Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

ભક્તિનિધિ કડવું:- ૪૩

રાગ:- ધન્યાસરી દૂર ન રહે એવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી । જેમ જનની નિત્ય જાળવે બાળજી, એમ અતિ કૃપા રાખેછે કૃપાળજી ।।૧।। રાગ :- ઢાળ કૃપાળ એમ કૃપા કરી, સમેસમે કરેછે સંભાળના । નિત્યે નજીક રહી નાથજી, પળેપળે કરેછે પ્રતિપાળના ।।૨।। ખાતાં પીતાં સૂતાં જાગતાં, ઘણી રાખેછે ખબર ખરી । ઉઠતાં બેસતાં ચાલતાં, હરેછે સંકટ શ્રીહરિ ।।૩।। નર અમર મનુજાદથી, રક્ષા કરેછે રમાપતિ । ભૂત ભૈરવ ભવાનીના ભયને, રાખેછે તે રોકી અતિ ।।૪।। અંતરશત્રુ ન દિયે કેદી ઉઠવા, નિશ્ચે કરીને નિરધાર । નિજભક્ત જાણીને નાથજી, વા’લો વે’લી કરે વળી વા’ર ।।૫।। પોતાને પીડા જો ઉપજે, તેને ગણે નહિ ઘનશ્યામ । પણ ભક્તની ભિડ્ય ભાંગવા, રહેછે તૈયાર આઠું જામ ।।૬।। દેખી ન શકે દુઃખ દાસનું, અણું જેટલું પણ અવિનાશ । માને સુખ ત્યારે મનમાં, જયારે ટાળે જનના ત્રાસ ।।૭।। સાચા ભક્તની શ્રીહરિ, સદા સર્વદા કરેછે સહાય । તે લખ્યાં છે લક્ષણ ભક્તનાં, હરિયે હરિગીતામાંય ।।૮।। એવા ભક્તના અલબેલડો, પૂરેછે પૂરણ કોડ । તેહ વિનાના ત્રિશંકુ જેવા, રખે રાખો દલે કોઇ ડોડ ।।૯।। એક ભેરવજપ બીજી ભગતિ, તે અણમણતાં ઓપે નહિ । નિષ્કુલાનંદ નક્કી વારતા, જે કે’વાની હતી તે કહી ।।૧૦।। કડવું ।।૪૩।। read more
0 Views : 1252

ભક્તિનિધિ કડવું:- ૪૪

રાગ:- ધન્યાસરી ભક્તિનિધિ આ ગ્રંથ જે ગાશેજી, ભક્તિનો ભેદ તેને જણાશેજી । સમઝીને પછી ભક્ત ભલો થાશેજી, ત્યારે બીજાં બંધનથી મૂકાશેજી ।।૧।। રાગ :- ઢાળ મૂકાશે બીજાં બંધનથી, રહેશે રાચી સાચી ભલી ભક્તિયે । ખરા ખોટાની ખબર ખરી, પડશે પોતાને તહિયે ।।૨।। વિધવિધે વિચારશે, ધારશે ભક્તિ મન દૃઢ કરી । ભક્તિ વિના કોઇ ભલું કરવા, ભાળશે નહિ ભવમાં ફરી ।।૩।। સહુથી સરસ સમઝશે, ભક્તિ અતિ ભગવાનની । તેને તોલ તપાસતાં, નહિ જડે જોડ એ સમાનની ।।૪।। એવાને ભક્તિ અતિ ભાવશે, ગાવશે ગુણ ભક્તિતણા । જાણશે પોતાના જીવમાં, જે ભક્તિથી ઉદ્ધર્યા ઘણા ।।૫।। મોટેમોટે વળી મહિમા, ભાખ્યો ભક્તિનો ભારે બહુ । તે ભક્તિ પ્રભુ પ્રગટની, સમઝુ સમઝી લિયો સહુ ।।૬।। બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું । પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું ।।૭।। માટે કોઇને એ કરતાં, ભાવ થાતો નથી ભીંતરમાં । પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, ઘણું આદરી બેઠા ઘરોઘર ।।૮।। જિયાં આવ્યું જેને બેસતું, તિયાં ભળી થયા ભગત । એવે ભક્તે આ બ્રહ્માંડ ભરિયું, એપણ જાણવી વિગત ।।૯।। સાચી ભક્તિ શ્રીહરિ સંબંધી, વર્ણવી વારમવાર । નિષ્કુલાનંદ હવે નહિ કહે, સહુ સમઝજો નિરધાર ।।૧૦।। કડવું ।।૪૪।। read more
0 Views : 1251

