Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

વચનવિધિ કડવું:- ૧ર

વચનવિરોધીની વડાઈ કશીજી, જે જન વચનમાંથી ગયા ખશીજી મનમુખી થઈ મુખે ભૂસી મશીજી, જુવે જે વદન તે જન દિયે હસીજી હસી હસી હાંસી કરે, જોઈ એવા જનનું જોણ  ।। કરી કાળું મુખ માન્યું રૂપાળું, કહો કહે હવે એને કોણ ।। ર ।। વિધવા નારી કરે વડાઈ, સુત એક સારો જણી ।। પણ જાણતી નથી એ યોષિતા, જે શિર ઉપર નથી ધણી ।। ૩ ।। વળી બીજીનો પતિ પરદેશ છે, ઇયાં સુત જનમ્યા છે સાત ।। નથી ખબર એહ ખોટ્ય તણી, ધણી કેમ થાશે રળિયાત ।। ૪ ।। એમ વચન ઉલ્લંઘી વા’લા તણું, જે જે જન કરે છે કામ ।। તે લાજ જાશે આ લોકમાં, વળી થાશે જીવિત હરામ ।। પ ।। હરામી જીવને હોય નહિ, હૈયે ડર હરિના વચનનો ।। આસુરી મતિ આવી અતિ, તેણે જોરો દેખાડે જોબનનો ।। ૬ ।। કહો કામદુઘાનું ત્યાં કામ કશું, જયાં ઘણા ગદ્ધા ઘર બારણે ।। એમ આજ્ઞાકારીનું શું ઉપજે, જયાં વિમુખ હોય કાજ કારણે ।। ૭ ।। પણ હરિજનને હમેશ કરવો, વિચાર વારમવાર ।। હરિવચન વિમુખ ન થાવું, કહે નિષ્કુળાનંદ નિરધાર ।। ૮ ।। read more
0 Views : 192

વચનવિધિ પદ:- ૩

રાગ-ધોળ:- ‘આજ મારે ટાણું આવ્યું છે મહાસુખનું’ એ ઢાળ. સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરિયે દિવસ ને રાત રે; સંતો વિશ્વાસ કરતાં વિમુખનો, વણશી જાયે જો વાત રે.  સંતો૦ ।। ૧ ।। સંતો વિમુખ વિખ આપે વાતમાં, કરી હેત અપાર રે; સંતો રગરગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રે.   સંતો૦ ।। ર ।। સંતો સોબત ન ગમે પછી સંતની, વા’લા લાગે વિમુખ રે; સંતો નિયમ ન ગમે નાથનાં, માને મોકળે સુખ રે.   સંતો૦ ।। ૩ ।। ત્યારે કરવાનું છે તે કયાંથી કરે, થાયે ન કર્યાનું કામ રે; કહે નિષ્કુળાનંદ નિશ્ચે નર, ન પામે સુખ ઠામ રે.  સંતો૦ ।। ૪ ।। read more
0 Views : 169

વચનવિધિ કડવું:- ૧૩

વચન વિમુખ મા થાશો કોઈજી, નર અમર વિમુખનાં સુખ જોઈજી મોટા બેઠા મોટ્યપ વચન વિના ખોઈજી, માટે હરિ વચને રહો રાજી હોઈજી રાજી થઈ રહો વચનમાં, લોપશો મા વચન લગાર ।। વચન લોપતાં મોટા મોટા, પામ્યા દુઃખ અપાર ।। ર ।। નારદ સરીખા નહિ કોયે, બીજા મહા મોટા મુનિજન ।। તેણે પણ ન તપાશિયું, લોપ્યું વાલાનું વચન ।। ૩ ।। ત્યાગી થઈ ત્રિયા કર જોયો, ખોયો વિચાર વરવા કર્યું ।। પર્વત પણ ઇચ્છ્યા પરણવા, બેઉનું સિદ્ધાંત એક ઠયુર્ં ।। ૪ ।। ત્યારે કન્યા તાતે વાત કહી, સ્વયંવર રચીશ સવારમાં ।। ઇચ્છાવર કન્યા વરશે, તમે બેઉ રે’જો તૈયારમાં ।। પ ।। ત્યારે બેઉ ધાયા હરિ પાસળે, રૂડું માગવા રૂપ અનુપને ।। વળી પરસ્પર ઇચ્છ્યા, થાવા રૂપ કુરૂપને ।। ૬ ।। ત્યારે હસીને હરિ બોલિયા, થાશે અવસર પર રૂપ એમ ।। પછી મર્કટ મુખ બન્યાં બેઉના, કહો કન્યા વરે તેને કેમ ।। ૭ ।। લાજ ગઈ ને કાજ ન સયુર્ં, વળી લોપાણું હરિનું વચન ।। નિષ્કુળાનંદ કહે એ નીપજયું, તે જગે જાણે છે સહુ જન ।। ૮ ।। read more
0 Views : 178

