Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

હરિબળગીતા કડવું:- ૪૦

લાજ મારી છે હરી તમારે હાથજી, મુજ અનાથના તમે છો નાથજી । સંકટમાંહી સ્વામી રે’જો સાથજી, એટલી સુણજો ગરીબની ગાથજી ।।૧।। ઢાળ- ગાથ સુણી ગરીબની, ગુણનિધિ ગ્રે’જો બાંય । મ જોશો અવગુણ માહેરા, શ્રીહરી કરજો સા’ય ।।ર।। અધમ ઉદ્ધારણ પતિતપાવન, દીનબંધુ છો દયાળ । જોઈ બિરૂદ સામું શ્યામળા, સુખદાયિ લેજો સંભાળ ।।૩।। ઘણા ગુન્હા ઘનશ્યામજી, તમે બક્ષ્યા આગે આશ્રિતના । તેમ ગુન્હા ગોવિંદ મારા, બક્ષજો બહુ રીતના ।।૪।। તમારાને તમ વિના, નથી અન્ય કોઈ આધાર । તે જાણો છો જગદીશ તમે, શું કહું હું વારમવાર ।।પ।। જેના જે આશ્રિત છે, પ્રભુ તેની છે તેને લાજ । તેહ વિના ત્રિલોકમાં, એનું કોણ હેતુ મહારાજ ।।૬।। તેહસારૂં હરિ તમને, વળી વળી વિનતિ કરૂં । અવર બીજા ઉપાયથી, નથી આવતું દુઃખનું સરૂં ।।૭।। જે કે’વાનું હતું તે મેં કહ્યું, હરિકૃષ્ણ જોડી જુગહાથ । દીનબંધુ દીલ ધારજો, નિષ્કુલાનંદના નાથ ।।૮।।કડવું ।।૪૦।। read more
0 Views : 120

હરિબળગીતા પદ:- ૧૦

રાગ:-  મેવાડો નાથજી નિવારો રે દોષ નિજ દાસનારે, જોશોમાં અવગુણ મારા જીવન । પ્રભુજી સંભારીરે બીરુદ પોતાતણું રે, કરીયે પતિતને રે પાવન; નાથજી૦ ।।૧।। અનેક અધમ રે આગે ઉદ્ધારિયા રે, થાય નહિ ગણતાં તેનો રે થાપ । દીનના બંધુ છો રે દીનદયાળજી રે, શરણાગતના હરણ સંતાપ; નાથજી૦ ।।ર।। આકરી વેળાયે રે આવો છો ઉતાવળા રે, વા’લા નથી કરતા વેળ લગાર । સહી ન શકો રે સંકટ સંતનાંરે, પૂર્ણ હેતુ છો પ્રાણ આધાર; નાથજી૦ ।।૩।। સંસાર તો સર્વે રે જેને શત્રુ જ છે રે, મિત્ર એક તમે રે મહારાજ । નિષ્કુલાનંદ રે કહે નરતન ધરીરે, આવો છો અલબેલા એહ કાજ; નાથજી૦ ।।૪।। પદ ।।૧૦।। read more
0 Views : 129

હરિબળગીતા કડવું:- ૪૧

કાજ કરવા સંતનાં ઘનશ્યામજી, આવો છો અવનિયે મુકી નિજ ધામજી । તેતો હરિજનનાં કરવા કામજી, તમ વિના ઠરવા નથી સંતને ઠામજી ।।૧। ઢાળ- ઠામ નથી બીજે ઠરવા, તમ વિના તમારા જનને । તેહ સારૂં અવનિયે આવો, નાથ ધરી નર તનને ।।ર।। હાજર છો હરિજનના, કષ્ટ કાપવા કરૂણાનિધિ । નિમિષ એક નથી રે’તા ન્યારા, કરો છો રક્ષા બહુ વિધિ ।।૩।। બાપ પાળે જેમ બાળને, ક્ષણુ ક્ષણુએ લિયે ખબર । તેહથકી અધિક હેતે, જન પાળો છો બહુ પેર ।।૪।। સંતના શત્રુ સંહારવા, તતપર રો’છો તૈયાર । અંતર બારે અરિ ભક્તના, સદ્ય કરો છો સંહાર ।।પ।। હરિજનને હંમેશ હજારૂં, વિઘન કરે છે વિબુધ । તેને અર્થે તૈયાર રાખ્યાં છે, ચાર કરે ચાર આયુધ ।।૬।। ધન્ય ધન્ય સમર્થ ધણી, ધર્મનંદન ધર્મના પાળ । સધર્મીના સ્નેહી છો, છો અધર્મીના કાળ ।।૭।। હેતુ છો હરિજનના, સદા સર્વદા સુંદર શ્યામ । નિષ્કુલાનંદના નાથજી, વાલમ મારા વિશ્રામ ।।૮।। કડવું ।।૪૧।। read more
0 Views : 153

