દોહા – વળતું વાલમે વિચારિયું, થઇ રહ્યું સર્વે કામ । કેડ્યે કાંયે રહ્યું નહિ, થયું સારૂં કહે ઘનશ્યામ ।।૧।। જે અર્થે અહિ આવિયા, તે સારિયો સરવે અર્થ । અગણિત જીવ ઊદ્ધારિયા, વાવરી પોતાની સામર્થ ।।૨।। કેડ્યે વળી કલ્યાણના, બહુ બહુ કર્યા ઊપાય । કસર ન રાખી કોઈ વાતની, એમ નાથે માન્યું મનમાંય ।।૩।। જણ જણ પ્રત્યે જુજવું, કર્યું ચાલતું મોક્ષનું કામ । પરિશ્રમ વિના પામવા, અખંડ અક્ષર ધામ ।।૪।। ચોપાઈ – કર્યા કોટિ કોટિ ઊપાયરે, અમે આવી અવનિ માંયરે । અમારી મૂરતિને પ્રસંગેરે, કર્યું કલ્યાણ જીવનું જગેરે ।।૫।। સંત સંબંધે કલ્યાણ કીધુંરે, તેને પણ અખંડ ધામ દીધુંરે । વળી બાંધ્યાં સદાવ્રત ઘણાંરે, તેપણ બારણાં કલ્યાણ તણાંરે ।।૬।। વળી ધ્યાન ધારણા સમાધિરે, કરાવી વિસરાવી ઊપાધિરે । વળી પ્રગટ કરી પંચ વ્રતરે, આપ્યું પળાવી પદ અમૃતરે ।।૭।। બહુ દેશ તીર્થ ગામ શે’રરે, તાર્યા ફરી હરિ કરી મે’રરે । કરી ઊત્સવ બહુ સમૈયારે, તાર્યા જીવ જાયે નહિ કહ્યારે ।।૮।। કર્યા જગન ને બહુ જાગરે, તેપણ જીવ ઊદ્ધારવા કાજરે । વરષોવરષ કર્યા વળી મેળારે, કરવા જીવ બ્રહ્મમો’લે ભેળારે ।।૯।। બાંધ્યાં કલ્યાણ સારૂં બહુ ધામરે, શ્રીઠાકુરજીના ઠામોઠામરે । તેમાં બેસારી સારી મૂરતિરે, તે પણ જીવના કલ્યાણ વતીરે ।।૧૦।। કર્યા આચારજ મહારાજેરે, તે પણ જીવને તારવા કાજેરે । બહુ બાંધી કલ્યાણની સડકરે, જાય ધામે જીવ થૈ […]
read more