Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૭ હૃદયપ્રકાશ
Per Page :

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૯

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે ખૂની  ખરાં, મહાદુષ્ટ દુઃખ દેનાર ।। નકી કાઢ્યાં  ન નીસરે, કરું  હું કોણ  વિચાર ।। ૧ ।। જૈયે  તમે જણાવિયાં,  તૈયે કર્યો  તપાસ ।। રૈયત  તે રાજા  થઈ,  રાજા  તે થયો દાસ ।। ૨ ।। ભરાડી ભેળાં  થયાં,  તન માંહિ  તસ્કર ।। માલ  મળ્યે  મૂકે નહિ,  લૂંટેરુ  લશ્કર ।। ૩ ।। એને  ભરોંસે ભવ ગયો, કર્યો ન કોય વિચાર ।। હજી  છે કોય હરામના, ગુરુ કહો નિરધાર ।। ૪ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- વળતા  સદ્ગુરુ બોલિયા, હજી અરિ છે એક ।। સચેત  થઈ  તું  સાંભળે,  કહું  કરી  વિવેક ।। ૫ ।। અશ્વનીકુમાર આવીને,  ઘણો  લિયે છે ગંધ ।। તે ઉતારે અંતરે, બહુવિધ કરવા  બંધ ।। ૬ ।। સુગંધ  દુગર્ંધ દો કહિયે, નાકે સૂંઘી સોય ।। ઉતારી  અંતરમાં, શુભ  અશુભ  દોય ।। ૭ ।। ચૂવા  ચંદન સુગંધી, સુગંધી અત્તર  ધૂપેલ ।। કર્પૂર  અગર સુગંધી,  સુગંધી તેલ  ફુલેલ ।। ૮ ।। અર્ધવાસ નાસા લિયે, નિત્યનિત્ય એહ અનુપ ।। આણી  મેલી અંતરે, સમજી સુખદ  સ્વરૂપ ।।૯।। ફૂલ  તણી ફોર  અતિ, જાણી  જૂજવી જેહ ।। ભરી  સુગંધી  ભીતરે,  તોળી તપાસી તેહ ।।૧૦।। ચંપા  ચંબેલી  જૂઈ  જૂથિકા,  ગેહેરી  ગુલાબી  વાસ ।। ડોલરિયે   દિશે   ઘણી,   પાનડી પરિમલ પ્રકાશ ।।૧૧।। ગુલલાલા ગુલસોમના,  ગુલદાવદી જે ફૂલ ।। નરમાલિની નાસિકા,  […] read more
0 Views : 232

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧૦

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય  નમાવી  શીશને,  અરજી  કરે છે  એમ ।। એહ  કુપાત્ર  કાઢવા,  કરું ઉપાય હું  કેમ ।। ૧ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ  કહે  શ્રદ્ધાવાન જેહ પામે પંચ  નિદાન ।। વૈરાગ્ય  સ્નેહ  નિયમ જેહ, સતસંગ આત્મજ્ઞાન ।। ૨ ।। એહ પંચને પ્રીછવી,  કહું  જૂજવાં જાણ ।। જેહ  પામતાં પ્રાણીને,  થાય વિષયની  હાણ ।। ૩ ।। તે તો  તીવ્ર વૈરાગ્યનો, લાગે  જેને વેગ ।। તે પંચ વિષયનો પંડમાં, ભળવા  ન દિયે ભેગ ।। ૪ ।। કાં તો  સનેહ શ્યામશું, હોય અતિ ઘણો અપાર ।। અંગે  તેને  આવે નહિ, પંચ વિષય વિકાર ।। ૫ ।। એવાં  ઝાઝાં  જકતમાં, ન હોય  નર ને નાર ।। પંચ વિષયના સુખને, અંગે ગણે અંગાર ।। ૬ ।। માટે નિયમ નકી કરી, રાખે  રુદિયા માંય ।। પંચ  વિષયનું પંડમાં, રહે ન કિલ્બષ  કાંય ।। ૭ ।। નિર્વેદ  સ્નેહ નિયમનું, કારણ  સંતનો સંગ ।। એથી  જ્ઞાન  ઉપજે,  તોપણ  થાય વિષયનો ભંગ ।। ૮ ।। પ્રથમ વાત વૈરાગ્યની, સુણી  લીજે સોય ।। પછી   કહું   હું   પ્રીતિની,   છેલી નિ’મની તોય ।।૯।। વિષલાડુ  વિષ પાનશું, તરત  તનનો  નાશ ।। કહો  સુખ કેમ ઉપજે, નાગ વ્યાઘ્ર સંગ વાસ ।।૧૦।। જેમ  ખેરી   વેરી  ખાટકી, સફરી પર સીંચાણ ।। તેતર  પર  બાજ  ફરે,  તે  લીધા કાં લેશે પ્રાણ […] read more
0 Views : 310

