Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૬ હરિબળગીતા
Per Page :

હરિબળગીતા કડવું:- ૮

સાધન સર્વે સમઝવાં સત્યજી, એહમાં એકે નથી અસત્યજી । રાખવાં નરને નક્કી કરી નિત્યજી, વિઘન પડે ન હારવી હિમત્યજી ।।૧।। ઢાળ- વિઘન પડે વ્યાકુળ થઇ, અતિ થાવું નહિ ઉદાસ । પતિતપાવન નાથનો, વડો રાખવો વિશ્વાસ ।।ર।। ભોળાઇએ કાંઇ ભૂલ્ય પડે, થાય ન કરવાનું કામ । નર નિશ્ચેનું બળ લઇ, સમરવા ઘનશ્યામ ।।૩।। કચવાઇ કાયર થઇ, પાછા ન ભરવા પગ । હૈયે હિંમત ન હારવી, મંડયું રે’વું મુવાલગ ।।૪।। પડતાં આખડતાં રાહજ પંથે, ચાલવું ચિત્તે કરી ચાહ । પડી ન રે’વું પૃથ્વી, લેવો એનો એહ રાહ ।।પ।। જરૂર પો’ચશું જાણવું, શ્રીહરિની હજૂર । પગે પગે પંથ કાપશું, એમ જાણવું જન જરૂર ।।૬।। ભકત છીએ ભગવાનના, મન વચન કર્મે કરી । નિશ્ચે કર્યું છે નાથનું, તે ફરશે નહિ ફેરવે ફરી ।।૭।। અચળ જાણી એ આશરો, ન્યૂન માનવી નહિ મન । નિષ્કુલાનંદ એ વારતા, નકી નિરવિઘન ।।૮।। કડવું ।।૮।। read more
0 Views : 210

હરિબળગીતા પદ:- ર

રાગ:- ધોળ ભીંતર ભરોસો ભગવાનનો રે, જોઇએ ભકતને ભરપુર। બીજી વાત છે બાદલીરે, તમે જાણી લેજો જરૂર; ભીંતર૦ ।।૧।। જેમ એક એકડો ટાળિયેરે, વળી વાળીયે સોયેક શૂન્ય । બુદ્ધિવાનને બેરજ બાંધવીરે, તેતો સમઝણ્યમાં નૂન્ય; ભીંતર૦ ।।ર।। તેમ મેલી બળ મહારાજનુંરે, સાધનની માનવી સા’ય । ભરી ગોળી વારિ વલોવતાંરે, ઉતરે નહિ માંખણ કાંય; ભીંતર૦ ।।૩ ।। માટે મનમાં મોટો માનવોરે, પ્રગટ પ્રભુનો પ્રતાપ । નિષ્કુલાનંદ તેહ નરનારે, ટળી જાય અંતર તાપ; ભીંતર૦ ।।૪।। પદ ।।ર।। read more
0 Views : 206

હરિબળગીતા કડવું:- ૯

હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવાં સર્વે સાધનજી । તેમાં કાંઈ ફેર ન પાડવો જનજી, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી ।।૧।। ઢાળ – પ્રસન્ન કરવા મહાપ્રભુને, રે’વું આજ્ઞાને અનુસાર । જેજે જેના ધર્મ છે, તેતે પાળવા કરી પ્યાર ।।ર।। ધર્મે રાજી ધર્મના સુત, ધર્મ સાધુનો શણગાર । ધર્મ ધારી સહુ રહ્યા, ચાર વર્ણ આશ્રમ ચાર ।।૩।। તેમ ધર્મ ત્યાગીતણા, નિર્લોભી ને નિષ્કામ । નિસ્પૃહી નિર્માનિતા, નિઃસ્વાદી એહ નામ ।।૪।। તેમાં ફેર એક તલભાર, નવ પડવા દેવો નેક । મુવા સુધી મૂકવી નહી, ગૃહી ત્યાગી એક ટેક ।।પ।। મુખથી મોળી વારતા, ભૂલ્યે ભાષણ કરવી નહી । બળે સહિત બોલવું, સહુસહુને ધર્મે રહી ।।૬।। કાયરની વાતે કોઈને, ના’વે શૂરાતન સોય ।નપુંસક નરથી નારને, પુત્રની પ્રાપ્તી ન હોય ।।૭।। માટે હૈયે હિંમત ધરો, અને કરો ખરો ખેલ । નિષ્કુલાનંદનો નાથજી, થાશે રાજી અલબેલ ।।૮।। કડવું ।।૯।। read more
0 Views : 123

