Last Updated:
May 5, 2025

Click here to submit your article
૧૦ ચોસઠપદી
Per Page :

ચોસઠપદી પદ:- ૪૧

રાગ-ધોળ ‘મેં તો દીઠા જાદવરાય જમુનાં ઝીલતા રે’ જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે ।। જેની જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે ।। ૧ ।। એવા જનનું જાણો જરૂર, નથી મુખ જોયા જેવું રે ।। દોષે ભર્યું જાણી તજો દૂર, અઘે  અવરાણું  એવું રે ।। ૨ ।। તેને પાસે વસતાં વાસ, લાંછન  તો લાગે જ લાગે રે ।। તજો તેને આણી તન ત્રાસ, જેથી  કુબુદ્ધિ જાગે રે ।। ૩ ।। એવા પાપીનું સ્પર્શતા અંગ, પુણ્ય જાય પોતા તણું રે ।। કહે નિષ્કુળાનંદ એ કુસંગ, તે સંગે જયાન ઘણું રે ।। ૪ ।। read more
0 Views : 141

ચોસઠપદી પદ:- ૪૨

એવા જન જીવતા જરૂર, મૂવા છે માની લેજો રે ।। દેખી દુગર્ંધને રહેજો દૂર, આભડછેટ એ તો છે જો રે ।। ૧ ।। કાઢ્યા વિના નહિ સૂઝે કામ, સૂતક એ શીદ રાખો રે ।। બાળી જાળી ટાળો એનું ઠામ, વાની વહેતે જળે નાખો રે ।। ૨ ।। ઘણું રાખતાં એ ઘરમાંય, સૂણી  કે સડી જાશે રે ।। કાઢો વેળ્ય  મ કરજો કાંય, ઘણું રાખ્યે ગંધ્ય થાશે રે ।। ૩ ।। કેડે કરવી નહિ તેની કાંણ,  ખરખરો  ખોટો ખોળી  રે ।। કહે નિષ્કુળાનંદ સુજાણ, કહ્યું મેં તપાસી તોળી રે ।। ૪ ।। read more
0 Views : 97

ચોસઠપદી પદ:- ૪૩

કહેશો હરે ફરે નર આપ, મૂવા તેને કેમ કહિયે રે ।। તે તો પૂંછ હલાવે છે સાપ, ઘડીવાર જીવ ગયે રે ।। ૧ ।। પણ પિંડમાંયે નથી પ્રાણ, જરૂર જાણી લેજો રે ।। જોઈ એના અંગનાં એંધાણ, પછી ડરી દૂર રહેજો રે ।। ૨ ।। કાપ્યું તરુ કાઢે છે કૂંપળ, સરે  પણ સૂકી જાશે રે ।। તેમ નર કરે કોટિ કળ, અંતે તે ઉઘાડું થાશે રે ।। ૩ ।। કહો કપટ કેટલા દિન, નર એહ રાખી રહેશે રે ।। કહે નિષ્કુળાનંદ સહુ જન, જેમ હશે તેમ કહેશે રે ।। ૪ ।। read more
0 Views : 123

ચોસઠપદી પદ:- ૪૪

જેમ મહાજળમાં મગર, સાગર સહુને રાખે રે ।। નાનાં મોટાં કરી રહે ઘર, કોયને ન કાઢી નાખે રે ।। ૧ ।। પણ જયાં લગી જીવ હોય , ત્યાં લગી તેમાં રહે રે ।। વણ જીવે રહે નહિ કોય, લે’ર  દૂર નાખી દહે રે ।। ૨ ।। હરિજનનું જીવન છે ધર્મ, પોતે પોતાનો પાળે રે ।। તજે નહિ ભજે પરબ્રહ્મ, તો રહે તેમાં સદા કાળે રે ।। ૩ ।। વણ જીવે  હોય નહિ વાસ, સત્સંગ સિંધુમાંઈ રે ।। કરવો નિષ્કુળાનંદ તપાસ, કહ્યું નથી કૂડું  કાંઈ રે ।। ૪ ।। read more
0 Views : 103

