Last Updated:
May 5, 2025

Click here to submit your article
૧૫ કલ્યાણનિર્ણય
Per Page :

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૧

સોરઠા :- સમરતાં સુખ હોય, કોઈ વિઘન ન વ્યાપે વળી ।। સુખદ મૂરતિ સોય, સહજાનંદ આનંદકંદ ।। ૧ ।। સમર્થ શ્રીઘનશ્યામ, હામ મદન મનની હરી ।। કર્યા જન નિષ્કામ, દામ વામ દોષ દૂર કરી ।। ૨ ।। અવતારી આપે અનુપ, રૂપ અનુપમ આપે ધરી ।। સો યહ સુખદ સ્વરૂપ, સહજાનંદ જગવંદ હરિ ।। ૩ ।। સરવોપરી સુખધામ, શ્યામ સહુના નાથ સહી ।। પ્રભુજી પૂરણકામ, હામ કરી હરિ રહિયે હૈયે ।। ૪ ।। દોહા :- એક વાત અનુપ છે, સાંભળજયો સહુ કોઈ ।। સંશય ન રહે શ્રેયમાં, છે સમજયા સરખી સોઈ ।। ૫ ।। ચોપાઈ :- શુદ્ધ મુમુક્ષુ જે સુજાણ રે, પૂછ્યું થાવા પ્રથમ કલ્યાણ રે ।। મહામુકત તમે શિરોમણિ રે, સુણો વિનતિ એક મુજ તણી રે ।। ૬ ।। સહુ સહુના મનને મતે રે, માન્યું કલ્યાણ મન ગમતે રે ।। કોઈ કે’ અમે મત્સ્ય ઉપાસી રે, કોઈ કહે કૂર્મ સુખરાશી રે ।। ૭ ।। કોઈ કહે વારાહના દાસ રે, કેને નૃસિંહનો વિશ્વાસ રે ।। કોઈ વામનરૂપને ભજે રે, કેને પરશુરામરૂપ રજે રે ।। ૮ ।। કોઈ રામ ભરોંસે રહે છે રે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહે છે રે ।। કોઈક બુધજીનું બળ લઈ રે, બેઠા કંઈક કલકિ કઈ રે ।। ૯ ।। એહ આદિ દશ અવતાર રે, એ તો સર્વે સુખના […] read more
0 Views : 349

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૨

દોહાઃ મુકત કહે સુણ્ય મુમુક્ષુ, સારા પૂછ્યા તેં પ્રશ્ન ।। ઉત્તર એનો આપિયે, કાપિયે સંશય સઘન ।। ૧ ।। કલ્યાણ છે કૈક ભાત્યનાં, તેની જૂજવી જૂજવી જાત ।। સર્વે કલ્યાણ સરખાં નહિ, તેની સાંભળી લે હવે વાત ।। ૨ ।। સાચું કે’તાં સંતાપ છે, ખોટું કહ્યામાં સઈ ખાટ્ય ।। બેઉ પ્રકારે બાધ છે, મને વિચારું છું તેહ માટ્ય ।। ૩ ।। પણ જયારે પૂછ્યું તેં પ્રીતશું, ત્યારે આપશું ઉત્તર અનુપ ।। કે’શું કલ્યાણની વારતા, સાચા સાચી શુદ્ધ સ્વરૂપ ।। ૪ ।। ચોપાઈ :- ભેખ ભકત આ ભવમાં ઘણે રે, માન્યું કલ્યાણ પુણ્ય આપણે રે ।। જે જે કરે છે જગમાં જન રે, વ્રત દાને માને શ્રેય મન રે ।। ૫ ।। કેને ચપટી ચૂર્ણ દેવાય રે, તેને પણ કલ્યાણ કે’વાય રે ।। કેને પોષ ભરી પાય પાણી રે, તે પણ કલ્યાણ થવાનું જાણી રે ।। ૬ ।। કોઈ ભૂખ્યાને આપે ભોજન રે, તે પણ કલ્યાણ માનીને મન રે ।। કોઈ વસન ભૂષણ આપે ગર્થ રે, તે પણ કલ્યાણ થાવાને અર્થ રે ।। ૭ ।। સોનું રૂપું આપે ત્રાંબા દાન રે, તે પણ કલ્યાણ કાજે નિદાન રે ।। ગાય મહિષી ને ગજ બાજ રે, ધામ ધરાદિ કલ્યાણ કાજ રે ।। ૮ ।। કાશીએ જઈ લિયે કરવત રે, તે પણ કલ્યાણ થાવા […] read more
0 Views : 296

