Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

વૃત્તિવિવાહ પદ:- ૧૬

(રાગ :- ધોળ) ‘કંકુ છાંટી કંકોતરી મોકલી,’- એ ઢાળ.. મારા બોલ્યા સામું જોઈ શ્યામ રે, રોષ રખે ધરતા તે રામ રે; કોઈ નવ સરે જો કામ કે, આવીને આ ભવમાં રે; ।। ૧ ।। મોટા મન ધરજયો ધીર રે, ગુણવંત ગુણના ગંભીર રે; ઊનું ટાઢું થાય થોડું નીર કે, તવાઈને તવ્યમાં રે. ।। ૨ ।। અમારા છે અવગુણિયા અનેક રે, હરિ હૈયે આણશો મા એક રે; અધમ ઉદ્ધારણ જે ટેક કે, પાળજયો તે પ્રીતશું રે; ।। ૩ ।। વડાને નવ લાગે વિકાર રે, જેની મતિ અપરમપાર રે; નવ થાય કેણે નિરધાર કે, આદેશ અજિતશું રે. ।। ૪ ।। વજ્રને જેમ વીંધ્યું નવ જાય રે, વેંધતલ સામું વીંધાય રે; અનેક જો કરીએ ઉપાય કે, નિશ્ચે નિષ્ફળ છે રે; ।। ૫ ।। શશી જેમ શીતળ આપ રે, તેને તન લાગે નહિ તાપ રે; સ્પરશે નહિ પુણ્ય ને પાપ કે, નાથ નિરમળ છે રે. ।। ૬ ।। દીસો છો કાંઈ દિલના દયાળ રે, દીનબંધુ દીનપ્રતિપાળ રે; નટવર નંદ ગોવાળ કે, નીરખી નયણાં ઠર્યા રે; ।। ૭ ।। નિષ્કુળાનંદના સ્વામી રે, અલબેલા અંતરજામી રે; તમને નીરખી સુખ પામી કે, સર્વે કારજ સર્યા રે. ।। ૮ ।। read more
0 Views : 1382

વૃત્તિવિવાહ પદ:- ૧૭

(રાગ :- ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’- એ ઢાળ. જીરે સજજ થાઓને સુંદરી, મૂકી પરી આવ્યાની રે આશ કે, સુંદર સુંદરી. ।। જીરે પ્રીત તજો રે પ્યારની, ચાલો ચાલો પિયુજીને પાસ કે; સુંદર ।। ૧ ।। જીરે પંનર નવને પરહરી, તજો પંચ વિષયની રે પ્રીત કે; સુંદર ।। જીરે અલ્પ સુખ આ સંસારનાં, તેની પશુ કરે પ્રતીત કે; સુંદર ।। ૨ ।। જીરે ભર્યો ભવ ભંડાર કલેશનો, અંધઅંધ કે’વાય જે કૂપ કે; સુંદર ।। જીરે જડ દુઃખ મિથ્યાને મેલી કરી, રહો સત ચિત આનંદ રૂપ કે; સુંદર ।। ૩ ।। જીરે મોટાં ભાગ્ય કરી માનજયે, પામી અખંડ વર અવિનાશ કે; સુંદર ।। જીરે નિષ્કુળાનંદના નાથનાં, રહ્યે ચરણ કમળનાં જો દાસ કે; સુંદર ।। ૪ ।। read more
0 Views : 1396

