કઠણ વેળા અતિ અંતની કે’વાયજી, મહાશૂરવીરે પણ ન સે’વાયજી । એહ દુઃખને ઉપમા ન દે’વાયજી, તે સમે ધીરજ કેણેક ગ્રહેવાયજી ।।૧।। ઢાળ- ગ્રહેવાય નહિ ઘણા દુઃખમાં, ધીરજ મોટા ધીરથી । રોમરોમે વિંછી વેદના પ્રગટે, જયારે ચાલવું થાય શરીરથી ।।ર।। તેહ સમામાં કોણ કેનું, જયારે પરવશ પ્રાણી પડે । સ્વાર્થ લઈ સહુ સહુનો, સગા સંબંધી સર્વે રડે ।।૩।। તેહ સમે શ્રીહરિ સ્વામી, વા’લા મ કરજો વેલ । આધાર મારા આવજો, ઉતાવળા અલબેલ ।।૪।। મોટેમોટે એહ માગિયું, કરજો વસમી વેળાએ વા’ર । તેહ સુણીને શ્યામળા, પ્રભુ કરૂં છું પોકાર ।।પ।। ઘણા હેતુ છો ઘનશ્યામજી, સુખદ સાચા સનેહ । તમ વિના ત્રિલોકમાં, નથી સા’ય કરવા એહ ।।૬।। એહ સમો જો સુધર્યો, તો સુધર્યું સર્વે ઘણું । એહ સમો જો બગડયો, તો શું ઉપજયું શુભ ગુણતણું ।।૭।। તેહ માટે તમ પાસળે, માગું છું હું મહારાજ । નિષ્કુલાનંદ કહે નાથજી, એહ સમે રાખજો લાજ ।।૮।। કડવું ।।૩૯।।
read more