Last Updated:
May 5, 2025

Click here to submit your article
૦૮ ધીરજાખ્યાન
Per Page :

ધીરજાખ્યાન કડવું:– પ૯

વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાતજી જેને ઘેર પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભકત દોય દિવસ ને રાતજી રાત દિવસમાં રાગે કરી, ગાય ગોવિંદગીત પ્રીતે કરી ।। જાચી લાવે અન્ન તેહ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી ।। ૨ ।। બ્રાહ્મણ ને વળી ભકત હરિના, જાણી શિષ્ય થયાં કંઈ જન ।। એમ કરતાં કયારેક કાળ પડ્યો, જડે નહિ જાચતાં અન્ન ।। ૩ ।। પછી જયદેવ ચાલ્યા જાચવા, શિષ્ય પાસેથી જાચ્યું ધન ।। તે લઈ આવતાં વાટમાં, મળ્યા મારગમાં દુરિજન ।। ૪ ।। આવતાં ઓળખી એહને, જયદેવે વિચારી વાત ।। આપું ધન તો તન ઊગરે, નહિ તો થાશે બેઉની ઘાત ।। પ ।। કટાણે ને કઠેકાણે, તક જોઈ આવ્યા છે તેહ ।। જરૂર મારશે જીવથી, એ વાતમાં નહિ સંદેહ ।। ૬ ।। એમ જયદેવે વિચારી જીવમાં, આપી દીધું રાજી થઈ ધન ।। ત્યારે ચારે ચોરે વિચારિયું, કાંઈક કપટ છે એને મન ।। ૭ ।। માટે મારી નાખો એહને, તો જરે આ સઘળો માલ ।। ત્યારે એક કહે કાપો હાથ પગને, એની મેળે મરશે બેહાલ ।। ૮ ।। પછી હાથ પગ કાપી હાલિયા, મહાપાપીને નહિ મે’ર ।। તિયાં આવ્યો એક નૃપતિ, વે’લ્યે બેસારી લઈ ગયો ઘેર ।। ૯ ।। પછી રાજાએ એને ઓળખ્યા, જાણ્યા ભકત આ તે જયદેવ ।। નિષ્કુળાનંદના […] read more
0 Views : 130

ધીરજાખ્યાન કડવું:– ૬૦

પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછો પડી ગયો કાળજી આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, તેને ઓળખ્યા જયદેવે તતકાળજી તતકાળ એને ઓળખી, બહુ બહુ કરાવે છે સેવ ।। ત્યારે ચોરટે પણ જાણિયું, આ ખરો ખૂની જયદેવ ।। ૨ ।। આવ્યા અરિના હાથમાં, હવે ઊગર્યાની આશા સહિ ।। જોઈ અપરાધ આપણો, માર્યા વિના એ મૂકે નહિ ।। ૩ ।। પાપીને પાપ પોતા તણાં, આવ્યાં નજરે તે નિરધાર ।। કહો ભાઈ કેમ કરશું, એમ ચિંતવે છે ચોર ચાર ।। ૪ ।। પછી ચોરે ચાલવાનું કર્યું, ત્યારે અપાવ્યાં ઘઉં ગાડાં ભરી ।। આગળ જઈ કયાંક ઊતર્યા, ગાડાવાળાને વાત કરી ।। ૫ ।। જયદેવ જાતનો ઝાંપડો, રાજાના ગુન્હામાં આવ્યો હતો ।। અમને સોંપ્યો હતો મારવાને, ત્યારે અમે મેલ્યો એને જીવતો ।। ૬ ।। તે ગુણે આપ્યાં ઘઉંનાં ગાડલાં, વળી બીન્યો પણ મનમાં સહી ।। જાણ્યું એમ મારી જાતનું, રખે રાજાને આપે કહી ।। ૭ ।। એમ કહેતાં ફાટી અવનિ, પહોંચ્યા ચોર ચારે પાતાળ ।। ગાડાં વાળી ઘેર લાવિયા, કહ્યું વૃત્તાંત થયું તેહ કાળ ।। ૮ ।। ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણને, થયા સાજા તે સમયે સોય ।। જુવો વિચારી જન મને, એવા ક્ષમાવાન કોણ હોય ।।૯।। સાચા જન તેને જાણિયે, ખરી ક્ષમા રાખે મનમાંયે ।। નિષ્કુળાનંદના નાથને, એથી વા’લું નથી બીજું […] read more
0 Views : 98

ધીરજાખ્યાન પદ:– ૧પ

(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ. ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા; સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે, જોઈએ કાચને વળી રખવાળા.  ક્ષમાવંત ।। ૧ ।। રૂપા સોનાનાં ભૂષણ સહુ પે’રી ફરે, એ તો અંગોઅંગમાં શોભા આપે; કાચ ભાંગે તો કામ આવે નહિ રે, કટકા કોઈકનું તન કાપે.  ક્ષમાવંત ।। ૨ ।। સર્પ સિંહ સ્વભાવવાળા સંત શિયા, જેની પાસે જાતાં પગ પડે પાછા; અતિ અખતર નર નરસા ઘણા રે, તેને કહેવું પડે તમે સંત સાચા.  ક્ષમાવંત ।। ૩ ।। એ જેવી કે’વી દેવી નંદવાણા તણી, રૂઠે તૂઠે આપે સંતાપ સરખો; નિષ્કુળાનંદ કહે નવ થાય ઓરતો રે, જો પહેલા વહેલા એના પગ પરખો.  ક્ષમાવંત ।। ૪ ।। read more
0 Views : 103