વૃત્તિવિવાહ પદ:- ૧૮

(રાગ :- ધોળ) ‘ગોપીનાથ આવો મારે આંગણે’- એ ઢાળ. સખી આજ આનંદ વધામણા, મારે હૈડે રે સખી હરખ ન માય કે…..ટેક દીન દયાળે દયાકરી, બળવંતે રે મારી ગ્રહી છે રે બાંયે કે.. આજ ।। ૧ ।। સખી નેહ જણાવ્યો નયણમાં, જાણી વાલપ્ય રે સુણી મુખનાં વેણ કે.. આજ ।। ૨ ।। સખી કરુણા રસમય મૂરતિ, નાથ નીરખી રે કાંઈ ઠરિયા છે નેણ કે.. આજ ।। ૩ ।। સખી છબી છબીલાની જોઈને, મન મોહ્યું રે જોઈ વાલાનું મુખ કે.. આજ ।। ૪ ।। ચિત્ત ચોરી લીધું લાલ લટકે, વણ દીઠે રે નવ થાય જો સુખ કે.. આજ ।। ૫ ।। સખી નટવર કુંવર નીરખી, ઘણું હરખી રે મારા હૈડા માંય કે.. આજ ।। ૬ ।। સખી પૂરણ પુણ્યે તે પામીએ, ભાગ્ય મોટા રે મુખ કહ્યાં ન જાય કે.. આજ ।। ૭ ।। સખી ધન્ય ધન્ય અવસર આજનો, આજ પ્રગટ્યો રે અતિ નવો આનંદ કે.. આજ ।। ૮ ।। મારું જીવિત સફળ કરી જાણિયું, રાજી થયા રે સ્વામી સહજાનંદ કે.. આજ ।। ૯ ।। મુને વિસારી નહિ મારે વાલમે, સહજાનંદે રે મારી કરી છે સાર કે.. આજ ।।૧૦।। સખી નિષ્કુળાનંદના નાથને, જાઉં વારણે રે હું તો વારમવાર કે.. આજ ।।૧૧।। read more
0 Views : 1381

વૃત્તિવિવાહ પદ:- ૧૯

(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ. જેનાં પુણ્ય હશે તે એ વર પામશે રે, તે તો વામશે તનડાના તાપ રે; અખંડ વર એક છે રે. મનવાંછિત મહાસુખ માણશે રે, વળી જાણશે જે પિયુના પ્રતાપ રે.. અખંડ ।। ૧ ।। સખી વરીએ તો અમર એ વરને રે, જેનું એવાતણ અખંડ અભંગ રે.. અખંડ ।। ૨ ।। સખી સુખ અલ્પ આ સંસારનાં રે, તેનો સમજુ ન કરે કે દી સંગ રે.. અખંડ ।। ૩ ।। સખી મૂર્ખ મનુષ્યની મંડળી રે, તે તો સંસારનાં સુખ સરાય રે.. અખંડ ।। ૪ ।। સખી વિવેકી રહે છે તેથી વેગળા રે, તેનો સ્વપનામાં સંગ ન ચા’ય રે.. અખંડ ।। ૫ ।। સખી સનકાદિકે શુકે શું કર્યું રે, દત્ત ભરત રહ્યા છે જેથી દૂર રે.. અખંડ ।। ૬ ।। સખી નિષ્કુળાનંદના સ્વામી વિના રે, બીજું અન્ય ભજે જાણો ભૂર રે.. અખંડ ।। ૭ ।। read more
0 Views : 1366

વૃત્તિવિવાહ પદ:- ૨૦

(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ. અહો ધન્ય ધન્ય ભાગ્ય આ ભૂમિના રે, અહો ધન્ય ધન્ય વૃક્ષ વેલી વન રે; અલોકી રીત આજની રે. અહો ધન્ય ધન્ય સર સરિતા સિંધુ રે, સ્પરશી હરિપદ થયાં છે પાવન રે.. અલોકી ।। ૧ ।। અહો ધન્ય ધન્ય ખગ મૃગ જાતને રે, જેનો આરે સમામાં અવતાર રે.. અલોકી ।। ૨ ।। અહો ધન્ય ધન્ય અશ્વ તે એહને રે, જેને ઉપર છે હરિ અસવાર રે.. અલોકી ।। ૩ ।। અહો ધન્ય ધન્ય સતસંગી સંતને રે, જે કોઈ સદાય રહે છે હરિ સાથ રે.. અલોકી ।। ૪ ।। જેને અરસ પરસ રહે એકતા રે, હરિ હેતે જમે છે જેને હાથ રે.. અલોકી ।। ૫ ।। અહો ધન્ય ધન્ય સુર નર નાગને રે, જે કોઈ વસિયા આ બ્રહ્માંડે વાસ રે.. અલોકી ।। ૬ ।। તે તો અંતરે ઇચ્છે છે તન ધારવા રે, થાવા ચરણકમળના દાસ રે.. અલોકી ।। ૭ ।। તે તો કોણ જાણે જે કેમે હશે રે, તેનો મર્મ જાણે છે મહારાજ રે.. અલોકી ।। ૮ ।। શમ દમ આદિ જે આગે કહ્યા રે, તે તો તન ધરી રહ્યા આજ રે.. અલોકી ।। ૯ ।। સર્વે સમાજ સહિત પધારિયા રે, સંતજનને તે આપવા સુખ રે.. અલોકી ।।૧૦।। અહો ધન્ય […] read more
0 Views : 1367

