Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૦૬

દોહા – જનમિ જનક જનની ઘરે, રહ્યા દયા કરી કાંઈક દિન । રમ્યા જમ્યા રૂડિ રીત્યશું, ભકિત ધર્મને ભવન ।।૧।। ત્યાં બાળચરિત્ર બહુ કર્યાં, પછી આઠમે વર્ષે આપ । પિતાથકી તે પામિયા, ઊપવીત અતિ નિષ્પાપ ।।૨।। ત્રણ વર્ષ તપાસિને રહ્યા, તાતભવન શ્રીઅવિનાશ । પછી પ્રભુજી પધારિયા, જઈ કર્યો વનમાંહિ વાસ ।।૩।। સાત વરષ વન વેઠિયું, વળતો વાલમે કર્યો વિચાર । જે અર્થે આ અવતાર છે, તે કરૂં હવે નિરધાર ।।૪।। ચોપાઈ- પછી જોગી ગોપાળને મળીરે, કરી એની ઈચ્છા પૂરી વળી રે । મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, તજી તન ગયા અક્ષરધામ રે ।।૫।। પછી નવલખે પર્વત પધાર્યા રે, બહુ જોગીને મુદ વધાર્યા રે । જોગી નવલાખ જોઈ જીવન રે, થયા નાથ નિરખિને મગન રે ।।૬।। તેપણ તન તજી નિરધાર રે, અવધે ગયા અક્ષર મોઝાર રે । એમ જીવ ઊદ્ધારવા કાજ રે, ફરે હદ્ય બેહદ્યે મહારાજ રે ।।૭।। જેજે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે । દરશે સ્પરશે કોઈ દેહધારી રે, થાય અક્ષરના અધિકારી રે ।।૮।। નર અમર ને જે અસુર રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે । એમ જીવ જકતના જેહરે, પામે અક્ષરધામને તેહરે ।।૯।। તીર્થ શહેર પુર નગ્ર ગ્રામ રે, ફર્યા જેજે ધરણિપર ધામ રે । ત્યાં ત્યાં જેણે નિરખ્યા ઘનશ્યામરે, તેતે પામિયા અક્ષરધામરે।।૧૦।। ગિરિ […] read more
0 Views : 1451

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૦૭

દોહા – વળતા મુનિ બોલિયા, શું શું ધરાવિએ વ્રતમાન । કયી પેર્યે ભજન કરાવિએ, કયી પેર્યે ધરાવિએ ધ્યાન ।।૧।। કેવિ રીતે અમે વરતિએ, કેવો રાખીએ વળિ વેષ । કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઊપદેશ ।।૨।। જગમાં જે જિજ્ઞાસુ જન, નર નારી હશે અપાર । કે’શું નરને કલ્યાણનું, નહિ કહિએ નારીને નિરધાર ।।૩।। મુકતને માનિની મળિ, વળિ કરે પરસ્પર વાત । દર્શ સ્પર્શ દારા હાસ્યથી, થાય નરને જ્ઞાનની ઘાત ।।૪।। ચોપાઈ – માટે નર આગે નિરધારરે, કે’શું વાત કરી અતિ પ્યારરે । પુરૂષ પ્રમોદશું બહુ પેરરે, ફરી દેશોદેશ ગ્રામ શહેરરે ।।૫।। રુડો રહસ્ય પુરૂષને કે’શું રે, દારા સંગ થકી દૂર રે’શુંરે । આજ મોર્યની અમે સાંભળિરે, ખાધી મોટે મોટે ખોટ વળિરે ।।૬।। બ્રહ્મા ભુલ્યા તનયા તન જોઈરે, તેણે ખરી લાજ વળી ખોઈરે । શિવ મોહિની જોઈ મન મોહ્યુંરે, તેણે જોગકળા બળ ખોયુંરે ।।૭।। ઈંદ્ર અહલ્યા રૂપ નિહાળીરે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળીરે । જોઈ મોહિની રૂપને અસુરરે, નેણે વેણે થયા ચકચુરરે ।।૮।। પરાશર ઋષિ તપોધનરે, મોહ્યા મત્સ્યગંધા જોઈ મનરે । એકલશ્રુંગી વસે વનમાંઈરે, જેને ભામિની ભાન ન કાંઈરે ।।૯।। દેખી સુંદરીને દિલે ડૂલ્યારે, જેણે જ્ઞાન ધ્યાન નિ’મ ભૂલ્યારે । ઋષિ સૌભરિ શફરી સંગરે, જોઈ તર્ત વ્રત કર્યું ભંગરે ।।૧૦।। નારદ પર્વતે નિરખી સુંદરીરે, ઈચ્છા બેઊએ વરવા કરીરે । દેવગુરુ ભૂલ્યા દિશ […] read more
0 Views : 1440

