Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

યમદંડ કડવું:- ૧૨

પૂર્વછાયો :- પછી પ્રાણી પોકારીને, કહે સુણો ધર્મ નિદાન ।। અધર્મ આવો કાં કરો, કાંરે કોયે ન સાંભળો કાન ।। ૧ ।। જે દીથી તન મેં ત્યાગિયું, તે દીથી મારો જ માર ।। અંગોઅંગ ભાંગી ગયાં, તોય હજી ન આવ્યો પાર ।। ૨ ।। ધર્મ નામ શીદ ધારિયું, જયારે દયા નહિ દિલમાંય ।। મુજ જેવા કંગાલ પર, નથી કરુણા જો કાંય ।। ૩ ।। મેં જાણ્યું મન માહરે, ગુહ્ના બક્ષશે ધર્મરાય ।। ત્યાં તો સામું કોપ કરી, મુને નાખ્યો મહાદુઃખ માંય ।। ૪ ।। એવું સુણી રાય બોલિયા, તું સાંભળ્ય પાપી વાત ।। જમદંડને તેં જૂઠા જાણી, ઘણી ઘણી કરતો ઘાત ।। ૫ ।। કહ્યું શાસ્ત્ર સંતે મળી, સુણી તે ન માન્યું મન ।। આજ મનાવે છે અમને, જેને છે હરિનું વચન ।। ૬ ।। સાચા સંતથી સુણ્યું નહિ, સત્યશાસ્ત્રનું તે સાર ।। નિજ દોષ નથી દેખતો, કરે છે બીજાને ગુનેગાર ।। ૭ ।। હવે લઈ જાઓ જમદૂત એને, આપું છું આગન્યા એહ ।। અઠ્ઠાવીશ જે નરક છે, હવે ભોગવે મર તેહ ।। ૮ ।। એમ રાયે આજ્ઞા કરી, તે ધરી જમદૂતે ચિત્ત ।। કઠણ છે કૂપ નરકના, મહા ભયંકાર ભયભીત ।। ૯ ।। તે જુકતે કરી કહું જૂજવાં, કહુ નરકનાં જે નામ ।। જેહ પાપે પડે નરકમાં, પાપી પુરુષ […] read more
0 Views : 1307

યમદંડ કડવું:- ૧૩

પૂર્વછાયો :- હરિજનદ્રોહી વિપ્રવિરોધી, ગુરુદેવનો ગુનેગાર ।। એવો જે અભાગિયો, તે પડ્યો નરક મોઝાર ।। ૧ ।। જે જેવાં કર્મ કરે, ભાઈ તેને જ તેવો દંડ ।। પછી પાપ તપાસી નાખિયો, કાળસૂત્ર નરકને કુંડ ।। ૨ ।। પિતા વિપ્ર વેદ દ્રોહી, પશુ વેંધી કરે જે પાપ ।। તેહ પાપે કાળસૂત્રમાં, પાપી પામે છે સંતાપ ।। ૩ ।। તે કુંડ ઊંડો ભૂંડો ઘણો, એને ઉપમા કેની દઈયે ।। પાપી પ્રાણીને પીડવા, સર્વે દુઃખનો સિંધુ કહિયે ।। ૪ ।। દશ હજાર જોજન ફરતો, તાંબાવરણો છે તેહ ।। ઉપર હેઠે અગ્ન અર્કે, અતિશય તપાવ્યો એહ ।। ૫ ।। ચોપાઈ :- ભૂખ પ્યાસ પીડે ત્યાં અપાર, બળે દેહ અંતર ને બા’ર ।। માર્યા પશુ શરીરના વાળ, તેને લેખે કિંકર તતકાળ ।। ૬ ।। એટલાં હજાર વર્ષ સુધી, મારે છે એ નરકમાં રુંધી ।। સુવે બેસે લોટે ઊભો થાય, ધોડે પડે ગોટિકલાં ખાય ।। ૭ ।। તડફડે ફડફડે ઘણું, આવ્યું પાપ કરેલ આપણું ।। લીધો ઘેરી વેરી વશ થયો, મારો મારો કહે દુઃખ દિયો ।। ૮ ।। શું વિચારી રહ્યા છો મનમાં, કરો પ્રહાર અતિ એના તનમાં ।। પછી તેમ જ દિયે છે દુઃખ, પામે પીડા પ્રભુનો વિમુખ ।। ૯ ।। એવી રીતે વીતે કંઈ દન, પછી નાંખ્યો અસિપત્ર વન ।। અસિ જેવી બેઉ કોરે […] read more
0 Views : 1358

