Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

ચોસઠપદી પદ:- પપ

જેહ ધામને પામીને પ્રાણી, પાછું પડવાનું નથી રે ।। સર્વે પર છે સુખની ખાણી, કેવું કહિયે તેને કથી રે ।। ૧ ।। અનંત મુકત જયાં આનંદે ભરિયા, રહે છે પ્રભુજીની પાસ રે ।। સુખ સુખ જિયાં સુખના દરિયા, તિયાં વસી રહ્યા વાસ રે ।। ૨ ।। તેજ તેજ જિયાં તેજ અંબાર, તેજોમય તન તેનાં રે ।। તેજોમય જિયાં સર્વે આકાર, શું કહિયે સુખ એનાં રે ।। ૩ ।। તે તેજ મધ્યે સિંહાસન શોભે, તિયાં બેઠા બહુનામી  રે ।। નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂરણ પુરુષોત્તમ પામી રે ।। ૪ ।। read more
0 Views : 115

ચોસઠપદી પદ:- પ૬

એવા ધામની આગળ બીજા, શી ગણતીમાં ગણાય રે ।। મા’પ્રલય કાળના અગ્નિમાં સીઝા, હંમેશ જે હણાય રે ।। ૧ ।। પ્રકૃતિપુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોય રે ।। ચૌદ લોક ધામ રહેવા ન પાવે, સર્વે સંહાર હોય રે ।। ૨ ।। જેમ કઢાયામાં કણ ઊછળે છે, ઊંચા નીચા અગ્નિ જવાળે રે ।। તેમ જો તનધારી બળે છે, સ્વર્ગ મૃત્યુ ને પાતાળે રે ।। ૩ ।। માટે સુખ નથી કિયાં માને, પ્રભુજીના પદ પખી  રે ।। નિષ્કુળાનંદ કહે ભૂલે છે શાને, લે વાત આવી તું લખી રે ।। ૪ ।। read more
0 Views : 102

ચોસઠપદી પદ:- પ૭

રાગ-ધોળ ‘આજ પ્રગટ પૂરણબ્રહ્મ, સહજાનંદસ્વામી’ એવા ધામને પામવા કાજ, અવસર અમૂલ્ય આવ્યો ।। આવ્યો સુખનો  મળી સમાજ, ભલો અતિ મન ભાવ્યો ।। ૧ ।। ભાવ્યો એ રસ જેહને ઉર, તેણે પીવા પ્યાસ કરી ।। કરી દેહબુદ્ધિ વળી દૂર, એક ઉર રાખ્યા હરિ ।। ૨ ।। હરિ વિના રાખ્યું નહિ કાંય, અસત્ય જાણી આપે ।। આપે વિચાર્યું અંતર માંય, તેહ તપે નહિ તાપે ।। ૩ ।। તાપે તપતાં જાણી ત્રિલોક, ઇચ્છા ઉરથી તજી ।। તજી નિષ્કુળાનંદ સંશય શોક, ભાવે લીધા પ્રભુને ભજી ।। ૪ ।। read more
0 Views : 116

ચોસઠપદી પદ:- પ૮

ભજી ભલી  ગઈ  છે જો વાત, પુરુષોત્તમને પામી ।। પામી પ્રગટ પ્રભુ સાક્ષાત, કહો કાંઈ રહી ખામી ? ।। ૧ ।। ખામી ભાંગી ખરી થઈ ખાટ, ખોયા દિની ખોટ્ય ટળી ।। ટળી  ગયા  સર્વે  ઉચ્ચાટ,  શ્રી  ઘનશ્યામ  મળી ।। ૨ ।। મળી મોજ  અલૌકિક આજ, આવ્યું સુખ અતિ અંગે ।। અંગે કરવું ન રહ્યું કાજ, મળી મહારાજ સંગે ।। ૩ ।। સંગે રહીશ હું તો સદાય, સુખકારી શ્યામ જાણી ।। જાણી નિષ્કુળાનંદ મનમાંય, રહું ઉર આનંદ આણી ।। ૪ ।। read more
0 Views : 131