હરિબળગીતા કડવું:- ૧૦

રાજી કરવા પ્રગટ ભગવાનજી, સમાસમે સહુને રે’વું સાવધાનજી । મેલી જન મન તનનું માનજી, રાખવું હરિને રાજી કરવા તાનજી ।।૧।। ઢાળ- તાન એમ તને મને, રાજી કરવાને હરિકૃષ્ણ । અહોનિશ રહે આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન।।ર।। તેને અર્થે તને કરી, કરે જપ તપ જોગ જગન । તીરથ વ્રત કરે વળી, રાજી કરવા ભગવન ।।૩।। તેહસારૂં તાવે તનને, સહે કાયાયે કષ્ટ કોટ । પણ હરિભક્તની રીતમાં, આવવા ન દિયે ખોટ ।।૪।। મેલી ગમતું નિજ મનનું, કરે ગમતું તે ગોવિંદતણું । જેમ વાળે તેમ વળે વળી, મૂકી મમત આપણું ।।પ।। વા’લાના વચનનો, અતિ ઉર ઉંડો વિશ્વાસ । માહાત્મ્ય જાણી મહારાજનું, તજે અન્યસુખ આશ ।।૬।। સુખ નર નિર્જરતણાં, સમઝે સ્વપ્ન સમાન । નિર્ભય સુખ જાણી નાથનું, તેહ પર રહે ઘણું તાન ।।૭।। એને અર્થે આપણું, ગણે નહિ તન મન । નિષ્કુલાનંદ તે નરપર, પ્રભુ થાશે પ્રસન્ન ।।૮।। કડવું ।।૧૦।। read more
0 Views : 157

હરિબળગીતા કડવું:- ૧૧

વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજજી, બહુબહુ કર્યું મોરે ઋષિરાજજી । મોટેમોટે મહીશે મૂકયાં રાજસાજજી, તન સુખ સર્વે કરિયાં તાજજી ।।૧।। ઢાળ- તજયાં સુખ સંસારનાં, ભજયા શ્રી ભગવન । એની રીત સુણી શ્રવણે, થાય ત્રાહિત્રાહિ મન ।।ર।। આરૂણીને ઉપમન્યુ, ઋષિ જાજળી તપસી જેહ । પ્રભુજીને પ્રસન્ન કરવા, ગણ્યું નહિ નિજદેહ ।।૩।। મયૂર ધ્વજ ને મીરાં વળી, ભૂપ ભર્તૃહરિ ને ગોપીચંદ । સમસ્ત બરેજ ને ફરીદ, મનસુર ને બાજીંદ ।।૪।। એહ આદિ અનેક બીજા, ઘણું રાજી કરવા ઘનશ્યામ । સુખ તજયાં શરીરનાં, અન્ન ધન ધરા ત્રિયા ધામ ।।પ।। પંચ વિષયને પરહરી, થયા અરિ મન ઈંદ્રિતણા । પરલોકની પ્રતીત આણી, સહ્યાં કષ્ટ શરીરે ઘણાં ।।૬।। ખોટ ન આણી ખપમાં, બાંધી મમત મહાસુખ માંઈ । તનસુખથી મન ઉતર્યું, ઠર્યું નહિ ચિત્ત કયાંઈ ।।૭।। એવી રીત હરિભક્તની, પ્રભુ વિના બીજે પ્રીતિ નહિ । નિષ્કુલાનંદ નક્કી વારતા, હરિજનની વર્ણવી કહી।।૮।। કડવું ।।૧૧।। read more
0 Views : 158

