Last Updated:
May 5, 2025

Click here to submit your article
૧૦ ચોસઠપદી
Per Page :

ચોસઠપદી પદ:- ૯

રાગ  :-  ધોળ   ‘લટકાળા  તારે  લટકે  રે, લેરખડા’ સાચા સંતના અંગ એંધાણ રે, જોઈ લેવા જીવડિયે ।। જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડિયે ।। ૧ ।। ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરની ।। ઊઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરની ।। ૨ ।। હશે હારદ હૈયાં કેરું રે, વણ કહ્યે પણ વરતાશે ।। જેમ જેમ છપાડશે  ઘણેરું રે, તેમ તેમ છતું થાશે ।। ૩ ।। ખાય ખૂણે લસણ લકી  રે, તે ગંધ કરે છુપાવાનું ।। કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે, જેમ છે તેમ જણાવાનું ।। ૪ ।। read more
0 Views : 287

ચોસઠપદી પદ:- ૧૦

જેવો રસ ભર્યો જે ઠામે રે, તેવો તેમાંથી ઝરશે ।। કોઈ કાઢશે પડ્યે કામે રે, નિશ્ચે તેવો નીસરશે ।। ૧ ।। જોને આહાર કરે જન જેવો રે, તેવો આવે ઓડકારે ।। અણપૂછે નીસરે એવો રે, આશય અંતરનો બા’રે ।। ૨ ।। જોને ચીલ  ચઢે અસમાને  રે, નજર તેની નીચી છે ।। દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ્ય મીંચી છે ।। ૩ ।। એવા લક્ષણવાળા લાખુ રે, દીઠા મે દગે ભરિયા ।। કહે નિષ્કુળાનંદ શું ભાખું રે, ઓળખો એની જોઈ ક્રિયા ।। ૪ ।। read more
0 Views : 266

ચોસઠપદી પદ:- ૧૧

કામી બોલે કામે ભરિયું રે, લોભી બોલે લોભ લઈ ।। ક્રોધી બોલે ક્રોધે અનુસરિયું રે, માની બોલે માન સઈ ।। ૧ ।। સ્વાદી બોલે સ્વાદ વખાણી રે, દંભી બોલે દંભ ભરી ।। અહંકારી અહંકાર આણી રે, કપટી બોલે કપટ કરી ।। ૨ ।। માટે જે જનને મળે જેવા રે, તેવો તેને રંગ ચડશે ।। નહિ જાય શ્રોતા સારુ લેવા રે, જેમ છે તેમ તેનું જડશે ।। ૩ ।। ખૂબ ખરા હોય ખપવાળા રે, તેને જોવું તપાસી ।। થાય નિષ્કુળાનંદ સુખાળા રે, ખરી વાત કહું ખાસી ।। ૪ ।। read more
0 Views : 183

ચોસઠપદી પદ:- ૧૨

વણ સાધુનો વરતારો રે, આ પદ સુણતાં ઓળખાશે ।। પછી શોધી સમાગમ સારો રે, તે સાથે પ્રીતિ થાશે ।। ૧ ।। તેહ વિના મન નહિ માને રે, બીજે દલડું નહિ બેસે ।। કાયરની વાતો કાને રે, સાંભળી પંડ્યમાં નહિ પેસે ।। ૨ ।। આંખ્ય અંતરની ઊઘડશે રે, પડશે પારખું પોતાને ।। ખરા ખોટાની ગમ પડશે રે, જડશે વાતો એ જોતાને ।। ૩ ।। પછી સંત અસંત એક પાડે  રે, નહિ દેખે તે કોઈ દને ।। કહિ નિષ્કુળાનંદ શું દેખાડે રે, જાણશે જેમ છે તેમ મને ।। ૪ ।। read more
0 Views : 162

ચોસઠપદી પદ:- ૧૩

જેનું તન મન માન્યું ત્યાગે રે, ભકિત ધર્મ ભાવે છે ।। તેના વચન વીંટ્યાં વૈરાગે રે, અંતરમાંથી આવે છે ।। ૧ ।। શીલ  સંતોષ ને વળી શાંતિ રે, એમા રહીને બોલે છે ।। ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે ।। ૨ ।। એવા સંત સહુના સગા રે, પરઉપકારી પૂરા છે ।। જેના દલમાં નહિ કોય દગા રે, સત્ય વાતમાં શૂરા છે ।। ૩ ।। વળી હેત ઘણું છે હૈયે રે, આંખ્યે અમૃત વરસે છે ।। કહે નિષ્કુળાનંદ શું કહિયે રે, એ જન જોઈ હરિ હરખે છે ।। ૪ ।। read more
0 Views : 185

ચોસઠપદી પદ:- ૧૪

કેને દુઃખ દેવાનો દિલમાં રે, ભૂલ્યે ભૂંડો ભાવ નથી ।। પર ઉપકારે પળપળમાં રે, ઊપજે ઇચ્છા અંતરથી ।। ૧ ।। પંચ વિષયને પરહરીને રે, વરતે છે વણ વિકારે ।। તેહ જણાય જોવે કરીને રે, જન એ બોલે છે જયારે ।। ૨ ।। વણ વિચારે પણ વાતું રે, આવે એના અંતરથી ।। બોલે અહં મમતાનું ઘસાતું રે, ઊતર્યું મન તન સુખ પરથી ।। ૩ ।। એવા કયાંથી મળે જન એકે રે, નિર્મળ અંતર નિષ્કામી ।। કહે નિષ્કુળાનંદ વિવેકે રે, બીજા બહુ હોય હરામી ।। ૪ ।। read more
0 Views : 170

ચોસઠપદી પદ:- ૧પ

વળી વિષયી જનનાં વાયક રે, ભર્યા ભરપૂર ભૂંડાઈયે ।। હોય સહુને દુઃખના દાયક રે, એથી સુખિયાં શું થાયે ।। ૧ ।। જોને આગ્નીધ્ર દીર્ઘતમા રે, વિષય સારુ વિલખ્યા છે ।। એનાં વચન શોધી શાસ્ત્રમાં રે, સર્વે લૈને લખ્યાં છે ।। ૨ ।। વળી વસિષ્ઠ ને દુર્વાસા રે, લોભી ક્રોધી કાવે છે ।। એના અંતરની જે આશા રે, સર્વે શાસ્ત્ર જણાવે છે ।। ૩ ।। માટે જે જનમાં ગુણ જેવો રે, એવો આપે સેવકને ।। કહે નિષ્કુળાનંદ ન સેવો રે, જાણી એવા વિવેકને ।। ૪ ।। read more
0 Views : 172

ચોસઠપદી પદ:- ૧૬

કહ્યાં ષટ દશ પદ આ ખોળી રે, સહુ જનને સમજાવાને ।। કહ્યું તન મનમાં મે તોળી રે, જેમ છે તેમ જણાવાને ।। ૧ ।। કોય પીયૂષ  રસને પાઈ રે, ઉછેરે નર ઉરગને ।। તોય નિરવિખ તે ન થાય રે, વાધે વિખ એના અંગને ।। ૨ ।। જોને જેવો ગુણ જે બીજે  રે, તેવો તેહ જણાવે છે ।। તેની કોટી જતન જો કીજે રે, તોય તે શું બદલાવે છે ? ।। ૩ ।। એવા ઝેરીલા જન જાણી રે, તરત તેને તજી દેવા ।। સુણી નિષ્કુળાનંદની વાણી રે, શુદ્ધ સંતની કરીએ સેવા ।। ૪ ।। read more
0 Views : 173
Powered By Indic IME