યમદંડ કડવું:- ૧૪

પૂર્વછાયો :- એહ નરકથી નીસર્યો, બહુ વરસ રહી બા’ર ।। ત્યાર પછી દુઃખ પામશે, તે કહું કરી વિસ્તાર ।। ૧ ।। વજ્રકંટક શાલ્મલી, નામે નરક નિદાન ।। જેહ પાપે પાપી પડે, કહું સૌ સુણો દઈ કાન ।। ૨ ।। પાપી પરત્રિય પશુ આદિ, કરે કામવશ પ્રસંગ ।। એહ પાપે પરલોકમાં, પામે તે દુઃખ અભંગ ।। ૩ ।। સ્પર્શના જો સુખ સારુ, કર્યો ધર્મનો તે લોપ ।। તેની ઉપર દૂત જમના, કરે છે અતિશય કોપ ।। ૪ ।। સમું કહેતાં વસમું, સમજતો નર સોય ।। વજ્રકંટકે વસિયો, જયાં સા’ય ન કરે કોય ।। ૫ ।। વજ્ર સરીખે કાંટે કહિયે, શાલ્મલીનાં ઝાડ ।। તેહ ઉપર નાખી તાણે, પાડે ત્યાં રાડોરાડ ।। ૬ ।। દેતાં દંડ જમદૂત હારે, ત્યારે જ આવે અંત ।। ચાલતો વહીવટ વિપત્તિનો, સત્ય માનજયો બુદ્ધિવંત ।। ૭ ।। એમ પ્રાણી ભોગવે, નિત્ય પ્રત્યે દુઃખ અનંત ।। ત્યાંથી પડે વૈતરણીએ, ભાઈ કહું તેનું વરતંત ।। ૮ ।। ચોપાઈ :- આલોકે નૃપ નૃપના જન રે, સતકુળમાં થયા ઉત્પન્ન રે ।। પણ ધર્મ મર્યાદાને ભાંગી રે, વર્તે અધર્મે નર અભાગી રે ।। ૯ ।। એવા રાજા ને રાજાના ભૃત્ય રે, પડે વૈતરણીએ પામી મૃત્ય રે ।। જેમાં વિષ્ટા મૂત્ર પરુ લોઈ રે, કેશ નખ અસ્થિ મેદ સોઈ રે ।।૧૦।। માંસ ત્વચાએ ભરી […] read more
0 Views : 306

યમદંડ કડવું:- ૧પ

પૂર્વછાયો :- વળી અભાગી જીવને, સૂઝે જ અવળાં કામ ।। ઘમગમાં ચાલતાં, કયાંથી સુખને વિશ્રામ ।। ૧ ।। ડોડા ભૂંડા ખાધાં ખરા, ધાંખે કરી ધંતૂરાતણા।। ચડ્યો કેફ તેનો ચિત્તને, કહો કાંઈ રહે મણા ? ।। ૨ ।। સુણો સહું આ લોકમાં, કરે નરનારી મળી પાપ ।। કાળી ભૈરવ દેવ તામસી, જે જે નર પશુ મારી આપ ।। ૩ ।। માંસ ખાઈ પશુ મનુષ્યનું, થાય નર નારી પ્રસન્ન ।। તેહ જાય જમપુરીએ, પડે રક્ષોગણ ભોજન ।। ૪ ।। માર્યા નર પશુ અવતરી, ત્યાં રાક્ષસના ગણ થાય ।। જેમ ખાધું’તું માંસ એહનું, તેમ તેનું એહ જ ખાય ।। ૫ ।। જેમ એ નરનારીએ, કર્યું હતું નૃત્ય ને ગાન ।। તેમનું તેમ રાક્ષસ કરે, ખાઈ માંસ કરી લોહીપાન ।। ૬ ।। ચોપાઈ :- વળી આ લોકમાં અપરાધી રે, કરે પાપ ન કરે પારાધી રે ।। આવે શરણ જીવવાને જન રે, આણી અતિ વિશ્વાસ મન રે ।। ૭ ।। એવા વન ગામના જીવ જેહ રે, આવે જીવવા આશરે તેહ રે ।। તેને શૂળ કે સૂત્રની ફાંસી રે, તેણે કરીને માર્યાં વિશ્વાસી રે ।। ૮ ।। પછી મરી જમપુર જાય રે, તેને જમદૂત પ્રોવીને ખાય રે ।। આપે દુઃખ નાપે અન્નપાણી રે, આવે મૂરછા બંધાય વાણી રે ।। ૯ ।। પડે પૃથવી ઉપર આપ રે, […] read more
0 Views : 222