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૦૮

દોહા – શ્રીહરિ કહે સંત સાંભળો, એવો કરવો નથી ઊપાય । જેણે કરીને જકતનું, બંધન તમને થાય ।।૧।। એવી રીતને રાખશું, જેહ રહ્યા ન રે’શે કોય । શાસ્ત્રમાં પણ શોધતાં, કિયાં હોય કે વળિ નો’ય ।।૨।। જેમ અલૌકિક અવતાર છે, તેમ કાઢું અલૌકિક રીત । સહુ ઊપર શિરોમણિ, વળિ ઘણી પરમ પુનિત ।।૩।। તે રીત કહું તે હૃદે ધરી, સહુ રહો થઈ સાવધાન । એમ મુનિ મંડળને આગળે, શ્રીમુખે કહે ભગવાન ।।૪।। ચોપાઈ – રે’જો પંચ વ્રત પ્રમાણરે, ધારી વિચારી સહુ સુજાણરે । પંચ વ્રત છે સહુને પારરે, નથી એથી બીજું કાંય બા’રરે ।।૫।। જોશો વિધવિધે જો વિચારીરે, ભર્યા અર્થે છે એ અતિ ભારિરે । તેમાં ધન ને ત્રિયાનો ત્યાગરે, ઘણો કહ્યો છે કરી વિભાગરે ।।૬।। અષ્ટ પ્રકારે તજવી નારીરે, તેમ ધન તજવું વિચારીરે । કોઈ દેશ કાળ ક્રિયા સંગેરે, એથી અળગું રે’વું અષ્ટ અંગેરે ।।૭।। સહુ જાણજો જન એમ પંડ્યેરે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડેરે । એમ નકી કરી નિરધારરે, ફરો પરહિતે પૃથવી મોઝારરે ।।૮।। અંગે રાખજો અંબર એટલાંરે, શીત ઊષ્ણ ન પીડે તેટલાંરે । કંથા કૌપીન ને કટિપટરે, એટલાં તો રાખજો અમટરે ।।૯।। તેપણ જાચિને જીરણ લેજોરે, એવી રીત્યે સહુ મુનિ રે’જોરે । અન્ન માગિને જમજો મધ્યાહ્નેરે, રસે રહિત સહિત જળ પાનેરે ।।૧૦।। સર્વે મેળવી ભેળું તે કરીરે, […] read more
0 Views : 1414

