Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૮ ધીરજાખ્યાન
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ૪૦

જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજય કે’વાણા વિદેહજી વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય ।। ઊઠ્યા જનક ભેટ્યા સહુને, ઘણે હેતે ઘાલી હૈયામાંય ।। ૨ ।। પછી મળ્યા એક એકને, તેની પૂછી ઋષિયે વાત ।। અમે ન સમજયા આ મર્મને, તમે સમઝાવો સાક્ષાત ।। ૩ ।। ત્યારે જનક કહે આ દેહનો, નથી પળ એકનો વિશ્વાસ ।। મળાય કેમ આ મુનિને, જયારે થઈ જાય તન નાશ ।। ૪ ।। એમ કહીને પૂજા કરી, ભાવે કરાવ્યાં ભોજન ।। પછી બેઠા સભા કરીને, પૂછ્યાં રૂડાં પ્રશન ।। ૫ ।। ત્યાં મિથિલાપુરી પરજળી, ધાયાં સહુ સહુને ઘેર લોક ।। જનક કહે મારું નથી જળતું, શાને કરું હું મને શોક ।। ૬ ।। રાજ સાજ સુખ સંપત્તિ, વળી દેહ ગેહ દારા દામ ।। એહ કોણ કેનાં કોણ આપણે, કોઈ કેને ન આવે કામ ।। ૭ ।। અણ સમઝણે આપણું, સહુ માની રહ્યા મનમાંય ।। જુવે વિચારી જીવમાં, તો નથી આપણું કાંય ।। ૮ ।। એમ રાજયમાં રહી રાગ તજયો, એ છે લક્ષ લેવા જેવો ઘણો ।। તુચ્છ પદાર્થ સારુ તણાવું, એવો જોઈએ નહિ મત આપણો ।।૯।। ખાવા ખટરસ નરેશ સુતને, તોય ડોડાં દેખી ડગે દલ ।। નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ […] read more
0 Views : 109

ધીરજાખ્યાન પદ:– ૧૦

(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ. શીદને રહિયે કંગાલ રે સંતો જયારે મળ્યો મોટો મહા માલ રે સંતો પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ; અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે સંતો ।। ૧ ।। રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ; ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે સંતો ।। ૨ ।। તેમ ભકત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ; તે તો પામર નર જાણો પૂરા, હરિભકતની ધરી છે ઢાલ રે સંતો ।। ૩ ।। તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમઝી એ સાલ નિષ્કુળાનંદ એ ભકત હરિના, બીજા બજારી બકાલ રે સંતો ;  ।। ૪ ।। read more
0 Views : 123

ધીરજાખ્યાન કડવું:– ૪૧

વળી કહું વાત હરિજનની અમળજી, નલરપુરીનો રાજા એક નળજી રૂપ ગુણ શીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી સબળ ને સત્યવાદી સુણી, દમયંતીએ વિચારી વાત ।। વરવું છે એ નળને, બીજા પુરુષ તાત ને ભ્રાત તેહ વાત ।। ૨ ।। ન જાણે તાત એહનો, રચ્યો સ્વયંવર તેહ વાર ।। તેમાં રાજા તેડાવિયા, સહુ આવવા થયા તૈયાર ।। ૩ ।। ત્યારે નારદે કહ્યું જઈ ઇન્દ્રને, ધર્મ અગ્ન સુણો વરુણ ।। તમ જોગ્ય એ કન્યા ભીમની, સુણ્યા સર્વે એના મેં ગુણ ।। ૪ ।। પણ એને વરવું છે નળને, એવી દઢ ધારી છે ટેક ।। ટેક તજાવી તમે વરો, તો વળે વડો વશેક ।। પ ।। નળ અંતરે નિરમળ છે, જેમ કહેશો તેમ કરશે ।। તજી પ્રિય પોતાતણું, તમારું પ્રિય અનુસરશે ।। ૬ ।। ત્યારે ચારે મળી કહ્યું નળને, તું કર્ય અમારાં વખાણ ।। તું તારી નિંદા કરજે, તો અમને વરશે એહ જાણ ।। ૭ ।। ત્યારે નળે કહ્યું જઈ દમયંતીને, ઇન્દ્ર અગ્નિ ધર્મ ને વરુણ ।। એને વર્ય તું વેગે કરી, તો તારે તોલે આવે કહું કોણ ।। ૮ ।। ત્યારે દમયંતી કહે એ દેવતા, હું તો વરી છું નળરાય ।। હવે ડગાવું જો દિલને, તો પતિવ્રતાપણું જાય।। ૯ ।। ત્યારે ઇન્દ્રાદિ ચારે નળ થયા, પલટાવી પોતાનો વેષ ।। નિષ્કુળાનંદ કહે […] read more
0 Views : 115