યમદંડ કડવું:- ૧૬

પૂર્વછાયો :- હવે સુણો સહુ શુભમતિ, કહુ કથા સુંદર સાર ।। પ્રગટ પ્રભુ ભજયા વિના, પામે પ્રાણી દુઃખ અપાર ।। ૧ ।। સહે દુઃખ સોળે શહેરનાં, ભોગવે નરક અગણિત ।। પછી ચાલે ચોરાશિયે, સુણો સહુ કહું તેની રીત ।। ૨ ।। ચોરાશી રાશિ દુઃખની, છે અતિ અતોલ અમાપ ।। જેમાં જીવ જૂજવા, પામે છે પરિતાપ ।। ૩ ।। જેને માથે એહ દુઃખ છે, તે નથી સુખી લગાર ।। કોણ ડાહ્યાં ભોળાં કહિયે, કોણ ગુણવંત ને ગમાર ।। ૪ ।। કોણ રંક રાજા કહિયે, કોણ શ્રીમંત ને શાહુકાર ।। જેને માથે જન્મ મરણ છે, તે તો સર્વે એક જ હાર ।। ૫ ।। કોણ જોગી જતિ કહિયે, કોણ ત્યાગી તપસી તેહ ।। ચોરાસીનું નવ ચૂકિયું, તો અમથો કલેશ એહ ।। ૬ ।। હાર્યો જીત્યો કોણ જાણિયે, કોણ સતી ને શૂરવીર ।। દાતા દીન કેને કહિયે, જેને એહ દુઃખ છે શિર ।। ૭ ।। જેહ કષ્ટ કહેવાય નહિ, જિહ્વાએથી જરૂર ।। ચવું ચારે ખાણ્યનાં, ભારે દુઃખ ભરપૂર ।। ૮ ।। અંડજ ઉદ્ભિજ સ્વેદજ જરાયુજ, ખરી એ ચારે ખાણ ।। એકવીશ લાખ એક એકમાં, તેહ પિંડ ધરે પરિમાણ ।। ૯ ।। કિયાંક સુખી કિયાંક દુઃખી, તન સહે ત્રિવિધ તાપ ।। શરીરધારી સુખી નહિ, સદા રહે શિર સંતાપ ।।૧૦।। ચોપાઈ :- શુભાશુભ કર્મ અનુસાર, […] read more
0 Views : 225

યમદંડ કડવું:- ૧૭

પૂર્વછાયો :- વિવિધ ભાતે વર્ણવી, કહ્યાં કષ્ટ જીવનાં જેહ ।। તેહ સાંભળતાં શ્રવણે, સહુના તે કંપે દેહ ।। ૧ ।। અલ્પ આયુષ્યમાં એવડી, પીડા પામે છે પ્રાણી અપાર ।। એહ દુઃખની આગળે, સુખ સ્વપ્ના જેવો સંસાર ।। ૨ ।। મનુષ્ય દેહને મૂકતાં, દુઃખ તરત છે એ તૈયાર ।। તેનો ઉપાય અભાગિયા, કાં રે કરો નહિ નરનાર ।। ૩ ।। માથે નગારાં મોતનાં, વાજે છે બહુ વિધ ।। પળે પળે રીત પલટે, પેખી જુવોને પ્રસિદ્ધ ।। ૪ ।। બાળ જુવાપણ બે ગયાં, વૃદ્ધપણ વણસતું જાય ।। આજ કાલ્યમાં ઊઠી ચાલવું, સહુ વિચારો મનમાંય ।। ૫ ।। યાંથી અચાનક ચાલતાં, સઈ વસ્તુ આવશે સાથ ।। વણ સમજયે વિપત્તિની, શીદ ભરી રહ્યા છો બાથ ।। ૬ ।। સાચો સમાગમ શોધીને, ટાળો માથેથી એ ત્રાસ ।। નરસે સંગે નહિ મટે, મરણ ને ગર્ભવાસ ।। ૭ ।। મેં કહ્યું આ જીવને, કુસંગ છે દુઃખરૂપ ।। કુસંગ કહિયે જેહને, કહુ તેહનું હવે સ્વરૂપ ।। ૮ ।। ચોપાઈ :- મોટો કુસંગ તે નિજદેહ, જેમાં જીવે બાંધ્યો છે સનેહ ।। એહ અર્થે કરતાં અનર્થ, જીવ ખુવે છે જનમ વ્યર્થ ।। ૯ ।। કૂડ કપટ દગા ને ઘાત, થાય દેહ સારુ સર્વે વાત ।। છળ ચોરી હિંસા કરી હણે, આપ સ્વારથે પાપ ન ગણે ।।૧૦।। એવું પાપ નથી જગ […] read more
0 Views : 262