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૩

દોહા :- મુમુક્ષુ કહે મુકત સાંભળો, તમે કહી કલ્યાણની રીત ।। પ્રગટ વિના છે પાંપળાં, ખરાખરું કહ્યું ખચિત ।। ૧ ।। પ્રગટ પ્રભુ ન હોય પૃથ્વીએ, કોઈ કરવા ઇચ્છે કલ્યાણ ।। કહું તેને કેમ કરવું, એહ પૂછું છું જોડી પાણ ।। ૨ ।। હોય અવતારનો આશરો, ભાવે કરતો હોય ભજન ।। કલ્યાણ કરવા કારણે, ઝાઝી કરતો હોય જતન ।। ૩ ।। વળી સેવતો હોય સંતને, સાંભળતો હોય પુરાણ ।। તેણે કરીને તેહનું, કેમ ન હોય કલ્યાણ ।। ૪ ।। ચોપાઈ :- સંત શાસ્ત્ર છે કલ્યાણકારી રે, સહુ કહે છે એમ વિચારી રે ।। સાધુ સરવે નાના મોટા રે, ગ્રંથ પણ ખરા નથી ખોટા રે ।। ૫ ।। શાસ્ત્ર શાસ્ત્ર સરખાં છે સહુ રે, સંત સંત છે સરખાં કહું રે ।। સંત સહુ માળાના મણકા રે, એમાં કોણ ઓછા ને અધિકા રે ।। ૬ ।। બાનું જોઈ નમાવિયે શીશ રે, જોઈએ નહિ કરણી એની લેશ રે ।। એમ સાચે મને સંતને સેવે રે, તે તો મોટા સુખને લેવે રે ।। ૭ ।। શાસ્ત્ર શ્રદ્ધાયે કરી સાંભળે રે, તેના સર્વે સંકટ ટળે રે ।। સંત શાસ્ત્રથી કૈક સુધર્યા રે, ભણ્યા સહુ કહે છે ભવ તર્યા રે ।। ૮ ।। એવું સાંભળીને સંશય ટળ્યો રે, જાણું મોક્ષનો મારગ મળ્યો રે ।। સંત સેવીને […] read more
0 Views : 292

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૪

દોહા :- ત્યારે મુકત કહે સુણ્ય મુમુક્ષુ, તમે પૂછ્યું જે જે પ્રશ્ન ।। તેનો ઉત્તર અમે આપિયે, તમે સાંભળજયો દઈ મન ।। ૧ ।। પૂર્વે ઉત્તરમાંહિ પ્રીછવ્યો, હરિ હરિજનનો સંબંધ ।। તેહ વિના કોઈ જીવના, વળી છૂટે નહિ ભવબંધ ।। ૨ ।। જે જે જીવ તર્યા જકતમાં, તેનો કરો વિચારી વિવેક ।। હરિ હરિજન વણ મળ્યે, કોઈ ઉદ્ધરિયા નહિ એક ।। ૩ ।। અંતરમાં અવરાઈ રહ્યું, ઉપદેષ્ટાને અજ્ઞાન ।। તે સામાને શું સમજાવશે, વળી નક્કી વાત નિદાન ।। ૪ ।। ચોપાઈ :- માટે જેને મળ્યા મહારાજ રે, એવા સંતથી સરે છે કાજ રે ।। હરિ સાથે હોય હળ્યા મળ્યા રે, પ્રભુ પ્રગટ પામી તાપ ટળ્યા રે ।। ૫ ।। રહી નહિ ઉધારાની વાત રે, પામ્યા સાચા સાધુ સાક્ષાત રે ।। અટકળ અકળ ન રહ્યું રે, જથાર્થ જે છે તે થયું રે ।। ૬ ।। એવા સંતનો જે સમાગમ રે, તે તો ટાળવા દુઃખ વિષમ રે ।। જેની સંશય રહિત વાત સાચી રે, પૂરણ પ્રાપતિમાં નથી કાચી રે ।। ૭ ।। એની બોલી છે રોકડી રૂડી રે, નથી વારતા એની નમૂડી રે ।। ખાતે ચોપડે નથી ખોળવી રે, જયારે જોઈએ ત્યારે નિત્ય નવી રે ।। ૮ ।। વણ દીઠી નથી વખાણતા રે, કહે છે નજરો નજરની જાણતા રે ।। પ્રભુ પાસળના […] read more
0 Views : 304

