Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

હરિસ્મૃતિ ચિંતામણિઃ- ૭

દોહા : અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મકુમાર ।। જોતા નાવે જોડ્યમાં, આ સમ અન્ય અવતાર ।।૧।। સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોય ।। સર્વોપરિ છે શ્રી હરિ, સહજાનંદ પ્રભુ સોય ।।૨।। ચોપાઇ ધ્રુવપદી : પ્રગટ પ્રબળ મૂર્તિ, અચરજકારી છે ।। જેને નેતિ નેતિ કહે શ્રુતિ, અચરજકારી છે ।। અકળ અનુપ અમાપ,અચ૦ । કોય કરી શકે નહી થાપ,અચ૦ ।।૩।। અગમ અતોલ અપાર,અચ૦ । નિગમે ન થાય નિરધાર,અચ૦ ।। શિવ બ્રહ્મા સરખા કહે છે,અચ૦ । તોય અતિ અપાર રહે છે,અચ૦ ।।૪।। પ્રગટ મૂર્તિનો મહિમાય,અચ૦ । સર્વે સુખતણી સીમાય,અચ૦ ।। મોટ્યપ હરિમૂર્તિની અતિ,અચ૦ । કેજાતા કહેવાય નહીં કોયવતી,અચ૦ ।।૫।। જેજે હરિ મૂર્તિથી થયું,અચ૦ । તે તે મેં ન જાય કહ્યું,અચ૦ ।। બહુ બહુ થાય ચમત્કાર,અચ૦ । તેને કહેતાં ન આવે પાર,અચ૦ ।।૬।। જે કોય કેદી ન સૂણ્યું કાન,અચ૦ । તે તો દેખાડ્યું ભગવાન,અચ૦ ।। અલૌકિક વસ્તુ આવે લોકે,અચ૦ । તે તો જન સહુ અવલોકે,અચ૦ ।।૭।। અશન વસન સુંદર માળા,અચ૦ । પ્રસાદી દાળ્ય રોટા રૂપાળા,અચ૦ ।। તલલાડું તોરા હાર,અચ૦ । ફળ ફુલ અમૂલ્ય અપાર,અચ૦ ।।૮।। પામે સમાધિયે તે દાસ,અચ૦ । જાગે જયારે ત્યારે રહે પાસ,અચ૦ ।। જેજે આપે સમાધિ માંયે,અચ૦ । તે તે લઇ આવે જન આંયે,અચ૦ ।।૯।। અમાયિક માયિકમાં આવે,અચ૦ । એથી અન્ય આચરજ શું કાજાવે,અચ૦ ।। વળી અનેક પરચા આપે,અચ૦ […] read more
0 Views : 333

ધીરજાખ્યાન કડવું:– ૧

રાગ:-ધન્યાશ્રી સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી ઢાળ:- પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ ઘનશ્યામ ।। દાસના દોષ ટાળવા, રહે છે તૈયાર આઠું જામ ।। ૨ ।। અનેક વિઘનથી લિયે ઉગારી, કરી પળેપળે પ્રતિપાળ ।। પરદુઃખ દેખી નવ શકે, એવા છે જો દીનદયાળ ।। ૩ ।। નિજ દાસને દુશ્મન જન, ઘડીઘડીએ ઘાત કરે ઘણી ।। ક્ષણુક્ષણુએ ખબર ખરી, રાખે છે હરિ તેહ તણી ।। ૪ ।। જેમ પડે જનને પાંસરું, તેમ કરે છે એ કૃપાનિધિ ।। સુખ દુઃખ ને વળી સમ વિષમે, રાખે છે ખબર બહુ વિધિ ।। ૫ ।। જેમ પાળે જનની પુત્રને, બહુ બહુ કરી જતન ।। એમ જાળવે નિજ જનને, બહુ ભાવે કરી ભગવન ।। ૬ ।। આ જગમાં જીવને વળી, હરિ સમ હેતુ નહિ કોય ।। પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રીહરિ સોય ।। ૭ ।। જે દુઃખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી ।। જેહ સુખે દુઃખ ઊપજે, તે આપે નહિ કે દી હરિ ।। ૮ ।। જેમ અનેક વિધની ઔષધિ, હોય અતિ કડવી કસાયલી ।। દર્દારિ દિયે દર્દીને, ટાળવા ઉપાધિ બાહેર માંયલી ।।૯।। કુપથ્ય વસ્તુ કે દી ન દિયે, ખાવા તે ખોટે મષે કરી ।। નિષ્કુળાનંદ એમ નિજજનની, સા’ય કરે છે […] read more
1 Views : 275

