Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૩૮

દોહા – એમ મોટપ્ય આચારજની, ઘણી ઘણી કહી ઘનશ્યામ । એહ દ્વારે અનેકને, આપવું છે આજ નિજ ધામ ।।૧।। ધામધણિયે એમ ધારિયું, જન ઊદ્ધારવા છે અપાર । પાર પમાડવા પ્રાણીને, એહ કર્યા આપે ઊપકાર ।।૨।। આચારજથી અનેક જનનો, અવશ્ય સરશે અર્થ । એમ આપે આ સમે, વાવરી અતિ સામર્થ ।।૩।। ધર્મકુળને જે અનુસરે, ત્યાગી ગૃહી નર કોઈ નાર । પરિશ્રમ વિના તે પામશે, અપાર ભવનો પાર ।।૪।। ચોપાઈ – આચારજ કર્યા છે જે અમેરે, તેની રીત સુણી લિયો તમેરે । નથી અન્ય આચારજ જેવારે, જાય શ્રદ્ધા કરતાં સેવારે ।।૫।। લાવો લાવો એમ વળી કરેરે, ધન લેવા ધરણિએ ફરેરે । લિયે ધન ને તાકે ત્રિયનેરે, તે કેમ કરે જીવનાં પ્રિયનેરે ।।૬।। માટે એવા આચારજ આ નહિરે, એપણ વાત સમઝવી સહિરે । આતો ત્રિયા ધનના તાકુ નથીરે, તેની વાત કહિયે છીએ કથીરે ।।૭।। અમે બાંધી દિધી છે જે રીતરે, તેમાં રે’છે કરી અતિ પ્રીતરે । શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવારે, ધન ધાન્યાદિ આવશે દેવારે ।।૮।। તેતોેે સંતોષ સહિત લેશેરે, પણ કોઈને દુઃખ ન દેશેરે । એમ વરતશે એહ આપરે, પણ નહિ કરે કોઈને સંતાપરે ।।૯।। નિજ સંબંધિ વિના બાઈયો સંગેરે, કેદિ ન બોલે ન અડે અંગેરે । કોઈ ઊપર રોષ ન રાખેરે, વળી કોઈને કલંક નહિ નાખેરે ।।૧૦।। કેની જમાની પણ નહિ કરેરે, […] read more
0 Views : 199

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૩૯

દોહા – એમ કહી રીત કલ્યાણની, આ સમાની અગણિત । તે સૌએ શ્રવણે સાંભળી, અતિ ઊત્તમ પરમ પુનિત ।।૧।। એહ રીતમાં જે આવી ગયા, તે થયા પૂરણકામ । તેતો તન જયારે તજશે, ત્યારે પામશે પ્રભુનું ધામ ।।૨।। જેહ ધામને પામીને, પાછો ન પડે જન કોય । એવું અખંડ એ ધામ છે, ત્યાં સુખે વસે જન સોય ।।૩।। તે ધામને ધામીયે ધારિયું, દેવા સ્વધામનું જો સુખ । જીવ જગતના જોઈને, દયા આણી ટાળવા દુઃખ ।।૪।। ચોપાઈ – મારા ધામમાં આવવા સહુરે, એવા કર્યા ઊપાય મ બહુરે । સર્વે ઊપાય કિધા છે સારારે, તેમાં તરશે જીવ અપારારે ।।૫।। પણ છેલો છે આ જે ઊપાયરે, બહુ જીવ તરશે આ માંયરે । ધર્મવંશી આચારજ ધાર્યારે, ગુરુ કરી ગાદીએ બેસાર્યારે ।।૬।। કામ કર્યું છે એહ સારૂંરે, મન માન્યું છે બહુ અમારૂંરે । કાંજે એ છે ધર્મનું કુળરે, માટે એ વાતનું ઉંડું મૂળરે ।।૭।। જેવું અમારૂં કુળ મનાશેરે, તેને તુલ્ય બીજું કેમ થાશેરે । માટે વિચારીને વાત કીધીરે, ઘણું સમજીને ગાદી દીધીરે ।।૮।। ધર્મવંશી તે ધર્મમાં રે’શેરે, અધર્મ વાતમાં પગ ન દેશેરે । ધર્મ પાળશે ને પળાવશેરે, અધર્મની રીત ટળાવશેરે ।।૯।। આપ આપણે ધર્મ રાખશેરે, નર નારીનાં નિ’મ કૈ’ દાખશેરે । ત્યાગી ગૃહીના ધર્મ સૂચવીરે, કે’શે જુજવા જુજવા ચવીરે ।।૧૦।। કાંજે બેઠા છે ધર્મની ગાદીરે, કે’શે […] read more
0 Views : 199