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૦૯

દોહા – પછી મુકતને આપી આગન્યા, તમે ફરો દેશ પ્રદેશ । જેમ કહ્યું તેમ વર્તજો, રાખજો સાધુનો વેષ ।।૧।। પછી મુનિ પરવર્યા, જેમ હાલ્યાં હુડિયાં વા’ણ । ભારે વા’ણને ભરવા, સહુ સજજ થયા છે સુજાણ ।।૨।। પછી પોતે પ્રભુજીએ, ઊર વિચારિયું એમ । બહુ જીવ જેમ ઊદ્ધરે, મારે કરવું તર્ત તેમ ।।૩।। બંધાવું બહુપેરે કરી, સુંદર સદાવરત । જે જમે અન્ન અમતણું, તે પામે પરમ ગતિ તરત ।।૪।। ચોપાઈ – એમ કૈ’ બંધાવ્યાં અન્નક્ષેત્રરે, જમે જન અન્ન પવિત્રરે । ઝાઝે હેતે જનને જમાડેરે, કરી વાત આનંદ પમાડેરે ।।૫।। સુણી વાત રળીયાત થાયરે, પછી સમજી રહે સત્સંગ માંયરે । એમ સદાવ્રત બાંધ્યાં બહુરે, તેહ ગામ તણાં નામ કહુંરે ।।૬।। લોઝ માંગરોલ અગત્રાઈરે, સદાવ્રત માણાવદ્ર માંઈરે । મેઘપુર ધોરાજી શાંકળીરે, અન્ન આપે ભાડેરમાં વળીરે ।।૭।। જાંમવાળી ને નવેનગરેરે, બ્રાહ્મણ ભેખ ત્યાં ભોજન કરેરે । ફણેણી ને જાણો જેતપરરે, જમે જન સરધાર સુંદરરે ।।૮। કોટડું ગઢડું કારિયાણીરે, જમી બોલે જેજે જન વાણીરે । માણેકવાડે ને મેથાંણ માંઈરે, જેતલપુર શ્રીનગર ત્યાંઈરે ।।૯।। એહ આદિ ગામે આપે અન્નરે, જેહ જમે તે થાય પાવનરે । તેણે તજે બીજું ભજે શ્યામરે, તન મુકે પામે પર્મ ધામરે ।।૧૦।। એમ અનેક જીવ ઊદ્ધાર્યારે, ભય ટાળી ભવજળ તાર્યારે । તોયે ન માન્યું નાથનું મનરે, કર્યા જન તારવા જગનરે ।।૧૧।। જાણ્યું […] read more
0 Views : 1389

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૧૦

દોહા – પ્રેમે કરીને પૂજા તણી, હરિજને ન પૂરિ હાસ । સેવિ ન શકયા સ્વામીને, અતિ રહિ ગયો અપશોષ ।।૧।। મત્સ્યાદિક મોર્યે ધર્યા, અસંખ્યાત અવતાર । કારજ નિમિત નવાં નવાં, તન ધર્યાં નિરધાર ।।૨।। જળ સ્થળમાં જાણજો, અવતાર ધર્યા છે અનેક । સર્વે જીવને સુખ આપવા, હોય ન હોય એ એક ।।૩।। સેવકને સેવી સુખ લેવું, કેવું થયા પુરણકામ । એમ ન માન્યું જન મન, ત્યારે પ્રગટિયા ઘનશ્યામ ।।૪।। ચોપાઈ – મહા મોટા મત્સ્ય અવતારરે, પણ રહ્યા જળ મોઝારરે । માનવીએ તેને ન મળાયરે, વણ મળે અજ્ઞાન ન જાયરે ।।૫।। અન્ન જળ અંબર આભૂષણરે, તેલ ફુલેલ સુગંધિ પણરે । અત્તર ચંદન પુષ્પની માળારે, તેણે પૂજી શું થયા સુખાળારે ।।૬।। કર્યાં કાંયેક જીવનાં કાજરે, પછી પધાર્યા ધામ મહારાજરે । કચ્છ પ્રભુ પણ કૃપા કરીરે, આવ્યા જન અર્થે તન ધરીરે ।।૭।। જે અર્થે આવ્યા અવિનાશરે, કર્યો તે તને તેવો સમાસરે । બહુ જીવને અર્થ ન આવ્યારે, આવી દેવ દાનવ સમજાવ્યારે ।।૮।। વપુ વારાહ વાલમ લીધુંરે, પૃથ્વીનું તે કાર્ય કીધુંરે । તેને પણ બીજાં બહુ મળીરે, સુખ ન લીધું સેવિને વળીરે ।।૯।। નૃસિંહ રૂપ નઊત્તમ તનરે, ધારી ઊધ્ધારિયા નિજજનરે । પણ ક્રોધે ભર્યા ભયંકારરે, કેમ સેવિ શકે નરનારરે ।।૧૦।। વામનજીએ વપુને ધારીરે, લીધી પૃથવી પડ વધારીરે । બલી બોલે બાંધ્યો બહુપેરરે, પછી વર […] read more
0 Views : 1372

