Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

સ્નેહગીતા કડવું:- ૧૧

આવ્યો અક્રુર એ ખબર પામી ખરીજી, કાંઈક કપટ ભતરે આવ્યો  ભરીજી । કોરે જઈ કૃષ્ણને કાંઈક વાત કરીજી, તેહ નથી કે’તા હૈયાનું આપણને હરિજી ।।૧।। ઢાળ – હરિ હલધર હૈયા કેરી, વળી વાત નથી વરતાવતા । પણ અક્રુર સાથે એકાંત કીધી, તેહની થાય ચિત્તમાં ચિંતા ।।૨।। કોણ જાણે બાઈ કેમ કરશે, કળ પડતી નથી કાંય । પુછો જઈ પ્રાણ-જીવનને, શું છે એના બાઈ મનમાંય ।।૩।। એમ કરતાં અક્રુરના, મનનો તે મર્મ જાણિયો । શ્રીકૃષ્ણજીને તેડવાને, એણે રથ આંઈ આણિયો ।।૪।। એવું સુણીને અબળા, અતિ અકળાણી અંતરે ઘણી ।  જેમ પ્રાણ રહિત વત પુતળાં, એવી ગત્ય થઈ ગોપીતણી ।।૫।। લડથડે કોઈ પડે પૃથ્વી, એમ શુદ્ધ ન રહી શરીરની । શ્યામ સધાવ્યાનું શ્રવણે સુણતાં, નક નયણે ચાલી નીરની ।।૬।। વલવલી ટોળે મળી, વળી વનિતા કહે કેમ કરશું ।  જીવન જાતાં અંતરે આપણે, ધીરજ કઈ પેરે ધરશું ।।૭।। આવ્યો અક્રુર કાળરૂપે, હમણાં પ્રાણ લઈને હાલશે । પછી સ્નેહનું જે સુખ સજની, તે સમે સમે ઘણુ સાલશે ।।૮।। ગયું ધનજોબન દિન જે, તે પાછું નથી કોઈ પામતાં ।  એમ આપણે થાશે અબળા, હરિ હીરો વામતાં ।।૯।। નિરધન થાશું નાથ જાતાં, પછી ઓશિયાળાં રે’શું અંગે ।  નિષ્કુલાનંદના નાથ સાથે, હવે કયાં થકી રમશું રંગે ।।૧૦।। કડવું ।।૧૧।। read more
0 Views : 168

સ્નેહગીતા કડવું:- ૧ર

અહો કષ્ટ અચાનક આવિયોજી, જયારે હરિવરને કંસે બોલાવિયોજી । મથુરાંની નારીનોદાવો બાઈ ફાવિયોજી, આપણે તો લેખ એવો જો લખાવિયોજી ।।૧।। ઢાળ – લેખ લખતાં ભૂલ્યો તું બ્રહ્મા, અને અકલ ગઈ તારી ઊચળી । જોડ્ય જોડિ નાખેછે ત્રોડી, તારી અસત મત્ય એવી વળી ।।૨।। વિવેક હોય જો વિધિ તુંમાં, તો એવું ન કરે કોઈ દિને । જોગ મેળીદેછે ઊબેલિ, તેની મે’ર નથી તારે મને ।।૩।। મન ગમતું સુખ મેળવીને, વળી વિછોહ પાડછ વળતો । માટે મૂરખ મોહોટો ભાઈ, નથી કોઈ તુંજ ટળતો ।।૪।। જેમ કલ્પાંકરે કાંઈ કરિયાં, ઘણાંઘણાં રચે ઘર ઘોલિયાં ।  રમતાં રમતાં રોષ ઊપનો, તારે ભાંગતાં તે કાંયે ભુલિયાં ।।૫।। તેહ માટે તુંને બ્રહ્મા ભાઈ, ઊપમા તે એહની આપિયે । હરિવર ત આપ્યો અમને, તો અસન પેઠે ન ઊથાપિયે ।।૬।। હાસ અમારી હૈયાં કેરી, નથી પુરી કરી નાથને । વાલાથી કેમ કરેછે વેગળાં, એવો વેરી થયો શું વ્રજસાથને ।।૭।। નયણે નિરખતાં નાથને, જેહ મટકે કરી પાંપણ મળે ।  તેહજ બ્રહ્મા ભૂલ્ય તારી, કાંરે ભાઈ તું નવ કળે ।।૮।। એટલી ખોટ તે ખરખરે, તો વેગળે મન કેમ વાળીયે ।  તેહ માટે ભાઈ કહ્યું તુંજને,દયાદલથી નવ ટાળીયે ।।૯।। કૃષ્ણ વિના કેમ કરીને, વળી વિકટ ઘડી વામશે ।  નિષ્કુલાનંદનો નાથ ચાલતાં, પ્રાણ પ્રીતેદુઃખ પામશે ।।૧૦।। કડવું ।।૧૨।। read more
0 Views : 154