કલ્યાણનિર્ણય નિર્ણય:- પ

દોહા :- મુમુક્ષુ સુજાણ જેહ, તેહ કહે છે જોડી પાણ ।। સર્વે સરખું સમજતાં, તેહની આજ પડી ઓળખાણ ।। ૧ ।। પણ એક ભકત આ જકતમાં, તે ભકતના પણ ભગત ।। તેનું કલ્યાણ કેમ છે, કહું પાડો તેહની વિગત ।। ૨ ।। જૂજવી રીતે આ જકતમાં, થયા ભકત તે બહુ ભાત ।। તેના શિષ્ય સંસારમાં, નથી માનતા કેની વાત ।। ૩ ।। પ્રભુ થકી પરાપરું ખરું, સમજે છે પોતાનું સિદ્ધાંત ।। માયિક કહી અવતારને, બહુ જીવને ભરાવી ભ્રાંત ।। ૪ ।। ચોપાઈ :- સતશાસ્ત્રને પણ ન માને રે, કહે પોથાં થોથાં લખ્યાં પાને રે ।। સર્વે શાસ્ત્રમાંહિ શું છે સાર રે, નવરે નવરે કર્યો નિરધાર રે ।। ૫ ।। બાંધ્યા વર્ણાશ્રમ ચાર ચાર રે, વળી એ વિના વર્ણ અઢાર રે ।। તેના મર્ણ પરણની વિધિ રે, બહુ નોખી નોખી બાંધી દીધી રે ।। ૬ ।। એમાં સમજો સઈ થઈ ખાટ રે, જીવ ભ્રમાવી ભુલાવી વાટ રે ।। એમાં આત્માનું શું સયુર્ં રે, સર્વે પંડનું કૂટણું કયુર્ં રે ।। ૭ ।। જોજયો વ્યાસ વાલ્મિકની બુદ્ધિ રે, કોઈ વાત કરી નહિ સુધી રે ।। પારાશર ને શંખ લિખિત રે, ઋષિમુનિ ન સમજ્યા રીત રે ।। ૮ ।। પાપ પુણ્ય પુરાણે પ્રમાણી રે, બાંધ્યા બહુ જીવને તેમાં તાણી રે ।। ગૂંથી ગયા છે […] read more
0 Views : 255

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૬

દોહા :- મુકત કહે સુણો શુભમતિ, સત્ય વાત સમજીએ સાર ।। કૃતઘ્નીના એ કામ છે, જે નંદે આગમ અવતાર ।। ૧ ।। સતશાસ્ત્ર સુખદાયી છે, સમજાવે તે સત્ય અસત્ય ।। તેને મિથ્યા કરી માનવું, એ જ આવી જાણવી કુમત્ય ।। ૨ ।। શાસ્ત્ર કહે તે સત્ય છે, નથી અસત્ય તે અણુભાર ।। નિશ્ચય પડશે નરકમાં, એની નિંદાના કરનાર ।। ૩ ।। શાસ્ત્ર જે જે સૂચવે, તે કૂડું ન પડે કાંઈ ।। ગ્રહણ પાંખે છે અસમાનમાં, તેહ સહુ દેખે છે આંઈ ।। ૪ ।। ચોપાઈ :- શાસ્ત્ર જણાવે સાર અસાર રે, શાસ્ત્રે કર્યો સહુ નિરધાર રે ।। સતશાસ્ત્ર કહે છે સુરસુખ રે, તેહ પામ્યાં સારુ કરે મખ રે ।। ૫ ।। શાસ્ત્ર કહે છે કૈલાસની વાત રે, સત્યલોકે સુખ કહે સાક્ષાત રે ।। શાસ્ત્ર કહે છે વૈકુંઠ વખાણી રે, તેને પામવા ઇચ્છે છે પ્રાણી રે ।। ૬ ।। શાસ્ત્ર કહે છે ગોલોકમાં ગુણ રે, શાસ્ત્ર વિના સમજાવે કુણ રે ।। શાસ્ત્ર કહે છે અક્ષરધામ રે, તે સુણી સહુ કરે છે હામ રે ।। ૭ ।। શાસ્ત્ર કહે છે શ્રીહરિનું સુખ રે, જે પામતાં રહે નહિ દુઃખ રે ।। લોક અલોકમાં જે અગમ રે, તેની ગ્રંથ પડાવે છે ગમ રે ।। ૮ ।। શાસ્ત્ર કહે છે સર્વેના સ્થાન રે, જને દીઠાં ન […] read more
0 Views : 274