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૧૧

દોહા – પુરૂષોત્તમ પધારિયા, સર્વે અવતારના આધાર । અગણિત જીવ આ જગતના, તે સહુની લેવા સાર ।।૧।। સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે, જીયાં જીયાં રહ્યા’તા જન । તિયાં તિયાંથી તારિયા, આવી ભૂમિપર ભગવન ।।૨।। કોઈ પ્રકારનો પ્રાણધારી, પામિયા જે પ્રસંગ । તે સહુ સુખીયા થયા, ગયા અક્ષરે થૈ શુદ્ધ અંગ ।।૩।। જેમ અર્કને ઊગવે કરી, રહે નહિ અણુએ અંધાર । તેમ સહજાનંદ સૂર્યથી, જન પામિયા સુખ અપાર ।।૪।। ચોપાઈ – બહુ અવતારના જે દાસરે, તેની પુરી કરવાને આશરે । ધર્યું રૂપ અલૌકિક એવુંરે, સહુને પૂજવા સેવવા જેવુંરે ।।૫।। સહુ લોકને આવિયો લાગરે, મળ્યો મહાસુખ લેવાનો માગરે । મત્સ્યાદિકના રહ્યા’તા મુંઝાઈરે, સેવી સુખ લેવા મનમાંઈરે ।।૬।। તે સહુનું ઊઘાડિયું બારરે, નાના મોટાનું એકજ વારરે । લિયો લાવો દાવો ભલો આવ્યોરે, આવ્યો અવસર આજ મન ભાવ્યોરે જેવી સમૃદ્ધિ જેવી સામગરિરે, તેવે પૂજો પ્રસન્ન થાશે હરિરે । અશન વસન ભૂષણે ભાવ ભરીરે, પૂજો ફળ ફુલ મૂળ કંદે કરીરે ।।૮।। જળ દળ જે જે કાંઈ મળેરે, પૂજો પૂજાશે આજ સઘળેરે । કુંકુમ કસ્તુરી કપૂર કેસરરે, અર્ઘ્ય અગર ચંદન અત્તરરે ।।૯।। ધન ધાન્ય વૃક્ષને વાહનેરે, ગાય ગવા મહિષી સદનેરે । વાડી ખેત્ર વસુંધરા વળીરે, સેજ પલંગ પાથરણાં મળીરે ।।૧૦।। ગાદી તકીયા ઓછાડ ઓસિસેરે, જેજે આપશો તે આજ લેશેરે । કમળનાળ ડોડાં ડોડી પાન રે, લઈ […] read more
0 Views : 1305

