Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૬ હરિબળગીતા
Per Page :

હરિબળગીતા પદ:- પ

રાગ:-  સોરઠા સુખદાયી સદા શ્યામળો, જીવ જરૂર ઉરમાં જાણ્ય । દૃઢ ભરોંસો ધર્મનંદનો, અતિ અંતરમાંઈ આણ્ય; સુખ૦ ।।૧।। પ્રથમ પો’ચ પોતાની જોઈને, પછી મનમાં ધરીયે માન । એવું ન થાય આપણે, જેવું ભલું કરે ભગવાન; સુખ૦ ।।ર।। જેમ મેઘ જીવાડે મેદિની, વળી અર્ક ટાળે અંધાર । એવું કામ કોયથીરે, જોને નવ થાય નિરધાર; સુખ૦ ।।૩।। તેમ જે નિપજે જગદીશથી, તે ન નિપજે જીવથી જાણ્ય । નિષ્કુલાનંદ ન કીજીયેરે, ઠાલી તપાસ્યા વિના તાણ્ય; સુખ૦ ।।૪।। પદ ।।પ।। read more
0 Views : 109

હરિબળગીતા કડવું:- ર૧

જુઠી સામર્થી જીવની જાણીયેજી, પૂરણ સામર્થી પ્રભુની પ્રમાણીયેજી । એહ ભરોંસો દૃઢ ઉરમાં આણીયેજી, વણ તપાસે વળી શીદ તાણીયેજી ।।૧।। ઢાળ- તપાસ વિના ન તાણીયે, જોઈએ જીવ વિચારી વાત । મોટાની મોટપ શા વડે, એમ સમઝવું સાક્ષાત ।।ર।। પિતા પાળે જેમ પુત્રને, વળી પ્રીતે કરે પ્રતિપાળ । સુખ કરે ને દુઃખ હરે, શોભાવે સદાય કાળ ।।૩।। ખાવા પીવા બોલવા, વળી રે’વા શીખવે રીત । અરિ મિત્ર પર આપણાં, તેહ નકી કરાવે નિત ।।૪।। એમ હમેશ હેત કરે, ફરે બાળકની વાંસે વળી । પ્રીતે પાળે પુત્ર જાણી, માત તાત દોયે મળી ।।પ।। બાળપણમાં બહુ પેરે, આવે બની અપરાધ । તોયે અવગુણ ન લીયે અર્ભનો, સમઝે સુતને અસાધ ।।૬।। એમ મોટાની મોટપનો, કોઈ પામી શકે નહિ પાર । પુત્ર પિતાને પટંતરે, સમઝુ સમઝો સાર ।।૭।। એમ જીવને જગદીશ છે, જનક જનની સમાન । નિષ્કુલાનંદ એહ નવ તજે, નિશ્ચે જાણો નિદાન ।।૮।। કડવું ।।ર૧।। read more
0 Views : 112

હરિબળગીતા કડવું:- રર

પત્નીનું પાલન કરે જેમ પતિજી, પ્રજાનું પાલન કરે છે ભૂપતિજી । સદ્ગુરુ શિષ્યને આપે સદ્દમતિજી, એહ રીત જાણો યુગોયુગ છતિજી ।।૧।। ઢાળ- છતિછે એ છાની નથી, હોય જેજે જેના આશ્રિત । તે તેનું પાલન કરે, એહ અનાદિની રીત ।।ર।। આવડત ન હોય જો એહમાં, તો કરે વા’લપશું વાત । હૈયે હેત અતિ ઘણું, દેખાડે દિન ને રાત ।।૩।। જેમ પડે એને પાધરૂં, એમ અખંડ કરે ઉપાય । પોતાના જાણી પીડા હરે, કરે સેવકની સા’ય ।।૪।। તેમ ઘનશ્યામ જાણી ઘરનાં, કરે મે’ર હરે મહાકષ્ટ । એહ વારતા વેદ પુરાણે, સૂચવે છે જો સુસ્પષ્ટ ।।પ।। પોતાના જાણી નવ પરહરે, કરે પ્રીતે કરી પ્રતિપાળ । અવગુણ ન જુવે અર્ભના, જેમ જનની જાળવે બાળ ।।૬।। પશુ પંખી નર નિર્જર, સહુ સુતને પાળે સદાય । તેમ શ્રીહરિકૃષ્ણ કરે, સેવક જનની સા’ય ।।૭।। નિરાધાર નારાયણ વિના, નર નિપજયા નહિ એક । નિષ્કુલાનંદ એહ વાતને, વિચારો કરી વિવેક ।।૮।। કડવું ।।રર।। read more
0 Views : 128