ભક્તિનિધિ પદ:-૧૧

રાગ :-  પરજ નિરધારી છે નિગમે વાતરે સંતો નિર૦ । થાયે ભક્તિયે હરિ રળિયાતરે; સંતો૦ ।। ટેક . ભક્તિ વિના ભવ રોગ ન નાસે, રહે દુઃખ દિન રાત । ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમઝી લેવું સાક્ષાતરે; સંતો૦ ।।૧।। ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણીઘણી ઉવૈયા ઘાત । ભક્તિ કરી ભારે ભાગ્ય જાગેછે, નથી એ વાત અખ્યાતરે; સંતો૦ ।।૨।। ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહિ તેની જાત । ધન્ય ધન્ય એ જનનું જીવન, જેણે ભક્તિ કરી ભલી ભાતરે; સંતો૦ ।।૩।। ભક્તિ કરી ખરી મોજ જેણે લીધી, તેણે થયા ભક્ત એ એકાંત । નિષ્કુલાનંદ કે’ નાથ મળીને, દીધી ભક્તિની દાતરે; સંતો૦ ।।૪।। પદ ।।૧૧।। read more
0 Views : 1286

ભક્તિનિધિ ધોળ

રાગ :- ધોળ વધામણાનું ભક્તિ છે ભવજળ વહાણ, સિંધુ તરવા સુખરૂપછે એ । સમઝીને જુવો સુજાણ, પાર ઉતરવા એ અનુપ છે એ ।।૧।। રાગ :- ઢાળ એહ નાવથી જો અપાર, ઉતરિયા અર્ણવને એ । ન થાય તેનો નિરધાર, તો શું કરું તેના વર્ણવને એ ।।૨।। ચ્ચ ને નીચ અનંત, પાર સહુને પોત કરે એ । એમ ભક્તિથી જાણજો જન, સુખ કાંઇ પામ્યા સરે એ ।।૩।। ધન્ય એ ભક્તિ ઝાજ, તારી તરીયે તીર કર્યાં એ । પામિયા સુખ સમાજ, તે ભક્તિ પ્લવે તર્યા એ ।।૪।। બેઠા એ બેડીનેમાંયે, બુડવાની તો બીક ટળી એ । કરવું રહ્યું નહિ કાંય, બ્રહ્મમોહોલમાં બેઠા ભળી એ ।।૫।। સંતને એ સુખરૂપ, હોડી રૂડી હરિભગતિ એ । કોણ ભિક્ષુ કોણ ભૂપ, સહુને આપે એ શુભ ગતિ એ ।।૬।। એહ વિના નર નિરધાર, પાર તે કોઇ પામ્યા નહિ એ । શું કહિયે વારમવાર, સહુ સમઝીને કરો સહિ એ ।।૭।। વખાણી વા’ણને તોલ, ભક્તિ અતિ ભવ તરવા એ । ભાગે આવે બ્રહ્મમો’લ, કેડે ન રહે કાંઇ કરવા એ ।।૮।। ભક્તિથી નર અમર, અસુર પણ ઉદ્ધર્યા કંઇ એ । સદા સુખ થાવાનું ઘર, ભક્તિ વિના ભાળ્યું નઇ એ ।।૯।। ભક્તિ વશ્ય  ભગવાન, આવેછે અક્ષરધામથી એ । નક્કી એ વાત નિદાન, જૂઠી જરાયભાર નથી એ ।।૧૦।। જેજે ધર્યા અવતાર, તે ભક્તની […] read more
0 Views : 1378

