Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૬ હરિબળગીતા
Per Page :

હરિબળગીતા કડવું:- ર૭

કોઈક નર થઈ શઠ જ્ઞાનીજી, રહ્યા છે સ્વતંત્ર પોતાને માનીજી । નિર્લેપ આપને માને અજ્ઞાનીજી, ઓળખી ન શકયા એ અવિદ્યા છાનીજી ।।૧।। ઢાળ- છાની અવિદ્યાએ છેતર્યા, થયા પ્રભુના પિતરાઈ । બેઠા થઈ બરોબરિયા, માની પોતાના મનમાંઈ ।।ર।। બાંધી મરજાદ બહુનામીયે, તેને ત્રોડવા રહે છે તૈયાર । મુષો જેમ મદિરા પીયને, મારવા ઈચ્છે માંજાર ।।૩।। અલ્પ મતી અતિ બળ કરે, પહોંચ્ય પોતાની નવ પરખે । પણ ખદ્યોત ને જેમ ખગ ભાનુ, તે સમઝાય કેમ સરખે।।૪।। જેમ તાડિપી તાડે ચડે, જાણ્યું પહોચ્યો હું સહુની પાર । પણ ભાગે તાડે હાડ ભાંગશે, એવો આવતો નથી વિચાર ।।પ।। જે એક બ્રહ્મ આગમે કહ્યું, તેતો જાણો તાડ સમાન । તેથી પડ્યા પ્રાણી કંઈ, નર અસુર નીદાન ।।૬।। માટે એ દિશને મૂકવી, થાવું હરિના દાસ । મન કર્મ વચને કરી, ભાવે ભજવા અવિનાશ ।।૭।। પ્રભુ સરિખા પ્રભુજ છે, બીજે થવાય નહી કોઈ રીત । નિષ્કુલાનંદ એહ મર્મને, જન ચિંતવી જુવો ચિત્ત ।।૮।। કડવું ।।ર૭।। read more
0 Views : 137

હરિબળગીતા પદ:- ૭

રાગ:-  પરજ નેતિ નેતિ કરી નિગમ જેના, ગુણ નિશદિન ગાયેરે । એહ જેવા તો એકજ એ છે, બીજે કેમ થવાયરે ।।૧।। સૂરજ સરખા એક સૂરજ છે, શશી સરખા શશિરે । સિંધુ સરખા એક સિંધુ છે, એને ઉપમા કશીરે ।।ર।। શૂન્ય સરિખો એક શૂન્ય છે, સમીર સરિખો સમીરરે । તેજ સરિખું એક તેજ છે, નીર સરિખું નીરરે ।।૩।। એમ પ્રભુ સરિખા એક પ્રભુ છે, બીજો ન હોય બરાબરીરે । નિષ્કુલાનંદ કે’ નિશ્ચય કરીને, માની લીયો વાત ખરીરે ।।૪।। પદ ।।૭।। read more
0 Views : 111

હરિબળગીતા કડવું:- ર૯

જેને દર્શને દુષ્કૃત ટળેજી, જેને સ્પર્શે મહાપાપ બળેજી । જેની કીર્તિસુણતાં કર્મ બળેજી, જેનું નામ લેતાં મહાસુખ મળેજી ।।૧।। ઢાળ- મળે સુખ મોટું ઘણું, જેહને સંબંધે જરુર । મંગળકારી મૂરતી, અમંગળકરે દૂર ।।ર।। જેના દર્શનસારુ દેવતા, વળી ઈચ્છે છે રહી આકાશ । રાત દિવસ હૃદિયે રહી, નાથ નિરખવા આશ ।।૩।। સદાય સુખી સુર રહે, ખાન પાનની નહીં ખોટ । પણ દીનબંધુના દર્શન વિના, માને અભાગી મોટ ।।૪।। વળી કંઈક વસે છે વનમાં, તજી સર્વે સુખસમાજ । શીત ઉષ્ણ સહન કરે, તે હરી દર્શન કાજ ।।પ।। એવું માહાત્મ્ય દર્શનનું, તેહ એક શ્રીહરીનું હોય । બીજાના દર્શનનું, માહાત્મ્ય ન જાણે કોય ।।૬।। એવું દર્શન જેહને થયું, ગયું તેનું પ્રજળી પાપ । જીવનમુકત તેહ સહી, છતિ દેહે એહ છાપ ।।૭।। બ્રહ્મમોહોલનું બારણું, મેલ્યું ઉઘાડી એહને કાજ । નિષ્કુલાનંદ નિર્ભય પદ, પામશે એ ભકતરાજ ।।૮।।કડવું ।।ર૯।। read more
0 Views : 114