યમદંડ કડવું:- ૧

સોરઠા :- મંગળરૂપ અનુપ, સમરતાં સદ્ય સુખ મળે ।। સો સહજાનંદ સુખરૂપ, જે ભજતાં ભવદુઃખ ટળે ।। ૧ ।। કરવા માંગલિક કાજ, જન મનમાં જે ઇચ્છા કરે ।। તે સમરે શ્રી મહારાજ, તો વિઘ્ન તેનાં તર્ત હરે ।। ૨ ।। એવા શ્રી ઘનશ્યામ, નામે જેને નિર્વિઘ્ન થઈયે ।। વળી સરે સઘળાં કામ, તેને તજી બીજું શીદ ચહિયે ।। ૩ ।। સર્વે સુખના સદન, દુઃખહરણ હરિ દીનબંધુ ।। તે પ્રભુ થઈ પ્રસન્ન, સા’ય કરજયો સદા સુખસિંધુ ।। ૪ ।। દોહા – પ્રથમ પ્રભુને પ્રણમી, કરું કથા ઉચ્ચાર ।। યમદંડની જે વારતા, કહું મતિ અનુસાર ।। ૫ ।। રાગ :- સામેરી મંગળમૂર્તિ મહાપ્રભુ, બહુનામી બદ્રિકાઈશ ।। ભકતધર્મ સુત ભાવશું, રહ્યા હૃદયમાં હમિશ ।। ૬ ।। સુખસાગર સૌના પતિ, અતિ દયાસિંધુ દયાળ ।। પૂરણકામ સુખધામ સદા, નિજ ભકતવત્સલ પ્રતિપાળ ।। ૭ ।। તેહ પ્રભુ પૂર્વે પ્રગટ્યા, દ્વિજકુળ ધર્મને ઘેર ।। નામ ઘનશ્યામ સુંદર હરિ, કરી જન પર મે’ર ।। ૮ ।। ત્યાંથી પ્રભુજી પધારિયા, પૂર્વથી પશ્ચિમ દેશ ।। અનેક જીવ ઉદ્ધારિયા, આપી અમળ ઉપદેશ ।। ૯ ।। તેહ પ્રભુ મળ્યા મુજને, સ્વામી તે સહજાનંદ ।। જન્મ મરણ યમયાતના, જેથી છૂટ્યો હું સર્વે ફંદ ।।૧૦।। જેહ દુઃખ ન કહેવાય જીભથી, અતિ વિકટ છે વિપરીત ।। જે જન સુણે શ્રવણે, તે થાય અતિ ભયભીત ।।૧૧।। […] read more
0 Views : 1503

