Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

ચોસઠપદી પદ:- ૩૧

જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છૌ કોય કામનો રે ।। ત્યારે કો’ને વધ્યો કુંણ, લેતાં આશરો સુંદર શ્યામનો રે ।। ૧ ।। જયારે કરી દીનતા ત્યાગ, અંગે લીધો અહંકારને રે ।। ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કરવા ખુવારને  રે ।। ૨ ।। પછી પ્રભુ પામવા કાજ, જે જે કર્યું હતું આ જગમાં રે ।। તે તો સર્વે ખોયો સાજ, પડ્યો ઠાઉકો જઈ ઠગમાં રે ।। ૩ ।। એવા મૂરખની મિરાંત,  એને અર્થે નથી આવતી રે ।। કહે નિષ્કુળાનંદ વાત, હરિભકતને મન ભાવતી રે ।। ૪ ।। read more
0 Views : 133

ચોસઠપદી પદ:- ૩૨

આવી અરથની  જે વાત, કોય નર ઉતારે અંગમાં રે ।। ત્યારે સુખી થાય સાક્ષાત, પછી સમજી રહે સત્સંગમાં રે ।। ૧ ।। થઈ ગરીબને ગર્જવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે ।। મેલી મમતા ને માન, ત્યાગ કરે તન ગર્વનો રે ।। ૨ ।। ખોળી ખોટ્ય ન રાખે કાંઈ, ભલી ભકત ભજાવવા રે ।। એક રહે અંતરમાંઈ, તાન પ્રભુને રિઝાવવા રે ।। ૩ ।। એવા ઉપર શ્રી ઘનશ્યામ, સદા સર્વદા રાજી રહે છે રે ।। સરે  નિષ્કુળાનંદ કામ, એમ સર્વે સંત કહે છે રે ।। ૪ ।। read more
0 Views : 119

ચોસઠપદી પદ:- ૩૩

રાગ-ધોળ ‘સખી સાંભળ્યને કહું વાત, આજ મારાં ભાગ્ય ભલાં’ કહે તો વળી કહું એક વાત, સુણજયો સહુ મળી ।। છે જો સાંભળ્યા જેવી સાક્ષાત, વાલપે કહું વળી ।। ૧ ।। જેમ  નરદેવ   દઈને  દંડ, વેરીને વશ્ય  કરે ।। લિયે ખાટી  તે સર્વે ખંડ,  દુષ્ટ તે સરવે ડરે ।। ૨ ।। તેમ  પ્રગટી  પૂરણ  બ્રહ્મ, સંતના શત્રુ  હણ્યા ।। કામ ક્રોધ લોભ જે વિષમ, તે તૃણ તુલ્ય ગણ્યા ।। ૩ ।। સ્વાદ સ્નેહ મમતા માન, પાપી પારોઠા  કીધા ।। કહે નિષ્કુળાનંદ નિદાન, નિજ જન તારી લીધા ।। ૪ ।। read more
0 Views : 137

ચોસઠપદી પદ:- ૩૪

જેમ જીત્યા એ શત્રુ સમૂહ, કામ ક્રોધ લોભ લઈ ।। સ્વાદ સ્નેહ  મમતા  મોહ,  તે  તો  દેખાડું કઈ ।। ૧ ।। કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી ।। લોભ ઉપર મહા મુનિરાજ, આવિયા ઝાડે ફરી ।। ૨ ।। સ્વાદે સહું એકઠું કરી અન્ન, જળ નાખી જન જમે ।। સ્નેહે  સંભારે  નહિ  સ્વજન,  માનથી  દૂર  રમે ।। ૩ ।। કાઢી રીસ કરી હડકાર, બીજા દુષ્ટ  બહુ ડર્યા ।। કહે નિષ્કુળાનંદ નિરધાર, વેરી  એમ વશ્ય કર્યા ।। ૪ ।। read more
0 Views : 126

