Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

સારસિદ્ધિ કડવું:- ર૮

પરમ ધર્મે કરી હરિને ગમવુંજી, ગમતું જોઈને દેહને દમવુંજી તેમાં સુખ દુઃખ આવે તે ખમવુંજી, ભૂલી બીજી વાતે કેદી ન ભમવુંજી ભમવું નહિ ભોળાપણે, રે’વું આગન્યાને અનુસાર ।। સર્વે ધર્મ તેણે સાચવ્યા, નિશ્ચે કરી નિરધાર ।। ર ।। આગન્યામાં વસ્યા અહોનિશ રહી, જેમ વાળે તેમ વળવું ।। તર્ક ન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં ભળવું ।। ૩ ।। જેમ કહે તે જગદીશ જીભે, તેમ કરે તે કરભામીને ।। કેડે ન રહ્યું તેને કરવું, બેઠા પરમ ધર્મ પામીને ।। ૪ ।। બેસ કહે તો બેસવું, ઊઠ્ય કહે તો ઊઠવું વળી ।। ચાલ્ય કહે તો ચાલવું, સુણી વચનને જાવું મળી ।। પ ।। બોલ્ય કહે તો બોલવું, રહે મુન્ય કહે તો રે’વું મુન્ય ।। આગન્યાથી ઉપરાંત બીજું, જાણવું નહિ પાપ પુણ્ય ।। ૬ ।। જેણે વચનમાં રે’વાનું દઢ કર્યું, તેણે ધર્મ ધર્યા છે સઘળા ।। તેહ વિના બીજા ધર્મ તે તો, પાપની પ્રજળી પળા ।। ૭ ।। શુદ્ધ ધર્મ શ્રીમુખની વાણી, કહી છે જેને કરુણા કરી ।। એવી રીતે રૈ’યે તૈયે, જાણો શુદ્ધ ધર્મ રહ્યા ધરી ।। ૮ ।। ધર્મ ધર્મ સહુ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે ।। પ્રગટ પ્રભુનાં વચન પાળે, એથી મોટો કોઈ ધર્મ છે ।। ૯ ।। હરિ કહે તેમ હાથ જોડી, ચોક્કસ કરવા છે ચિત્તમાં ।। […] read more
0 Views : 126

સારસિદ્ધિ પદ:- ૭

(રાગ:-ગરબી) ‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ. ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે, રાખજો જન કરી જતન રે; ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, વાલપે વરત્યા હરિને વચન રે…ધર્મ ।। ૧ ।। વચન વિના રે ધોખે નથી ધારતા રે, માનતા નથી કેવળ ધર્મમાંહી માલ રે; બીજા જે ધર્મ રે જેવાં બોર બગાંમણાં રે, લાગે જંબુકને મન લાલ રે. . .ધર્મ ।। ર ।। એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી રે, મેલી છે મનથી ઉતારી વાત રે; રાજા ઋષિનું રે, શ્રવણે સાંભળ્યું રે, સુખ સારુ દુઃખ પામ્યા સાક્ષાત રે. . .ધર્મ ।। ૩ ।। શુદ્ધ સાચો ધર્મ રે શ્રીમુખે સાંભળી રે, વળગી રહ્યા છે વચન માંઈ રે; નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવા રે, કરવું ન રહ્યું તેને કાંઈ રે…ધર્મ ।। ૪ ।। read more
0 Views : 127

