Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૮ ધીરજાખ્યાન
Per Page :

ધીરજાખ્યાન કડવું:– ૮

કહે હિરણ્યકશિપુ કોઈ છે યાં સેવકજી, મારી મુકાવો આની તમે ટેકજી આણે તો આદરિયું અવળું છેકજી, એવું સુણી ઊઠિયા અસુર અનેકજી અસુર ઊઠી આવી કહે, રાય જેમ કહો તેમ કરીએ ।। રાય કહે આને મારો જીવથી, તો આપણે સર્વે ઊગરીએ ।। ૨ ।। અસુર કુળ કાનનનો, કાપનાર આ છે કુઠાર ।। જેમ મહા અરણ્યને અલ્પ અગ્ન, વળી બાળી કરે છે છાર ।। ૩ ।। માટે માનો એના થકી, વડો થાશે વળી વિનાશ ।। જેમ ઝીણો કણિકો ઝેરનો, કરે કલેવર નાશ ।। ૪ ।। કાળ છે આપણા કુળનો, તમે જાણી લેજો જરૂર ।। માટે એને જો મારિયે, તો સહુ ઊગરિયે અસુર ।। ૫ ।। માત તાત સુત ભ્રાતનો, વેરી લિયે વા’લાનો વેશ ।। એથી સુખ આવે નહિ, આવે કઠણ કષ્ટ કલેશ ।। ૬ ।। માટે એને તમે જરૂર મારો, મ વિચારો બીજી વાત ।। છેલ્લી આજ્ઞા એ જ છે, કરો એના જીવની ઘાત ।। ૭ ।। એવું સુણી અસુર નર, સહુ તરત થયા તૈયાર ।। મારો મારો સહુ કરે, અઘે ભર્યા નર અપાર ।। ૮ ।। નમે’રી ને નિર્દયા, વળી પાપના પુંજ કહિયે ।। તેને પાને પ્રહલાદ પડિયા, ખરી ક્ષમા એની લહિયે ।।૯।। ગડથલાવી ગળે ઝાલી, કર્યા મારવા સારુ મો’ર ।। નિષ્કુળાનંદ કહે કરી તિયાં, આવતો દીઠો એહ ઠોર ।।૧૦।। read more
0 Views : 207

ધીરજાખ્યાન પદ:– ર

(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ. પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે; ચીરી નાંખ્ય પ્રહલાદને, બાંધી હાથીને પાયે. પદાતિ ।। ૧ ।। ત્યારે માવતે વાત માની મને, બાંધ્યા હાથીને પગે; તેમાંથી પ્રહલાદ ઊગર્યા, સહુએ દીઠા છે દગે. પદાતિ ।। ૨ ।। ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર અન્નમાં; તે તો અમૃતવત થયું, તર્ત ઊતરે તનમાં. પદાતિ ।। ૩ ।। શિશુ એ સાત વર્ષના, બાંધ્યું વડાશું વેર; નિષ્કુળાનંદ કહે અસુરને, નહિ કોઈને મે’ર. પદાતિ ।। ૪ ।। read more
1 Views : 242

ધીરજાખ્યાન કડવું:– ૯

કહો ભાઈ આપણે કરિયે કેમજી, સહુ વિચારવા લાગ્યા વળી એમજી કોણ જાણે કેમ રહે છે એ ક્ષેમજી, હવે જેમ મરે કરો સહુ તેમજી તેમ તપાસી સહુ કરો, નાખો ઠાઉકો ઠાલે કૂપ ।। મરી જાશે કે ભોરંગ ખાશે, થાશે તેણે રાજી ઘણું ભૂપ ।। ૨ ।। તેમાં નાંખ્યે પણ નવ મર્યા, ત્યારે ડર્યા અસુર અપાર ।। ખરો વેરી છે ખોટું નથી, એમ થયો સહુને વિચાર ।। ૩ ।। પછી કહે છે પછાડો પહાડથી, થાય તલ તલ એનું તન ।। તેમનું તેમ તેણે કર્યું, તેમાં કરી હરિયે જતન ।। ૪ ।। પછી ખારા જળ કીચમાં, ઘાલિયા ઘણો દઈ ભાર ।। તેથી પ્રહલાદ ઊગર્યા, શ્રીહરિએ કીધી સાર ।। ૫ ।। પછી શસ્ત્ર સરવે સજજ કરી, ઊઠ્યા મારવા શૂરવીર ।। તેણે ત્રાસ પામ્યા નહિ, ધન્ય ધન્ય એ જનની ધીર ।। ૬ ।। પછી પાવકે પરજાળવા, બાળવા કર્યો વિચાર ।। તેહ વિનાના ઉપાય બીજા, કર્યા હજારે હજાર ।। ૭ ।। ભકત જાણી ભગવાનના, છે અસુરને વેર અતિ ।। મનસૂબો મને મારવાનો, કરે છે બહુ કુમતિ ।। ૮ ।। નર નારી સહુ એમ બોલે, કોઈ ઘાત કરો પ્રહલાદની ।। તો અસુર સહુ અભય થાયે, જય થાય ક્રવ્યાદની ।।૯।। આશ્ચર્ય પામ્યા અમર નર, જોઈ પ્રહલાદની ધીર ।। નિષ્કુળાનંદના નાથની કસણી, જોઈ નયણે આવ્યાં નીર ।।૧૦।। read more
0 Views : 178