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૧ર

દોહા- મોટી મે’ર કરી હરિ, પધારિયા પૂરણકામ । અનેક જીવને આપવા, પોતાનું પરમ ધામ ।।૧।। દયાનિધિ દયાકરી, જીવ જકતના ઊપર જોર । તાન એક જીવ તારવા, ધારિ વપુ ધર્મકિશોર ।।૨।। અહોનિશ એ ઊપાયમાં, રહ્યા છે રાજ અધિરાજ । અમિતને અભય કરવા, સાપવા સુખ સમાજ ।।૩।। પડતું મેલ્યું પૂજા સ્પર્શનું, દરશનનું રાખ્યું દાન । જે જન નિરખે નાથને, તે પામે સુખ નિદાન ।।૪।। ચોપાઈ – એહ અર્થે કરે છે ઊપાયરે, નિત્ય નવાનવા મનમાંયરે । જાણે સૌજન દર્શન કરેરે, ભાવે અભાવે નામ ઓચરેરે ।।૫।। લેતાં સ્વામિનારાયણ નામરે, થાયે પ્રાણી તે પૂરણકામરે । લેશે નામ નિરખશે નેણેરે, પરમ પ્રાપ્તિ પામશે તેણેરે ।।૬।। માટે મોટા ઊત્સવ સમૈયારે, કરું જાય નહિ કેણે કૈયારે । પછી ફુલદોલ રામનૌમીરે, પ્રબોધની એકાદશી સૌમીરે ।।૭।। તેદિ આવે લાખોલેખે જનરે, કરે મહાપ્રભુનાં દરશનરે । જાુવે સભા સામું સુખકંદરે, અમૃતદ્રષ્ટિએ આપે આનંદરે ।।૮।। સહુજન તણા તાપ હરેરે, સુખશાંતિ અંતરમાં કરે રે । સહુ સુખિયા થઈ જન મનેરે, જાય પોત પોતાને ભવનેરે ।।૯।। રાત્યદિ સાંભરે સ્વામી સંતરે, તેણે રાજી રહેછે અત્યંતરે । કરતાં એ લીળાનું ચતવનરે, તેણે પામે પરમ ધામ જનરે ।।૧૦।। એવા સમૈયા વરસો વરસરે, કરે એકબીજાથી સરસરે । તેમાં કૈક પૂજે કૈક સ્પરશે રે, સૌને આનંદના ઘન વરસેરે ।।૧૧।। નિત્ય નવી કરે નાથ લીળારે, ત્યાગી ગૃહી કરી બહુ ભેળારે । […] read more
0 Views : 1301

પુરૂષોત્તમપ્રકાશ પ્રકાર:- ૧૩

દોહા- દેશોદેશથી આવે દરશને, નિ’મ ધારી સહુ નરનાર । આવિને નિરખે નાથને, તેણે લિયે સુખ અપાર ।।૧।। સમૈયે સમૈયે સુખદેવા, ઊત્સવ કર્યા અનેક । દયા કરી દીનબંધુએ, જીવ નિર્ભય કરવા નેક ।।૨।। તેહજ અર્થે તાન છે, જીવ મોકલવા નિજધામ । આવ્યા કારજ એ કરવા, ઘણે હેતે કરી ઘનશ્યામ ।।૩।। એટલા માટે અનેક રીતે, કરે ઊપાય આઠું જામ । જયાંજયાં ઊત્સવ સમૈયા કર્યા, કહું તેતે ગામનાં નામ ।।૪।। ચોપાઈ – સહુથી મોર્યે ઊત્સવ માંગરોલરે, થયા જન ત્યાં ભેળા અતોલરે પછી લોજે કરી બહુ લીળારે, ત્યાં પણ થયા’તા જન બહુ ભેળારે ।।૫।। અગત્રાયે આઠમ ઊત્સવરે, કરી તાર્યા જીવ કૈ ભવરે । ભલી ભાડેરે આઠમ ભજાવીરે, કરી લીળા માણાવદ્ર આવીરે ।।૬।। મેઘપુરના ઊત્સવ માંઈરે, દ્વિજ જમાડી કરી ભલાઈરે । પંચાળાનો સમૈયો પ્રસિદ્ધરે, આપ્યાં સુખ સહુને બહુવિધરે ।।૭।। જૂનેગઢ જઈ મહારાજરે, કરી ઊત્સવ કર્યાં બહુ કાજરે । ધોરાજીની લીળા ધન્યધન્યરે, જોઈ જન થયા છે મગનરે ।।૮।। કરિયાણામાં ઊત્સવ કીધોરે, બહુ જનને આનંદ દીધોરે । ગઢડાની તો નહિ આવે ગણતિરે, યાં તો ઊત્સવ કર્યા છે અતિરે ।।૯।। કારિયાણીના કેટલાક કહુંરે, યાં તો લીળા કરી બહુ બહુરે । સારંગપુર છે સારૂં ગામરે, કરી ઊત્સવ સાર્યું સૌનું કામરે ।।૧૦।। બોટાદમાં લીળા બહુ બનીરે, ભલી ભજાવિ છે હુતાશનીરે । લોયે લીધો સહુ જને લાવરે, પુરા કર્યા છે ભકતના […] read more
0 Views : 1312
Powered By Indic IME