હરિબળગીતા કડવું:- ૪ર

વિશ્રામ છો વા’લા વસમે સમેજી, જયારે નિજજનને દુષ્ટ આવી દમેજી । તે તમારા સંત ઘણું ઘણું ખમેજી, પણ તેનું દુઃખ તમને નવ ગમેજી ।।૧।। ઢાળ – ગમે નહિ ગરીબ પીડતાં, તમે કરો છો ક્રોધ તેહ કારજે । દાસનાં દુઃખ ટાળવા, રાખતા નથી આળસ રજે ।।૨।। શીઘ્ર રહોછો સ્વામી મારા, તે સંતનાં સંકટ ટાળવા । અખંડ રે’છે બહુ અંતરે, તાન પોતાના જન પાળવા ।।૩।। ક્ષણ એક ખમી ન શકો, પીડા જન પોતાના તણી । એને અર્થે અલબેલડા, કરો છો જતન ઘણી ।।૪।। માટે નિઃશંક નિજજન રે’છે, વિઘ્ન કોઇ વ્યાપતું નથી । સા’ય કરો છો જે સંતની, તે કે’વાતું નથી કથી ।।૫।। ગુણ તમારા ગણતાં, આવતો નથી વળી અંત । એવું વા’લું નથી અંગ આપનું, જેવા વા’લા છે સંત ।।૬।। જણાયછે મારા જીવમાં, સંત હેતે રો’છો સાવધાન । કહી દેખાડું શું કૃપાનિધિ, ભક્તભયહારી ભગવાન ।।૭।। સાચા સનેહી શ્યામળા, તમે સંતના છો શ્રીહરિ । નિષ્કુલાનંદ એ વારતા, ખચિત છે ખરા ખરી ।।૮।। કડવું ।।૪૨।। read more
0 Views : 122

હરિબળગીતા કડવું:- ૪૩

તમને વા’લા છે તમારા જે જનજી, તેહ હરિજનનું કહું વર્તનજી । નથી વિસારતા તમને નિશદનજી, તમ વિના બીજે નથી માનતું મનજી ।।૧।। ઢાળ- મન બીજે નથી માનતું, રે’છે તમારા ચરણમાં ચિત્ત । દૈહિક દુઃખે નથી દાઝતા, નથી પંચ વિષયમાં પ્રીત ।।૨।। સૂતાં બેઠાં જાગતાં, ગાયછે જો તમારા ગુણ । મિટ થકી નથી મુકતા, સુંદર મૂર્તિ સગુણ ।।૩।। અન્ય ભરોંસો ઉરમાં, વળી નથી કેનો નિરધાર । તમ વિના ત્રિલોકમાં, નથી પડતો બીજાનો ભાર ।।૪।। સર્વેના કારણ સમઝી, સમરેછે શ્વાસ ઉશ્વાસ । નિષ્કામી નિષ્પાપ નિર્મળ, નિર્વૈર મે’ર  મને ઘણી । એવા જન જોઇ આપણા, તમે કરો રક્ષા તેહતણી ।।૬।। તમારે તેહ તેહને તમે, એમ અરસ પરસ છે પ્રીત । તેનાં પાળોછો લાડ તમે, શ્રીહરિ જો રુડી રીત ।।૭।। આશ્ચર્ય એનું અમને, વળી નથી મનાતું મન । નિષ્કુલાનંદના નાથજી, છો ભક્તવત્સલ ભગવાન ।।૮।। કડવું ।।૪૩।। read more
0 Views : 122

હરિબળગીતા કડવું:- ૪૪

હરિબળગીતા હેતે સાંભળશેજી, તેહના સર્વે શોક સંશય ટળશેજી। સમજી સાંભળતાં પાપ પળશેજી, નિરબળ નરને બળ મળશેજી ।।૧।। ઢાળ- મળશે બળ નિરબળને, તે પ્રભુને પ્રતાપે કરી । સમુદ્ર જે સંકટનો, તે તરત નર જાશે તરી ।।ર।। પુષ્ટી છે પ્રભુના દાસને, આ ગ્રંથમાં ઘણી ઘણી । હાર્યાને હિંમત આવશે, અપો’ચ ટળશે આપણી ।।૩।। લડથડતાંને લાકડી, કાજુ આપી છે કરમાંઈ । ભોંયે પડયાનો ભય ટળ્યો, કહું બીક ન રહી કાંઈ ।।૪।। હિંમત સહિત હાલશે, કરી કાયરતા વળી દૂર । આગળ પગ આરોપશે, થઈને સાચો શૂર ।।પ।। ઘણું બળ ઘનશ્યામનું, અતિ આવશે ઉરને વિષે । મોળપ મટશે મનની, આ ગ્રંથ જો સાંભળશે ।।૬।। એકાદશ પદ ચુંવાળીશ કડવાં, વળી ચારસે એનાં ચરણ છે । નિર્બળ સબળ સંતને, સદા એહ સુખ કરણ છે ।।૭।। સંવત્ અઢાર અઠાણુંનો, માસ પુરૂષોત્તમ પુન્યમ દને । નિષ્કુલાનંદ જન હિત અર્થે, કર્યો ગ્રંથ સમઝી મને ।।૮।। કડવું ।।૪૪।। read more
0 Views : 134