વચનવિધિ કડવું:- ૧૪

વળી એક વચન વિરોધીની વાતજી, સતી પતિવ્રતા સીતા સાક્ષાતજી આપે ઇન્દરા જગે જાનકી વિખ્યાતજી, તેણે પણ કરી આજ્ઞાની ઘાતજી ઘાત થઈ તેની વાત કહું, જાનકી બોલિયાં એમ ।। લછમન તમારા ભાઈની ભીડ્યે, જાઓ બેસી રહ્યા કો’ કેમ ।। ર ।। ત્યારે રામાનુજ કહે રામને, નથી લોપનાર ત્રિલોકમાં ।। વચન માની મગન રહો, શીદ રહો છો શોકમાં ।। ૩ ।। ત્યારે વૈદેહીએ વચનનાં, લછમનને લગાડ્યાં બાણ ।। તું જાણે રામ મર્યે વરે મુજને, તે ન વરું તજીશ હું પ્રાણ ।। ૪ ।। ત્યારે રામાનુજે હૃદે ધારિયું, ઇન્દરા તોયે પણ સ્ત્રી ખરી ।। પછી રામની આણ્ય આપી ચાલિયા, કેડે લંકેશ વેષ આવ્યો ધરી ।। પ ।। સંન્યાસીરૂપે કહ્યું સીતાને, આપ્ય ભિક્ષા મને આદર કરી ।। છૂટી ભિક્ષા હું છોડીને ચાલીશ, નૈ’તો આપ્ય આણ્યથી બાર નીસરી ।। ૬ ।। આજ્ઞા લોપી શ્રીરામની, ભિક્ષા આપવા નીસરી બા’ર ।। તર્ત રાવણ તેડી ચાલિયો, પછી પામિયા દુઃખ અપાર ।। ૭ ।। વિપત્તિ પડી વિયોગ થયો, રહ્યાં રામજીથી વળી દૂર ।। નિષ્કુળાનંદ કહે વચન લોપતાં, આવે દુઃખ જાણજો જરૂર ।। ૮ ।। read more
0 Views : 153

વચનવિધિ કડવું:- ૧પ

પછી સીતા સારુ શ્રીરઘુવીરજી, બાંધી પાજ ઊતર્યા સિંધુતીરજી લીધી લંકા છેદી રાવણનાં શિરજી, પછી સીતા તેડાવ્યાં મળવા અચિરજી સીતાને કહ્યું રામજીએ, જેમ હોય તેમ રાખી વેશ ।। આવી મળો તમે અમને, ફેર પાડશો મા વળી લેશ ।। ર ।। ત્યાં તો વિભીષણે ભાવે કરી, સજાવ્યો સુંદર શણગાર ।। તેડી આવ્યા રામ પાસળે, ત્યાં તો રામે કર્યો તિરસ્કાર ।। ૩ ।। આજ્ઞા લોપીને આવિયાં, તેણે રાજી ન થયા રામ ।। પછી અગ્નમાં અંગ અરપ્યું, એવું કરવું પડ્યું કામ ।। ૪ ।। ત્યારે દશરથ આદિ દેવતા, સહુએ કર્યો સતકાર ।। ત્યારે રામજીએ રાખિયાં, શુદ્ધ જાણી સીતા નાર ।। પ ।। વચન લોપતાં વિપત્ય પડી, શણગારનું ન રહ્યું સુખ ।। એમ આજ્ઞા ઉલ્લંઘીને, ન થાવું વચનથી વિમુખ ।। ૬ ।। મોટાને પણ માનવા જોગ્ય, આજ્ઞા શ્રી જગદીશની ।। છોટી મોટી જે આગન્યા, તે સરવે છે વસા વિશની ।। ૭ ।। આજ્ઞામાં આનંદ ઘણો, આવે નર નિર્જરને  અતિ ।। નિષ્કુળાનંદ કહે ન લોપવી, આજ્ઞા હરિની એક રતિ ।। ૮ ।। read more
0 Views : 203