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧૧

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે  કર જોડીને,  સુણિયે મારા નાથ ।। એ છે કામ  માહેરું , કે કાંઈ છે  હરિને હાથ ।। ૧ ।। પડતી રાત  પ્રભાત લગી,  કોય ઉલેચે અંધાર ।। ઊગ્યા દિન  વિન તમનો, કહો કેમ આવે  પાર ।। ૨ ।। જેમ  આકાશે  ઉડુ   અતિ,  કરે  જામનીયે  જયોત ।। દિનમાં એક દિસે નહિ, એ પ્રતાપ અર્ક ઉદ્યોત ।। ૩ ।। નિશાચર નરસાં  અતિ,  દિયે  રાતમાં દુઃખ ।। પણ જયારે  રવિ  પ્રગટે, ત્યારે  શાહાને સુખ ।। ૪ ।। માટે  કહું  સદ્ગુરુ  સુણો,  જોઈ એ  પ્રભુનું  જોર ।। એકલે મારે  આદરે, નહિ ભાગે  એહ ચોર ।। ૫ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ કહે  એહ  આગળે,  નથી બીજાનું બળ ।। પ્રભુના પ્રતાપથી,  સંત  કાઢે કરી કળ ।। ૬ ।। જગતમાં  જે  જીવ  છે,  અજ્ઞાની અપાર ।। તે શું વાત  તપાસશે, જે વિષય વશ નર નાર ।। ૭ ।। નથી એહને  અંતરે,  ખોટ્ય  ખાટ્ય ખબર ।। પશુવત  પાળે  પિંડને, એવાં ઘણાં  ઘરઘર ।। ૮ ।। પણ જેને  શરણ જગદીશનું, તેને  કરવો તોલ ।। જકત જાશે  જમપુરીયે,  ભકત જાશે બ્રહ્મમોલ ।।૯।। એ મોટી  કમાણી માનીને, કરજો આગ્રહ કોય ।। દેખી તેનો  દાખડો,  સા’ય  કરે હરિ સોય ।।૧૦।। રાતદિન હૃદયમાંઈ, લિયે  એશું  લડાઈ ।। સુખ-દુઃખ   પડે   શરીરને,   કદીયે  ન જાયે […] read more
0 Views : 133

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧ર

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે જે સદ્ગુરુ કહ્યું, તે સર્વ  સુણ્યું સુખધામ ।। પણ અંતર ઘાટ શમ્યા વિના, કેમ મનાય પૂરણકામ ।। ૧ ।। ભજન સ્મરણ  ધ્યાનમાં,  એ આવે આડાં ઉર ।। તેણે કરીને  તનમાં,  ઝાંખ્યપ રહે  જરૂર ।। ૨ ।। કેટલાક ઘાટ કે’વાય છે, કેટલાક તો ન કે’વાય ।। ખરખરો એ  ખોટનો,  અંતરમાં  અતિ થાય ।। ૩ ।। ભકત થયા  ભગવાનના,  અને  લિયે  સંકલ્પ  લાજ ।। એહ વાતની  ઉરમાં,  મોટી  ખોટ ગુરુરાજ ।। ૪ ।। અયોગ્ય સંકલ્પ  ઊપજી, વરતે  જો પળવાર ।। સુખ રહે કેમ  તે સંતને, માને  મને ધિક્કાર ।। ૫ ।। સંકલ્પ સાચા સાધુને, અયોગ્ય  થાય જો એક ।। દિલ દેહે દાઝે ઘણું,  ન રહે  સુખ તે નેક ।। ૬ ।। તેને ઠેકાણું  ઠરવા,  બતાવિયે  ગુરુ ધીર ।। જેણે કરી અતિ ઉરમાં,  શાંતિ રહે સુખ શિર ।। ૭ ।। અંડજ ઉદ્ભિજ જે  કહીએ,  સ્વેદજ જરાયુજ ખાણ ।। એમાં સહુ જન્મે  મરે, એમ કે’  છે વેદ પુરાણ ।। ૮ ।। પણ  સંકલ્પના  શરીરનો,  ન  કર્યો  કોણે  નિરધાર ।। ક્ષણક્ષણમાં જનમે મરે,  તેનો નાવે પાર ।।૯।। જે જે સંકલ્પ  ઉપજે,  તે  તે ધરાવે તન ।। એમ   સમજી   સંત   સહુ,   અતિ   કંપે છે મન ।।૧૦।। પળપળમાં પિંડ ધારવાં,  અશુભ શુભ અગણિત ।। તેની  દાઝ તનમાં,  કહો મટે કોણ […] read more
0 Views : 185

