Last Updated:
May 5, 2025

Click here to submit your article
૧૦ ચોસઠપદી
Per Page :

ચોસઠપદી પદ:- ૪૯

રાગ-ધોળ ‘ચાલ સખી જોવાને જઈએ, ખાંતીલો વનમાં ખેલે રે’ સુંદર સારી શિખામણ મારી, માનીલે મનવા મારા રે ।। ધારી વિચારી મેં વાત ઉચ્ચારી, તે જોઈ સ્વભાવ તારા રે ।। ૧ ।। પરને કહેવા પ્રવીણ છે પૂરો, પોતાનું તો તું ન પેખે રે ।। સામાને શીખ દેવામાં છે શૂરો, નિજ દોષને નવ દેખે રે ।। ૨ ।। કોય ન સમજે કારજ તારું, કહું છું કાંયે નહિ થાય રે ।। શીદને ઉતારુ  છે પરબારું,  કાંરે ન મનાય કાંય રે ।। ૩ ।। અવળી સમજણ અળગીએ કરી, સવળું સમજાય તો સારું રે ।। નિષ્કુળાનંદ કહે વિચારી, એટલું માની લે મારું રે ।। ૪ ।। read more
0 Views : 130

ચોસઠપદી પદ:- પ૦

મન તું ને સમજાવવા સારુ, કહ્યું મેં વારમવાર રે ।। તેં તો ગમતું ન તજિયું તારું, ગઈ શિખામણ ગમાર રે ।। ૧ ।। જે જે વાત કરી તુજ સાથે, તે તો તેં રતી ન રાખી રે ।। ખોટ્ય આવવા ન દીધી માથે, લઈ બીજા પર નાખી રે ।। ૨ ।। કહો ખોટ્ય ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે ।। એથી ભૂલ્ય બીજી કઈ ભારી, સહુથી સરસ આપ લેખે રે ।। ૩ ।। કહેનારાને કહેવા ન રહ્યું, તેં ન ધર્યું જયારે કાન રે ।। નિષ્કુળાનંદ કહે તુંને શિયું, તારે તો બીજું છે તાન રે ।। ૪ ।। read more
0 Views : 99

ચોસઠપદી પદ:- પ૧

સમું  સમજે શોધતાં એવા, જોતાં ઝાઝા નવ જડે રે ।। જેને ન આવડે અવળું લેવા, વણતોળી વિપત્ય જો પડે રે ।। ૧ ।। માન મોટપ્ય ને મમતા મૂકે, ગમતું ગોવિંદનું જાણી રે ।। ચોટ નિશાન ઉપરથી ન ચૂકે, પરલોકે પ્રતીતિ આણી રે ।। ૨ ।। કોય કાળે જો કામ પોતાનું, વણસાડે  નહિ વળી રે ।। કપટ કેદિયે ન રાખે છાનું, મોટા સંતને મળી રે ।। ૩ ।। એવા જન જગતમાં જાણો, ઘરઘર ઘણા ન હોય રે ।। નિષ્કુળાનંદ કહે પરમાણો, સાચા સંત કા’વે સોય રે ।। ૪ ।। read more
1 Views : 98

ચોસઠપદી પદ:- પ૨

આ લોકની જેણે આશા તજી છે, પરલોકના સુખ સારુ રે ।। તેણે કરી હરિભકત રજી છે, સંસાર સુખ થયું ખારું રે ।। ૧ ।। ચૌદ લોક ને ચતુરધા લગી, જગમાં જે જે કહેવાય રે ।। સર્વે ઠેકાણે અગનિ સળગી, દેખે તપતાં ત્યાંય રે ।। ૨ ।। ઠરવા ઠાઉકું ઠામ ન સૂઝે, કહો સુખ કયાં મનાય રે ।। કાળ માયાથી સહું રહ્યાં ધ્રૂજે, હરિનાં ચરણ વિનાય રે ।। ૩ ।। એમ અહોનિશ અંતરમાંઈ, વરતે છે વૈરાગ રે ।। નિષ્કુળાનંદ કહે તેને કાંઈ, કઠણ ન હોય કરવું ત્યાગ રે ।। ૪ ।। read more
0 Views : 109

