પછી પાંચે થયા નળ સમ પ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી નાખી નળકંઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિરવાણજી નિરાશી નર અમર ગયા, ત્યારે ઇન્દ્રે કર્યો ઉપાય ।। આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર નળમાંય ।। ૨ ।। ત્યારે નળ મતિ રતી નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા ભ્રાત સાથ ।। રાજ સાજ સુખ સમૃદ્ધિ, લીધી જીતી કર્યો અનાથ ।। ૩ ।। પછી કાઢ્યાં દંપતી પુરથી, આપી પે’રવા એક અંબર ।। મૂકયાં કાઢી મોટા વનમાં, જયાં ન લિયે કોઈ ખબર ।। ૪ ।। જળ ટાણે જળ નવ મળે, અન્ન ટાણે ન મળે અન્ન ।। ભૂખ પ્યાસનાં ભેળાં ભમે, દુઃખમાંહી નિગમે દન ।। ૫ ।। મનુષ્ય માત્ર જયાં ન મળે, મળે વનવાસી વિકરાળ ।। ખાવા આવે ખરાં થઇ, તોય ન કરે તન સંભાળ ।। ૬ ।। ભૂત ભૈરવ ભયંકર ભમે, દમે દુષ્ટ બીજાં આવી દેહને ।। આપે સંકટ સંતાપે સહું, કહે નહિ કાંઈ તેહને ।। ૭ ।। જેને સંકટ શરીરમાંય, અણું જેટલો આવ્યો નથી ।। તેને સંકટ સામટો પડ્યો, જે કહેવાય નહિ મુખથી કથી ।। ૮ ।। અણવાણાં ફરે અરણ્યમાં, ચરણમાં ચાલે રુધીર ।। તોય અકળાય નહિ અંતરે, સમઝી મને સુધીર ।।૯।। રાત દિવસ એમ રડવડે, પડે અન્ન વિના ઉપવાસ ।। નિષ્કુળાનંદ કહે એહ વનમાં, ફરે ધરે નહિ તન ત્રાસ ।।૧૦।।
read more