યમદંડ કડવું:- ૧૮

પૂર્વછાયો :- સદમતિ સહુ સાંભળો, મેં કહ્યું કુસંગનું રૂપ ।। અસત્ય નથી એમાં અણુ, છે તેમ જ તે તદરૂપ ।। ૧ ।। વિષ વ્યાળ વેરી થકી, કહો સુખ પામે કુણ ।। અનેક જુગ વીત્યા વીતશે, તોય તેમાં તેના તે ગુણ ।। ૨ ।। તેમ કૃતઘની નરથી, પ્રાણી પામે દુઃખ અપાર ।। તેનું આશ્ચર્ય નહિ કશું, નિશ્ચય જાણો નિરધાર ।। ૩ ।। વળી કહ્યું મેં સતસંગથી, મટી જાય છે મહાદુઃખ ।। કહુ રૂપ હવે તેહનું, જેથી જીવને થાય છે સુખ ।। ૪ ।। ચોપાઈ :- સુણો સર્વે હવે નર નાર, કહું સત્સંગનું રૂપ સાર ।। અતિ મહિમા જેનો છે અપાર, કહેતાં કોઈ પામે નહિ પાર ।। ૫ ।। શેષ મહેશ ને સરસ્વતી, ગુણ ગાય જેના ગણપતિ ।। વળી શ્રીહરિ શ્રીમુખે કરી, ગાય સંતના જશ શ્રીહરિ ।। ૬ ।। શોધી જોતાં સંતની સમાન, નથી ત્રિલોકે વસ્તુ નિદાન ।। કલ્પતરુ કામધેનુ જેહ, શુદ્ધ પારસ ચિંતામણિ તેહ ।। ૭ ।। નવ નિધિ સિદ્ધિ સર્વે મળી, એહ આદિ સમૃદ્ધિ સઘળી ।। શોધી જોતાં એ સર્વેનું સાર, સુખ અલ્પ ને દુઃખ અપાર ।। ૮ ।। તે તો સંત સમ તોલ નાવે, જેના જશ નિગમ નિત્ય ગાવે ।। એવા સંત સહુના સુખકારી, જેના હૃદામાં રહ્યા મુરારી ।। ૯ ।। શુભ ગુણના સદન સંત, તેનો મહિમા મોટો છે […] read more
0 Views : 264

યમદંડ કડવું:- ૧૯

પૂર્વછાયો :- કુસંગ ને સતસંગનું, કહ્યું રૂડી રીતે કરી રૂપ ।। સર્વે જન હવે સાંભળો, કહું એક વાત અનુપ ।। ૧ ।। જે સુણી આ જીવને, ઊઘડે અંતરની આંખ્ય ।। સતસંગ સમજી કરે, તજે કુસંગ કરવા ધાંખ ।। ૨ ।। જેમ સર્વે સંત તણી, એકરે’ણી ને એક રીત ।। તેમ હરિની હોય નહિ, કહું તેહ સુણો દઈ ચિત્ત ।। ૩ ।। જીવના કલ્યાણ કારણે, ધરે જૂજવી જાતના તન ।। જિયાં જેવું કામ પડે, તિયાં તેવા થાય ભગવન ।। ૪ ।। ચોપાઈ :- હવે સાંભળો સહુ સુજાણ રે, કહું વાત શાસ્ત્ર પ્રમાણ રે ।। જેથી પ્રભુપણું પ્રિછાય રે, પ્રભુ પ્રગટમાં સંશય ન થાય રે ।। ૫ ।। દશ ચોવીશ આદિ અનંત રે, ધરે તન ઉદ્ધારવા સંત રે ।। મત્સ્ય કચ્છ ને વરાહ નામ રે, નૃસિંહ વામન પરશુરામ રે ।। ૬ ।। રામ કૃષ્ણ બુદ્ધ ને કલકી રે, એહ આદિ જે તન અલોકી રે ।। મત્સ્ય કચ્છ વારિમાં વિચર્યા રે, વરાહ નૃસિંહ વનમાં ફર્યા રે ।। ૭ ।। વામન પરશુરામ કહું વર્ણી રે, રામ કૃષ્ણની અલૌકિક કર્ણી રે ।। બુદ્ધ શુદ્ધબોધના દાતાર રે, કલ્કી ભૂમિહરણ ભાર રે ।। ૮ ।। ક્રિયા એકએકની ન મળે રે, એમ લખ્યું પુરાણ સઘળે રે ।। પણ કરવું જીવોનું કલ્યાણ રે, ધર્મ થાપી પાપી લેવા પ્રાણ રે […] read more
0 Views : 250
Powered By Indic IME