Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૮ ધીરજાખ્યાન
Per Page :

ધીરજાખ્યાન પદ:– પ

રાગ:-સિંધુ સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર નીરનિધિ જેવા આપે અમાપે તાપે તપે નહિ કે દી, અડગ પગ મગે પરઠે એવા . સત્યવાદી ।। ૧ ।। જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ ત્રાસ નાશ કીધી જેણે; અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ ઉલ્લાસ રહે છે તેણે. સત્યવાદી ।। ૨ ।। અતિ પ્રસન્નવદન નિશદિન રહે, ધન્યધન્ય જન પાવન સરે; જગજીવન સ્વજન વિઘન હરે, તેહ વિન ભજન મન નવ કરે.  સત્યવાદી ।। ૩ ।। ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છેક તે નેક કહ્યે નવ તજે; નિષ્કુળાનંદ જગવંદ સહજાનંદ, સુખકંદ ગોવિંદ મુકુંદ ભજે.  સત્યવાદી ।। ૪ ।। read more
0 Views : 134

ધીરજાખ્યાન કડવું:– ર૧

ત્યાર પછી ત્રણે ચાલી ભૂલ્યાં વાટજી, આગળ આવ્યું ઉજ્જડ નડેડાટજી ના’વ્યું નીર નદી કોઈ વાટ ઘાટજી, તોય મને નથી કરતાં ઉચ્ચાટજી ઉચ્ચાટ નથી જેને અંતરે, રહે છે આનંદ ઉરમાં અતિ ।। દઢ ધીરજ મનમાં ધરી, કરી સઘન વન વિષે ગતિ ।। ૨ ।। ખેર કેર ખજૂરી ખરાં, બાવળ કંટાળા બોરડી ।। અતિ અણિયાળાં આંકડિયાળા, લાગે કાંટા જાયે લડથડી ।। ૩ ।। વાઘ વરુ વાનર વીજુ, શશા સેમર શ્યાળ છે ।। ચીત્રા માતંગ નાર નોળ, એ વનમાં વીંછુ વ્યાળ છે ।। ૪ ।। પરવત પર પાવક બળે, પાડે પશુ પંખી બુમરાણ ।। ઉપર ઉડે શકરા શમળા, કંક કોશી હરવા પ્રાણ ।। ૫ ।। ઘૂડ હોલા ઘણા ઘૂઘવે, બીજા શબ્દ થાયે ભયંકાર ।। સહ્યા ન જાયે શ્રવણે, એવા થાય બહુ ઉચ્ચાર ।। ૬ ।। ભૂંડી કઠણ એ ભૂમિકા, અતિ વિકટ વન સઘન ।। ચાલી ચરણ ચકચૂર થયાં, ત્યારે થયું એ વન ઉલ્લંઘન ।। ૭ ।। ચાલી ન શકે ચરણે, ઢળી વળી પડી જાય ધરણે ।। પામે પીડા બહુ પેરની, તે તો વદને ન જાય વરણે ।। ૮ ।। મૃતકવત મહી ઉપરે, ત્રણે પડી ગયાં તે વાર ।। મોડેથી મૂર્ચ્છા ઉતરી, તૈયે થયાં ચાલવાં તૈયાર ।।૯।। ધીરેધીરે પગ ધરી ચાલતાં, આવી નદી પીધું નીર ।। નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો, પછી ચાલ્યાં ત્રણે સુધીર […] read more
0 Views : 128