સ્નેહગીતા પદ:- ૦૩

રાગ: મેવાડો – મથુરાં મ જાશો રે પ્રિતમ પાતળારે, નાખિ અમને નોધારાં મારા નાથ ।  જરૂરને જાવું રે હોય તિયાં તમનેરે, તો લેજો શ્યામળા અમનેરે સાથ; મથુરાં૦ ।।૧।। પ્રીત કરીને રે પિયુજી મા પરહરોરે, રાખો પ્રિતમ અમનેરે પાસ । અળગાંને રે’તાંરે અધીર અતિ અમનેરે, વણ દિઠે રહે અંતર ઊદાસ; મથુરાં૦ ।।૨।। જેમ મણિ વિના ફણિરે અણ દિઠે આંધળોરે, વળી કોઈ લિયે લોભિનું ધન ।  વણ મૃત્યુએ મૃત્યુ તેને માનવુંરે, જેનુ કાંઈ જાતું રહ્યું છે જીવન; મથુરાં૦ ।।૩।। જળવાસી જીવરે જવાળામાં જીવે નહિરે, અમારે છે તમ વિના હરિ તેમ ।  નિષ્કુલાનંદનારે સ્વામીજી સુજાણ છોરે, અજાણ જે હોય તેને કે’વું એમ; મથુરાં૦ ।।૪।। પદ ।।૩।। read more
0 Views : 167

સ્નેહગીતા કડવું:- ૧૩

પિયુ પરિયાણિયા મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે છે ઊછાવજી । આપણ ઊપરથી ઊતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા લેશું કેશું લાવજી ।।૧।। ઢાળ – લાવો લેતાં લાડિલાશું, ઘણું આનંદે ઘડી નિગમતાં । દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એશું રમતાં ।।૨।। એહ સુખ બાઈ કયાંથી સાંપડે, અક્રુર મૂલે આવિયો । પ્રાણ લેવા પાપિયો, આ રથ જોને લાવિયો ।।૩।। જાદવકુળના વૃદ્ધ વે’લા, આને મોર્યે બહુ મરી ગયા । આપણે ભાગ્યે અક્રુર જેવા, વેરી કેમ વાંસે રહ્યા ।।૪।। બાઈ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે’ર ન હોય મનમાં ।  નિર્દય હોયદગ્ધ દિલનો, બાઈ ત્રાસ ન હોય તેના તનમાં ।।૫।। હમણાં રથને હાંકશે, બાઈ ધાઈને આડાં ફરજો । આ જો લુંટી જાયે અમને, એમ પ્રગટ પોકારજો ।।૬।। માત તાત સુત સંબંધીની, વળી લોકની લાજ મ લાવજો ।  મરજાદા મુકી રથને રોકી, વળી વા’લાને વાળી લાવજો ।।૭।। જેહ લાજમાં બાઈ કાજ બગડે, તે લાજને શું કીજીયે ।  પ્રિતમ રે’તાં જો પત્ય જાયે, તો જોકશું જાવાદીજીયે ।।૮।। પ્રેમને બાઈ નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા ।  લોકલાજ વેદવિધિ કર્મ, તેતો તેને કરવાં ટળ્યાં ।।૯।। એટલા માટે આપણે, રાખો રસિયાનો રથ રોકીને ।  નિષ્કુલાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મુકીને ।।૧૦।। કડવું ।।૧૩।। read more
0 Views : 165

