કોઈક નર થઈ શઠ જ્ઞાનીજી, રહ્યા છે સ્વતંત્ર પોતાને માનીજી । નિર્લેપ આપને માને અજ્ઞાનીજી, ઓળખી ન શકયા એ અવિદ્યા છાનીજી ।।૧।। ઢાળ- છાની અવિદ્યાએ છેતર્યા, થયા પ્રભુના પિતરાઈ । બેઠા થઈ બરોબરિયા, માની પોતાના મનમાંઈ ।।ર।। બાંધી મરજાદ બહુનામીયે, તેને ત્રોડવા રહે છે તૈયાર । મુષો જેમ મદિરા પીયને, મારવા ઈચ્છે માંજાર ।।૩।। અલ્પ મતી અતિ બળ કરે, પહોંચ્ય પોતાની નવ પરખે । પણ ખદ્યોત ને જેમ ખગ ભાનુ, તે સમઝાય કેમ સરખે।।૪।। જેમ તાડિપી તાડે ચડે, જાણ્યું પહોચ્યો હું સહુની પાર । પણ ભાગે તાડે હાડ ભાંગશે, એવો આવતો નથી વિચાર ।।પ।। જે એક બ્રહ્મ આગમે કહ્યું, તેતો જાણો તાડ સમાન । તેથી પડ્યા પ્રાણી કંઈ, નર અસુર નીદાન ।।૬।। માટે એ દિશને મૂકવી, થાવું હરિના દાસ । મન કર્મ વચને કરી, ભાવે ભજવા અવિનાશ ।।૭।। પ્રભુ સરિખા પ્રભુજ છે, બીજે થવાય નહી કોઈ રીત । નિષ્કુલાનંદ એહ મર્મને, જન ચિંતવી જુવો ચિત્ત ।।૮।। કડવું ।।ર૭।।
read more