ધીરજાખ્યાન કડવું:– ર

આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યાં બહુ બહુ વિઘનજી સમજી વિચારી કયાર્ં ઉલ્લંઘનજી, ભાવશું ભજયાં શ્રી ભગવનજી ભજયા ભગવાન ભાવશું, સાબિત કરી શિરસાટ ।। લાલચ મેલી આ લોકસુખની, લીધી અલૌકિક વાટ ।। ૨ ।। તે ભકત પ્રહલાદ પ્રમાણિયે, જાણિયે ધ્રુવ જનક જેદેવ ।। વિભીષણ અંબરીષ આદિ, ભજયા હરિ તજી બીજી ટેવ ।। ૩ ।। શિબિ વળી સુધનવા, ઋભુ ને રંતિદેવ કહિયે ।। નળ મુદગલ મયુરધ્વજ, હરિશ્ચંદ્ર હરિજન લહિયે ।। ૪ ।। શુક નારદ ને સનકાદિક, જડભરત જાજળી જાણિયે ।। આરુણી વળી ઉપમન્યુ, ખરા ખપવાળા એ વખાણિયે ।। ૫ ।। ઊંડું વિચારી અંતરમાં, જાણી લીધું જેમ છે તેમ ।। ખાટ્ય થોડી ને ખોટ્ય ઘણી, એહ મારગે ચલાય કેમ ।। ૬ ।। અલ્પ સુખ સંસારનું, તેમાં દુઃખનો નહિ પાર ।। જેમ ધાંખે ખાયે ધંતૂર નર, તેમા નાવે સુખ નિરધાર ।। ૭ ।। એવું જોઈ સુખ આ જકતનું, જેનું માન્યું નહિ કિયાં મન ।। તજયું સુખ ત્રિય તન ધનનું, કરવા પ્રભુને પ્રસન્ન ।। ૮ ।। મોટા દુઃખને મટાડવા, કસી કમર કરડાઈ કરી ।। જીતિયે કે જાય જીવથી, પણ એ દુઃખમાં ના’વિયે ફરી ।।૯।। એવો આગ્રહ જેણે આદર્યો, કરી અંતરે ઊંડો વિચાર ।। નિષ્કુળાનંદ એવા જનની, શ્રીહરિ કરે છે સાર ।।૧૦।। કડવું – ૩ read more
0 Views : 329

ધીરજાખ્યાન કડવું:– ૩

શુભમતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી રળિયાતજી સુખદુઃખ આવે જો તેમાં દિનરાતજી, કાંઈ કચવાઈ ન થાય કળિયાતજી કળિયાત ન થાય કોઈ દિન, રહે મનમાંય તે મગન ।। દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઈ દન ।। ૨ ।। વણ તોળી વિપત માંહી, વળી ધરવી અંતરે ધીરને ।। સદાય ન હોય સરખું, હોય સુખ દુઃખ શરીરને ।। ૩ ।। તેમાં કાયરતા કોરે કરી, હૈયે હિંમત રૂડી રાખવી ।। મોળી વાતને મુખથી, વળી ભૂલે પણ નવ ભાખવી ।। ૪ ।। જેમ શૂરો જુવે શરીરના, ઘણા ઘણા લાગેલ ઘાવ ।। તેમ તેમ મલકાય મનમાં, વળી નાખે મૂછે તાવ ।। ૫ ।। ઘણે દુઃખે મુખ ઊજળું, રહે શૂરવીરનું સદાય ।। અલ્પ દુઃખે અણોસરો, રાત દિવસ રહે હૃદયામાંય ।। ૬ ।। મુખથી મોટી વારતા, કષ્ટ સહ્યા વિના ન કહેવાય ।। ભીડ્ય પડ્યામાં ભળ્યો નથી, ત્યાં સુધી ઝાંખ્યપ નવ જાય ।। ૭ ।। શૂરા સંતનું સરખું કહિયે, તન ઉપર એક તાન ।। શૂરો મરે સંત સુખ પરહરે, કરે અળગું અંગ અભિમાન ।। ૮ ।। સંકટના સમૂહ માંહી, દિલે દીનતા આણે નહિ ।। ચડ્યો રહે કેફ ચિત્તમાં, તેને સમ વિષમ ગણતી સહિ ।।૯।। ઇચ્છે સંકટ આવવા, જેમાં સાંભરે શ્રી ઘનશ્યામ ।। નિષ્કુળાનંદ એ ભકત કહિયે, નારાયણના નિષ્કામ ।।૧૦।। read more
0 Views : 302

