરે ।।૧૨।। તેતો જેને […] read more
0 Views : 1240

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૨

દોહા – જય જય જગ જીવનને, જય જય જગપતિરાય । જય જય જગદીશને, જય જય કહી જન ગાય ।।૧।। જય કૃપાળુ જય દયાળુ, જય દીનબંધુ દુઃખહર । જય જય સમર્થ શ્રીહરિ, જય સુખદ શ્યામ સુંદર ।।૨।। જય પ્રતાપ પ્રગટ પ્રબળ, જય પરાત્પર પરબ્રહ્મ । જય જય જગકારણ, જય જય કહે નિગમ ।।૩।। જયકારી પ્રગટ્યા પૃથવી પર, જયકારી કિધાં કૈક કામ । જયકારી ધારી મૂરતિ, પુરી સહુના હૈયાની હામ ।।૪।। ચોપાઈ – જયજય જગના જીવનરે, જયજય પ્રભુજી પાવનરે । જયજય જનહિતકારીરે, જય જન્મ મરણ દુઃખહારીરે ।।૫।। જયજય જનક જીવનારે, સુખદાયક છો સદૈવનારે । જય જનના જનની જેવારે, જય સદા ઈચ્છોછો સુખ દેવારે ।।૬।। જયજય જીવન જગવંદરે, જયજય સ્વામી સહજાનંદરે । જયજય સુખદ ઘનશ્યામરે, જયજય કર્યાં બહુ કામરે ।।૭।। જય જે કર્યાં આવી કારજરે, જોઈ જન પામ્યા છે આચરજરે । અતિ અલૌકિક કામ કિધાંરે, આશ્રિતને અભયદાન દિધાંરે ।।૮।। બહુ ઊપાય કલ્યાણ કેરારે, કર્યા આવી આ જગે ઘણેરારે । તેતો લખ્યા જેટલા લખાણારે, કૈક રહ્યા ને કૈક કે’વાણારે ।।૯।। બહુ પ્રકારે ઊદ્ધાર્યા પ્રાણીરે, તેની લેશ લખી છે એધાણીરે । સાંગોપાંગ અથ ઈતિ કે’વારે, નથી વાલમિક વ્યાસ જેવારે ।।૧૦।। જેજે દીઠી આવી જાણ્યા માંઈરે, તેતે લખી થોડી ઘણી કાંઈરે । એક દિવસની વાત વળીરે, લખતાં ન લખાય સઘળીરે ।।૧૧।। તેવાં વરષ ઓગણપંચાસરે, તેપર એક […] read more
0 Views : 1238

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- પ૩

દોહા – ધન્ય ધન્ય આ અવતારને, ઊદ્ધાર્યા જીવ અપાર । દયા આણી દીનબંધુએ, સર્વેની લીધી સાર ।।૧।। અક્ષરધામથી આવિયા, કાવિયા ધર્મના લાલ । પ્રીતે કરીને પધારિયા, કૈકને કર્યા નિયાલ ।।૨।। અક્ષરાતીત અગમ જે, સુગમ થયા ઘનશ્યામ । અનંત અચ્યુત અવિનાશી, જે ધર્યું સહજાનંદ નામ ।।૩।। અખંડ અકળ અપાર જે, તે થયા મનુષ્યાકાર । અજર અમર અમાપ જે, તેણે લીધી સૌની સાર ।।૪।। રાગ સામેરી – અછેદ્ય અભેદ્ય અક્ષરાત્મા, અગોચર થયા ગોચર । અરૂપ અનુપમ અતિ ઘણા, તે થયા શ્યામ સુંદર ।।૫।। અતોલ અમોલ આગમે કહ્યા, તે થયા ધર્મના બાળ । નેતિ નેતિ નિગમ કહે, તેણે લીધી છે સંભાળ ।।૬।। બાલા ભકિત જે પ્રેમવતી, તેના થયા છે તન । ધર્મવૃષના ધામમાં, રમ્યા જમ્યા જીવન ।।૭।। અલૌકિક આપે આવી કરી, આપ્યાં અલૌકિક સુખ । માત તાતના મનનાં, દૂર કર્યા ં છે દુઃખ ।।૮।। સુખી કરી જન સહુને, પછી પધારિયા ભગવન । સઘન વન વસમાં વળી, તે જોયાં સર્વે જીવન ।।૯।। કૈકૈ કારજ કરિયાં, વાલે વળી વનમાંય । ત્યાગી ગૃહી તેમાં મળ્યા, તેની કરી પોતે સા’ય ।।૧૦।। અનેક જીવ ઊદ્ધારવા, ફરિયા દેશ વિદેશ । નિર્ભય કર્યા નારી નરને, આપી ઊત્તમ ઊપદેશ ।।૧૧।। ધામ તીરથ ધરા ઊપરે, જોયા જે જીવન પ્રાણ । દૈવી આસુરી જીવનાં, કર્યાં છે કોટ કલ્યાણ ।।૧૨।। કલિયુગનું રાજય કાઢિયું, સતયુગ […] read more
0 Views : 1246
 Type in