ધીરજાખ્યાન કડવું:– રર

મળિયો મારગ ચાલિયા ચોંપેજી, પડે આખડે પગ પાછા ન રોપેજી પોં’ચિયે કાશિયે તો સારું છે સહુપેજી, નવ પોં’ચિયે તો ઋષિ રખે કોપેજી ઋષિ કોપ્યાની બીક રહે, રખે વાટે વહી જાય માસ ।। આપે શાપ તો આપણે, એવો ત્રણેને મને ત્રાસ ।। ૨ ।। અન્ન વિના અચેત અતિ, ગતિ થોડી થોડી થાય છે ।। અડવડતાં ને આખડતાં, ત્રણે ચાલ્યાં જાય છે ।। ૩ ।। સાંજ પડે સહુ સામટાં મળી, વળી વાત કરે ધીરજની ।। સ્મરણ કરતા શ્રીહરિનું, એમ નિર્ગમે છે રજની ।। ૪ ।। સવારે સહુ થઈ સાબધાં, વળી ચાલે છે ચોંપે કરી ।। રખે વીતી જાય વાયદો, એવી અંતરે ખટક ખરી ।। ૫ ।। લાંઘણે કરી લે લહેરિયાં, થયાં અન્ન વિના અચેત ।। સૂકી ગયાં શરીરમાં, રાજા રાણી કુંવર સમેત ।। ૬ ।। તોય ટેક તજતાં નથી, કથી નથી કે’વાતી એની ધીર ।। ઓછપ ન આણે અંતરે, સુખ દુઃખ ન માને શરીર ।। ૭ ।। એમ મહાદુઃખ પામ્યા મારગે, તેહ કે’તાં પણ કે’વાય નહિ ।। ત્યારે તે પહોંચ્યાં કાશિયે, ઊભા ત્રણે તે ચોકે જઈ ।। ૮ ।। ત્યાં તો તૈયાર ઊભા હતા, ઋષિ વિશ્વામિત્ર જેનું નામ ।। તૃણકોળી તે ઉપર ધરી, વળી વેચવાને કામ ।।૯।। સાંજ પડી ગઈ શહેરમાં, ત્યારે આવ્યાં ઘરાક તે વેર ।। નિષ્કુળાનંદ કહે નાણું દઈ, લઈ […] read more
0 Views : 144

ધીરજાખ્યાન કડવું:– ર૩

રાણી રોહીદાસનું દ્વિજ દઈ ધનજી, તેડી ગયો તેહને નિજ ભવનજી હરિશ્ચંદ્ર એક રહ્યો રાજનજી, તે પણ વેચાણો શ્વપચને સદનજી શ્વપચ ઘેર રાજા રહ્યા, દ્વિજ ઘેરે રહ્યા રોહિદાસ ।। તારા તે પણ દ્વિજનું, કરે કામ કરી ઉલ્લાસ ।। ૨ ।। તારા ખાંડી દિયે તાંદુલા, પીસી દિયે ગોધૂમ આદિ અન્ન ।। જળ ભરે વાળે ઘર આંગણું, લીપે સદન ધુવે વસન ।। ૩ ।। રોહિદાસ પણ એહ જ રીતે, કરે બ્રાહ્મણનું કામ ।। પુષ્પ પર્ણ તૃણ ઈન્ધણ આણે, ચાંપે ચરણ ચારુ જામ ।। ૪ ।। શ્વપચે સોંપ્યું હરિશ્ચંદ્રને, લેવો મડદે મડદે લાગ ।। આપે ખાપણ લઈ પઈસો, ત્યારે મૂકવા દેવી આગ ।। ૫ ।। ત્યારે હરિશ્ચંદ્ર ધારી હૈયે, જાય સહુથી મો’રે મશાણ ।। દિયે દોટું લેવા લાગને, વળી પાડે બહુ બુંબરાણ ।। ૬ ।। ખાપણ પઈસો લઈશ ખરો, ત્યારે તે આપીશ બાળવા ।। આપ્યા વિના રખે આગ મૂકો, આવ્યો છું હું ખાળવા ।। ૭ ।। મોટું શહેર મરે ઘણાં, બાળે અળગાં એક એકથી ।। હમેશ ઊઠી દિયે હડિયું, નિરાંત લવલેશ નથી ।। ૮ ।। મડદે મડદે મશાણમાં, રડવડે રાત ને દન ।। જળ ટાણે જળ ન મળે, અન્ન ટાણે ન મળે અન્ન ।।૯।। એવા કામમાં રાજા રહ્યાં, તિયાં ગયા વહી કંઈ દન ।। નિષ્કુળાનંદ ન થાય બીજે, જેવું કર્યું એહ રાજન ।।૧૦।। read more
0 Views : 155