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૦

દોહા – માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ । અન્ય જન જેવા એહ નહિ, એ છે જાણજો મોટા દેવ ।।૧।। એક બ્રાહ્મણને જાણો ભકત અતિ, વળી કા’વે અમારૂં કુળ । એને સેવતાં સૌ જન તમો, પામશો સુખ અતુળ ।।૨।। મનવાંછિત વાત મળશે, વળી સેવતાં એનાં ચરણ । એ છે અમારી આગન્યા, સર્વે કાળમાં સુખ કરણ ।।૩।। મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર । એહ દ્વારે મારે અનેકનો, આજ કરવો છે ઊદ્ધાર ।।૪।। ચોપાઈ – માટે સૌ રે’જો એને વચનેરે, ત્યાગી ગૃહી સહુ એક મનેરે । રે’જો ધર્મવંશીને ગમતેરે, વર્તશો માં કોયે મન મતેરે ।।૫।। એહ કહે તેમ સહુ કરજોરે, પુછયા વિના તો પગ ન ભરજોરે । હાથ જોડીને રે’જો હજુરરે, કરી ડા’પણ પોતાનું દૂરરે ।।૬।। વિદ્યા ગુણ બુદ્ધિને બળેરે, એને દબાવવા નહિ કોઈ પળેરે । ત્યાગી રાગી ને કવિ કોઈ હોયરે, તોય એને માનજો સહુ કોયરે ।।૭।। વાદ વિવાદ કરી વદનેરે, એશું બોલશો માં કોઈ દનેરે । એની વાત ઊપર વાત આણીરે, કેદિ વદશો માં મુખે વાણીરે ।।૮।। એને હોડયે હઠાવી હરવીરે, પોતાની સરસાઇ ન કરવીરે । પોતે સમઝી પોતાને પ્રવિણરે, એને સમઝશો માં ગુણે હીણરે ।।૯।। જેમ એ વાળે તેમ વળજોરે, એના કામ કાજમાં ભળજોરે । એની માને સહુ આગન્યારે, વર્તશો માં કોયે વચન વિનારે […] read more
0 Views : 180

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૧

દોહા – એમ આચારજનું અધિકપણું, શ્રી મુખે કહ્યું ઘનશ્યામ । એહ દ્વારથી અનેકને, કરવા છે પૂરણકામ ।।૧।। ઘણા જીવ એહ ગૃહસ્થથી, ઊદ્ધારવા છે આ વાર । નરનારી જે જકતમાં, તે સહુના એ તારનાર ।।૨।। એહ વિના વળી ત્યાગીથી, આજ ઊદ્ધારવા છે અનેક । એમાં પણ અમે રહી, ભવપાર કરવા છે છેક ।।૩।। ત્યાગી તે સમઝો સંતને, એમાં અમે કરી પરવેશ । બહુ જીવને તારશું, આપી ઊજ્જવળ ઊપદેશ ।।૪।। ચોપાઈ – ધર્મકુળમાં કરી રહ્યા ધામરે, તેમ સંતમાં છઊં કહે શ્યામરે । સર્વે રીતે સંતમાં રહુછુંરે, એમાં રહી ઊપદેશ દઊ ંછુંરે ।।૫।। સંત બોલે તે ભેળો હું બોલુંરે, સંત ન ભુલે હુંયે ન ભુલુંરે । સંત વાત ભેળી કરૂં વાતરે, એમ સંતમાં છઉં સાક્ષાતરે ।।૬।। સંત જુવે તે ભેળો હું જોઉંરે, સંત સુતા પછી હું સોઉંરે । સંત જાગે તે ભેળો હું જાગુંરે, સંત જોઈ અતિ અનુરાગુંરે ।।૭।। સંત જમે તે ભેળો હું જમુંરે, સંત ભમે તે કેડ્યે હું ભમુંરે । સંત દુઃખાણે હું દુઃખાણોરે, એહ વાત સત્ય જન જાણોરે ।।૮।। સંત હું ને હું તે વળી સંતરે, એમ શ્રીમુખે કહે ભગવંતરે । સંત માનજો મારી મૂરતિરે, એમાં ફેર નથી એક રતિરે ।।૯।। અંતરજામીપણે રહું એમાંરે, માટે નથી બંધાતા એ કેમાંરે । સંકલ્પ સ્વપન ઊપવાસરે, તેતો કરેછે જાણી મને પાસરે ।।૧૦।। માટે […] read more
0 Views : 192