હરિબળગીતા પદ:-૧૧

રાગ:-  ધોળ મને માનીયો મોદ અપાર, સમઝી વાત સારી । સારી પેઠયે મેં શોધિયું સાર, મતિ જેવી હતી મારી ।।૧।। મારી જાણમાં આવિયું જેમ, તેમનું મેં તેમ કહ્યું । કહ્યું અંતર ઉપજયું એમ, સમઝવા સારૂં થયું ।।ર।। થયું નિર્ધનને ધનરૂપ, વસમી વેળા સમે । સમે અંતરતાપ અનૂપ, દુષ્ટ કોઈ નવ દમે ।।૩।। દમે સમઝયા વિના શરીર, પ્રગટ પ્રભુને મેલી । મેલી મહી વલોવતાં નીર, પ્રાપતિ સઈ છેલ્લી ।।૪।। છેલ્લી સમઝણ સંતની એહ, પ્રતાપ પ્રભુનો જાણે । જાણે સમર્થ શ્રીહરિ તેહ, ભરોંસો એ ઉર આણે ।।પ।। આંણે ટાંણે કરવો વિચાર, વિવેકે વળી વળી । વળી નરને કરવો નિરધાર, મોટા જો સંતને મળી ।।૬।। મળ્યો મનુષ્ય દેહ અમૂલ્ય, ફરીફરી મળતો નથી । નથી ઘટતી રાખવી ભૂલ્ય, કહું શું હું કથી કથી ।।૭।। કથી કહ્યું મેં સર્વનું સાર, શાણા સમઝી લેજો । લેજો નિષ્કુલાનંદનો વિચાર, સુંદર સારો છે જો ।।૮।। પદ ।।૧૧।। ઈતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદમુનિ વિરચિતા હરિબળગીતા સંપૂર્ણ. read more
0 Views : 155

સારસિદ્ધિ કડવું:- ૧

રાગ :- ધન્યાશ્રી શ્રી પુરુષોતમ પ્રસન્ન કરવા કાજજી , શું શું જોઈએ આ જીવને સમાજજી । જેણે કરી રીઝે શ્રીમહારાજજી, એવું શોધી સાર લઈ લેવું આજજી ।।૧।। રાગ :- ઢાળ શોધી સાર સર્વે તણો, લઈ લેવો લાભ લાલચ્યે કરી । આવ્યો અવસર ઓળખી, રાજી કરવા શ્રી હરિ ।।રા। શ્રીહરિ રાજીએ સહુ રાજી, રાજી કર્યા ક્રોડ તેતરીસ । શેષદિ નેશ ને શશિ સુરેશ, વળી કર્યા રાજી અજ ઈશ ।।૩।। જેમ રાજેન્દ્રને રાજી કરતાં, તેની પ્રજા પણ રાજી થઈ । તેમ પ્રભુને પ્રસન્ન કરતાં, કહો કમી તેને શાની રઈ ।।૪।। જેમ મહારત્નની મો’રમાં, અન્ય નાણું છે અતિ ઘણું । તેમ હરિ રીઝવતાં સહુ રીઝયા, ન રહ્યું કેનું કુરાજીપણું ।।પ।। જેમ અનંત ઉડુ ઉગે અંબરે, પણ અર્ક વિના રહે અંધેર । તેમ હરિ સેવા વિના સમઝો, છે નિરર્થક નહિ ફેર ।।૬।। જેમ સો સો શૂન્ય સારાં કરે, પણ એક અંક ન કરે જો આગળે । તે સરવાળો શાનો મેલશે, જે કરે છે કાળપ કાગળે ।।૭।। તેમ એક હરિ ને પરહરે, બીજી કરે ચતુરાઈ કોટ । તે તો માથાફર ચાલે મારગે, જેમ જેમ ચાલે તેમ ખોટ ।।૮।। માટે અન્ય ઉપાય અળગા કરી, રાજી કરિયે રુડે રમાપતિ । નકી નિશાન ન ચૂકિયે, સમઝી વિચારી શુભ મતિ ।।૯।। નિશ્ચે એમ નિર્ણય કરી, ખરી લઈએ વળી ખોજ […] read more
1 Views : 327
Powered By Indic IME