સ્નેહગીતા કડવું:- ૦૧

રાગ: ધન્યાસરી – મંગળ મૂર્તિ છે શ્રીમહારાજજી, વ્રજજન વલ્લભ શ્રીવ્રજરાજજી । મે’ર મુજ ઊપર કરો એવી આજજી, અંતર ઈચ્છેછે ગાવા ગુણ કાજજી ।।૧।। ઢાળ – ગુણ ગાવા ગોવિંદ તમારા, ઈચ્છા તે મુજને અતિ ઘણી ।  ચવું ચરિત્ર સ્નેહગીતા, જેવી મતિ ગતિ છે મુજતણી ।।૨।। સ્નેહે કથા હવે સુણો સહુ, બહુ પ્રકારે મ પેખિયું । જપ તપ તીરથ જોગ યજ્ઞ, સ્નેહ સમાન નવ દેખિયું ।।૩।। દાન પુણ્ય ને વ્રત વિધિ, કરે ભકિત નવધા કોય ।  સ્નેહ વિના સરવે સૂનું, જેમ ભોજન ઘૃત વીણ હોય ।।૪।। નીર વિના જેમ સૂકું સરોવર, સુગંધ વિના શિયાં ફુલ ।  તેમ સ્નેહ વિના સૂનું હૃદય, શું થયું ચવેછે ચંડૂલ ।।૫।। પ્રેમ પખિ છે લૂખી જો ભગતિ, કોઈ અનેક ગુણ ભાખે ભણે । ચૌદ વિદ્યાવાન ચતુર જન, વળી કવિ કોવિદને કોણ ગણે ।।૬।। સ્નેહ વિના લૂખું લાગે, કથતાં તે કોરૂં જો જ્ઞાન । હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની જાન ।।૭।। સ્નેહ વિના શોભે નહિ, હૃદય તે હરિદાસનું । પંકજનયનની પ્રીત વિના, અમથું શું રહેવું ઊદાસનું ।।૮।। નેહનાં નયણે નીર વરસે, ગાતાં ગદગદ ગિરા  નિસરે ।  કૃષ્ણ કૃષ્ણ કહેતાં મુખે, વળી વપુ વિકારને વિસરે ।।૯।। પ્રીતે ચિત્ત ચરણે સાપી, અને સ્નેહ સાચો જે કરે, નિષ્કુલાનંદના નાથ સાથે, સ્નેહીને સદા સંગે ફરે ।।૧૦।। કડવું ।।૧।। read more
0 Views : 1626

સ્નેહગીતા કડવું:- ૦ર

સ્નેહની મૂર્તિ સુંદર શ્યામજી, પ્રેમે કરી પ્રગટ્યા ગોકુળ ગામજી। સ્નેહી જનનાં સારવા કામજી, નટવર નાગર સદા સુખધામજી ।।૧।। ઢાળ – સુખના સાગર શ્રીહરિ, જેનેદેખતાં દિલડું ઠરે । મૂર્તિ જોતાં માવજીની, હેલામાં મન મુનિનું હરે ।।૨।। જેને જોઈ મોહી જનજુવતી, અતિ પ્રીત કરી હૈયે હેતશું । સ્નેહ બાંધ્યો શ્યામ સંગે, સાપી તન મન ધન સમેતશું ।।૩।। વળી પશુ પંખી ને વૃક્ષ વેલી, હરિપ્રીતમાં પરવશ થયાં । સરિતા સર ને નાગ નગ જે, સ્નેહમાં સંકુલાઈ રહ્યાં ।।૪।। ગાયો ગોપી ને ગોવાળીએ, હરિ આત્માથી અધિક કર્યા । સ્નેહ બાંધ્યો પ્રેમ વાધ્યો, પ્રીત રીત અતિ આચર્યા ।।૫।। મીનનું જીવન જળ જોને, જેમ ચકોર સ્નેહી ચંદ છે । તેમ વ્રજ જુવતીનું જીવન જાણો, શ્રીનંદજીનો નંદ છે ।।૬।। જેમ મોરનું મન મળ્યું મેઘશું, જેમ બપૈયો સ્નેહી સ્વાંતનો । તેહ થકી અધિક અંગે, સ્નેહ જુવતી જાતનો ।।૭।। જેમ અગ્નિને સંગે ઓગળે, મીણ માખણ ને ઘણું ઘૃત । તેમ કૃષ્ણ મળે મન ગળે, અને ટળે તે તન શુદ્ધ તરત ।।૮।। જેહ નયણે નિરખે નાથને, તેનું હાથ હૈયું કેમ રહે । તે લાજ તજે કૃષ્ણ ભજે, એવી સ્નેહમૂર્તિ છે સુખ મહે ।।૯।। નટવર નાગર સુખસાગર, મનોહર મૂર્તિ મદનજી, નિષ્કુલાનંદ ગોવિંદ છબી, સુખતણું જો સદનજી ।।૧૦।। કડવું ।।૨।। read more
1 Views : 1430