ધીરજાખ્યાન કડવું:– ૪ર

પછી પાંચે થયા નળ સમ પ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી નાખી નળકંઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિરવાણજી નિરાશી નર અમર ગયા, ત્યારે ઇન્દ્રે કર્યો ઉપાય ।। આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર નળમાંય ।। ૨ ।। ત્યારે નળ મતિ રતી નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા ભ્રાત સાથ ।। રાજ સાજ સુખ સમૃદ્ધિ, લીધી જીતી કર્યો અનાથ ।। ૩ ।। પછી કાઢ્યાં દંપતી પુરથી, આપી પે’રવા એક અંબર ।। મૂકયાં કાઢી મોટા વનમાં, જયાં ન લિયે કોઈ ખબર ।। ૪ ।। જળ ટાણે જળ નવ મળે, અન્ન ટાણે ન મળે અન્ન ।। ભૂખ પ્યાસનાં ભેળાં ભમે, દુઃખમાંહી નિગમે દન ।। ૫ ।। મનુષ્ય માત્ર જયાં ન મળે, મળે વનવાસી વિકરાળ ।। ખાવા આવે ખરાં થઇ, તોય ન કરે તન સંભાળ ।। ૬ ।। ભૂત ભૈરવ ભયંકર ભમે, દમે દુષ્ટ બીજાં આવી દેહને ।। આપે સંકટ સંતાપે સહું, કહે નહિ કાંઈ તેહને ।। ૭ ।। જેને સંકટ શરીરમાંય, અણું જેટલો આવ્યો નથી ।। તેને સંકટ સામટો પડ્યો, જે કહેવાય નહિ મુખથી કથી ।। ૮ ।। અણવાણાં ફરે અરણ્યમાં, ચરણમાં ચાલે રુધીર ।। તોય અકળાય નહિ અંતરે, સમઝી મને સુધીર ।।૯।। રાત દિવસ એમ રડવડે, પડે અન્ન વિના ઉપવાસ ।। નિષ્કુળાનંદ કહે એહ વનમાં, ફરે ધરે નહિ તન ત્રાસ ।।૧૦।। read more
0 Views : 103

ધીરજાખ્યાન કડવું:– ૪૩

વન વિષમ અતિશય વિકટજી, જયાં જયાં જાય ત્યાં પામે સંકટજી રાત દિવસ રહે દુઃખ અમટજી, ઝાડ પા’ડ પૃથ્વી અતિ દુરઘટજી દુરઘટ દેખી અટવી એહ, ચળી જાય મનુષ્યનાં ચિત્ત ।। તેમાં રાજા રાણી રડવડે, પડે દુઃખ ત્યાં અગણિત ।। ૨ ।। ઘણા ગોખરું કાંટા ફ્રંગટા, કૌચ કંદ્રુ કરણાં નીર ।। આવી સ્પર્શે એ અંગમાં, તેણે સૂજી જાય છે શરીર ।। ૩ ।। પશુ પંખી પરસ્પર, કરે શબ્દ ભૂંડા ભયંકાર ।। સહ્યા ન જાય તે શ્રવણે, એવા થાય વનમાં ઉચ્ચાર ।। ૪ ।। નિશામાંહી નિશાચર ફરે, હરે પશુ પંખીના પ્રાણ ।। એવા વનમાં દંપતી અતિ, નિઃશંક ફરે નિરવાણ ।। ૫ ।। ખાન પાન ખોળે નવ મળે, મળે હિંસક જન હમેશ ।। તોય સંભારે નહિ સુખ રાજયનું, હૈયામાંહી લવલેશ ।। ૬ ।। જેમ જેમ પડે વિપત્તિ વળી, તેમ તેમ મને મગન ।। એમ વનમાંય વિચરે, રાત દિન રાણી ને રાજન ।। ૭ ।। એવા વનમાં ઋષિ રહે, જેને અન્નનો નહિ આહાર ।। જોઈ રાજા એવા ઋષિને, ત્યાંથી ચાલી નીસરે તે વાર ।। ૮ ।। એમ દિન કંઈ વહી ગયા, પછી રાજાએ કર્યો વિચાર ।। રાણી ખાણી સર્વે દુઃખની, માટે તજી દઉં નિરધાર ।।૯।। પછી અધુર્ં અંબર લઈ અર્ધ રાતે, ચાલી નીસર્યા નળ વળી નરેશ ।। નિષ્કુળાનંદ કહે દમયંતી, પામી પૂરણ કલેશ ।।૧૦।। read more
0 Views : 108