ધીરજાખ્યાન કડવું:– ર૪

વિપ્ર કહે સુણ્ય રોહિદાસ સુભાગ્યજી, સુગંધી ફૂલ લાવ્ય જઈ બાગજી ગયા ત્યારે ત્યાં ડશ્યો કાળો નાગજી, તેણે કરી તર્ત કર્યું તન ત્યાગજી ત્યાગ્યું તન જન જોઈને, કહ્યું વિપ્રને તે વાર ।। તેહના દેહને દાહ દેવા, મોકલ્યા સેવક ચાર ।। ૨ ।। તે શબ લાવ્યા ગંગાતટે, ચે’ રચી મૂકે છે આગ ।। ત્યારે હરિશ્ચંદ્ર કે’ મ મૂકીશ અગ્ન, આપ્યા વિના મારો લાગ ।। ૩ ।। આપી લાગ લગાડી ચિતા, થયું અર્ધબળ્યું જયારે તન ।। ત્યારે નાખી ચે’ ઓલવી, ઘણો ઘણો વરષી ઘન ।। ૪ ।। ત્યારે આવી છે તારા તિયાં, લીધું મડદું તે ખોળામાંય ।। ત્યાં આવ્યા ઋષિ કહે આપું છરી, રાખો ભૂતભય ન રહે કાંય ।। ૫ ।। આપી છરી કહ્યું જઈ રાયને, એક વાત કહું કાને ધરિયે ।। મશાણે મરકી મનુષ્યને, ખાય છે કાપી કાપી છરિયે ।। ૬ ।। ત્યારે ભૂપ કહે તેડી ભંગિયો, જાઓ મારો ગરદન એહને ।। ઝાલી લીધી પછી જટિયે, મારવા સારુ તેહને ।। ૭ ।। ઢીકા ગડદા પાટુએ વળી, મારી કરી છે અધમુઈ ।। મારો મારો કહે શું વિચારો, કરો મુંડ ધડ થકી જુઈ ।। ૮ ।। એવાં દુઃખ આવી પડિયાં, જેહ સહ્યાં ન જાય શરીર ।। સુત મુવાનો અતિ શોક છે, તોય ધરી રહ્યાં છે ધીર ।।૯।। પછી હરિશ્ચંદ્રને હુકમ કર્યો, આવ્યો મારવા ગરદન […] read more
0 Views : 132

ધીરજાખ્યાન પદ:– ૬

રાગ:-સિંધુ રાણી વાણી જાણી તાંણી તીખી કહે, કાઢ કાઢ કાઢ કરવાળ તારી; ગ્રહે અતિ ગાઢ ગાઢ ગાઢ મને, વાઢ વાઢ વાઢ વળી મુંડ મારી.  રાણી ।। ૧ ।। રખે અડર નર ડરે ડરતો, થરથરથર કર કરીશ મા જો; ધરી ધીર શરીર શૂરવીર થઈ, નાથ હાથ વાળતા દિલે ડરીશ મા જો.  રાણી ।। ૨ ।। ત્યારે અચાનક ચાનક ચિત્તે ચડી, દડવડી ડગ ભરી દોટ દીધી; અતિ વિકરાળ કરવાળ જવાળ જેવી કહીએ, તે ભૂપાળ ઉતાળ તતકાળ લીધી.  રાણી ।। ૩ ।। કાઢ્યું ખડગ થડક ધડક નથી, થડક થડક તે થડક ટળી; ફડક ફડક ફડકતી નથી, ઝડક ઝડક કહે મને માર વળી.  રાણી ।। ૪ ।। તીખી તરવાર માર માર માર કરે, ધારે ધારે ધારે ધીરજ ન રહે; તારે તારે તારે તારા ભણે, માર માર માર એમ સ્વમુખે કહે.  રાણી ।। ૫ ।। સુર નર સાથ સાથ સાથ મળ્યા, પાથ પાથ પાથ પડે રડે રહ્યાં; નિષ્કુળાનંદ અનાથનાથ નાથ, હાથે હાથ હાથ ગ્રહી લીધો છે તિયાં.  રાણી ।। ૬ ।। read more
0 Views : 137