સારસિદ્ધિ કડવું:- ર૯

ધર્મ રાખે તે ધર્મી કે’વાયજી, ધર્મ વિના જેણે પળ ન રે’વાયજી ધર્મ જાતાં સુખ સર્વે જાયજી, ધર્મ રહે છે એવા જનમાંયજી એવા જનમાં ધર્મ રહે, જે માહાત્મ્ય જાણે મહારાજનું મહા મોંઘો મેળાપ જેનો, કયાંથી થાયે સર્વેને શિરતાજનું ।। ર ।। નર અમર અમરેશને અગમ, અગમ ઈશ અજને ઘણું પ્રકૃતિ પુરુષથી પરા રહ્યા, કયાંથી મળવું થાય તેને આપણું ।। ૩ ।। સર્વે ધામના ધામી એ સ્વામી, વળી અનંત બ્રહ્માંડ આધાર ક્ષર અક્ષરના આત્મા, પૂરણ સહુને પાર ।। ૪ ।। તેહ પ્રભુ પ્રગટ થઈ, નાથે ધરિયું નરતન એવા પ્રભુનાં આપણે, કહો કયાંથી મળે વચન ।। પ ।। મોટા મોટા ઇચ્છે છે મનમાં, આગન્યા સારુ ઉરમાંય એવા પ્રભુની આગન્યા, મળવી મોંઘી સહુને સદાય ।। ૬ ।। તેહ હરિ કૃપા કરી કે’છે, વળી વા’લપનાં વચન તે પડવા ન દેવા પૃથ્વીએ, લેવા ઝીલી અધરથી જન ।। ૭ ।। જેમ મોરપત્ની બિંદુ આવતાં, રત્યે લિયે છે રસે ભરેલડાં તેનો મયૂર થાય તદવત, થાય પડતાં બિંદુના ઢેલડાં ।। ૮ ।। તેમ આવતાં વચન વા’લાતણાં, ગ્રહી લિયે નર ગરજું થઈ તે પૂરણ પામે પ્રાપતિ, ફરી ફેરવણી રહે નઈ ।। ૯ ।। સર્વે કામ તેણે સારિયું, વળી ધાર્યા સર્વે ધર્મ નિષ્કુળાનંદ કહે નકી થયું, જેણે જાણ્યો આટલો મર્મ ।। ૧૦ ।। read more
0 Views : 139

સારસિદ્ધિ કડવું:- ૩૦

મર્મ મોટો એ સમજવો મનજી, તેમાં ફેર ન પાડવો કોઈ દનજી જતને જાળવવાં જેમ જાળવે રતનજી, કયાંથી મળે પ્રભુ પ્રગટનાં વચનજી વચન ન મળે વાલા તણાં, તેમ દર્શન પણ છે દોયલાં ।। તેહ મૂર્તિ મુખોન્મુખ મળી, સર્વે કામ થઈ ગયાં સોયલાં ।। ર ।। અંગોઅંગ અવલોકીને, નખશિખ જોયા નાથ નીરખી ।। એથી પર નથી પામવું, એમ હૈયામાં ધારવું હરખી ।। ૩ ।। જે ધારતાં રૂપ જન જાણજો, નથી આવતું ધ્યાનીના ધ્યાનમાં ।। તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો જ્ઞાનમાં ।। ૪ ।। જ્ઞાની તેને ગણીએ, જેને હરિમૂર્તિનું જ્ઞાન છે ।। તે વિના બકવાદ બીજે, એ જાણજો મોટું જયાન છે ।। પ ।। જેણે નથી જોયા નાથને, નજરો નજર નયણાં ભરી ।। તે કેવા કહેશે શ્રીકૃષ્ણને, અટકળ ને અનુમાને કરી ।। ૬ ।। જ્ઞાન વિના જ્ઞાની નહિ, જ્ઞાન હોય તેને જ્ઞાની કહિયે ।। સોણે સાધ્ય નથી હરિની, તો કેમ જાણશે જાગશે તૈયે ।। ૭ ।। તે જ જ્ઞાની તે તત્ત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા ।। તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયણે નથી દેખિયા ।। ૮ ।। ભણેલે ભાળ્યા ન હોય નાથને, અણ ભણેલે હોય અવલોકિયા ।। જુવો વિચારી જીવમાં, એમાં જ્ઞાની અજ્ઞાની કેને કહ્યા ।। ૯ ।। જ્ઞાની તે જેને ગમ્ય હરિની, એમ સમજવું એહ સાર છે […] read more
0 Views : 120