ધીરજાખ્યાન કડવું:– ૪

જેનાં કસાણાં કસોટીમાં તનજી, તે તે થયા નર નિરવિઘનજી સુખ દુઃખ પડ્યે ન મૂંઝાય મનજી, કાચું માને સાચું કસણી વિનજી કાચું માને કસણી વિના, શોધાણું માને છે સાર ।। ફરી ન થાય ફેરવણી, એવો ઊંડો ઉરે વિચાર ।। ૨ ।। જેમ કુલાલ કસે મૃત્તિકા, વળી કાષ્ઠને કસે સુતાર ।। દરજી કસે દુકૂળને, લોહને કસે છે લુહાર ।। ૩ ।। જેમ સલાટ શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ ।। એમ કસાય છે જન હરિના, ત્યારે થાય છે શુદ્ધ સ્વરૂપ ।। ૪ ।। જાણો જેમ શોધાય છે સુવર્ણ, તે કનક કુંદન થાય છે ।। રૂડી રીતે રૂપું શોધતાં, જાણો ચોખી ચાંદી કહેવાય છે ।। ૫ ।। રૂપ રંગ ને રૂડાપણું, મૂલ તોલમાં વધે વળી ।। તેહ શોધ્યાથી સહુ સમઝો, વધી કીમત સઘળી ।। ૬ ।। વળી જેમ બીજી ધાતુને, ગાળી બાળે મેલ માંયથી ।। તેને તોલે જે ભેગે ભરી, અન્ય ધાતુ આવતી નથી ।। ૭ ।। જેમ પરિયટ પટકે પટને, વળી દિયે મૂશળનો માર ।। ત્યારે મેલ માંહ્યલો, નવ રહે રતી નિરધાર ।। ૮ ।। જેમ મજીઠને ખાંડે ખરી, રૂડી રીતશું રંગરેજ ।। ચળકે રંગે આવે ચટકી, વળી તેમાં તે આવે તેજ ।।૯।। એમ ભકત ભગવાનના, આવે કષ્ટે શોધાય આપ ।। નિષ્કુળાનંદ એ ભકતનો, વળી વધે અધિક પ્રતાપ ।।૧૦।। read more
0 Views : 260

ધીરજાખ્યાન પદ:– ૧

(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ. ભકત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ; સુખ સર્વે સંસારનાં રે, કરવાં જોઈએ હરામ. ભકત ।। ૧ ।। દેહ ગેહ દારા દામનું, મેલવું મમતા ને માન; એહમાંથી સુખ આવે એવું રે, ભૂલ્યે ન પડે ભાન. ભકત ।। ૨ ।। વિપત આવે વણ વાંકથી, તે તો સહે જો શરીરે; ઉપહાસ કરે આવી કોય રે, તેમાં રહે દઢ ધીરે. ભકત ।। ૩ ।। ખૂની ન થાય ખમે ઘણું, એવા સહજ સ્વભાવે; નિષ્કુળાનંદ એવા ભકતનો, જશ જુગોજુગ કહાવે. ભકત ।। ૪ ।। read more
0 Views : 275