હરિબળગીતા કડવું:- ર૩

માતાપિતાથી પામે પ્રાણી દેહજી, તેહમાં આવી વસે જીવ જેહજી । ન હોય કર્તવ્ય એહનું એહજી, એહના કારણ શ્રીહરિ તેહજી ।।૧।। ઢાળ- શ્રીહરિ વિના સમાજ એવો, કહોને કોણથી થાય । શ્રવણ નયન નાસિકા, દંત જીહ્વા કરી મુખમાંય ।।ર।। હાથ પગ આંગળીયો, નખ શિખા મુવાળા મોછ । કીધો સમાજ સુખનો, કોઈ રીતે ન રાખી ઓછ ।।૩।। વળી અંતઃકરણ ને ઈંદ્રિયો, પ્રાણવાયુ દશ પ્રકાર । એવું કરતાં કોઈને, ન આવડે નિરધાર ।।૪।। કસર કોઈ વાતની, નારાયણે રાખી નથી । જુવો વિચારી જીવમાં, વળી વળી શું કહું કથી ।।પ।। જીવ જાણે હું જોર છઉં, જે કરૂં તે કેમ ન થાય । પણ વિચારે આવી વાતને, તો જેમ છે તેમ જણાય ।।૬।। માટે અસમર્થ આપણે, સમર્થ શ્રીભગવાન । એવું સમઝી અંતરે, મૂકવું કર્તવ્યનું માન ।।૭।। કર્યું શ્રીકૃષ્ણનું થાય છે, જનથી ન થાય જરાય । નિષ્કુલાનંદ નિહાળીયે, ઉંડું અંતરમાંય ।।૮।। કડવું ।।ર૩।। read more
0 Views : 117

હરિબળગીતા કડવું:- ર૪

કૃષિ કરે જેમ કૃષિજનજી, વિવિધ ભાતનાં વાવે વળી અન્નજી । જાણે અન્ન વડે થાશે બહુ ધનજી, એમ મનસુબો કરે નિત્ય મનજી ।।૧।। ઢાળ- કરે મનસુબો મનમાં, જાણે ભરીશ કણ કોઠાર । પણ તેતો હરિને હાથ છે, નથી જાણતો તે નિરધાર ।।ર।। અવનીથી અન્નને ઉગાડવું, વળી મોટા કરવા મો’લ । તે તો કરી ન શકે કરષિ, તપાસી કરવો તોલ ।।૩।। જે જન અન્ન વાવે જેવું, તેવું થાય છે તદ્દરૂપ । તેહ કર્તવ્ય ભગવાનનું, એમ સમઝવું સુખરૂપ ।।૪।। ર્નિિવઘન નીપજાવવું, તેહ જાણો છે હરિને હાથ । ખેડુ જુવે જો ખોળીને, તો નવ વિસારે નાથ ।।પ।। કિંચિત કર્તવ્ય કૃષિતણું, ઘણું કર્તવ્ય ઘનશ્યામનું । એમ જીવનું કર્તવ્ય જોતાં, કે’વામાત્ર છે કામનું ।।૬।। જો કોઈ નરથી નિપજે, તો કષ્ટ રાખે કહો કોણ । માનો નર નિર્બળ છે, જોઈ લેવું એહ જાણ ।।૭।। માટે શ્રીહરિના શરણ વિના, કારજ કોઈ ન થાય । નિષ્કુલાનંદ એમ નરને, માની લેવું મનમાંય ।।૮।। કડવું ।।ર૪।। read more
0 Views : 127