ધીરજાખ્યાન કડવું:– રપ

માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી તમને પીડ્યા સુણી સુરેશની ગુજનેજી, ઘટે એવું કામ કરવું અબુજનેજી અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો ।। માટે માગો મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો ।। ૨ ।। ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા, ધન્ય તમે થયા પ્રસન્ન ।। એથી અધિક બીજું નથી, મને સર્વે મળ્યો માલ ધન ।। ૩ ।। એમ કરતાં હોય આપવું, તો માગું છું મારા શ્યામ ।। અમે અમારી રૈયત સહિત, રાખો તેડી તમારે ધામ ।। ૪ ।। ત્યારે વિષ્ણુએ એ વર આપિયો, આપ્યો વૈકુંઠે તમને વાસ ।। એહ વાત હરિશ્ચંદ્રની કહી, સહુ સુણી લેજો હરિદાસ ।। ૫ ।। એવી ભકત આદરવી ખરી, જાણો જેવી હરિશ્ચંદ્રે કરી ।। તેહ વિના તન મન તાને, નથી રીઝતા શ્રીહરિ ।। ૬ ।। કાલાવાલાનું કામ નથી, આ તો શીશ સાટાની વાત છે ।। તેહ વિના કોઈ કરે વલખાં, તે તો કાળી કામળિયે ભાત છે ।। ૭ ।। જેમ હવા ખાવાનું સુણી હૈયાટળ, ચાલે કોઈ ચપણ લઈ ।। પણ પેટ ભર્યાનાં છે પાંપળાં, તે જાલમ નર જાણે નઈ ।। ૮ ।। જેમ કાની કોટે ઘાલી ગાળિયું, જઈ સૂતી સોડ તાણીને ।। મનમાં જાણે હું મરી ગઈ, એવું કામ ન કરવું જાણીને ।।૯।। શીદ ત્રોડી સંસારથી, રહેવું હતું ઘરમાંય ગરી ।। નિષ્કુળાનંદ કહે […] read more
0 Views : 112

ધીરજાખ્યાન કડવું:– ર૬

જયારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઈએ કરવો મનમાંય તોલજી દેશે ત્યારે જયારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ વાત કહી કથી નથી એમાં ભૂલ્યજી ભૂલ્યે કરે મનસૂબો મનમાં, તે વિના પૈસે પૂરો ન થાય ।। તેમ શ્રદ્ધાહીનની ભગતી, તે પણ તેવી કે’વાય ।। ૨ ।। નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની હોંશ ।। તે તો પામ્યાનાં પાંપળાં, અમથો કરે અપસોસ ।। ૩ ।। જેમ વર જાનૈયા જાનમાં, વળી જાય જોડા જોડ ।। જાનૈયા તો જમે રમે, ધરે વર શિરપર મોડ ।। ૪ ।। માટે જોઈ અધિકાર આપણો, પછી દિલમાં કરવો ડોડ ।। પ્રહલાદ ધ્રુવ હરિશ્ચંદ્ર જેવો, કયાંથી પૂરો થાય મન કોડ ।। ૫ ।। જેમ પંચ અસવાર પંથે જાતાં, છઠ્ઠો ભેળો થયો નર ખરે ચડી ।। તેની પોં’ચવાની પ્રતીત કરવી, એ પણ ભૂલ્ય મોટી પડી ।। ૬ ।। જેમ બક હંસ બરોબરી, વળી ઊજળા એક જ વાન ।। તેમ સાચા કાચા સંત સરિખા, એમ જાણવું એ જ અજ્ઞાન ।। ૭ ।। શરીર સુખને સંભારતાં, નિશદિન નવરાં નવ રહિયે ।। મહા સુખ મહારાજનું, કહો તે કઈ રીતે લઇયે ।। ૮ ।। કાયરને કેમ ધીરજ થાવું, એ પણ અટપટી વાત છે ।। વેષ લેતાં શૂરવીરનો, જન જાણો ઘટની ઘાત છે ।।૯।। પેખી ભકત પૂરવના, હૈયે રે’તી નથી વળી હામ ।। નિષ્કુળાનંદ […] read more
0 Views : 121
Powered By Indic IME