ધીરજાખ્યાન કડવું:– ૬૧

થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે કહેવાણી નથીજી વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા કૈ અધિક એક એકથીજી એક એકથી અધિક થયા, કૈક ઋષિ કૈક રાજન ।। તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન ।। ૨ ।। કઠણ કસણી સહી શરીરે, કાઢ્યો મેલ માંહેલો માયાતણો ।। ત્રણ ગુણ પંચવિષય વાસના, કર્યો ત્યાગ તેનો તને મને ઘણો ।। ૩ ।। અખંડ વરતે નિત્ય અંતરે, બાહ્ય દષ્ટને સમેટી વળી ।। જેમ વરસે જળ અચળ પર, પણ નીચી ભૂમિએ આવે ઢળી ।। ૪ ।। તેમ વૃત્તિયો સર્વે વળી, મળી આવી તે અંતરમાંયે ।। પછી મૂર્તિ મેલી મહારાજની, જાયે ન આવે કયાંયે ।। ૫ ।। માલ મળ્યો મોટો ઘણો ઘરમાં, તેના અમલનો આનંદ રહે ।। મેલી ચંદન મળિયાગરુ, વળી વેઠે કોયલા કોણ વહે ।। ૬ ।। એવાં સુખ સંસારનાં, જાણો કુચ્ય કોયલા સમાન ।। કાળપ્ય આપે ખંજોળી સંતાપે, વળી ના’પે સુખ નિદાન ।। ૭ ।। એવા સુખને અભાગિયા, રાત દિવસ રૂવે છે રહ્યા ।। પણ વાત નથી વિચારતા, જે ઠાલે હાથે કૈક ગયા ।। ૮ ।। મહા દુઃખે જે સુખ મળે, તે પણ ટળી વળી જાય ।। એવા સુખને અજ્ઞ જન વિન, કહો ભાઈ કોણ ચહાય ।।૯।। એમ આગળ રાય ઋષિએ, સમજીને કીધો છે ત્યાગ ।। નિષ્કુળાનંદ […] read more
0 Views : 93

ધીરજાખ્યાન કડવું:– ૬ર

વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજયા વિના હરિ ન ભજાયજી હરિ ભજયા વિના ભકત ન નીપજાયજી, લીધી મેલી વાતે ભકતપણું લજાયજી લજજા જાય આલોકમાં, પરલોકે પણ પહોંચે નહિ ।। એવી ભકત આદરતાં, કહો ભાઈ કમાણી સહી ।। ૨ ।। જેમ કેશરિયાં કોઈ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી તરણની ।। કામ પડે કો’ કેમ આવે, પ્રતીતિ એના મરણની ।। ૩ ।। જેમ સતી ચાલી બા’રે બળવા, ભેળાં ભરી લિયે જળ માટલાં ।। આગ્ય લાગે ઊઠી ભાગશે, હોલવી તરણનાં ત્રાટલાં ।। ૪ ।। એમ ભકત થઈ ભગવાનનો, વળી કે’વાણો સહુથી ભલો ।। પણ શરીર સુખરૂપી રાખિયો, મોટો મિયાંનો ગોખલો ।। ૫ ।। જયારે વેચી હવેલી વિત્ત લઈ, ત્યારે આળિયાનો શો અર્થ છે ।। પણ દગો છે એના દિલમાં, જે અંતે કરવો અનર્થ છે ।। ૬ ।। એવા ભમરાળા ભકત ન થાયે, થાયે ભકત આગળ કહ્યા એવા ।। જયારે સાત ભાત્યની કરી સુખડી, ત્યારે ન બગાડિયે કાચરિયે વિ’વા ।। ૭ ।। દીધું આંધણ જયારે દૂધનું, તેહ માંહી મીઠું ઓરવું નહિ ।। ખાતાં ન ખવાય દૂધ જાય, કહો તેમાં કમાણી સહી ।। ૮ ।। ભલી ભકત આદરી, પામવા પુરુષોત્તમ સહી ।। પછી પંડ સુખને ઇચ્છવું, એ તો વાત બને નહિ ।।૯।। ખાવો ભૈરવ જપને જયારે, ત્યારે ખસતું ન મેલવું અંગ ।। નિષ્કુળાનંદ જેમ […] read more
0 Views : 84