હરિબળગીતા પદ:- ૬

પદરાગ:-  સામેરી આવો હરિ મંદિરીએ મારે, એ ઢાળ છે. જાણો જન સમર્થ શ્રી ભગવાન । ટેક એ જીવનું જોર ન જાણવુંરે, અમથું કરે અભિમાન । કર્યું ન થાય કોઈનુંરે, નર નિર્જરથી નિદાન; જાણો૦ ।।૧।। એ પ્રાણી સુખને પામવારે, કરે તે સર્વસ્વ દાન । જશ વાધે આ જગ્તમાંરે, વળી સહુ કરે સન્માન; જાણો૦ ।।ર।। જપ તપ તીરથ જોગ જેરે, ધરે વન જઈ ધ્યાન । અર્થ ન સરે એહથીરે, જેવી વર વિનાની જાન; જાણો૦ ।।૩।। એ મેલી બળ મહારાજનુંરે, કરે ઉપાય કોઈ આંન । નિષ્કુલાનંદ નિષ્ફળ છેરે, જાણો જોર થયું એ જયાન; જાણો૦ ।।૪।। પદ ।।૬।। read more
0 Views : 123

હરિબળગીતા કડવું:- રપ

જયારે જોયે આ જીવનું જોરજી, ત્યારે કોઈ રીતે ન આવે નોરજી । અંતરશત્રુ અતિ મહા ઘોરજી, મટવા ન દિયે મહા પ્રભુના ચોરજી ।।૧।। ઢાળ- ચોર જેમ ચોરી કરે, અને હરે મા’જનનો માલ । તેમ અંતર અરી ચોરી કરી, વળી કરી મૂકે કંગાલ ।।ર।। પછી મુખે દીનપણું દાખવે, વળી મને માને નિરધન । વરતે તો પણ તેજ વિના, એમ રાંક રહે રાતદન ।।૩।। જેમ દીપશિખા શમી ગઈ, રહી કેડે કાળી મશ । જયાં જયાં જાય ત્યાં સાંભળે, આપણો અપજશ ।।૪।। ઝાંખપ આવી જે જીવમાં, તેતો કેમ કરી કરે ત્યાગ । રાતદિન ફડકો રહે, જેમ તસ્કર ઉપર કાગ ।।પ।। આત્મા ન મનાય આપને, નહિ માથે પ્રભુ પ્રતાપ । એણે કરી રહે અભાગિયો, નવ મનાય નિષ્પાપ ।।૬।। એક પ્રભુને પરહરી, જણાવે પોતાનું જોર । તેતો સોસો ઉડુ ઉગે સામટા, પણ ભાષ્કર વિના ન હોય ભોર ।।૭।। તેમ જેજે થાય જગદીશથી, તેતે ન થાય નર અમર થકી । નિષ્કુલાનંદ એ વાતને, સમઝવી પૂરણ પકી ।।૮।। કડવું ।।રપ।। read more
0 Views : 117

હરિબળગીતા કડવું:- ર૬

જુઓ ભગવાને રચ્યું આ બ્રહ્માંડજી, તેમાં કર્યા સાત દ્વીપ નવ ખંડજી । જેમાં વસ્યા જન જુજવે પંડજી, એહ સહુ ભજે છે હરીને અખંડજી ।।૧।। ઢાળ- અખંડ ભજે છે અવિનાશીને, વળી થઈ દીન આધીન । સમર્થ જાણે છે સ્વામીને, જાણી પોતાને બળહીન ।।ર।। વળી આ બ્રહ્માંડમાં, કર્યા સમુદ્ર તે સાત । જળ તેનાં જુજવાં, બનાવિયાં બહુ ભાત ।।૩।। વળી મરજાદના મોટા ગિરિ, આડા નાખીયા એહ । તેણે કરી નિજનિજ સ્થાનકે, સુખે વસિયા તેહ ।।૪।। મધ્યે એક મેરૂ કર્યો, કર્યા નવ લખ તારા લઈ । શશિ સૂર સમર્થ કર્યા, પ્રકાશવા સહુને સઈ ।।પ।। સ્થાવર જંગમ જીવ કર્યા, કર્યાં પોષણ તે બહુ પેર । આપ ઈચ્છાએ એહ કર્યું, તેની ન લાગી વેર ।।૬।। એવા સમર્થ શ્રીહરિ, જેજે ધારે તેહ થાય । મૂકી એવાનો આશરો, નિર્બળ નિજબળ ગાય ।।૭।। આશ્ચર્ય વારતા એ ઘણી, ભૂચરને વસવું વ્યોમ । નિષ્કુલાનંદ એ નરનું, જાણ્યા વિનાનું જોમ ।।૮।। કડવું ।।ર૬।। read more
0 Views : 118
Powered By Indic IME