ધીરજાખ્યાન કડવું:– ૧૦

નથી હરિજનને ધીરજ સમ ધનજી, કામ દામ આવે એ દોયલે દનજી જયારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિઘનજી વિઘન આવે વણ ચિંતવ્યાં, સુર અસુર ને નર થકી ।। જોખમ ન થાય જન જેમ, તેમ વાત કરવી નકી ।। ૨ ।। આદ્ય અંતે મધ્ય માંય, ભકતે સુખ શું શું ભોગવ્યું ।। સહી સંકટ ભજયા શ્રીહરિ, એમ ચારે જુગમાંયે ચવ્યું ।। ૩ ।। ભકત થાવું ભગવાનનું, રાખી વિષયસુખની આશ ।। બેઉ કામ ન બગાડિયે, થાઈએ ખરા હરિના દાસ ।। ૪ ।। અતિ મોટું કામ આદરી, વળતો કરિયે વિચાર ।। એ તો અરથ આવે નહિ, વળી ઠાલો ખોવાય કાર ।। ૫ ।। કાર જાયે ને કામ ન થાયે, વળી જાયે ખાલી ખેપ ।। એવું કામ આદરતાં, કહો કેને આવ્યું ઠેપ ।। ૬ ।। માટે તાવે ઘાવ જેમ ઘણના, ઘણા લગાડે છે લુહાર ।। તક ચૂકે જો તા તણી, તો સાંધો ન થાયે નિરધાર ।। ૭ ।। જોને મોરે જેવું એ મોંઘુ હતું, એવું મોંઘુ નથી જો આજ ।। પ્રહલાદની પેઠે આપણને, નથી કસતા મહારાજ ।। ૮ ।। પેખો ભકત પ્રહલાદને, જે જે પડિયાં એને દુઃખ ।। વેઠી બહુ કહું વિપત્તિ, રહ્યા હરિની સનમુખ ।।૯।। એકાએક વિવેકે ટેક, એવું કામ એણે આદર્યું ।। નિષ્કુળાનંદ કે’ નાથે તેનું, ઘણું ઘણું ગમતું કર્યું […] read more
0 Views : 144

ધીરજાખ્યાન કડવું:– ૧૧

વળી પ્રહલાદની કહું સુણો વાતજી, તેહ પર કોપિયો તેનો તાતજી ઊઠ્યો લઈ ખડગ કરવા ઘાતજી, થયો કોલાહલ મોટો ઉતપાતજી ઉતપાત તે અતિશે થયો, કહે પાપી પ્રહલાદ કયાં ગયો ।। દેખાડ્ય તારા રાખનારને, કાઢી ખડગ મારવા રહ્યો ।। ૨ ।। પ્રહલાદ કહે પૂરણ છે, સરવે વિષે મારો શ્યામ ।। હમણાં પ્રભુ પ્રગટશે, ટાળશે તારું ઠામ ।। ૩ ।। અરેરે એવું બોલ્ય મા તું, વળી કહે ઠરાવીને ઠીક ।। તું ને તારા રાખનારની જો, મારે નથી હૈયામાં બીક ।। ૪ ।। એમ કહીને જો કાઢિયું, તીખું ખડગ તે વાર ।। ઘાંઘો થાય ઘણું ઘાવ કરવા, પણ ન ડરે પ્રહલાદ લગાર ।। ૫ ।। કરડે દાંત ક્રોધે કરી, વળી બોલે વસમાં વેણ ।। રીસે કરી રાતાં થયાં, મહા પાપીનાં બે નેણ ।। ૬ ।। પછી પ્રહલાદે પ્રકાશિયું, જોઈ અસુરનો આરંભ ।। કહ્યું છે આ કાષ્ઠમાં, સ્થર રહ્યા છે થઈ સ્થંભ ।। ૭ ।। ઠરાવ્યા જયારે હરિ સ્થંભમાં, ત્યારે કોપ્યો લઈ કરવાલ ।। ઠીકોઠીક મારી સ્થંભમાં, ત્યાં પ્રગટ્યા પ્રભુ કોપાલ ।। ૮ ।। પછી માગ્યું હતું જેમ મોતને, તેમાં તે બાધ આવે નહિ ।। તેમ જ તેને મારિયો, નરસિંહજી પ્રગટ થઈ ।।૯।। હાહાકાર અપાર થયો, રાખ્યું પ્રહલાદજીનું પણ ।। નિષ્કુળાનંદ કહે તેણે કરી, સહુ સુખી છૈયે આપણ ।।૧૦।। read more
0 Views : 153