વચનવિધિ કડવું:- ૧૬

વળી એક વારતા સાંભળો સારીજી, લીધી લંકાપુરી રાવણને મારીજી પછી કહ્યું રામે રામાનુજને વિચારીજી, વે’લા આવો વિભીષણને પાટે બેસારીજી પાટે બેસારી વે’લા આવજો, વિસારશો મા એહ વચનને ।। વળી વારું  છું તમને, બેસશો મા રાવણ આસને ।। ર ।। પછી જઈ જોઈ લંકાપુરી, દીઠી રાવણની રિદ્ધિ અતિ ।। ગમ વિના બેઠા ગાદિયે, તિયાં તર્ત ફરી ગઈ મતિ ।। ૩ ।। ત્યાં તો સુણ્યું નગારું સેનનું, શ્રીરામનું શ્રવણે કરી ।। કહે કેનું નગારું એ કોણ છે, મારી કાઢો એ સેના પરી ।। ૪ ।। એમ વચન વિસારતાં, મતિ રતી પણ નવ રઈ ।। પછી આસનથી ઊતર્યા, ત્યારે ભારે અતિ ભોંઠપ થઈ ।। પ ।। વળી અયોધ્યાની વારતા, રામે કહ્યું રામાનુજને ।। આવવા મા દેશો અમ પાસળે, વળી પૂછ્યા વિના મુજને ।। ૬ ।। અણ પૂછ્યે દીધી આગન્યા, દુર્વાસાને દર્શન તણી ।। તે વચન લોપાણું જાણી રામજી, કહ્યું જયારે મુનિસભા ભણી ।। ૭ ।। ત્યારે ઋષિ કહે વચનદ્રોહીનું, મુખ ન જોવું પાછું ફરી ।। નિષ્કુળાનંદ પછી રામાનુજે, વાત સત્ય એ માની ખરી ।। ૮ ।। read more
0 Views : 147

વચનવિધિ પદ:- ૪

રાગ-ધોળ:- ‘આજ મારે ટાણું રે આવ્યું છે મહાસુખનું’ એ ઢાળ. સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણું રે ગુનેગાર રે; સંતો જયાં જયાં જાયે ત્યાં જન મળી, વળી કરે તિરસ્કાર રે.   સંતો૦ ।। ૧ ।। સંતો લેશ વચન જો લોપિયે, અતિ થઈ ઉન્મત્ત રે; સંતો એક એકડો જેમ ટાળતાં, ખોટું થઈ જાયે ખત રે.   સંતો૦ ।। ર ।। કોઈ સો કન્યા પરણાવે સુતને, પછી મરે મોટિયાર રે; રાંડ્યા વિના એમાં કોણ રહે, રાંડે સૌ એક હાર રે.   સંતો૦ ।। ૩ ।। એમ વચન વિના આ વિશ્વમાં, વરતે છે જે વિમુખ રે; નિષ્કુળાનંદ તેને નીરખતાં, સંત ન માને સુખ રે.   સંતો૦ ।। ૪ ।। read more
0 Views : 129

વચનવિધિ કડવું:- ૧૭

વિમુખનું મુખ અતિ દુઃખદેણજી, નજરોનજર ન જુઓ એનાં નેણજી કાને કરી કેદી ન સુણો એનું કે’ણજી, વદને ન વદો વિમુખશું વેણજી વદને ન વદવું વિમુખશું, તેમ સ્પર્શવું નહિ પંડ્યે કરી ।। સર્વે પ્રકારે સમજી, પાપીને મૂકવા પરહરી ।। ર ।। કોઈ રીતે કુપાત્રનો, ગુણ ગરી જાય જો ઘટમાં ।। તો પાર પોત પામતાં, તરી ભાંગ્યું જાણો જઈ તટમાં ।। ૩ ।। પય સાકર સુંદર ત્યાં લગી, જયાં લગી ન ભળી લાળ ભોયંગની ।। તેમ હરિજન સારો ત્યાં લગી, જયાં લગી નથી સોબત કુસંગની ।। ૪ ।। શોભનિક શરીર ત્યાં લગી, જયાં લગી નથી કોઢ કપાળમાં ।। તેમ સંત શિરોમણિ ત્યાં લગી, જયાં લગી ના’વ્યો વિમુખની જાળમાં ।। પ ।। વાવ્યો મોલ સારો ત્યાં લગી, જયાં લગી નથી ખવાણો ખડજમાં ।। તેમ ભકતની ભલાઈ ત્યાં લગી, જયાં લગી ના’વ્યો વિમુખની વડજમાં ।। ૬ ।। તેમ મુકતની મોટપ ત્યાં લગી, જયાં લગી નથી પંચવિષયનો પ્રસંગ ।। દેહ ઇન્દ્રય મન પ્રાણથી, અતિ રહે છે અસંગ ।। ૭ ।। જેવા વિમુખ છે બા’રના, તેવા વિમુખ છે ઉરમાંય ।। નિષ્કુળાનંદ કહે ન કરિયે, એનો વિશ્વાસ કાંય ।। ૮ ।। read more
0 Views : 132
Powered By Indic IME