સારસિદ્ધિ કડવું:- ૩૧

સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મનચિત્તવૃત્તિજી હરિ વિના બીજે રાખે નહિ રતિજી, તે ખરા સંત કહિયે મહામતિજી મહામતિ તે સંત ખરા, મૂકે નહિ મહારાજની મૂરતિ ।। અખંડ રાખે ઉર વિષે, જાણી કમાણી મોટી અતિ ।। ર ।। ચર્ણ જુવે તો ચર્ણ જોઈ રહે, ચિહ્ન જુવે તો જોઈ રહે ચિહ્ન ।। નખ જુવે તો નખ જોઈ રહે, રહે ગર્ક મહાજળે જેમ મીન ।। ૩ ।। ફણા ઘૂંટી પેનીને પેખી, લેખે જંઘા જોઈ તે સંત સુખ ।। જાનું ઉરુને જોઈ રહે, જોતાં કટિ મટી જાયે દુઃખ ।। ૪ ।। ઉદર નાભીને નીરખે, પેટ છાતી જુવે પ્રેમે કરી ।। કંઠ તિલક કપોળ જોઈ, રાખે હરિમૂર્તિ ભાવે ભરી ।। પ ।। શ્રવણ નયણ નાસિકા જોઈ, ભ્રકુટી ભાલને ભાળી રહે ।। શીશે કેશ સુંદર વેષ, નખશિખ રૂપ નીહાળી રહે ।। ૬ ।। એમ અખંડ એક વરતિ, મૂર્તિને મૂકતી નથી ।। જેમ સરિતા સાગર સન્મુખ, ચાલતાં ચૂકતી નથી ।। ૭ ।। અંગો અંગ અવલોકયા વિના, અણંુ અજાણ્યું પણ છે નહી ।। સાંગોપાંગ સર્વે સુંદર, હરિ હૈયામાં ગયા રહી ।। ૮ ।। તે જ જ્ઞાની તે જ ધ્યાની, જેને અખંડ રહે છે એમ ઉર ।। જે જનને પ્રભુની મૂરતિ, રે’તી નથી અંતરથી દૂર ।। ૯ ।। એથી ઉપરાંત અન્ય બીજા, જ્ઞાની તે કેને ગણિયે ।। […] read more
0 Views : 119

સારસિદ્ધિ કડવું:- ૩ર

જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી નખશિખા નીરખી કરી છે સુગમજી, ના’વે કોઈ એવા સંતની સમજી સંત સમાન તે શું કહિયે, જેને અખંડ મૂર્તિ છે ઉર ।। જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડ્યે ન જડ્યું જરૂર ।। ર ।। કામદુઘા કહું શી કલ્પતરુ, કહું નવ નિધિ સિદ્ધિ સમિત ।। પારસ કહું કે ચિંતામણિ, વજ્રમણિ ઘણી કહું સિત ।। ૩ ।। અર્કમણિ કે કહું ઇંદુમણિ, ઘણી ઉપમા દઉ અમૃતની ।। જે જે કહું તે જોખે ભર્યું, આપું ઉપમા કૈ પ્રતની ।। ૪ ।। જેણે અંતરમાં અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ ।। રાજી થઈને હરિ રહ્યા, દોષે રહિત દેખી નિજદાસ ।। પ ।। જેમ પંચાનનીપય રે’વા પાત્ર, જોઈએ સોળવલું સુવર્ણ ।। એમ હરિને રે’વાતણું, શુદ્ધ જનનું અંતઃકર્ણ ।। ૬ ।। જેમ જગજીવનના જળ જાણો, નથી રે’તું ખાંમા વિના ખમી ।। તેમ હરિજનનું અંતર, ગયું છે હરિને ગમી ।। ૭ ।। જેમ સુગંધી રહી છે શ્રીખંડ માંય, રહ્યો ઇક્ષુ માંહિ જેમ રસ ।। તેમ હરિજનમાંહિ હરિ, હળી મળી રહ્યા એક રસ ।। ૮ ।। જેમ ચમક ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશ પર મુખ ।। તેમ હરિ હરિજન સામા રહે, સદાયે આપવા સુખ ।। ૯ ।। એમ સાચા સંતની સનમુખ, સદાય રહે છે શ્રીહરિ ।। નિષ્કુળાનંદ કહે કાચા કોયે, ન હોય […] read more
0 Views : 123