ધીરજાખ્યાન કડવું:– ૪૪

દમયંતી પોકાર કહે હે રાજનજી, મેલી તમે મુજને રડવડતી વનજી હું પતિવ્રતા મારું અબળાનું તનજી, તમ વિના મારી કોણ કરશે જતનજી જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું શી રીતમાં ।। હે દૈવ દીધું દુઃખ તે સામટું, તેહનું ન વિચાર્યું ચિત્તમાં ।। ૨ ।। રડી લડથડી પડી ગઈ, શુદ્ધ ન રહી શરીરની ।। નળ વિયોગે એ નારને, નયણે નદી ચાલી નીરની ।। ૩ ।। પછી પડતી આખડતી વળી, ચાલી એકા એક વનમાં ।। લાગ્યા કાંટા કાંકરા ખરા, તેની પીડા થઈ છે તનમાં ।। ૪ ।। તેમ જ નળરાય તનમાં, પામે છે પીડા અતિ ઘણી ।। પણ સત્ય ન મૂકે ધર્મ ન ચૂકે, શું કહિયે ધીરજ તેહતણી ।। ૫ ।। એમ કંઈક કષ્ટ ભોગવ્યાં, તેનો કહેતાં ન આવે પાર ।। રાત દિવસ રડવડતાં, વળી વહી ગયાં વર્ષ બાર ।। ૬ ।। પછી પામ્યા નિજ રાજયને, ભાવે ભજયા શ્રી ભગવાન ।। એટલું કળિ વળી કરી ગયો, તોય ન ચળ્યાં સત્યથી નિદાન ।। ૭ ।। એમ સાધુને સત્ય રાખવું, રાખવી દઢમતિ ધર્મમાં ।। સુખ દુઃખ સહી શરીરને, રહેવું અચળ નિજ આશ્રમમાં ।। ૮ ।। ધર્મ સમ ધન નથી, નરનારીને નિદાન ।। ધર્મ જાતાં જો ધન મળે, તો જાણવું થયું એ જયાન ।।૯।। એવી આંટી પાડી અંતરે, હરિજન હિંમત રાખો હૈયે ।। નિષ્કુળાનંદનો […] read more
0 Views : 82

ધીરજાખ્યાન પદ:– ૧૧

(રાગ:-બિહાગડો) ‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ. કરિયે રાજી ઘનશ્યામ રે, સંતો તો સરે સરવે કામ રે સંતો..ટેક મરજી જોઈ મહારાજના મનની, એમ રહિયે આઠું જામ; જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે સંતો ।। ૧ ।। તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહિયે હૈયે કરી હામ; અચળ અડગ રહિયે એક મને, તો પામિયે સુખ વિશ્રામ રે સંતો ।। ૨ ।। જુવો રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ; જનમ થકી માનો મુવા સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે સંતો ।। ૩ ।। એ તો દોયલું સોયલું છે આજ, તજિયે દોય દામ વામ; નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે સંતો ।। ૪ ।। read more
0 Views : 82

ધીરજાખ્યાન કડવું:– ૪પ

વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઈ શિષ્યજી ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન ।। નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન ।। ૨ ।। વીતી વેળાયે મુનિ આવિયા, રાજા કેમ કર્યું તે ભોજન ।। મને જમાડ્યા વિના જમ્યો, દઉં છું હું શાપ રાજન ।। ૩ ।। શાપ દઈ આપે ચાલિયા, આવ્યું સુદર્શન તે વાર ।। બહુ ભાગે આવે બાળતું, પછી આવ્યા હરિને આધાર ।। ૪ ।। કહ્યું હરિને કષ્ટ નિવારિયે, ટાળિયે સુદર્શનનો ત્રાસ ।। ત્યારે ઋષિ આવ્યા રાય પાસળે, રાય પાય લાગી કહ્યો અભિપ્રાય ।। આજ તે દી એક ભાવ હોય તો, સુદર્શન દૂર થાય ।। ૬ ।। એમ શત્રુ મિત્ર જેને સમ છે, સમ છે સુખ દુઃખ દેનાર ।। એવા ભકત જે જકતમાંહી, તેની ઉપર પ્રભુનો પ્યાર ।। ૭ ।। પર પ્રાણીને પીડે નહિ, મર પીડાય પંડ પોતાતણું ।। એવો વિચાર જેને અંતરે, ઘડીઘડીએ રહે છે ઘણું ।। ૮ ।। હિતકારી ભારી સૌ જીવના, જેને ભૂંડાઈ ભાગ આવી નથી ।। તેણે અવળું અવરનું, કેમ થાય ઉપર અંતરથી ।।૯।। સમુદ્ર શીતળ સદાય, કેને દુઃખ ન દિયે કાંય ।। નિષ્કુળાનંદ એ ભકતની, શ્રીહરિ કરે છે સા’ય ।।૧૦।। read more
0 Views : 105
Powered By Indic IME