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪ર

દોહા – વળી કહું કોય સંતને, સેવશે શ્રદ્ધાવાન । તેના અંતરથી ઊંચલિ, વળી જાશે જાણો અજ્ઞાન ।।૧।। સંત સેવ્યાથી સુખ મળે, વળી ટળે તન મન તાપ । પરમ ધામને પામિયે, તેપણ સંત પ્રતાપ ।।૨।। તે સંત શ્રીહરિ તણા, પ્રભુ પ્રગટના મળેલ । શૂરા સત્ય ધર્મ પાળવા, પંચ વિષયથી પાછા વળેલ ।।૩।। પરમાર્થ અર્થે આવિયા, નિજ સ્વાર્થ નહિ લવલેશ । એવા થકા ભમે ભૂમિમાં, આપે સહુને સારો ઊપદેશ ।।૪।। ચોપાઈ – આપે જ્ઞાન દાન જનનેરે, કહી વા’લપનાં વચનનેરે । હિતકારી છે સહુના સનેહિરે, જાણો પર ઊપકારી એહિરે ।।૫।। સાચા સંત સગા સૌ જનનારે, ઊદાર છે અપાર મનનારે । જેને શત્રુ મિત્ર સમતોલરે, સુખે દુઃખે દિલમાં ન ડોલેરે ।।૬।। હાનિ વૃદ્ધિ ને સમ વિસમરે, નથી આપ અર્થે ઊદ્યમરે । હર્ષ શોક ને નૈ હાર્ય જીતરે, માન અપમાને સમ ચિત્તરે ।।૭।। અહં મમત ને મારૂં તારૂંરે, એહ નથી લાગતું જેને સારૂંરે । જકતદોષ નથી જેમાં જરારે, એવા સંત તે સંત મારા ખરારે ।।૮।। એમાં રહુંછું હું રાત્ય દિનરે, સત્ય માનજો મારૂં વચનરે । અતિ પવિત્ર અંતર પેખિરે, સદા રહ્યો છું શુદ્ધ લેખિરે ।।૯।। એવા સંતને હૃદિયે રઈરે, કરૂં જીવનાં કલ્યાણ કઈરે । એહ સંત મળે જે જનનેરે, કરે પળમાંહિ પાવન તેનેરે ।।૧૦।। એવા સંત છે સગા સહુનારે, સુખદાયક જન બહુનારે । જેવી એ […] read more
0 Views : 155

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૩

દોહા – વળતું વાલમે વિચારિયું, થઇ રહ્યું સર્વે કામ । કેડ્યે કાંયે રહ્યું નહિ, થયું સારૂં કહે ઘનશ્યામ ।।૧।। જે અર્થે અહિ આવિયા, તે સારિયો સરવે અર્થ । અગણિત જીવ ઊદ્ધારિયા, વાવરી પોતાની સામર્થ ।।૨।। કેડ્યે વળી કલ્યાણના, બહુ બહુ કર્યા ઊપાય । કસર ન રાખી કોઈ વાતની, એમ નાથે માન્યું મનમાંય ।।૩।। જણ જણ પ્રત્યે જુજવું, કર્યું ચાલતું મોક્ષનું કામ । પરિશ્રમ વિના પામવા, અખંડ અક્ષર ધામ ।।૪।। ચોપાઈ – કર્યા કોટિ કોટિ ઊપાયરે, અમે આવી અવનિ માંયરે । અમારી મૂરતિને પ્રસંગેરે, કર્યું કલ્યાણ જીવનું જગેરે ।।૫।। સંત સંબંધે કલ્યાણ કીધુંરે, તેને પણ અખંડ ધામ દીધુંરે । વળી બાંધ્યાં સદાવ્રત ઘણાંરે, તેપણ બારણાં કલ્યાણ તણાંરે ।।૬।। વળી ધ્યાન ધારણા સમાધિરે, કરાવી વિસરાવી ઊપાધિરે । વળી પ્રગટ કરી પંચ વ્રતરે, આપ્યું પળાવી પદ અમૃતરે ।।૭।। બહુ દેશ તીર્થ ગામ શે’રરે, તાર્યા ફરી હરિ કરી મે’રરે । કરી ઊત્સવ બહુ સમૈયારે, તાર્યા જીવ જાયે નહિ કહ્યારે ।।૮।। કર્યા જગન ને બહુ જાગરે, તેપણ જીવ ઊદ્ધારવા કાજરે । વરષોવરષ કર્યા વળી મેળારે, કરવા જીવ બ્રહ્મમો’લે ભેળારે ।।૯।। બાંધ્યાં કલ્યાણ સારૂં બહુ ધામરે, શ્રીઠાકુરજીના ઠામોઠામરે । તેમાં બેસારી સારી મૂરતિરે, તે પણ જીવના કલ્યાણ વતીરે ।।૧૦।। કર્યા આચારજ મહારાજેરે, તે પણ જીવને તારવા કાજેરે । બહુ બાંધી કલ્યાણની સડકરે, જાય ધામે જીવ થૈ […] read more
0 Views : 159