સારસિદ્ધિ પદ:- ૮

(રાગ:-ગરબી) ‘સહજાનંદ સિંધુ રે આજ મારે’ એ ઢાળ. સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, કાચાને નાવે કેદિયે કામ રે; જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, માંદાને મગઉદકે આરામ રે. . .સુખ ચંદનની વાસે રે અલિ અલમસ્ત છે રે, મક્ષિકા દેખી રહે છે દૂર રે; ગોળનું ગાડું રે ગીંગાને ગમે નહિ રે, જેને પ્રીત પુરીષશું ભરપૂર રે. ..સુખ ।। ર ।। કુમુદિની કેદી રે ન પામે સુખ સૂરથી રે, ચકવા કે દી ચંદ્ર ન ચા’ય રે; ઘણું અજવાળું રે ઘુડને ગમે નહિ રે, કોચવાઈ ગરે તે કોતરમાંય રે.. .સુખ ।। ૩ ।। એમ સંત અસંતની રે જાણો રુચિ જૂજવી રે, સંત ભજે તજે તેને અસંત રે; નિષ્કુળાનંદ રે નકી એ વારતા રે, સમજી લેવું એવું સિદ્ધાંત રે…સુખ ।। ૪ ।। read more
0 Views : 129

સારસિદ્ધિ કડવું:- ૩૩

સિદ્ધાંત વાત સંત સાચે જાણીજી, મન કર્મ વચને પૂરી પ્રમાણીજી સુખરૂપ સમજીને ઉરમાંયે આણીજી, એવા સંતની કહું એધાંણીજી એંધાણી કહું એવા સંતની, જેને માયિક સુખ થયાં ઝેર ।। કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખશું વેર ।। ર ।। જકતનાં સુખ જોઈને, જેને અંતરે થયાં છે અળખામણાં ।। રૂડાં જાણી નથી રીઝતા, છે અવલ પણ ઇંદ્રામણાં ।। ૩ ।। તે થોડે ખાધે થોડું દુઃખ છે, ઘણું ખાધે દુઃખ થાય ઘણું ।। જેમ ચિરોડી ચુનાની ચપટિયે, ગયું ભૂખ દુઃખ તે કિયાતણું ।। ૪ ।। જેમ શોખે રાખે કોઈ સિંહને, પાળતાં પૂરણ પાપ છે ।। એમ ભવ સુખને ભોગવતાં, મહા મોટો સંતાપ છે ।। પ ।। એવું થયું છે અળખામણું, હરિ વિના બીજું હરામ ।। મુકત આદિ નથી માગતા, એવા સંત છે નિષ્કામ ।। ૬ ।। વૈરાગ્યે ચિત્ત વાસિત છે, ભકત ભાવે ભર્યું છે ભીતર ।। ધર્મમાં પણ દઢ મતિ છે, છે જ્ઞાનનું પણ ઘર ।। ૭ ।। શુભ ગુણ કૈ’યે જે સંતના, તેહ આવી વસ્યા છે ઉરમાં ।। તેણે કરી જન તને મને, સૂધા વરતે છે સુરમાં ।। ૮ ।। તેની દષ્ટે તન અભિમાની, ગીડર નર ગમતા નથી ।। જોઈ સ્વભાવ એ જીવનો, અભાવ રહે છે ઉરથી ।। ૯ ।। તેશું મન મેળવતાં મળે નહિ, ભેળું ભળતાં પણ ન ભળાય […] read more
0 Views : 117
Powered By Indic IME