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૭

દોહા :- ધન્ય ધન્ય મુકત શિરોમણિ, ભૂલ્ય ભ્રાંતિના ભાંગનાર ।। અજ્ઞાન તમ ટાળવા, સૂરજ સમ નિરધાર ।। ૧ ।। ઘણા દિવસનું ઘરમાં, સંશયનું રહ્યું’તું શૂળ ।। તેહ તરત તમે ટાળિયું, મહા મોટા મોહનું મૂળ ।। ૨ ।। વળી પૂછું છું પ્રીત શું, તમે કહેજયો કૃપાનિધાન ।। અનેક જીવ ઉદ્ધારવા, આવે ભૂમિ પર ભગવાન ।। ૩ ।। કલ્યાણ કરી કોટિ કોટિનાં, પાછા પધારે પોતાને ધામ ।। કેડ્યે રહે તેના કુળના, તેથી સરે કે ન સરે કામ ।। ૪ ।। ચોપાઈ :- પ્રભુ હોય પ્રગટ પ્રમાણ રે, ત્યારે કરે બહુના કલ્યાણ રે ।। જયાં જયાં હરિ ધરે અવતાર રે, કહું સાંભળજયો કરી પ્યાર રે ।। ૫ ।। ખગ મૃગ જળચર માંય રે, ધરે નર દેહ આપ ઇચ્છાય રે ।। વિપ્ર નૃપ જાણો જોગીમાંય રે, થાય પ્રભુજી પ્રગટ ત્યાંય રે ।। ૬ ।। તેના વંશના રહે છે વાંસે રે, ભલા ગુણના ભરેલ ભાસે રે ।। દઢ હોય ધર્મ નીમ માંઈ રે, અયોગ્ય આચરણ ન કરે કાંઈ રે ।। ૭ ।। રૂડી રીતને પાળે પળાવે રે, સંશય શોકના ખાતા વળાવે રે ।। રહે પ્રભુની મરજી પ્રમાણ રે, મેલી મન મમતાની તાણ રે ।। ૮ ।। આપ સ્વારથ સારવા સારુ રે, કદી કરે નહિ મારું તારું રે ।। કામ ક્રોધ વળી લોભ લહી રે, મોહ […] read more
0 Views : 285

કલ્યાણનિર્ણય નિર્ણય:- ૮

દોહા :- મુકત વચન એવાં સાંભળી, વળી બોલિયા કરી હેત ।। શુદ્ધ મુમુક્ષુ સાંભળ્યે, કહું સર્વે વિગતિ સમેત ।। ૧ ।। પ્રથમ કહું હું પ્રીછવી, પ્રભુ પ્રગટના અવતાર ।। પછી કહું તેના કુળનું, નિશ્ચય કરી નિરધાર ।। ૨ ।। એકે અનેક પ્રકારનાં, સરે નહિ સેવકના કાજ ।। તે સારુ તન જૂજવાં, ધરણિયે ધરે છે મહારાજ ।। ૩ ।। વારિ વસુધા વ્યોમમાં, દુષ્ટે દુઃખી કર્યા હોય દાસ ।। આરતવાનને અરથે, આપે આવે છે અવિનાશ ।। ૪ ।। ચોપાઈ :- એક અવતાર એકને કાજ રે, મહેર કરી લિયે છે મહારાજ રે ।। તેના સર્વે સંકટ ટાળે છે રે, પ્રીતે પૂરણ લાડ પાળે છે રે ।। ૫ ।। હેતે હળીમળી તેહ સાથ રે, નૌતમ સુખ આપે તેને નાથ રે ।। તે તો થાય છે પૂરણ કામ રે, વળી પામે છે પ્રભુનું ધામ રે ।। ૬ ।। એહ વિના હોય હરિદાસ રે, તેનો કષ્ટ કરવો હોય નાશ રે ।। ત્યારે એ તને જતન ન થાય રે, એમ સમજવું મનમાંય રે ।। ૭ ।। જળવાસી કરે કામ જળનું રે, સ્થળવાસી કરે કામ સ્થળનું રે ।। માટે નોખાં નોખાં તન ધરી રે, કામ કરે છે જનનું હરિ રે ।। ૮ ।। જયારે ધરે છે જૂજવા ગાત રે, ત્યારે હોય જૂજવી રીતભાત રે ।। પછી જેવી રીત […] read more
0 Views : 264
Powered By Indic IME