ધીરજાખ્યાન કડવું:– પ

જેહને થાવું હોય હરિભકતજી, તેહને ન થાવું આ દેહમાં આસકતજી વળી વિષયસુખથી રે’વું વિરકતજી, જેહ સુખ સારુ આ જળે છે જકતજી જકત સુખમાં ન જળવું, વળી વિષય સુખને સ્વાદ ।। શુદ્ધ ભકત શ્રી હરિતણા, થાવું જેવા જન પ્રહલાદ ।। ૨ ।। પ્રહલાદ ભકત પ્રમાણિયે, જાણિયે જગવિખ્યાત ।। હિરણ્યકશિપુ સુત હરિજન થયા, કહું કયાધુ જેની માત ।। ૩ ।। ગર્ભવાસ માંહીથી ગુરુ કર્યા, મુનિ નારદને નિરધાર ।। નિશ્ચય કર્યું હરિ ભજશું, તજશું સુખ સંસાર ।। ૪ ।। પછી પ્રહલાદજી પ્રસવ્યા, વળી વીત્યાં વરસ સાત ।। ત્યારે તાતે તેડાવીને, કહી નિજકુળ રીત ભાત ।। ૫ ।। આસુરી વિદ્યા આપણી, તમે પઢો કરી બહુ પ્રીત ।। વિબુધ વામ વિષ્ણુ થકી, તો થાઓ અતિશે અજિત ।। ૬ ।। ત્યારે પ્રહલાદે પરીક્ષા કરી, આ તો દીસે છે અસુર ।। મારે એને કેમ મળશે, એમ વિચારિયું વળી ઉર ।। ૭ ।। મારે ભજવા ભગવાનને, તજવી વિષય સુખની આશ ।। દેહ ગેહ દારા દામથી, અતિ થાવું છે ઉદાસ ।। ૮ ।। એહ વાત અસુરને, વળી નહિ ગમે નિરધાર ।। માટે મારે એને નહિ મળે, એવો કર્યો ઉર વિચાર ।।૯।। પણ હમણાં તો એને હા કહું, વળી ના કે’વાયે કેમ ।। પછી નિષ્કુળાનંદના નાથનું, થાશે જેમ ધાર્યું હશે તેમ ।।૧૦।। read more
0 Views : 237

ધીરજાખ્યાન કડવું:– ૬

ત્યારે પ્રહલાદ કહે પિતા એ સારુંજી, ભણીશ જેમાં ભલું થાશે મારુંજી એટલું વચન માનીશ તમારુંજી, એવું સુણી સુતથી તેડ્યા અધ્યારુજી અધ્યારુ શંડામર્ક જે, તેને કહે છે એમ ભૂપાળ ।। ભણાવો આને વિદ્યા આપણી, જાઓ તેડી બેસારો નિશાળ ।। ૨ ।। પ્રહલાદ બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક ।। તેને તર્ત ટાળી લખ્યા, નારાયણ થઈ નિઃશંક ।। ૩ ।। ત્યારે શંડામર્ક કે’ સમઝિયે, ભાઈ એ નહિ આપણું કામ ।। એ છે વેરી આપણા અતિ, તેહનું ન લખવું નામ ।। ૪ ।। ત્યારે પ્રહલાદ કહે પાપી જનના, હશે શત્રુ શ્રીભગવાન ।। મારે તો સદા એ મિત્ર છે, આદ્ય અંતે મધ્યે નિદાન ।। ૫ ।। ત્યારે શંડામર્ક એમ સમઝ્યા, છે આ વાતમાં વિવાદ ।। એમ કહી ઉપેક્ષા કરી, ત્યારે કહે છે બાળકોને પ્રહલાદ ।। ૬ ।। મરી જાવું સહુને મૂરખો, શીદ ચઢો છો બીજે નોર ।। ભજો શ્રી ભગવાનને, તજો બીજો શોર બકોર ।। ૭ ।। જેને ભજયે જગ જીતી જાયે, અને થાય સુખિયા સદાય ।। તેને તજી બીજું બોલે જેહ, તેહ કૃતઘ્ની કે’વાય ।। ૮ ।। અમૂલ્ય તન જેણે આપિયું, આપ્યો સરવે સુખનો સમાજ ।। તેને ભજિયે ભાવે કરી, તો સરે તે સઘળાં કાજ ।।૯।। ત્યારે બાળક સહુ બોલિયાં, જેમ કે’શો તેમ કરશું ।। નિષ્કુળાનંદનો નાથ ભજતાં, નહિ થાય અમારું નરસું […] read more
0 Views : 269
Powered By Indic IME