ચોસઠપદી પદ:- ૪પ

જે કોઈ ડચકાં દિવસ રાત, ખાતો નર હોય ખરાં રે ।। તેની જીવવાની જૂઠી વાત, પાંપળાં  મેલો પરા રે ।। ૧ ।। જેની નાડી છાંડી ગઈ ઘર, જિહવા તો ટૂંકી પડી રે ।। દગ  દોય દઈ ગયાં દર, શ્વાસ આવ્યો સુધો  ચડી રે ।। ૨ ।। તેહ સમામાંહી સગપણ, કરે કોય કન્યા તણું રે ।। તેને રોકડું છે રંડાપણ, એવાતણ  ઉધારે ઘણું રે ।। ૩ ।। તેમ સત્સંગમાં કોય જન, ગડબડ ગોટા વાળે  રે ।। કહે નિષ્કુળાનંદ કોય દન, રખે  તે જીવિત બાળે  રે ।। ૪ ।। read more
0 Views : 107

ચોસઠપદી પદ:- ૪૬

ડોરી  દેખી મ ડગાવો દિલ, સમજીને સંગ કરો રે ।। સારા સંત ઓળખી અવલ,  મન કર્મ વચને વરો રે ।। ૧ ।। દેખી ઉપરનો આટાટોપ,  મને રખે મોટા માનો રે ।। એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ, સમજો એ સંત શાનો રે ।। ૨ ।। જેને જાણજો જગ મોટાઈ,જડાણી જીવ સંગે રે ।। તેને મોટા માનો જગ માંઈ, ખોટા છે મોક્ષ મગે  રે ।। ૩ ।। જોને શુકજી ને જડભરત, કો’કેણે મોટા જાણ્યા રે ।। હતા નિષ્કુળાનંદ એ સમર્થ, પછી સહુએ પરમાણ્યા  રે ।। ૪ ।। read more
0 Views : 138

ચોસઠપદી પદ:- ૪૭

એહ વિના મોટાઈ જે અન્ય, ખરી તે પણ ખોટી નથી રે ।। તે તો સુણી લિયો સહુ જન, તે પણ કહું કથી રે ।। ૧ ।। જેમ પંખીમાં મોટેરો ઘૂડ, ઝાડમાં તાડ લૈયે રે ।। જેમ જળમાં મોટેરો ઝૂડ,  પશુમાં પાડો કૈયે રે ।। ૨ ।। સર્પમાં મોટેરો તક્ષક, વીંછીમાં ઠાકરિયો વળી રે ।। એ તો મોટપ્ય દુઃખદાયક, સમજો સહુ મળી રે ।। ૩ ।। એમ જાણ્યા વિના જગમાંય, ઉપાય નથી ઊગર્યાનો રે ।। કહે નિષ્કુળાનંદ તે ન્યાય,  માનો કે નવ માનો રે ।। ૪ ।। read more
0 Views : 125

ચોસઠપદી પદ:- ૪૮

ખોટી વાત સાંભળી આવી ખોટ, દોષ જે બીજાને દેશે રે ।। પોતે પેટે કપટ રાખી કોટ, બા’ર તો સાધુતા ગ્રહેશે  રે ।। ૧ ।। છળે કળે છપાડી છિદર, વાંકમાં નહિ આવે આપે રે ।। એમ કરતાં જાણશે કોય નર, તેને ડરાવશે શાપે રે ।। ૨ ।। આણી આખ્યાન તેની ઉપર, બોલવા નહિ દિયે રે ।। જેને નથી મહારાજનો ડર, તે કહો કેથી બીયે રે ।। ૩ ।। એવા પાપી જે પાપના પુંજ,  દેખીને દૂર રૈ’યે રે ।। કહે નિષ્કુળાનંદ તે શુંજ, કહી કહી કેટલું કૈ’યે રે ।। ૪ ।। read more
0 Views : 107
Powered By Indic IME