Last Updated:
May 5, 2025

Click here to submit your article
નિષ્કુળાનંદ કાવ્ય
Per Page :

ચોસઠપદી પદ:- ૭

દેહ પોષવા સારુ જે દંભ, કરે છે જે કુબુદ્ધિ ।। ખોટા સુખ અરથે આરંભ, મૂકે નહિ મૂવા સુધી ।। ૧ ।। તેણે જનમ પશુને પાડ,  ખોયો ખોટા કારણે ।। મોક્ષ  મારગે  દીધા  કમાડ,  કડી  જડી  બારણે ।। ૨ ।। ફેરો ન ફાવ્યો થયો ફજિત, જીત ગઈ જળમાં ।। મેલી મુકત મોટપ્યની રીત, ખ્યાતિ કરી ખળમાં ।। ૩ ।। આપ ડા’પણે આખો દિવસ, દુઃખે ભર્યો દોયલો ।। કહે નિષ્કુળાનંદ અવશ્ય, ખાટ્યો  માલ ખોયલો ।। ૪ ।। read more
0 Views : 465

ચોસઠપદી પદ:- ૮

સંત અસંતની ઓળખાણ, પાડી છે પુરાણમાં ।। સુણી સરવે જન સુજાણ, તણાશો મા તાણમાં ।। ૧ ।। જડભરત  જનક  જયદેવ,  એવું  થાવું  આપણે ।। ત્યારે કરતા અસંતની સેવ, વાત કહો કેમ બણે ।। ૨ ।। અતિ આદર્યું કામ અતોલ,  પરલોક પામવા ।। ત્યારે ખરી કરી જોઈએ ખોળ્ય, વિઘનને વામવા ।। ૩ ।। વણ સમજે સાર અસાર, પાર કહો કોણ થયા ।। કરી  નિષ્કુળાનંદ  વિચાર,  સંત  અસંત  કહ્યા ।। ૪ ।। read more
0 Views : 284

ચોસઠપદી પદ:- ૯

રાગ  :-  ધોળ   ‘લટકાળા  તારે  લટકે  રે, લેરખડા’ સાચા સંતના અંગ એંધાણ રે, જોઈ લેવા જીવડિયે ।। જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડિયે ।। ૧ ।। ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરની ।। ઊઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરની ।। ૨ ।। હશે હારદ હૈયાં કેરું રે, વણ કહ્યે પણ વરતાશે ।। જેમ જેમ છપાડશે  ઘણેરું રે, તેમ તેમ છતું થાશે ।। ૩ ।। ખાય ખૂણે લસણ લકી  રે, તે ગંધ કરે છુપાવાનું ।। કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે, જેમ છે તેમ જણાવાનું ।। ૪ ।। read more
0 Views : 289

ચોસઠપદી પદ:- ૧૦

જેવો રસ ભર્યો જે ઠામે રે, તેવો તેમાંથી ઝરશે ।। કોઈ કાઢશે પડ્યે કામે રે, નિશ્ચે તેવો નીસરશે ।। ૧ ।। જોને આહાર કરે જન જેવો રે, તેવો આવે ઓડકારે ।। અણપૂછે નીસરે એવો રે, આશય અંતરનો બા’રે ।। ૨ ।। જોને ચીલ  ચઢે અસમાને  રે, નજર તેની નીચી છે ।। દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ્ય મીંચી છે ।। ૩ ।। એવા લક્ષણવાળા લાખુ રે, દીઠા મે દગે ભરિયા ।। કહે નિષ્કુળાનંદ શું ભાખું રે, ઓળખો એની જોઈ ક્રિયા ।। ૪ ।। read more
0 Views : 268

ચોસઠપદી પદ:- ૧૧

કામી બોલે કામે ભરિયું રે, લોભી બોલે લોભ લઈ ।। ક્રોધી બોલે ક્રોધે અનુસરિયું રે, માની બોલે માન સઈ ।। ૧ ।। સ્વાદી બોલે સ્વાદ વખાણી રે, દંભી બોલે દંભ ભરી ।। અહંકારી અહંકાર આણી રે, કપટી બોલે કપટ કરી ।। ૨ ।। માટે જે જનને મળે જેવા રે, તેવો તેને રંગ ચડશે ।। નહિ જાય શ્રોતા સારુ લેવા રે, જેમ છે તેમ તેનું જડશે ।। ૩ ।। ખૂબ ખરા હોય ખપવાળા રે, તેને જોવું તપાસી ।। થાય નિષ્કુળાનંદ સુખાળા રે, ખરી વાત કહું ખાસી ।। ૪ ।। read more
0 Views : 185

ચોસઠપદી પદ:- ૧૨

વણ સાધુનો વરતારો રે, આ પદ સુણતાં ઓળખાશે ।। પછી શોધી સમાગમ સારો રે, તે સાથે પ્રીતિ થાશે ।। ૧ ।। તેહ વિના મન નહિ માને રે, બીજે દલડું નહિ બેસે ।। કાયરની વાતો કાને રે, સાંભળી પંડ્યમાં નહિ પેસે ।। ૨ ।। આંખ્ય અંતરની ઊઘડશે રે, પડશે પારખું પોતાને ।। ખરા ખોટાની ગમ પડશે રે, જડશે વાતો એ જોતાને ।। ૩ ।। પછી સંત અસંત એક પાડે  રે, નહિ દેખે તે કોઈ દને ।। કહિ નિષ્કુળાનંદ શું દેખાડે રે, જાણશે જેમ છે તેમ મને ।। ૪ ।। read more
0 Views : 164

ચોસઠપદી પદ:- ૧૩

જેનું તન મન માન્યું ત્યાગે રે, ભકિત ધર્મ ભાવે છે ।। તેના વચન વીંટ્યાં વૈરાગે રે, અંતરમાંથી આવે છે ।। ૧ ।। શીલ  સંતોષ ને વળી શાંતિ રે, એમા રહીને બોલે છે ।। ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે ।। ૨ ।। એવા સંત સહુના સગા રે, પરઉપકારી પૂરા છે ।। જેના દલમાં નહિ કોય દગા રે, સત્ય વાતમાં શૂરા છે ।। ૩ ।। વળી હેત ઘણું છે હૈયે રે, આંખ્યે અમૃત વરસે છે ।। કહે નિષ્કુળાનંદ શું કહિયે રે, એ જન જોઈ હરિ હરખે છે ।। ૪ ।। read more
0 Views : 187

ચોસઠપદી પદ:- ૧૪

કેને દુઃખ દેવાનો દિલમાં રે, ભૂલ્યે ભૂંડો ભાવ નથી ।। પર ઉપકારે પળપળમાં રે, ઊપજે ઇચ્છા અંતરથી ।। ૧ ।। પંચ વિષયને પરહરીને રે, વરતે છે વણ વિકારે ।। તેહ જણાય જોવે કરીને રે, જન એ બોલે છે જયારે ।। ૨ ।। વણ વિચારે પણ વાતું રે, આવે એના અંતરથી ।। બોલે અહં મમતાનું ઘસાતું રે, ઊતર્યું મન તન સુખ પરથી ।। ૩ ।। એવા કયાંથી મળે જન એકે રે, નિર્મળ અંતર નિષ્કામી ।। કહે નિષ્કુળાનંદ વિવેકે રે, બીજા બહુ હોય હરામી ।। ૪ ।। read more
0 Views : 172
Powered By Indic IME