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧૩

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય કહે સદ્ગુરુ સુણો,  કહી કૃપા કરી વાત ।। જે જે  મે  પૂછિયું,  તે  કહ્યું તમે બહુ ભાત ।। ૧ ।। શત્રુ સર્વે શોધીને, દેખાડ્યા  દગાદાર ।। દીપક દીધો હાથમાં, અળગું  કર્યું  અંધાર ।। ૨ ।। કોટી કોટી   કૃપા   કરી,   ખોટ   દેખાડી ખોળ્ય ।। અણસમજે લઈ એકઠી, ભેળી કરી’તી  ભોળ્ય ।। ૩ ।। તે જેમ છે તેમ જણાવિયું, અજાણ્યું ન રહ્યું એક ।। હવે હું ચેતું નહિ,   તો   એ   મારો   અવિવેક ।। ૪ ।। અણસમજુને  એટલી,  આપે શિખામણ કોણ ।। પરમ હેતુ છો માહેરા, તે જોયું સહુ મેં જોણ ।। ૫ ।। વળી પૂછું એક  વારતા, દોય  હરિના દાસ ।। એક  દેખે  હૈયે  હરિ  મૂરતિ,  અને  એકને  બહુ  વિશ્વાસ ।। ૬ ।। એહ બેઉ  બરોબરી, પામે પ્રાપતિ એક ।। કે ફેર છે કાંઈ ફળમાં, એ સદ્ગુરુ કહો વિવેક ।। ૭ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- ત્યારે સદ્ગુરુ બોલિયા, સાંભળ્ય શિષ્ય સુજાણ ।। જેને ભરોંસો ભગવાનનો, તેનું એ પરમ કલ્યાણ ।। ૮ ।। જેમ પારસના સ્પર્શથી, લોહપણું ન રહે લગાર ।। તેમ પ્રભુ સ્પર્શ  પ્રતાપથી, વામે સર્વ વિકાર ।।૯।। જડ  માંહી  પણ  જાણવો,  એટલો  ચમતકાર ।। ચૈતન્યઘનમય મૂરતિ, તે મળતાં  સુખ અપાર ।।૧૦।। માટે ન્યૂન ન માનવું, રે’વું આનંદમાં અભિરામ ।। જેને મળ્યા પ્રગટ પ્રભુ, […] read more
0 Views : 171

