રાગ-ધોળ ‘મેં તો દીઠા જાદવરાય જમુનાં ઝીલતા રે’ જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે ।। જેની જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે ।। ૧ ।। એવા જનનું જાણો જરૂર, નથી મુખ જોયા જેવું રે ।। દોષે ભર્યું જાણી તજો દૂર, અઘે અવરાણું એવું રે ।। ૨ ।। તેને પાસે વસતાં વાસ, લાંછન તો લાગે જ લાગે રે ।। તજો તેને આણી તન ત્રાસ, જેથી કુબુદ્ધિ જાગે રે ।। ૩ ।। એવા પાપીનું સ્પર્શતા અંગ, પુણ્ય જાય પોતા તણું રે ।। કહે નિષ્કુળાનંદ એ કુસંગ, તે સંગે જયાન ઘણું રે ।। ૪ ।।
read more