સ્નેહગીતા કડવું:- ૦૩

સુખમય મૂર્તિ જોઈ જન ગોપીજી, રહી હરિ ચરણે તન મન સાપીજી। અંતરની વૃત્તિ હરિમાં આરોપીજી, લોક કુટુંબની લજજા જેણે લોપીજી ।।૧।। ઢાળ – લોપી લજજા જેણે લોકની, અને સ્નેહવશ થઈ સુંદરી । સોબત કીધી શિશ સાટે, એવી અચળ પ્રીત હરિશું કરી ।।૨।। હરતાં ફરતાં કામ કરતાં, કૃષ્ણ કૃષ્ણ કરે કામિની,  પ્રીત વશ થઇ પ્રમદા, જાતિ જાણે નહિ દિન જામની ।।૩।। ખાતાં પીતાં બોલતાં, વળી સ્નેહમાં શુદ્ધ વિસરી ।  સૂતાંસૂતાં જાગે ઝબકી, ઊઠે કૃષ્ણકૃષ્ણ મુખે કરી ।।૪।। વાટે ઘાટે વન જાતાં, મન તન મોહનશું મળ્યું । લોક લાજ વેદવિધિ વિસરી, વળી ભાન તનનું તે ટળ્યું ।।૫।। વળી શ્રવણમાં ભણકાર સુણે, જાણે નયણે નિરખું છું નાથજી । મુખવાંણે વળી એમ જાણે, વાત કરૂં છું વાલા સાથજી ।।૬।। અંગોઅંગે એમ ગોપી, પરિપૂર્ણ થઇ પ્રીતમાં । સાધન તે હવે શું કરે, જેને કૃષ્ણ વિના ના’વે બીજું ચિત્તમાં ।।૭।। મરજાદા મેલી થઇ ઘેલી, ઊન્મત્તદશા આવી અંગે ।  તેણે કરી તન ત્રાસ ટળ્યો, મળ્યો પ્રાણ કૃષ્ણને સંગે ।।૮।। આપ ગળ્યું મન મળ્યું, ટળ્યું કાયા કલેશનું કરવું ।  એક સ્નેહ માંહિ સર્વે આવ્યું, અન્ય ન રહ્યું આચરવું ।।૯।। પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, તેતો શિખવ્યું આવે નહિ। નિષ્કુલાનંદ નાવે કહિએ, સ્નેહી જનનો સ્નેહ સહિ ।।૧૦।। કડવું ।।૩।। read more
0 Views : 1417

સ્નેહગીતા કડવું:- ૦૪

પ્રીત કરી પ્રમદા તે પરસ્પર પડીજી, જગના જીવન સંગે મોબત જડીજી । ચિત્તે રંગ ચટકી તે ચોળની ચડીજી, નિત્યપ્રત્યે નવલો નેહ ઘડી ઘડીજી ।।૧।। ઢાળ – ઘડિયે ઘડિયે ઘણો ઘણો, સનેહ વાધ્યો શ્યામશું । વણ દિઠે વળી વિલપે વનિતા, રહે ઊદાસી ધન ધામશું ।।૨।। અર્ધ ક્ષણ રહી ન શકે, વણ દિઠે વદન વ્રજરાજનું । શેરિયે શેરિયે શોધે સુંદરી, લેશ ન લાવે વળી લાજનું ।।૩।। માંહોમાંહિ વળી પુછે, બાઈ કૃષ્ણજી તે કયાં હશે । કોઈ બતાવો કાન મુજને, જોઉં મુખ કાંઈક લઈ મસે ।।૪।। વન ભવન વાટ વીથિની, વળી જુવે જમુના તીર । અણ દિઠે અલબેલડો, કોઇ ધરી ન શકે ધીર ।।૫।। વણ દિઠે ઘડી વીતે વસમી, જુગતુલ્ય પળ એક જાય । પ્રાણ ગતવત થઈ પડે, એમ ગરક સ્નેહમાંય ।।૬।। એમ કરતાં આવિ અચાનક, જોદેખે દ્રગેદયાળને । પણ નાથ નયણે નિરખ્યા વિના, સ્નેહી ન કરે શરીર સંભાળને ।।૭।। માંસ વિના શ્વાસ રહે, જન સ્નેહીના શરીરમાં ।  પ્રાણ જેના પડયા પરવશ, તેનાં નયણાં ભર્યાં રહે નીરમાં ।।૮।। અતિ ઊદાસ નિઃશ્વાસ મુકે, અને સુકે નહિ નીર નયણે ।  હે સખા હે સુખકારી, એમ વદે વળી વળી વયણે ।।૯।। પ્રીતની તો રીત એહવી, જેનું મન મોહનશું મળ્યું ।  નિષ્કુલાનંદ સ્નેહી જનનું, કારણ નવ જાયે કળ્યું ।।૧૦।। કડવું ।૪। read more
0 Views : 278
Powered By Indic IME