રાગ-ગરબી ‘સજયા શણગાર શોભતા રે, આજ સખી વ્રજરાજ’ કઠણ વચન કહું છું રે, કડવા કાંકચ્ય રૂપ ।। દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ ।। ૧ ।। ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષધ ।। જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થાશે સદ્ય ।। ૨ ।। પણ બીક રહે છે બોલતાં રે, સાચી દેતાં શિખ ।। ખરાં છિદ્ર કેના ખોલતાં રે, વવાઈ જાશે વિખ ।। ૩ ।। દેહમાનીને દિલમાં રે, સુણતાં જાશે સુખ ।। પ્રજળશે તેહ પળમાં રે, દાજયે થાશે દુઃખ ।। ૪ ।। માટે કહું ન કહું કોઈને રે, એમ આવે વિચાર ।। નિષ્કુળાનંદ વિચારી જોઈને રે, પછી કરું ઉચ્ચાર ।। ૫ ।।
read more