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧૪

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય  કહે સદ્ગુરુ સુણો, જે કહ્યા આગે ઉપાય ।। કઠણ  છે એ કરવા,  વિચારિયું ઉરમાંય ।। ૧ ।। નિર્વેદ  પણ હોય નબળો, સ્નેહ નિયમ પણ સમાન ।। સત્સંગ  પણ  સુધો નહિ, અતિ  આત્મજ્ઞાન ।। ૨ ।। શ્રોત્ર  ત્વક્  નેત્ર  કહ્યાં,  રસના  ઘ્રાણ  મન બુદ્ધ ।। ચિત્ત  અહંકાર  ચોખાં  નહિ,  સરસ  અતિશે શુદ્ધ ।। ૩ ।। એહ સહુને  નિમમાં,  રાખે બહુ  બળવાન ।। થોડે  બળે થાતાં નથી, સદ્ગુરુ  સુણો નિદાન ।। ૪ ।। માટે  કહો કૃપા કરી, હોય નિર્બળનો નિભાવ ।। હિંમત  આવે હરિભકતને, ભજે હરિ કરી ભાવ ।। ૫ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ  કહે  સુણ્ય  શિષ્ય  તું, કહું વાત એની અનુપ ।। જે જે ક્રિયા જન કરે, તે થાય ધ્યાન  સ્વરૂપ ।। ૬ ।। જે  દેખે જે સાંભળે, ત્યાં સંભારે હરિરાય ।। સુણ્ય  શિષ્ય શ્રવણ દઈ,  કહું એવો  ઉપાય ।। ૭ ।। પ્રથમ  સંભારે શ્યામને,  મનસુબાથી મો’ર ।। વીસરે નહિ એહ વારતા, સર્વ  કાળ  સર્વ  ઠોર ।। ૮ ।। જે જે સંકલ્પ મન કરે,  ચિત્ત કરે ચિંતવન ।। હરિ સંબંધ વિના હોય નહિ, જરૂર જાણે તું જન ।।૯।। બહુ નિશ્ચય બુદ્ધિ કરે, ધરે  અહં અહંકાર ।। તેમાં સંબન્ધ લઈ શ્યામનો, ચિંતવે વારમવાર ।।૧૦।। જે  જે શબ્દ સાંભળે,  શ્રવણ ધરીને સોય ।। તે […] read more
0 Views : 178

હૃદયપ્રકાશ પ્રસંગઃ- ૧પ

શિષ્ય  ઉવાચ :- દોહા :- શિષ્ય  કહે  ધન્યધન્ય  ગુરુ,  ભલો બતાવ્યો ભેદ ।। સહજે  શ્રીહરિ  સાંભરે,  થાય  વિષય  ઉચ્છેદ ।। ૧ ।। વિષયમાંહી વિસારી નાથને, કરતાં કામ  હરામ ।। તે  સમુ  સમજાવિયું,  સંભારવા ઘનશ્યામ ।। ૨ ।। સૂક્ષ્મ વાતો સૂચવી,  કહો કોણ કે’નાર ।। અલ્પ પ્રશ્ન ઉપરે,  કો’છો કરી વિસ્તાર ।। ૩ ।। વળી  કે’વી હોય વારતા, તો કે’જો કૃપાનિધાન ।। શ્રદ્ધા છે સાંભળવા, સુણીશ  કહું દઈ કાન ।। ૪ ।। વચન   તમારા   મુખનાં,   તે   સર્વે સુખ  દેનાર ।। હેતેભર્યા હોંસે કરી, સુણીશ હું કરી  પ્યાર ।। ૫ ।। સદ્ગુરુ  ઉવાચ :- દોહા :- સદ્ગુરુ કહે શિષ્ય સુણજે, રૂડી બતાવું રીત ।। રાત-દિવસ  હૃદયે રહે,  હરિ ચિંતવન  ચિત્ત ।। ૬ ।। રસ સરસ સંસારમાં,  મળે જો મનભાય ।। તેમાં શ્રીહરિ સાંભરે,  એવો  કહું  ઉપાય ।। ૭ ।। ષટ  રસ ખરા ખોળીએ, હરિ જમ્યા’તા જેહ ।। તે સમય  સંભારતાં,  સાંભરે શ્યામ  સનેહ ।। ૮ ।। રસોઈ  રસે  ભરી,  કરી  હરિને  કાજ ।। તે જોતાં જગપતિ સાંભરે, જે જમ્યા હતા મહારાજ ।।૯।। સુંદર સ્વાદુ સુખડી, પેરપેરના  પાક ।। પીરસતા પંગતમાં,  સુખદ  કરેલાં  શાક ।।૧૦।। ભોજન  વ્યંજન  બહુ  ભાતનાં,  લેહ્ય  ચોશ્ય  ભક્ષ્ય  ભોજય ।। તે સાંભરતાં સાંભરે, જે હરિ જમતા  કરી મોજય ।।૧૧।। આંબુ લિંબુ  જાંબુ  જમ્યા,  નાલિ કેળી  રાણ્ય  અનાર ।। જામ  […] read more
0 Views : 184
Powered By Indic IME