ચોસઠપદી પદ:- ૩પ

સારો શક્કો  બેસાર્યો સુંદર, પ્રભુજી પ્રગટ થઈ ।। નિષ્કલંક  કર્યા  નારી  નર,  ઉત્તમ  ઉપદેશ  દઈ ।। ૧ ।। કોય કાળે સુણી નહિ કાન, એવી રીતિ આપે આણી ।। લોકમાંહી અલૌકી નિદાન, આશ્ચર્ય પામ્યા પ્રાણી ।। ૨ ।। બહુ  સામર્થી  વાવરી  શ્યામ,  કામ  તે  કૈક  કરી ।। પછી  પધારિયા  નિજધામ,  શ્રી  ઘનશ્યામ  હરિ ।। ૩ ।। વાંસે રહ્યા વેરી  વિપરીત, ખરે ખરા ખીજે ભર્યા ।। કહે નિષ્કુળાનંદ તેની રીત, દેખી સાચું દાઝી મર્યા ।। ૪ ।। read more
0 Views : 130

ચોસઠપદી પદ:- ૩૬

વડું વેર વાળવાને કાજ, સાબધા  એ સહુ થયા ।। મોટા મોટાની લેવાને લાજ, તાકે  છે તેહ રહ્યા ।। ૧ ।। ઝીણા  ઝાલવામાં નહિ જશ, માટે મોટાને જોશે ।। કરશે દગો દેખજયો અવશ્ય, વેર વાળી વગોવશે ।। ૨ ।। માટે સહુ રે’જો સાવધાન, ખબડદાર થઈને ખરા ।। જેનું આગે કર્યું અપમાન, તે જાળવે નહિ જરા ।। ૩ ।। એમ છે એ અનાદિની રીત, નવી એ નથી થઈ ।। કહે નિષ્કુળાનંદ ધારો ચિત, સનાતન  સાચી કહી ।। ૪ ।। read more
0 Views : 111

ચોસઠપદી પદ:- ૩૭

કૃષ્ણ પધાર્યા કેડ્યની વાત, ભલી ભાગવતે ભાખી ।। કર્યો અસુરે બહુ ઉતપાત, હરિનારી  ઘેર રાખી ।। ૧ ।। અર્જુનનું ન ઊપજયું કાંય, ગાંડીવ ઘણુંયે હતું ।। તોય ન થઈ તેહની સા’ય, બુઢાપણ આવ્યું નો’તું ।। ૨ ।। માટે પ્રભુ ગયા પછી એમ, થાય તેના સંશય શિયા ।। સમા સમું  રહે કહો કેમ, જેના રખવાળ  ગયા ।। ૩ ।। માટે સમજી સર્વે સુજાણ, વચનમાં વળગી રહેજો ।। કહે નિષ્કુળાનંદ નિરવાણ, કઠણ પળ આવી છે જો ।। ૪ ।। read more
0 Views : 117

ચોસઠપદી પદ:- ૩૮

નારી નજરે ન જુવો કોઈ, વિત્તની  તો વાત ભૂંડી ।। સ્વાદ સ્નેહ દુઃખદાયી દોય, ઇચ્છા એની ટાળો ઊંડી ।। ૧ ।। માન મોટો છે અરિ  અજીત, સમજીને સંગ તજો ।। ન કરો એ પંચની પ્રતીત, હેતેશું હરિને ભજો ।। ૨ ।। આવો અવસર જાય અમૂલ્ય, પાછો તે પમાતો નથી ।। તેનો તપાસી કરવો તોલ, ઊંડો અતિ અંતરથી ।। ૩ ।। માંડી મૂઠી  જૂગટાની જેમ, જીત્યા તો જીત થઈ ।। કહે નિષ્કુળાનંદ તો એમ, હાર્યા તો હાર્ય સઈ ।। ૪ ।। read more
0 Views : 119
Powered By Indic IME