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪૪

દોહા – પવિત્ર છે સ્પર્શે કરી, આ પૃથવી સાક્ષાત ।।૧।। જિયાં જિયાં અમે વિચર્યા, વળી રહ્યા જે જે ગામ । તે જરૂર જન જાણજો, સરવે થયાં છે સ્વધામ ।।૨।। તિયાં પ્રાણી કોઈ તન તજે, જાણ્યા વિના એહ જાગ્ય । કહ્યાં ન જાય વળી કોઈથી, એવાં ઊઘડિયાં એનાં ભાગ્ય ।।૩।। ચરણે અંકિત જે અવની, વળી પદની સ્પર્શેલ રજ । તે જોતાં ન જડે જાણજો, જેને ઈચ્છેછે ઈશ્વર અજ ।।૪।। ચોપાઈ – પદરજના સ્પર્શ પ્રતાપેરે, જન અભય થાય છે આપેરે । ભવભય હરણી એ રજરે, થાય નિર્ભય એમાં શું આશ્ચરજરે ।।૫।। જન ભવનમાં જયાં જયાં ગયારે, તિયાં દિનરજની જે રહ્યારે । એહ ભૂમિકાનાં ભાગ્ય ભારીરે, થઈ ધામરૂપ સુખકારીરે ।।૬।। એહ પૃથ્વી પર તજે પ્રાણરે, તેતો પામે પદ નિરવાણરે । વળી નદી નદ ને તલાવરે, સધુ કુંડ કુવા વળી વાવરે ।।૭।। તિયાં જિયાં જિયાં અમે ના’યારે, સ્પરશ્યું પાણી જે અમારી કાયારે । તેહ સ્પર્શનું જેહ પાણીરે, જન ઊદ્ધારણ લિયો જાણીરે ।।૮।। તેહ તટે તજે કોઈ તનરે, પામે અમૃત ધામે સદનરે । એમ કલ્યાણના જે ઊપાયરે, બહુ કર્યા છે આ જગમાંયરે ।।૯।। બાગ બગીચા ને ફુલવાડીરે, વૃક્ષ વેલી વન વળી ઝાડીરે । એહ આદિ જાયગા અપારરે, જિયાં રહ્યા અમે કરી પ્યારરે ।।૧૦।। એતો સ્થાનક છે તીર્થરૂપરે, અતિ પવિત્ર જાણો અનૂપરે । એહ સ્થાને મૂકે […] read more
0 Views : 159

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૪પ

દોહા – વળી વળી શું વર્ણવું, વળી આ સમાની વાત । જીવ જગતના ઊપરે, આજ અમે છીએ રળીઆત ।।૧।। જાણિયે આખી જકતને, લઈ જાયે અમારે ધામ । કેડે ન રાખિયે કોઈને, એમ હૈયે છે ઘણી હામ ।।૨।। તે સારૂ ભૂમિ ઊપરે, કંઈ રાખ્યા સુખના સમાજ । અમારા અંગસંગની વસ્તુ, રાખી જીવના કલ્યાણ કાજ ।।૩।। ફરી ફરી ફેરો પડે, એવું કરવું નથી આ વાર । સહુ જીવનો સામટો, આજ કરવો છે ઊદ્ધાર ।।૪।। ચોપાઈ – તેહ સારૂં છાપી દીધાં ચરણરે, જે છે મોટા સુખનાં કરણરે । ચરણ ચતવે ચિહ્ને સહિતરે, વળી પૂજે કોઈ કરી પ્રીતરે ।।૫।। પાન ફુલે પૂજશે જે જનરે, એકાગ્ર રાખી શુદ્ધ મનરે । તેને અંતરે થાશે પ્રકાશરે, લેશે સુખ અલૌકિક દાસરે ।।૬।। તેણે માનશે પૂરણકામરે, વળી પામશે અખંડ ધામરે । એવો ચરણ તણો છે પ્રતાપરે, શ્રીમુખે કહે શ્રીહરિ આપરે ।।૭।। સત્ય માનજો સહુ તમે જનરે, આ છે અતિ હિતનાં વચનરે । આથી આપશું સુખ અંતરરે, રાખો ભારે ભરુંસો ભતરરે ।।૮।। વળી પૂજવા પટ મૂરતિરે, આપી સહુને કરી હેતે અતિરે । પ્રેમે પૂજશે પ્રેમ વધારીરે, પૂજાવિધિ સુંદર લઈ સારીરે ।।૯।। કરી પૂજા ઊતારશે આરતિરે, કરશે ધૂન્ય ને વળી વિનતિરે । તેહ મૂરતિમાં આપે રહીરે, સર્વે પૂજાને માનશું સહીરે ।।૧૦।। લેશું પૂજા એની કરી પ્રીતરે, પછી દેશું સુખ રૂડી રીતરે […] read more
0 Views : 124
Powered By Indic IME