સ્નેહગીતા કડવું:- ૧૪

આ વૃદ્ધ સઘળાની મત વામી ગઈજી, નંદ યશોદાની અકલ કાંઈ ન રહીજી । શું એને આપણે સમઝાવિએ કહીજી, એણે કોઈ વિચાર અંતર કર્યો નહીજી ।।૧।। ઢાળ – વિચાર ન કર્યો વ્રજવાસીએ, તેમ વિઘ્ન પણ કોઈ નવ પડ્યું । કેમ કરી રહે કૃષ્ણ બાઈ, અપરાધ આપણું આવી નડ્યું ।।૨।। આ સમે કોઈ મરે અચાનક, તો કૃષ્ણ રહે તેહ કારણે । મોડાં વે’લા મરશે ખરા પણ, આજ મરે તો જાઉં વારણે ।।૩।। અન્ય ઊપાયે અલબેલડો, વળી નથી રે’વા કોઈ રીતડી । અહો બાઈ અભાગ્ય આપણાં, પિયુ ત્રોડી ચાલ્યા પ્રીતડી ।।૪।। આ જો રથે બેઠા રસિયો, વળી ખેડાવિયો પણ તે ખરો ।  ધ્રોડો બાઇ જાઈએ ધાઇ, વનિતા વિલંબ જો મા કરો ।।૫।। બાઈ રોકી રાખીએ રથને, વળી વા’લાને પાછા વાળીયે । સાન કરીને કહીયે હરિને, પિયૂ પ્રિત તો નવ ટાળિયે ।।૬।। એમ ટોળે મળો વટી વળો, મેલી માનિની મરજાદને ।  જીવન જાતાં નથી ખમાતું, મર લોક કરે અપવાદને ।।૭।। મર જણાયે આ જગતમાંહે, હવે શીદને શાન્તિ રાખશું ।  છાનું છે તે મર થાય છતું, આજ નેક ઊઘાડું નાખશું ।।૮।। નદક જન મર નદા કરે, વળી દુરિજન મરદાઝતાં ।  કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કે’શું મુખે ઘણું ગાજતાં ।।૯।। લોક મળી વળી ચળી કે’શે, તેતો સાંભળી રે’શું શ્રવણે ।  પણ નિષ્કુલાનંદના નાથની, બાઈ […] read more
0 Views : 162

સ્નેહગીતા કડવું:- ૧પ

અબળાનો આશય અલબેલે ઓળખીજી, વિયોગે વનિતાદીઠી અતિશયદુઃખીજી । પ્રમદાના પ્રાણ નહિ રહે મુજ પખીજી, કહું એને કાંઈક ધીરજ ધારે સખીજી ।।૧।। ઢાળ – ધીરજ ધારો કૃષ્ણ કહે, સહુ દેખતાં મ કરો શોર । હેત રાખો હૈયામાંહે, બા’રે મ કરો બકોર ।।૨।। મારે તમારે પ્રીત છે તે, છાનિ છપાડિને રાખિયે । લાજ જાય ને હાંસી થાયે, એવું ભેદ વિના કેમ ભાખીએ ।।૩।। લોક મુજને એમ લેખે, છે બ્રહ્મચારી ભગવાન । આજ લાજ તે ખોઇ ખરી, મારૂં માડિયું તમે માન ।।૪।। તમ સાથે મ સ્નેહ કીધો, તેતો હળવું થાવા હેસખી ।  પણ સ્ત્રી હોય આપ સ્વારથી, એમ સર્વે શાસ્ત્રમાં લખી ।।૫।। પ્રીતનું આજ ફળ પ્રગટ્યું, મને છાના ને છતો કર્યો । સ્નેહ કરતાં તમ સાથે, અંતે અર્થ એ નિસર્યો ।।૬।। હજી કહુંછું જે કેણ માનો, અને જાઓ વળી ઘેર જુવતી ।  એકવાર આપણ મળશું, હૃદે રાખજો સ્નેહ સતી ।।૭।। એમ ધીરજ દિધી વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી ।  તમ વિના ત્રિલોકમાંહિ, વા’લું તે મને કોઈ નથી ।।૮।। હુંતો વશ છઉં હેતને, સાચું કહુંછું સુંદરી ।  હું છઉં જેને તે છે મારે, એતો વાત અંતે છે ખરી ।।૯।। પ્રેમનીદોરિયે પ્રમદા, હુંતો બંધાણો બેઊ હાથજી ।  એમ કહિને ચાલિયા, નિષ્કુલાનંદનો નાથજી ।।૧૦।। કડવું ।।૧૫।। read more
0 Views : 164

