શિષ્ય ઉવાચ :- દોહા :- શિષ્ય કહે ધન્યધન્ય ગુરુ, ભલો બતાવ્યો ભેદ ।। સહજે શ્રીહરિ સાંભરે, થાય વિષય ઉચ્છેદ ।। ૧ ।। વિષયમાંહી વિસારી નાથને, કરતાં કામ હરામ ।। તે સમુ સમજાવિયું, સંભારવા ઘનશ્યામ ।। ૨ ।। સૂક્ષ્મ વાતો સૂચવી, કહો કોણ કે’નાર ।। અલ્પ પ્રશ્ન ઉપરે, કો’છો કરી વિસ્તાર ।। ૩ ।। વળી કે’વી હોય વારતા, તો કે’જો કૃપાનિધાન ।। શ્રદ્ધા છે સાંભળવા, સુણીશ કહું દઈ કાન ।। ૪ ।। વચન તમારા મુખનાં, તે સર્વે સુખ દેનાર ।। હેતેભર્યા હોંસે કરી, સુણીશ હું કરી પ્યાર ।। ૫ ।। સદ્ગુરુ ઉવાચ :- દોહા :- સદ્ગુરુ કહે શિષ્ય સુણજે, રૂડી બતાવું રીત ।। રાત-દિવસ હૃદયે રહે, હરિ ચિંતવન ચિત્ત ।। ૬ ।। રસ સરસ સંસારમાં, મળે જો મનભાય ।। તેમાં શ્રીહરિ સાંભરે, એવો કહું ઉપાય ।। ૭ ।। ષટ રસ ખરા ખોળીએ, હરિ જમ્યા’તા જેહ ।। તે સમય સંભારતાં, સાંભરે શ્યામ સનેહ ।। ૮ ।। રસોઈ રસે ભરી, કરી હરિને કાજ ।। તે જોતાં જગપતિ સાંભરે, જે જમ્યા હતા મહારાજ ।।૯।। સુંદર સ્વાદુ સુખડી, પેરપેરના પાક ।। પીરસતા પંગતમાં, સુખદ કરેલાં શાક ।।૧૦।। ભોજન વ્યંજન બહુ ભાતનાં, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય ભોજય ।। તે સાંભરતાં સાંભરે, જે હરિ જમતા કરી મોજય ।।૧૧।। આંબુ લિંબુ જાંબુ જમ્યા, નાલિ કેળી રાણ્ય અનાર ।। જામ […]
read more