હરિબળગીતા કડવું:- ૩૦

વળી સ્પર્શ પ્રભુનો પરમ પાવનજી, જેહ જેહ પામ્યા સંત અસંતજી । તેહ તેહ થયા સહુ ધન્ય ધન્યજી, એહની સમતા કરે શું સાધનજી ।।૧।। ઢાળ- સાધન બિચારાં શું કરે, આપે કર્યા પ્રમાણે ફળ । સ્પર્શ કરતાં મહાપ્રભુનો, આપે સુખ અટળ ।।ર।। સ્પર્શ પામી પૂતના, હરિ ધવાર્યા લઈ હાથ । પુરૂષોત્તમના સ્પર્શથી, શંખણી થઈ સનાથ ।।૩।। ગોવિંદ સ્પર્શથી ગાપિકા, થઈ સર્વે શ્રુતિ સમાન । કુબજા સ્પર્શી કૃષ્ણને, નિર્ભય થઈ નિદાન ।।૪।। એવો સ્પર્શ પાવન અતિ, પરમ પ્રાપ્તિનો દેનાર । પાપી પ્રાણીનો સ્પર્શ જેહ, તેહ આવે કેમ એની હાર ।।પ।। એવો સ્પર્શ જેને થયો, તે કૃતાર્થ કે’વાય છે । બીજાં કોટી સાધન કરે, પણ તેહ તુલ્ય કયાંય થાય છે ?।।૬।। પરબ્રહ્મનો સ્પર્શ પામી, જેહ થયા પૂરણ કામ । તન મૂકતાં તરત તેહ, પામશે પ્રભુનું ધામ ।।૭।। જેમ પારસના પ્રતાપથી, લોહપણું ન રહે લગાર । નિષ્કુલાનંદ એમ નાથ સ્પર્શે, પ્રાણી પામે ભવપાર ।।૮।। કડવું ।।૩૦।। read more
0 Views : 120

હરિબળગીતા કડવું:- ૩૧

કીર્તિ પ્રભુની સુણતાં કાનજી, જાય અણસમઝણ અજ્ઞાનજી । પ્રગટ પ્રભુશું લાગે તાનજી, એવું કાંય નથી એહની સમાનજી ।।૧।। ઢાળ- સમાન ન દીઠું શોધતાં, હરિકીર્તિ જેવું કોય । જશ સુણતાં જગદીશના, થયા સંસાર પાર જન સોય ।।ર।। પૃથુ ને પરીક્ષિત આદિ, વળી જનક જેવા નરેશ । નારદ હનુ સનક આદિક, હરિ કથા સૂણે છે હમેશ ।।૩।। જુવો વળી આ જગતમાં, હરિજશ સૂણે છે હેતે કરી । કષ્ટમાં એહ કામ આવે, સંકટ સર્વે જાય તરી ।।૪।। એવી કીર્તિ કોણની, જેને સાંભળીને તાપ ટળે । અન્ય કથાને કાને સૂણતાં, પુણ્ય સર્વે પરજળે ।।પ।। પતિતને પાવન કરવા, જશ હરિના છે જાહ્નવી । એહ પખી પવિત્ર થાવા, નથી ઉપાય માનો માનવી ।।૬।। એવા જશ જેણે સાંભળ્યા, તે સનાથ થયા સહુ । ઓછું ન માનવું અંતરે, માનવી મોટપ બહુ ।।૭।। જેની કહીયે પવિત્ર કીરતિ, એવા તો હરિ એક છે । નિષ્કુલાનંદ એ નક્કી કરવું, એહજ સારો વિવેક છે ।।૮।। કડવું ।।૩૧।। read more
0 Views : 115