ધીરજાખ્યાન કડવું:– ૧ર

પ્રગટ્યા નૃસિંહજી પ્રહલાદને કાજજી, બહુ રાજી થઈ બોલિયા મહારાજજી માગો માગો પ્રહલાદ મુજ થકી આજજી, આપું તમને તેહ સુખનો સમાજજી આપું સમાજ સુખનો, એમ બોલિયા છે નરહરિ ।। પ્રહલાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગું બીજું ફરી ।। ૨ ।। મારે તો નથી કાંઈ માગવું, પણ એવું કહેશો મા કોઈને ।। પંચવિષયમાં પ્રીત જીવને, માગશે રહ્યા છે જેમાં મોઈને ।। ૩ ।। થોડીક સેવા કરી તમારી, માગે છે મોટા સુખને ।। એવા વેપારીને ઓળખી, વિષયસુખ દેશો મા વિમુખને ।। ૪ ।। એમ પ્રહલાદજી ઊચ્ચર્યા, કહ્યો અંતરનો અભિપ્રાય ।। ધીરજતાનું ધામ ધન્ય, નિષ્કામ કહ્યા ન જાય ।। ૫ ।। પેખી ભકત પ્રહલાદની, એવી આપણે પણ આદરો ।। નકી પાયો નાખી કરી, ભય તજી ભકત કરો ।। ૬ ।। ભકત કહેવાય આ ભવમાં, અભકતપણું અળગું કરો ।। શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના, અમળ ભકત આદરો ।। ૭ ।। ભકતમાં ભેગ ભૂંડાઈનો, વળી રતી પણ નવ રાખિયે ।। ડોરી બાંધી અંગે દામની, વિશવાસી પાસે નવ નાખિયે ।। ૮ ।। ભકત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાનના ।। એવું ન થાવું આપણે, થાવું ભકત ખરા ભગવાનના ।।૯।। સેવક થઈ ઘનશ્યામના, ઇચ્છવા સુખ સંસારનાં ।। નિષ્કુળાનંદ એ ભકત નહિ, એ તો લક્ષણ છે ચોર જારનાં ।।૧૦।। read more
0 Views : 143

ધીરજાખ્યાન પદ:– ૩

(રાગ:-રામગરી) ‘મનરે માન્યું નંદલાલશું’ એ ઢાળ. ભકત સાચા ભગવાનના, ઝાઝા જડતા નથી; લક્ષણ જોઈ લેવાં લખી રે, શું કહિયે ઘણું કથી. ભકત ।। ૧ ।। અતિ દયાળુ દિલના, પડ્યે કષ્ટે ન કાય; પ્રાણધારીને પીડે નહિ રે, પર પીડ્યે પિડાય. ભકત ।। ૨ ।। પોતાને સુખ જો પામવા, બીજાનું ન બગાડે; દુષ્ટ આવે કોઈ દમવા, તેને શાંતિ પમાડે. ભકત ।। ૩ ।। ક્ષમા ઘણી ક્ષોભે નહિ, સુખ દુઃખને સહે; નિષ્કુળાનંદ એવા ભકતથી, હરિ દૂર ન રહે. ભકત ।। ૪ ।। read more
0 Views : 154

ધીરજાખ્યાન કડવું:– ૧૩

વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયેજી, જેનો તાત ઉત્તાનપાદ લહિયેજી સુનીતિને ઉદર આવ્યા જહિયેજી, જનમી ઉરમાં વિચારિયું તહિયેજી ઉરમાં એમ વિચારિયું, થાવું મારે તે હરિદાસ ।। એવે વિચારે આવિયા, વળી નિજ પિતાની પાસ ।। ૨ ।। આદર ન પામ્યા તાતથી, થઈ પુષ્ટ એહ પરિયાણની ।। અપર માયે પણ એમ જ કહ્યું, થઈ દઢ મતિ સુજાણની ।। ૩ ।। જેમ શૂરો શત્રુ સેનશું, હૈયે કરે લડવાને હામ ।। તેને સિંધુ સંભળાવતાં, ભાઈ મરી મટે એહ ઠામ ।। ૪ ।। તેમ ધ્રુવે એમ ધાર્યું હતું, અતિ થાવું છે સહુથી ઉદાસ ।। રાજ સાજ સુખ સંપત્તિ, મેલી વન કરવો છે વાસ ।। ૫ ।। અલપ સુખ સંસારનું, જે મળે ને મટી જાય રે ।। તેહ સારુ આવું તન ખોઈ, કહો કોણ દુઃખને ચા’ય રે ।। ૬ ।। અચળ સુખ અવિનાશીનું, જેહ પામીને પાછું નવ ટળે ।। એવા સુખને પરહરી, બીજા સુખમાં કોણ બળે ।। ૭ ।। અસત્ય સુખ સંસારનાં, તેને સત્ય માની નરનાર ।। ભૂલવણીમાં ભૂલા પડ્યાં, કેણે ન કર્યો ઉર વિચાર ।। ૮ ।। મરીચિ જળે મળ ટાળવા, મનસૂબો કરે છે મનમાંય ।। પણ જાણતા નથી રીત ઝાંઝુની, એહ અર્થ ન આવે કાંય ।। ૯ ।। એવું દઢ ધ્રુવે કર્યું, મો’રથી મનમાંય ।। નિષ્કુળાનંદનો નાથ ભજશું, તજશું બીજી ઇચ્છાય ।।૧૦।। read more
0 Views : 146
Powered By Indic IME