હરિબળગીતા કડવું:- ૧ર

વળીવળી કહું હરિજનની જે રીતજી, સહુ કોઈ સુણજો દઈ એક ચિત્તજી । જેની બંધાણી પ્રભુ સાથે પ્રીતજી, તેને રે’વું મન ઈંદ્રિય જીતજી ।।૧।। ઢાળ- મન ઈંદ્રિયને જીતવા, કરવી જુગતિ જન જરૂર । એની આગળ અનાથ રે’તાં, દુઃખ ન થાયે દૂર ।।ર।। આગ્નીધ્ર ને દીર્ઘતમા, વળી ઈંદ્રાદિ સુર અસુર । અજીત ઈંદ્રિયે થયા, રહ્યા તેણે દુઃખી ભરપુર ।।૩।। વિષય સારૂં વિકળ થયા, કર્યાં ન કર્યાંનાં કાજ । મેણું માથે રહી ગયું, કહો કિયાં રહી લાજ ।।૪।। લાજ ગઈ ને કાજ બગડયું, વળી કલંક બેઠો શિર । આજ સુધી એ વાતને, નિંદેછે ર્ધાિમક ધીર ।।પ।। માટે સહુએ સચેત રે’વું, નવ ગ્રે’વું એવું આચરણ । ર્નિિવઘન એહ વાત છે, સદાય એહ સુખ કરણ ।।૬।। સુણી સુખ ઘનશ્યામમાં, ચોટાળવું તેમાં જઈ ચિત્ત । અસત્ય સુખની આશ મૂકી, બાંધવી પ્રભુશું પ્રીત ।।૭।। એવા ભક્ત ભગવાનના, અતિ વા’લા વા’લાને મન । નિષ્કુલાનંદ નિર્ભય થયા, જેની ઉપર પ્રભુ પ્રસન્ન ।।૮।। કડવું ।।૧ર।। read more
0 Views : 158

હરિબળગીતા પદ:- ૩

રાગ:- બિહાગડો પ્રસન્ન થયા પરબ્રહ્મરે, જેને પ્રસન્ન૦ । એને નડે નહિ કોઈ કર્મરે, જેને પ્રસન્ન૦ ।। ટેક જેમ કોઈ પારસને પામે, તેને કરવો ન રહે ઉદ્યમ । વિના અતિ સંપત્તિ પામે, વામે વેળા વિષમરે; જેને પ્રસન્ન૦ ।।૧।। નવનિધિ અષ્ટસિદ્ધિ આલોકે, સહુને પામવી અગમ । તેતો દાસી થઈ રહે છે દ્વારે, સા’ય કરવા સુગમરે; જેને પ્રસન્ન૦ ।।ર।। સે’જે સે’જે સુખ રહે સહવાસે, પડે નહિ પરિશ્રમ । વણચિંતવે આવી મળે વસ્તુ, એમ વદે છે આગમરે; જેને પ્રસન્ન૦ ।।૩।। અચળ આસન ઉપર બેઠા આવી, જે છે આસન અતિ રમ્ય । નિષ્કુલાનંદ નિઃશંક થયા છે, નિશ્ચે કહે છે નિગમરે; જેને પ્રસન્ન૦ ।।૪।।  પદ ।।૩।। read more
0 Views : 125

હરિબળગીતા કડવું:- ૧૩

નિગમ કહે છે વારતા નકીજી, જુઠી ન થાય કોઈ થકીજી । સર્વે પુરાણે પ્રમાણી પકીજી,  તે છે જગ છતી નથી એહ ઢાંકીજી ।।૧।। ઢાળ- ઢાંકી નથી એહ વારતા, છે પુરાણમાં પ્રસિદ્ધ । સાધન નરને ન મૂકવાં, રાખવાં ભલી વિધ ।।ર।। વચન લઈ વા’લા તણું, કરવું પુરૂષપ્રયતન । વચન વડે વડાઈ છે, તે જાણજો તમે જન ।।।૩।। વિધિ વામ વચને કરી, સરજે સંહારે સૃષ્ટિ સોય । શશિ સૂરમાં સમર્થપણું, તેહ વચન વિના નો’ય ।।૪।। અહીંદ્ર ઈંદ્ર આદિ કઈ, જગમાંહી મોટા જેહ । મોટપ તેહ મહારાજથી, પામ્યા છે સહુ કોઈ એહ ।।પ।। મહિમા જાણી મહાપ્રભુનો, નથી લોપતા વચન લેશ । તેણે કરીને તેહની, રહી છે મોટાઈ હમેશ ।।૬।। ફેર પડયાનો ફડકો ઘણો, અતિ રહે છે ઉરમાંઈ । તેણે કરી તત્પર રે’છે, સર્વે સમે સદાઈ ।।।૭।। એમ કરતાં અષ્ટમાં, એક બે જો અવળાં હોય । નિષ્કુલાનંદ નચિંત રહેવું, હરિશરણાગતને સોય ।।૮।। કડવું ।।૧૩।। read more
0 Views : 131
Powered By Indic IME