સોરઠા :- સમરતાં સુખ હોય, કોઈ વિઘન ન વ્યાપે વળી ।। સુખદ મૂરતિ સોય, સહજાનંદ આનંદકંદ ।। ૧ ।। સમર્થ શ્રીઘનશ્યામ, હામ મદન મનની હરી ।। કર્યા જન નિષ્કામ, દામ વામ દોષ દૂર કરી ।। ૨ ।। અવતારી આપે અનુપ, રૂપ અનુપમ આપે ધરી ।। સો યહ સુખદ સ્વરૂપ, સહજાનંદ જગવંદ હરિ ।। ૩ ।। સરવોપરી સુખધામ, શ્યામ સહુના નાથ સહી ।। પ્રભુજી પૂરણકામ, હામ કરી હરિ રહિયે હૈયે ।। ૪ ।। દોહા :- એક વાત અનુપ છે, સાંભળજયો સહુ કોઈ ।। સંશય ન રહે શ્રેયમાં, છે સમજયા સરખી સોઈ ।। ૫ ।। ચોપાઈ :- શુદ્ધ મુમુક્ષુ જે સુજાણ રે, પૂછ્યું થાવા પ્રથમ કલ્યાણ રે ।। મહામુકત તમે શિરોમણિ રે, સુણો વિનતિ એક મુજ તણી રે ।। ૬ ।। સહુ સહુના મનને મતે રે, માન્યું કલ્યાણ મન ગમતે રે ।। કોઈ કે’ અમે મત્સ્ય ઉપાસી રે, કોઈ કહે કૂર્મ સુખરાશી રે ।। ૭ ।। કોઈ કહે વારાહના દાસ રે, કેને નૃસિંહનો વિશ્વાસ રે ।। કોઈ વામનરૂપને ભજે રે, કેને પરશુરામરૂપ રજે રે ।। ૮ ।। કોઈ રામ ભરોંસે રહે છે રે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહે છે રે ।। કોઈક બુધજીનું બળ લઈ રે, બેઠા કંઈક કલકિ કઈ રે ।। ૯ ।। એહ આદિ દશ અવતાર રે, એ તો સર્વે સુખના […]
read more