ધીરજાખ્યાન કડવું:– ૬૩

હરિજનને છે એક મોટું જયાનજી, જો આવી જાયે અંગ અભિમાનજી તો ન ભજાય કે દી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એક તાનજી તાન રહે એક પંડ્ય પોષ્યાનું, ખાનપાનને રહે ખોળતા ।। મળે તો મહાસુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતા ।। ૨ ।। જેમ ભાંડ બાંડ ના’વે ભીડ્યમાં, કુલક્ષણાની જાણે કળા ।। સો સો વાતે ના’વે સાંકડ્યે, વાદી વાદી નાસી જાય વેગળા ।। ૩ ।। એમ નર અભાગિયા, કરે કળ છળ હુન્નર હજાર ।। અનેક રીતે આવવા વળી, ન દિયે અંગે અજાર ।। ૪ ।। કર્મવશ કોટિ કષ્ટ સહે, રહે રાત દિવસ રોસિવડો ।। પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતાં, જાય છે એનો જીવડો ।। ૫ ।। અણ અર્થે અભાગિયો, દુર્મતિ અતિ દુઃખ દ્યોત ।। પ્રભુ ભજતાં પગ ન માંડે, જેમ બેઠો કટિયે કપોત ।। ૬ ।। કોટિ કોટિ શાસ્ત્ર સાંભળ્યા, વળી કોટિ કોટિ સાંભળશે ।। અજ આવી ઉપદેશ દેશે, તોય ભૂલ્ય એની કાંઈ ટળશે ।। ૭ ।। ગુરુ સહસ્ર ઘણું ઘણું, સમઝાવે છે સર્વે મળી ।। પણ પકડ્યું પૂચ્છ નરે ખરનું, નથી મૂકતો વણશેલ વળી ।। ૮ ।। આંટી પડી ઉરે અવળી, તે વાત ન સમઝે સવળી સહી ।। ઝાલી ટેક ખાવા ઝેરની, તે મૂવા સુધી મૂકે નહિ ।।૯।। મૂઠી વાળી જેમ મરકટે, ચપટી ચણાને કાજ ।। નિષ્કુળાનંદ ફંદ પડિયો […] read more
0 Views : 132

ધીરજાખ્યાન કડવું:– ૬૪

ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી ધામ પામશે પ્રભુ તણું, જિયાં કાળ માયાનો કલેશ નહિ ।। અટળ સુખ આનંદ અતિ, તે તો કોટિ કવિ ન શકે કહી ।। ૨ ।। દિવ્ય ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે ।। દિવ્ય પદારથ દિવ્ય વસ્તુ, દિવ્ય સુખ તે સહુ લહે ।। ૩ ।। દિવ્ય વસન દિવ્ય ભૂષણ, દિવ્ય સરવે સાજ સમાજ ।। દિવ્ય સિંહાસન ઉપરે આપે, બેઠા શ્રી મહારાજ ।। ૪ ।। દિવ્ય પૂજા વળી દિવ્ય પુષ્પ, દિવ્ય ચંદન દિવ્ય મણિમાળ ।। મહાસુખમય મૂરતિને, પ્રેમે પૂજે છે મરાળ ।। ૫ ।। લઈ પૂજા નિજ જનની, થઈ પ્રસન્ન પુરુષોત્તમ ।। પછી અમૃતભરી આંખ્યશું, જુવે છે સહુને પરબ્રહ્મ ।। ૬ ।। તેહ સમાનું સુખ સરવે, કે’તાં પણ કહેવાયે નહિ ।। તેહ પામે છે સંત સાચા, વા’લાને વચને રહી ।। ૭ ।। વચનમાં જેહ વાસ કરી, રહ્યા છે રુદે રાજી થઈ ।। તેની નજરમાં નર અમરનાં, સુખની ગણતી સઈ ? ।। ૮ ।। અનુપને ઉપમા ન આવે, અકળ તે ન કળાય ।। અચળ તે ચળે નહિ, એવું એ સુખ કહેવાય ।।૯।। એહ સુખ સહજે પામિયે, સંત વાળે તેમ જો વળિયે ।। નિષ્કુળાનંદ નિર્ભય સુખથી, તુચ્છ સુખ સારુ શીદ ટળિયે ।।૧૦।। read more
0 Views : 116

ધીરજાખ્યાન પદ:– ૧૬

(રાગ:-કડખો) ‘શાંતિ પમાડે તેને સંત કહીએ’ એ ઢાળ. ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે રાજી કર્યા રાધા રમાપતિ…ધન્ય માન અપમાનમાં મન હટકયું નહિ રે, સમ વિષમે રહી એક મતિ. ધન્ય ।। ૧ ।। સુખ દુઃખ સમતોલ સમઝ્યા સહી, અરિ મિત્રમાં રહી એક જ બુદ્ધિ; સંપત્તિ વિપત્તિ સરખી સમ થઈ રે, સમઝ્યા સંત એમ વાત સુધી. ધન્ય ।। ૨ ।। હાર જીત ને હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રુવે; ગાંધર્વ શહેર સમ સુખ સંસારનાં રે, મૃગજળ જોઈ સુખરૂપ જળ ખુવે. ધન્ય ।। ૩ ।। સ્વપ્નાની પૂજા પીડા સ્વપને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી; નિષ્કુળાનંદ એમ સાચા સંત સમઝે રે, વિચારો સહુ કહું હું વાત કથી. ધન્ય ।। ૪ ।। read more
0 Views : 138
Powered By Indic IME