કૃષિ કરે જેમ કૃષિજનજી, વિવિધ ભાતનાં વાવે વળી અન્નજી । જાણે અન્ન વડે થાશે બહુ ધનજી, એમ મનસુબો કરે નિત્ય મનજી ।।૧।। ઢાળ- કરે મનસુબો મનમાં, જાણે ભરીશ કણ કોઠાર । પણ તેતો હરિને હાથ છે, નથી જાણતો તે નિરધાર ।।ર।। અવનીથી અન્નને ઉગાડવું, વળી મોટા કરવા મો’લ । તે તો કરી ન શકે કરષિ, તપાસી કરવો તોલ ।।૩।। જે જન અન્ન વાવે જેવું, તેવું થાય છે તદ્દરૂપ । તેહ કર્તવ્ય ભગવાનનું, એમ સમઝવું સુખરૂપ ।।૪।। ર્નિિવઘન નીપજાવવું, તેહ જાણો છે હરિને હાથ । ખેડુ જુવે જો ખોળીને, તો નવ વિસારે નાથ ।।પ।। કિંચિત કર્તવ્ય કૃષિતણું, ઘણું કર્તવ્ય ઘનશ્યામનું । એમ જીવનું કર્તવ્ય જોતાં, કે’વામાત્ર છે કામનું ।।૬।। જો કોઈ નરથી નિપજે, તો કષ્ટ રાખે કહો કોણ । માનો નર નિર્બળ છે, જોઈ લેવું એહ જાણ ।।૭।। માટે શ્રીહરિના શરણ વિના, કારજ કોઈ ન થાય । નિષ્કુલાનંદ એમ નરને, માની લેવું મનમાંય ।।૮।। કડવું ।।ર૪।।
read more