યમદંડ કડવું:- ૨

પૂર્વછાયો :- જે રીતે આ જીવને, વીતે છે વસમી વાર ।। ગહન ગતિ ગર્ભવાસની, તે કહું કરી વિસ્તાર ।। ૧ ।। મોટા મુનિએ મળી કર્યો, સર્વે નરકનો નિરધાર ।। તેથી અધિક દુઃખ ઉદરે, જેનો કહેતા તે નાવે પાર ।। ૨ ।। જોગી જતિ તપસી ઋષિ, જે જે મોટા કહેવાય ।। એહ દુઃખને સાંભળી, સહુ કંપે છે મનમાંય ।। ૩ ।। દેવ દાનવ મુનિ માનવી, સુખે બેઠા કરે છે વિલાસ ।। જન્મમરણ દુઃખ જયાં લગી, નથી સાંભરતો ગર્ભવાસ ।। ૪ ।। ભૂપ અનુપમ રાજયને, વળી ભોગવે છે ભલી ભાત ।। તે પણ કંપે છે તનમાં, સુણી ગર્ભવાસની વાત ।। ૫ ।। ભોંણ કોટડી ભાગશી, તેમાં રુંધી રાખે દિનરેણ ।। પણ ઉદર સમ એકે નહિ, સહુ સમજજયો પરવેણ ।। ૬ ।। ચોપાઈ :- ઉદરમાં જે અતિ ઘણું દુઃખ, નવ માસ સુધી નહિ સુખ ।। ઊંધે શીશે લટકાવે લઈ, તિયાં દુઃખ તણો તે પાર નઈ ।। ૭ ।। તપે જઠરા તાપ અપાર, બળે દેહ ને કરે પોકાર ।। દાઝે દેહ અતિ અકળાય, કોમળ તને તે કેમ સે’વાય ।। ૮ ।। તેહ તાપે તરફડે પ્રાણી, જાણ્યું થાશે આ દેહની હાણી ।। નરકખાડથી નરસું ઠેકાણું, એથી બીજું શું હું ભૂંડું વખાણું ।। ૯ ।। શુભ અશુભ આહારનો રસ, એહ મુખમાં આવે અવશ ।। પરુ પાચને […] read more
0 Views : 1558

યમદંડ કડવું:- ૩

પૂર્વછાયો :- જોબનમાં જે જે કર્યુ, તેની કહું હવે વાત ।। દામ વામને કારણે, ઘણી ઘણી શીખ્યો ઘાત ।। ૧ ।। પ્રીત બાંધી પતની સંગે, અને અંગે કરે અધર્મ ।। સાચા સંતની શીખ ન માને, અને કરે તે ખોટા કર્મ ।। ૨ ।। ચોપાઈ :- કરે કર્મ અતિ ઘણાં ખોટાં, જેણે થાશે તે બંધન મોટાં ।। ચોરે ધન ને હરે છે નારી, થયો મદ્યમાંસનો આહારી ।। ૩ ।। મારે જીવ આવે નહિ મે’ર, બાંધી અધર્મધ્વજા તે ઘર ।। બોલે ખોટું ને નાખે છે આળ, નિરબળ કંગાલનો કાળ ।। ૪ ।। વાઢે વનને મૂકે છે આગ્ય, કીધો ધર્મ સુધર્મનો ત્યાગ ।। શીખ્યો છળબળ કળ ભૂંડી, અતિ અંતરે મમતા છે ઊંડી ।। ૫ ।। સહુથી સરસ થવાનું છે સઈ, તેને અર્થે કરે પાપ કંઈ ।। રાત દિવસ ઘડે બહું ઘાટ, મનસુબો મોટું થાવા માટ ।। ૬ ।। ઇચ્છે વસ્ત્ર આભૂષણ અંગે, રાચી રહ્યો તનસુખ રંગે ।। મરડે મૂછને પાઘ સંભાળે, લઈ દર્પણ મુખ નિહાળે ।। ૭ ।। ચાલે જોબનમાં મદમાતો, દેખી ધન કુટુંબ ફુલાતો ।। જોઈ છબી છોગલાંની છાંય, તેને મગન રહે મનમાંય ।। ૮ ।। બરોબર બેસતાં બનાવી, પે’રે લૂગડાં લજિત લાવી ।। પાઘે પેચ પોતિયે પાટલી, પાડે ભાવે કરી અતિ ભલી ।। ૯ ।। બણીઠણી બેસે ચોરે ચોકે, જાણે લોક […] read more
0 Views : 1459
Powered By Indic IME