ચોસઠપદી પદ:- પ૩

એવા જનની ઉપર હરિ, રાજી છે રાધિકાપતિ રે ।। જેણે ભકત ભાવેશું કરી, ફરે નહીં કે દી મતિ રે ।। ૧ ।। શરીરના સુખ સર્વે ત્યાગી, વાધી પ્રભુ સાથે પ્રીતિ રે ।। જેની લગની લાલશું લાગી, તે તો રહ્યા જગ જીતિ રે ।। ૨ ।। કપટ રહિત કૃષ્ણની સેવા, જાણજયો જે જને કરી રે ।। પ્રભુના પદને પામિયા એવા, આ ભવજળ ગયા તરી રે ।। ૩ ।। તેમા સંશય લેશ મ લાવો, પૂરણ પ્રતીતિ આણો રે ।। નિષ્કુળાનંદ કહે નિરદાવો,  જેના જીવમા જાણો રે ।। ૪ ।। read more
0 Views : 122

ચોસઠપદી પદ:- પ૪

એવાને સંગેથી અક્ષરધામે, જવાય છે જો જરૂર રે ।। બીજાને સંગે તો સુખ ન પામે, દુઃખ રહે ભરપૂર રે ।। ૧ ।। જેને જાવું હોય જમને હાથે, દક્ષિણ દેશની માંય  રે ।। તે તો સુખે રહો કપટી સાથે, તેનું કહેતા નથી કાંય રે ।। ૨ ।। પણ જાવું જેને પ્રભુજી પાસે, તેને કરવો તપાસ રે ।। અંતર બીજો તજવો આશે, થઈ રહેવું હરિના દાસ રે ।। ૩ ।। આવી વાત અંતરે ઉતારી, કરી લેવું નિજ કામ રે ।। નિષ્કુળાનંદ કહે વિચારી, તો પામિયે હરિધામ રે ।। ૪ ।। read more
0 Views : 111

ચોસઠપદી પદ:- પપ

જેહ ધામને પામીને પ્રાણી, પાછું પડવાનું નથી રે ।। સર્વે પર છે સુખની ખાણી, કેવું કહિયે તેને કથી રે ।। ૧ ।। અનંત મુકત જયાં આનંદે ભરિયા, રહે છે પ્રભુજીની પાસ રે ।। સુખ સુખ જિયાં સુખના દરિયા, તિયાં વસી રહ્યા વાસ રે ।। ૨ ।। તેજ તેજ જિયાં તેજ અંબાર, તેજોમય તન તેનાં રે ।। તેજોમય જિયાં સર્વે આકાર, શું કહિયે સુખ એનાં રે ।। ૩ ।। તે તેજ મધ્યે સિંહાસન શોભે, તિયાં બેઠા બહુનામી  રે ।। નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂરણ પુરુષોત્તમ પામી રે ।। ૪ ।। read more
0 Views : 113

ચોસઠપદી પદ:- પ૬

એવા ધામની આગળ બીજા, શી ગણતીમાં ગણાય રે ।। મા’પ્રલય કાળના અગ્નિમાં સીઝા, હંમેશ જે હણાય રે ।। ૧ ।। પ્રકૃતિપુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોય રે ।। ચૌદ લોક ધામ રહેવા ન પાવે, સર્વે સંહાર હોય રે ।। ૨ ।। જેમ કઢાયામાં કણ ઊછળે છે, ઊંચા નીચા અગ્નિ જવાળે રે ।। તેમ જો તનધારી બળે છે, સ્વર્ગ મૃત્યુ ને પાતાળે રે ।। ૩ ।। માટે સુખ નથી કિયાં માને, પ્રભુજીના પદ પખી  રે ।। નિષ્કુળાનંદ કહે ભૂલે છે શાને, લે વાત આવી તું લખી રે ।। ૪ ।। read more
0 Views : 100
Powered By Indic IME