સ્નેહગીતા કડવું:- ૧૬

હરિવર હાલિયા મથુરાં મારગેજી, જુવે રુવે જુવતી ઊભી રહી એક પગેજી । નયણે ન મળે પળેપળે જળ વહેદોય દ્રગેજી, રથ જાતાં રસિયાનો દીઠોછે દૂર લગેજી ।।૧।। ઢાળ – દૂર લગી તો રથ દીઠો, પછી ખેહ તેહ રહી જોઈ । જયારે નયણે ગરદ નદીઠી, ત્યારે પડી પૃથવીએ રોઈ ।।૨।। જેમ પ્રાણ જાતાં પંડને, અતિશય પીડા ઊપજે । એવી ગત્યને પામી ગોપીકા, જાણે તન તજયું કે તજે ।।૩।। શુદ્ધ ન રહી શરીરની, મૂર્છા ખાઈ પડી માનિની । ઊઠી ન શકે અવનિ થકી, વળી ભૂલીદશાદેહભાનની ।।૪।। હંસ ગયો હરિની સાથે, રહ્યુંદેહ તેહ પડી પૃથવી ।  જેમદોરી તુટીદારુકની, ચાલ્ય રહિત પુતળી હવી ।।૫।। એવી અવસ્થા પામી અબળા, વળી શ્યામળીયો સધાવતાં । વણ દરદેદરદ વ્યાપ્યું, લાલશું લેહ લગાવતાં ।।૬।। એટલા પછિ અંગ સંભાળી, અને ઊઠી સર્વે અબળા ।  માંહોમાંહિ મળી વળી કહે જે, નાથજી પાછા નવ વળ્યા ।।૭।। અહો આ શું થયું બાઈ, હવે ભૂધરને કૈયે ભાળશું ।  સદનમાંહી સખી આપણે, શું જોઈને મન વાળશું ।।૮।। ઘેર જાતાં ચરણ ન ચાલે, આઘી ચાલીને પાછી વળે ।  પછી પગલાં જોઈને પિયુજીનાં, વારંવાર તિયાં ટળવળે ।।૯।। રજ લઈ લઈ મસ્તક મુકે, વળી વળી કરે બહુ વંદના ।  વે’લા વળજો વા’લા મારા, નાથ નિષ્કુલાનંદના ।।૧૦।। કડવું ।।૧૬।। read more
0 Views : 155

સ્નેહગીતા પદ:- ૦૪

રાગ: મલાર – બાઈ પ્રીત કરતાં પ્રીતમશું, જયારે પીડાયે પંડ ।  ઓષડ એનું એકોઈ ન મળેરે, જો ભમિયે બ્રહ્માંડ; પ્રીત૦ ।।૧।। બાઈ મીન જળે જયારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે । ચકોરદુઃખી થયો ચંદ્રથીરે, ત્યારે કયાં સુખ પામે; પ્રીત૦ ।।૨।। બાઈ ચકવોદુઃખ પામ્યો દિનેશથી, પિયૂષથી માનવી ।  કોણ ઊપાય હવે કીજિયેરે, ગજ જળિયો જાહ્નવી; પ્રીત૦ ।।૩।। એમ નિષ્કુલાનંદના નાથથી, પીડા આપણે પામી ।  શું કરીયે હવે સજનીરે, આશા ઊગર્યાની વામી; પ્રીત૦ ।।૪।। પદ ।।૪।। read more
0 Views : 162
Powered By Indic IME