ચોસઠપદી પદ:- પ૯

આણી  આંખ્યે મેં જોયા જીવન, સહજાનંદ સ્વામી ।। સ્વામી દોયલા  દિવસનું ધન, પામી દુઃખ ગયા વામી ।। ૧ ।। વામી વેદના મારી આ વાર, શરણ શ્રીજીનું લઈ ।। લઈ મુજ અર્થે અવતાર, આવિયા આપે સઈ ।। ૨ ।। સઈ કહું આ સમાની રીત, આજ આડો આંક વાળ્યો ।। વાળ્યો દિવસ થઈ મારી જીત, સંશય શોક ટાળ્યો ।। ૩ ।। ટાળ્યો કાળની ઝાળનો ત્રાસ, પૂરણ સુખ પામ્યો ।। પામ્યો નિષ્કુળાનંદ ઉલ્લાસ,  ફૂલી ત્રિલોકે ન શામ્યો ।। ૪ ।। read more
0 Views : 128

ચોસઠપદી પદ:- ૬૦

શામ્યો અસત્ય સુખનો ઉત્સાહ, સુરતિ સાચામાં લાગી ।। લાગી પ્રભુપદ જો ચાહ, બીજી ભૂખ સર્વે ભાગી ।। ૧ ।। ભાગી આ લોકસુખની આશ, નિરાશે નિરાંત થઈ ।। થઈ પરી એ સર્વે કાશ,  અન્ય અભિલાષા ગઈ ।। ૨ ।। ગઈ  સુરતી   સહુની  પાર,  અક્ષરધામે  ધાઈ ।। ધાઈ ઇચ્છતા સુખ સંસાર, તેમાં ન દીઠું કાંઈ ।। ૩ ।। કાંઈ ન માને બીજે તેનું મન, મહાસુખ મોટું જોઈ ।। જોઈ  નિષ્કુળાનંદ  મગન,  મનમાં  રહ્યો  મોઈ ।। ૪ ।। read more
0 Views : 124

ચોસઠપદી પદ:- ૬૧

મોહી રહ્યા જેને મુનિરાજ, તાજ  તનસુખ કરી ।। કરી લીધું છે પોતાનું કાજ, ફેરો નથી રાખ્યો ફરી ।। ૧ ।। ફરી ફસવું જે ફંદમાંય,  એવું નથી રાખ્યું એણે ।। એણે કરવું રાખ્યું નહિ કાંય, તલ એકભાર તેણે ।। ૨ ।। તેણે નજર પોંચાડી છે નેક,  શાબાશ સમઝણ એની ।। એની મતિ પોં’ચી ગઈ છેક,  હું બલહારી તેની ।। ૩ ।। તેની જોડ્યે આવે કહો કોણ, વાત વિચારી જોઈ ।। જોઈ નિષ્કુળાનંદ એવું જોણ,  કહે ધન્ય સંત સોઈ ।। ૪ ।। read more
0 Views : 121

ચોસઠપદી પદ:- ૬૨

સોઈ સુખ મળવાને કાજ, મોટા મનમાંય ઇચ્છે ।। ઇચ્છે ભવ બ્રહ્મા સુરરાજ, મળવા મનમાં રહે છે ।। ૧ ।। રહે છે આશા એવી મનમાંય, મને મહાસુખ લેવા ।। લેવા આનંદ ઇચ્છા સદાય, દલમાંઈ ઇચ્છે દેવા ।। ૨ ।। દેવા ઉપમા એહને  એક, જોતાં બીજી જડતી નથી ।। નથી છાની એ વારતા છેક, કહેવાય છે કથી કથી ।। ૩ ।। કથી કહ્યું એ ધામનું સુખ, વરણવી વળી વળી ।। વળી નિષ્કુળાનંદ કે’ શ્રીમુખ, દુઃખ જાય એને મળી ।। ૪ ।। read more
0 Views : 106
Powered By Indic IME