રાગ-ધોળ ‘સખી સાંભળ્યને કહું વાત, આજ મારાં ભાગ્ય ભલાં’ કહે તો વળી કહું એક વાત, સુણજયો સહુ મળી ।। છે જો સાંભળ્યા જેવી સાક્ષાત, વાલપે કહું વળી ।। ૧ ।। જેમ નરદેવ દઈને દંડ, વેરીને વશ્ય કરે ।। લિયે ખાટી તે સર્વે ખંડ, દુષ્ટ તે સરવે ડરે ।। ૨ ।। તેમ પ્રગટી પૂરણ બ્રહ્મ, સંતના શત્રુ હણ્યા ।। કામ ક્રોધ લોભ જે વિષમ, તે તૃણ તુલ્ય ગણ્યા ।। ૩ ।। સ્વાદ સ્નેહ મમતા માન, પાપી પારોઠા કીધા ।। કહે નિષ્કુળાનંદ નિદાન, નિજ જન તારી લીધા ।। ૪ ।।
read more