હરિબળગીતા કડવું:- ૩ર

જેનું નામ જપ્યે આવે અઘ અંતજી, સમરતાં સુખ મળે અનંતજી । પામે મોટપ જપતાં જંતજી, એમ સમઝીને સમરેછે સંતજી ।।૧।। ઢાળ- સંત માહાત્મ્યને સમઝી, નવ મૂકે નારાયણ નામ । શ્વાસો શ્વાસે તે સમરે, ઘણે હેતે ઘનશ્યામ ।।ર।। ગજ ગુણિકા અજામિલ આદિ, ભજી નામ થયા ભવપાર । પતિતપાવન નામ હરિનું, એથી પામ્યા અનેક ઉદ્ધાર ।।૩।। ધ્રુવ પ્રહ્લાદને દ્રૌપદી, થયાં નામ ભજીને નિઃશંક । પાણી ઉપર પાષાણ તર્યા, તેપણ નામને અંક ।।૪।। મોટા મુનિ માળા લઈ, જપે છે નારાયણ નામ । રાત દિવસ રટણ કરતાં, પળ ન પામે વિરામ ।।પ।। જોગી વસે જઈ વનમાં, ખાય ફળ ફુલ વન પાન । એમદમી નિજ દેહને, વળી ભજે છે ભગવાન ।।૬।। મહામાલ માન્યો મને, નારાયણના નામમાંઈ । તેણે કરી એકતાર અંતરે, સમરેછે જો સડ્ડાઈ ।।૭।। એવો મહિમા મૂર્તિ તણો, પ્રિછવ્યો બહુ પ્રકાર । નિષ્કુલાનંદ એ વારતા, નક્કી છે નિરધાર ।।૮।। કડવું ।।૩ર।। read more
0 Views : 107

હરિબળગીતા પદ:- ૮

રાગ:-  ધોળ જેની મૂર્તિ મંગળરૂપ છે, સ્પર્શતાં પાપ પલાયરે । અનેક જન્મનાં અઘ અતિ, જેનું નામ જપતાં તે જાયરે; જેની૦ ।।૧।। જેને દર્શને સર્વે દુષ્કૃત ટળે, બળે બહુ કર્મના કોટરે । જેનું સ્મરણ કરતાં સંકટ શમે, વળી લાગે નહિ કાળની ચોટરે; જેની૦ ।।ર।। જેની કીર્તિને સુણતાં કાનમાં, થાય નર નિર્ભય નિદાનરે । જેનો મહિમા ન કે’વાય મુખથી, એવા છે એ શ્રીભગવાનરે; જેની૦ ।।૩।। એમ સર્વે અંગે સુખદાઈ છે, મૂર્તિ જેની મનોહરરે । નિષ્કુલાનંદ એહ નાથને, ના’વે કોઈ બીજું સરાભરરે; જેની૦ ।।૪।।પદ ।।૮।। read more
0 Views : 127

હરિબળગીતા કડવું:- ૩૩

એમ સમઝયા વિના જે અધુરાજી, પ્રાકૃત ગુણે કરી માને પૂરાજી । પરને પીડવા સુધા અતિ શૂરાજી, પળે પળે દલમાં તર્ક અતિ તુરાજી ।।૧।। ઢાળ- તુરા અતિ અંતરમાં, તેણે ગરીબની ગણતી નહિ । શિયાળ વેષ લઈ સિંહનો, બિવરાવે બીજાં કહિ ।।ર।। પણ જંબુક મન નથી જાણતો, આતો બળ છે અજીનનું । તેણે કરીને થાય છે, અપમાન દુર્બળ દીનનું ।।૩।। એમ ગુણ ગોવિંદના, જરાયેક પામે છે જન । માને હું મોટો થયો, સર્વે ગુણે સંપન્ન ।।૪।। તેણે કરી તન મનમાં , ફોગટ રહે છે ફૂલ્ય । પણ તપાસતો નથી તેહને, જે ભારે આવી ગઈ ભૂલ્ય ।।પ।। જોને પે’રી ઘરેણાં પરનાં, મને માનવી મોટાઈ કેમ । જયારે ઉતારી લેશે અંગથી, ત્યારે રહીશ તેમનો તેમ ।।૬।। માટે મોટપ માનવી, મોટી મહાપ્રભુ માંઈ । જોઈ પોતાના જોરને, જન જોમ ન કરવું કાંઈ ।।૭।। નિશ્ચય નથી નિપજતું, આપણાથી અણુંભાર । નિષ્કુલાનંદ એમ નરને, કરવો વારમવાર વિચાર ।।૮।।કડવું ।।૩૩।। read more
0 Views : 114
Powered By Indic IME